20-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
નો પ્રેમ લેવો હોય તો આત્મ - અભિમાની બનીને બેસો , બાપ પાસે થી આપણે સ્વર્ગ નો વારસો
લઈ રહ્યાં છીએ , આ ખુશી માં રહો”
પ્રશ્ન :-
સંગમયુગ પર તમે બ્રાહ્મણ થી ફરિશ્તા બનવા માટે કઈ ગુપ્ત મહેનત કરો છો?
ઉત્તર :-
આપ બ્રાહ્મણો ને પવિત્ર બનવાની જ ગુપ્ત મહેનત કરવી પડે છે. તમે બ્રહ્મા નાં બાળકો
સંગમ પર ભાઈ-બહેન છો, ભાઈ-બહેન ની ગંદી દૃષ્ટિ રહી ન શકે. સ્ત્રી-પુરુષ સાથે રહેતાં
બંને પોતાને બી.કે. સમજો છો. આ સ્મૃતિ થી જ્યારે પૂરાં પવિત્ર બનો ત્યારે ફરિશ્તા
બની શકશો.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
બાળકો, સ્વયં ને આત્મા સમજી અહીં બેસવાનું છે. આ રહસ્ય આપ બાળકોએ પણ સમજાવવાનું છે.
આત્મ-અભિમાની બનીને બેસશો તો બાપ સાથે પ્રેમ રહેશે. બાબા આપણને રાજયોગ શીખવાડે છે.
બાબા પાસે થી આપણે સ્વર્ગ નો વારસો લઈ રહ્યાં છીએ. આ યાદ આખો દિવસ બુદ્ધિ માં રહે -
આમાં જ મહેનત છે. આ ઘડી-ઘડી ભૂલી જાય છે તો ખુશી નો પારો ડલ થઈ જાય છે. બાબા સાવધાન
કરે છે કે બાળકો દેહી-અભિમાની બનીને બેસો. સ્વયં ને આત્મા સમજો. હમણાં આત્માઓ અને
પરમાત્મા નો મેળો છે ને? મેળો લાગ્યો હતો, ક્યારે લાગ્યો હતો? જરુર કળિયુગ અંત અને
સતયુગ આદિ નાં સંગમ પર જ લાગ્યો હશે. આજે બાળકો ને ટોપિક (વિષય) પર સમજાવે છે. તમારે
ટોપિક તો જરુર લેવાનો છે. ઊંચા માં ઊંચા છે ભગવાન પછી નીચે આવો તો
બ્રહ્મા-વિષ્ણુ-શંકર. બાપ અને દેવતાઓ. મનુષ્યો ને આ ખબર નથી શિવ અને
બ્રહ્મા-વિષ્ણુ-શંકર નો સંબંધ શું છે? કોઈને પણ એમની જીવનકહાણી ની ખબર નથી.
ત્રિમૂર્તિ નું ચિત્ર પ્રસિદ્ધ છે. આ ત્રણેય છે દેવતાઓ. ફક્ત ૩ નો ધર્મ થોડી હોય
છે? ધર્મ તો મોટો હોય છે, ડીટી (દેવતા) ધર્મ. આ છે સૂક્ષ્મ વતનવાસી ઉપર છે શિવબાબા.
મુખ્ય છે બ્રહ્મા અને વિષ્ણુ. હમણાં બાપ સમજાવે છે તમારે વિષય આપવાનો છે - બ્રહ્મા
સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને છે? જેમ તમે કહો છો અમે શુદ્ર સો
બ્રાહ્મણ, બ્રાહ્મણ સો દેવતા, તેમ આમનું પણ છે, પહેલાં-પહેલાં બ્રહ્મા સો વિષ્ણુ,
વિષ્ણુ સો બ્રહ્મા. તેઓ તો કહી દે છે આત્મા સો પરમાત્મા, પરમાત્મા સો આત્મા. આ તો
છે ખોટું. બની પણ ન શકે. તો આ વિષય પર સારી રીતે સમજાવવાનું છે, કોઈ કહે છે પરમાત્મા
શ્રીકૃષ્ણ નાં તન માં આવ્યાં છે. જો શ્રીકૃષ્ણ માં આવે પછી તો બ્રહ્મા નો પાર્ટ ખતમ
થઈ જાય છે. શ્રીકૃષ્ણ તો છે સતયુગ નાં પહેલાં પ્રિન્સ (રાજકુમાર). ત્યાં પતિત હોય
કેવી રીતે શકે? જેમને આવીને પાવન બનાવે. બિલકુલ જ ખોટું છે. આ વાતો પણ મહારથી
સર્વિસએબલ (સેવાધારી) બાળકો જ સમજે છે. બાકી તો કોઈની બુદ્ધિ માં બેસતું જ નથી. આ
વિષય તો ખૂબ જ ફર્સ્ટ ક્લાસ છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને
છે. એમની જીવનકહાણી બતાવે છે કારણકે આમનું કનેક્શન છે. શરુઆત જ એવી રીતે કરવાની છે.
બ્રહ્મા સો વિષ્ણુ એક સેકન્ડ માં. વિષ્ણુ સો બ્રહ્મા બનવામાં ૮૪ જન્મ લાગે છે. આ
ખૂબ સમજવાની વાતો છે. હમણાં તમે છો બ્રાહ્મણ કુળ નાં. પ્રજાપિતા બ્રહ્મા નો
બ્રાહ્મણ કુળ ક્યાં ