19-09-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ બેહદ નાં નાટક માં આપ આત્માઓ ને પોત - પોતાનો પાર્ટ મળેલો છે , હવે તમારે આ શરીર રુપી કપડાં ઉતારીને ઘરે જવાનું છે , પછી નવાં રાજ્ય માં આવવાનું છે”

પ્રશ્ન :-
બાપ કોઈ પણ કાર્ય પ્રેરણા થી નથી કરતા, એમનું અવતરણ થાય છે, આ કઈ વાત થી સિદ્ધ થાય છે?

ઉત્તર :-
બાપ ને કહેવાય જ છે કરનકરાવનહાર. પ્રેરણા નો તો અર્થ છે વિચાર. પ્રેરણા થી કોઈ નવી દુનિયા ની સ્થાપના થતી નથી. બાપ બાળકો દ્વારા સ્થાપના કરાવે છે, કર્મેન્દ્રિયો વગર તો કાંઈ પણ કરાવી ન શકે એટલે એમને શરીર નો આધાર લેવાનો હોય છે.

ઓમ શાંતિ!
રુહાની બાળકો રુહાની બાપ ની સામે બેઠાં છે. એટલે આત્માઓ પોતાનાં બાપ ની સન્મુખ બેઠાં છે. આત્મા જરુર શરીર ની સાથે જ બેસશે. બાપ પણ જ્યારે શરીર લે છે ત્યારે જ સન્મુખ થાય છે આને જ કહેવાય છે આત્મા-પરમાત્મા અલગ રહ્યાં… આપ બાળકો સમજો છો ઊંચા માં ઊંચા બાપ ને જ ઈશ્વર, પ્રભુ, પરમાત્મા ભિન્ન નામ આપ્યાં છે, પરમપિતા ક્યારેય લૌકિક બાપ ને નથી કહેવાતાં. ફક્ત પરમપિતા લખ્યું તો પણ વાંધો નથી. પરમપિતા અર્થાત્ એ સર્વ નાં પિતા છે એક. બાળકો જાણે છે આપણે પરમપિતા ની સાથે બેઠાં છીએ. પરમપિતા પરમાત્મા અને આપણે આત્માઓ શાંતિધામ નાં રહેવા વાળા છીએ. અહીં પાર્ટ ભજવવા આવીએ છીએ, સતયુગ થી લઈને કળિયુગ અંત સુધી પાર્ટ ભજવ્યો છે, આ થઈ ગઈ નવી રચના. રચયિતા બાપે સમજાવ્યું છે કે આપ બાળકોએ આવી રીતે પાર્ટ ભજવ્યો છે. પહેલાં આ નહોતા જાણતા કે આપણે ૮૪ જન્મો નું ચક્ર લગાવ્યું છે. હમણાં આપ બાળકો સાથે જ બાપ વાત કરે છે, જેમણે ૮૪ નું ચક્ર લગાવ્યું છે. બધા તો ૮૪ જન્મ નથી લઈ શકતાં. આ સમજાવવાનું છે કે ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે? બાકી લાખો વર્ષ ની તો વાત જ નથી. બાળકો જાણે છે કે આપણે દરેક ૫ હજાર વર્ષ પછી પાર્ટ ભજવવા આવીએ છીએ. આપણે પાર્ટધારી છીએ. ઊંચા માં ઊંચા ભગવાન નો પણ વિચિત્ર પાર્ટ છે. બ્રહ્મા અને વિષ્ણુ નો વિચિત્ર પાર્ટ નહીં કહેવાશે. બંને ૮૪ નું ચક્ર લગાવે છે. બાકી શંકર નો પાર્ટ આ દુનિયામાં તો નથી. ત્રિમૂર્તિ માં દેખાડે છે - સ્થાપના, વિનાશ, પાલના. ચિત્રો પર સમજાવવાનું હોય છે. ચિત્ર જે દેખાડો છો તેનાં પર સમજાવવાનું છે. સંગમયુગ પર જૂની દુનિયા નો વિનાશ તો થવાનો જ છે. પ્રેરક શબ્દ પણ રોંગ (ખોટો) છે. જેમ કોઈ કહે છે આજે મને બહાર જવાની પ્રેરણા નથી, પ્રેરણા એટલે વિચાર. પ્રેરણા નો કોઈ બીજો અર્થ નથી. પરમાત્મા કોઈ પ્રેરણા થી કામ નથી કરતાં. નથી પ્રેરણા થી જ્ઞાન મળી શકતું. બાપ આવે છે આ કર્મેન્દ્રિયો દ્વારા પાર્ટ ભજવવાં. કરનકરાવનહાર છે ને? કરાવશે બાળકો દ્વારા. શરીર વગર તો કરી ન શકે. આ વાતો ને કોઈ પણ જાણતા નથી. નથી ઈશ્વર બાપ ને જ જાણતાં. ઋષિ-મુનિ વગેરે કહેતાં હતાં અમે ઈશ્વર ને નથી જાણતાં. ન આત્મા ને, ન પરમાત્મા બાપ ને. કોઈ માં જ્ઞાન નથી. બાપ છે મુખ્ય ક્રિયેટર, ડાયરેક્ટર, ડાયરેક્શન (માર્ગદર્શન) પણ આપે છે. શ્રીમત આપે છે. મનુષ્યો ની બુદ્ધિ માં તો સર્વવ્યાપી નું જ્ઞાન છે. તમે સમજો છો બાબા આપણા બાબા છે, તે લોકો સર્વવ્યાપી કહી દે છે તો બાપ સમજી જ નથી શકતાં. તમે સમજો છો આ બેહદ નાં બાપ નો પરિવાર છે. સર્વવ્યાપી કહેવાથી પરિવાર ની સુગંધ નથી આવતી. એમને કહેવાય છે નિરાકારી શિવબાબા. નિરાકારી આત્માઓ નાં બાબા. શરીર છે ત્યારે આત્મા બોલે છે કે બાબા. શરીર વગર તો આત્મા બોલી ન શકે. ભક્તિ માર્ગ માં બોલાવતા આવ્યાં છે. સમજાવે છે એ બાબા દુઃખહર્તા સુખકર્તા છે. સુખ મળે છે સુખધામ માં. શાંતિ મળે છે શાંતિધામ માં. અહીં છે જ દુઃખ. આ જ્ઞાન તમને મળે છે સંગમ પર. જૂનાં અને નવાં ની વચ્ચે. બાપ આવે જ ત્યારે છે જ્યારે નવી દુનિયા ની સ્થાપના અને જૂની દુનિયા નો વિનાશ થવાનો છે. પહેલાં હંમેશા કહેવું જોઈએ નવી દુનિયા ની સ્થાપના. પહેલાં જૂની દુનિયા નો વિનાશ કહેવું રોંગ (ખોટું) થઈ જાય છે. હમણાં તમને બેહદ નાં નાટક ની નોલેજ મળે છે. જેમ તે નાટક માં એક્ટર્સ આવે છે તો ઘરે થી સાધારણ કપડાં પહેરીને આવે પછી નાટક માં આવીને કપડાં બદલે છે. પછી નાટક પૂરું થયું તો તે કપડાં ઉતારીને ઘરે જાય છે. અહીં આપ આત્માઓ ને ઘરે થી અશરીરી આવવાનું હોય છે. અહીં આવીને આ શરીર રુપી કપડાં પહેરો છો. દરેક ને પોતા-પોતાનો પાર્ટ મળેલો છે. આ છે બેહદ નું નાટક. હમણાં આ બેહદ ની આખી દુનિયા જૂની છે પછી થશે નવી દુનિયા. તે ખૂબ નાની છે, એક ધર્મ છે. આપ બાળકોએ આ જૂની દુનિયા માંથી નીકળી પછી હદ ની દુનિયા માં, નવી દુનિયા માં આવવાનું છે કારણકે ત્યાં છે એક ધર્મ. અનેક ધર્મ, અનેક મનુષ્ય હોવાથી બેહદ થઈ જાય. ત્યાં તો છે એક ધર્મ, થોડા મનુષ્ય. એક ધર્મ ની સ્થાપના માટે આવવું પડે છે. તમે બાળકો આ બેહદ નાં નાટક નાં રહસ્ય સમજો છો કે આ ચક્ર કેવી રીતે ફરે છે? આ સમયે જે કાંઈ પ્રેક્ટિકલ માં થાય છે એનાં જ પછી ભક્તિમાર્ગ માં તહેવાર મનાવે છે. નંબરવાર કયા-કયા તહેવાર છે, આ પણ આપ બાળકો જાણો છો. ઊંચા માં ઊંચી ભગવાન શિવબાબા ની જયંતી કહેવાશે. એ જ્યારે આવે ત્યારે પછી બીજા તહેવાર બને. શિવબાબા પહેલાં-પહેલાં આવીને ગીતા સંભળાવે છે અર્થાત્ આદિ-મધ્ય-અંત નું જ્ઞાન સંભળાવે છે. યોગ પણ શીખવાડે છે. સાથે-સાથે તમને ભણાવે પણ છે. તો પહેલાં-પહેલાં બાપ આવ્યાં શિવજયંતી થઈ પછી કહેવાશે ગીતા જયંતી. આત્માઓ ને જ્ઞાન સંભળાવે છે તો ગીતા જયંતી થઈ ગઈ. આપ બાળકો વિચાર કરી તહેવારો ને નંબરવાર લખો. આ વાતો ને સમજશે પણ આપણા ધર્મ નાં. દરેક ને પોતાનો ધર્મ પ્રિય લાગે છે. બીજા ધર્મવાળા ની વાત જ નથી. ભલે કોઈને બીજો ધર્મ પ્રિય હોય પણ પરંતુ તેમાં આવી ન શકે. સ્વર્ગ માં બીજા ધર્મવાળા થોડી આવી શકે છે? ઝાડ માં બિલકુલ સ્પષ્ટ છે. જે જે ધર્મ જે સમયે આવે છે ફરી તે સમયે આવશે. પહેલાં બાપ આવે છે, એ જ આવીને રાજયોગ શીખવાડે છે તો કહેવાશે શિવજયંતી સો પછી ગીતાજયંતી પછી નારાયણ જયંતી. તે તો થઈ જાય સતયુગ. તે પણ લખવું પડે નંબરવાર. આ જ્ઞાન ની વાતો છે. શિવજયંતી ક્યારે થઈ તે પણ ખબર નથી, જ્ઞાન સંભળાવ્યું, જેને ગીતા કહેવાય છે પછી વિનાશ પણ થાય છે. જગત અંબા વગેરે ની જયંતી નો કોઈ હોલી ડે (રજા) નથી. મનુષ્ય કોઈની પણ તિથિ-તારીખ વગેરે ને બિલકુલ નથી જાણતાં. લક્ષ્મી-નારાયણ, રામ-સીતા નાં રાજ્ય ને જ નથી જાણતાં. ૨૫૦૦ વર્ષ માં જે આવ્યાં છે, તેમને જાણે છે પરંતુ તેનાં પહેલાં જે આદિ સનાતન દેવી-દેવતા હતાં, તેમને કેટલો સમય થયો, કાંઈ નથી જાણતાં. ૫ હજાર વર્ષ થી મોટું કલ્પ તો હોઈ ન શકે. અડધા તરફ તો અનેક સંખ્યા આવી ગઈ, બાકી અડધા માં આમનું રાજ્ય. પછી વધારે વર્ષો નું કલ્પ હોય કેવી રીતે શકે? ૮૪ લાખ જન્મ પણ નથી હોઈ શકતાં. તે લોકો સમજે છે કળિયુગ ની આયુ લાખો વર્ષ છે. મનુષ્યો ને અંધકાર માં નાખી દીધાં છે. ક્યાં આખો ડ્રામા ૫ હજાર વર્ષ નો, ક્યાં ફક્ત કળિયુગ માટે કહે છે કે હવે ૪૦ હજાર વર્ષ શેષ (બાકી) છે. જ્યારે લડાઈ લાગે છે તો સમજે છે ભગવાને આવવું જોઈએ પરંતુ ભગવાને તો આવવું જોઈએ સંગમ પર. મહાભારત લડાઈ તો લાગે જ છે સંગમ પર. બાપ કહે છે હું પણ કલ્પ-કલ્પ સંગમયુગ પર આવું છું. બાપ આવશે નવી દુનિયા ની સ્થાપના જૂની દુનિયા નો વિનાશ કરાવવાં. નવી દુનિયા ની સ્થાપના થશે તો જૂની દુનિયા નો વિનાશ જરુર થશે, આનાં માટે આ લડાઈ છે. આમા શંકર ની પ્રેરણા વગેરે ની તો કોઈ વાત નથી. અંડરસ્ટુડ (સમજાયું), જૂની દુનિયા ખલાસ થઈ જશે. મકાન વગેરે તો અર્થક્વેક (ધરતીકંપ) માં બધું ખલાસ થઈ જશે કારણકે નવી દુનિયા જોઈએ. નવી દુનિયા હતી જરુર. દિલ્લી પરીસ્તાન હતું, જમુના નો કાંઠો હતો. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ચિત્ર પણ છે. લક્ષ્મી-નારાયણ ને સ્વર્ગ નાં જ કહેવાશે. આપ બાળકોએ સાક્ષાત્કાર પણ કર્યો છે કે કેવી રીતે સ્વયંવર થાય છે. આ બધા પોઇન્ટ્સ (વાતો) બાબા રિવાઇઝ (પુનરાવર્તન) કરાવે છે. સારું, પોઇન્ટ્સ યાદ નથી રહેતાં તો બાબા ને યાદ કરો. બાપ ભૂલાઈ જાય છે તો શિક્ષક ને યાદ કરો. શિક્ષક જે શીખવાડે છે તે પણ જરુર યાદ આવશે ને? શિક્ષક પણ યાદ રહેશે, નોલેજ પણ યાદ રહેશે. ઉદ્દેશ પણ બુદ્ધિ માં છે. યાદ રાખવું જ પડે કારણકે તમારી સ્ટુડન્ટ લાઈફ (વિદ્યાર્થી જીવન) છે ને? આ પણ જાણો છો જે આપણને ભણાવે છે તે આપણા બાપ પણ છે, લૌકિક બાપ કોઈ ગુમ નથી થઈ જતાં. લૌકિક, પારલૌકિક અને પછી આ છે અલૌકિક. આમને કોઈ યાદ નથી કરતું. લૌકિક બાપ પાસે થી તો વારસો મળે છે. અંત સુધી યાદ રહે છે. શરીર છોડ્યું પછી બીજા બાપ મળે છે. જન્મ બાય જન્મ લૌકિક બાપ મળે છે. પારલૌકિક બાપ ને પણ દુઃખ તથા સુખ માં યાદ કરે છે. બાળક આવ્યું તો કહેશે ઈશ્વરે બાળક આપ્યું. બાકી પ્રજાપિતા બ્રહ્મા ને કેમ યાદ કરશે, એમની પાસે થી કાંઈ મળે થોડી છે? આમને અલૌકિક કહેવાય છે.

તમે જાણો છો આપણે બ્રહ્મા દ્વારા શિવબાબા પાસે થી વારસો લઈ રહ્યાં છીએ. જેમ આપણે ભણીએ છીએ, આ રથ પણ નિમિત્ત બનેલો છે. અનેક જન્મો નાં અંત માં આમનું શરીર જ રથ બને છે. રથ નું નામ તો રાખવું પડે છે ને? આ છે બેહદ નો સંન્યાસ. રથ કાયમ જ રહે છે, બાકી નું ઠેકાણું નથી. ચાલતાં-ચાલતાં પછી ભાગન્તી થઈ જાય છે. આ રથ તો નિશ્ચિત છે ડ્રામા અનુસાર, આને કહેવાય છે ભાગ્યશાળી રથ. તમને બધાને ભાગ્યશાળી રથ નહીં કહેવાશે. ભાગ્યશાળી રથ એક મનાય છે, જેમાં બાપ આવીને જ્ઞાન આપે છે. સ્થાપના નું કાર્ય કરાવે છે. તમે ભાગ્યશાળી રથ નથી થયાં. તમારો આત્મા આ રથ માં બેસીને ભણે છે. આત્મા પવિત્ર બની જાય એટલે બલિહારી આ તન ની છે જે આમાં બેસીને ભણાવે છે. આ અંતિમ જન્મ ખૂબ વેલ્યુએબલ (મુલ્યવાન) છે પછી શરીર બદલી આપણે દેવતા બની જઈશું. આ જૂનાં શરીર દ્વારા જ તમે શિક્ષા મેળવો છો. શિવબાબા નાં બનો છો. તમે જાણો છો આપણું પહેલું જીવન વર્થ નોટ એ પેની (કોડીતુલ્ય) હતું. હમણાં પાઉન્ડ (હીરાતુલ્ય) બની રહ્યું છે. જેટલું ભણશો એટલું ઊંચ પદ મેળવશો. બાપે સમજાવ્યું છે યાદ ની યાત્રા છે મુખ્ય. આને જ ભારત નો પ્રાચીન યોગ કહેવાય છે જેનાથી તમે પતિત થી પાવન બનો છો, સ્વર્ગવાસી તો બધા બને છે પછી છે ભણતર પર આધાર. તમે બેહદ ની સ્કૂલ માં બેઠાં છો. તમે જ પછી દેવતા બનશો. તમે સમજી શકો છો ઊંચ પદ કોણ મેળવી શકે છે. તેમની કવોલિફિકેશન (લાયકાત) શું હોવી જોઈએ? પહેલાં આપણા માં પણ ક્વોલિફિકેશન નહોતી. આસુરી મત પર હતાં. હવે ઈશ્વરીય મત મળે છે. આસુરી મત થી આપણે ઉતરતી કળા માં જઈએ છીએ. ઈશ્વરીય મત થી ચઢતી કળા માં જઈએ છીએ. ઈશ્વરીય મત આપવા વાળા એક છે, આસુરી મત આપવા વાળા અનેક છે. મા-બાપ, ભાઈ-બહેન, શિક્ષક-ગુરુ કેટલા ની મત મળે છે. હમણાં તમને એક ની મત મળે છે જે ૨૧ જન્મ કામ આવે છે. તો એવી શ્રીમત પર ચાલવું જોઈએ ને? જેટલું ચાલશો એટલું શ્રેષ્ઠ પદ મેળવશો. ઓછું ચાલશો તો ઓછું પદ. શ્રીમત છે જ ભગવાન ની. ઊંચા માં ઊંચા ભગવાન જ છે, જેમણે શ્રીકૃષ્ણ ને ઊંચા માં ઊંચા બનાવ્યાં પછી નીચે થી નીચા રાવણે બનાવ્યાં. બાપ ગોરા બનાવે પછી રાવણ શ્યામ બનાવે. બાપ વારસો આપે છે. એ તો છે જ વાઈસલેસ (નિર્વિકારી). દેવતાઓ ની મહિમા ગાય છે સર્વગુણ સંપન્ન… સંન્યાસીઓ ને સંપૂર્ણ નિર્વિકારી નહીં કહેવાશે. સતયુગ માં આત્મા અને શરીર બંને પવિત્ર હોય છે. દેવતાઓ ને બધા જાણે છે, તે સંપૂર્ણ નિર્વિકારી હોવાનાં કારણે સંપૂર્ણ વિશ્વ નાં માલિક બને છે. હમણાં નથી, ફરી બની રહ્યાં છે. બાપ પણ સંગમયુગ પર જ આવે છે. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ. બ્રહ્મા નાં બાળકો તો તમે બધા થયાં. એ છે ગ્રેટ ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ ફાધર. બોલો, પ્રજાપિતા બ્રહ્મા નું નામ નથી સાંભળ્યું? પરમપિતા પરમાત્મા બ્રહ્મા દ્વારા જ સૃષ્ટિ રચશે ને? બ્રાહ્મણ કુળ છે. બ્રહ્મા મુખ વંશાવલી ભાઈ-બહેન થઈ ગયાં. અહીંયા રાજા-રાણી ની વાત નથી. આ બ્રાહ્મણ કુળ તો સંગમ નો થોડો સમય ચાલે છે. રાજાઈ નથી પાંડવો ની, નથી કૌરવો ની. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. ૨૧ જન્મ શ્રેષ્ઠ પદ નાં અધિકારી બનવા માટે બધી આસુરી મતો ને છોડી એક ઈશ્વરીય મત પર ચાલવાનું છે. સંપૂર્ણ વાઈસલેસ બનવાનું છે.

2. આ જૂનાં શરીર માં બેસી બાપ ની શિક્ષાઓ ને ધારણ કરી દેવતા બનવાનું છે. આ છે ખૂબ વેલ્યુએબલ (મુલ્યવાન) જીવન, આમાં વર્થ પાઉન્ડ (હીરાતુલ્ય) બનવાનું છે.

વરદાન :-
સર્વ આત્માઓ ને યથાર્થ અવિનાશી સહારો આપવા વાળા આધાર , ઉદ્ધારમૂર્ત ભવ

વર્તમાન સમયે વિશ્વ ની ચારેય તરફ કોઈ ન કોઈ હલચલ છે, ક્યાંક મન નાં અનેક ટેન્શન ની હલચલ છે, ક્યાંક પ્રકૃતિ નાં તમોપ્રધાન વાયુમંડળ નાં કારણે હલચલ છે, અલ્પકાળ નાં સાધન સર્વ ને ચિંતા ની ચિતા પર લઈ જઈ રહ્યાં છે એટલે અલ્પકાળ નાં આધાર થી, પ્રાપ્તિઓ થી, વિધિઓ થી થાકીને હકીકત નો (સાચ્ચો) સહારો શોધી રહ્યાં છે. તો આપ આધાર, ઉદ્ધારમૂર્ત આત્માઓ એમને શ્રેષ્ઠ અવિનાશી પ્રાપ્તિઓ ની યથાર્થ, વાસ્તવિક (સત્ય), અવિનાશી સહારા ની અનુભૂતિ કરાવો.

સ્લોગન :-
સમય અમૂલ્ય ખજાનો છે - એટલે એને નષ્ટ કરવાના બદલે તુરંત નિર્ણય કરી સફળ કરો.

અવ્યક્ત ઈશારા - હવે લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો

જેવી રીતે સૂર્ય ની કિરણો ફેલાય છે, તેવી રીતે માસ્ટર સર્વશક્તિવાન્ ની સ્ટેજ પર શક્તિઓ તથા વિશેષતાઓ રુપી કિરણો ચારેય તરફ ફેલાતી અનુભવ કરો, એનાં માટે “હું માસ્ટર સર્વશક્તિવાન, વિઘ્ન વિનાશક આત્મા છું”, આ સ્વમાન ની સ્મૃતિ ની સીટ પર સ્થિત થઈ કાર્ય કરો તો વિઘ્ન સામે સુધી પણ નહીં આવશે.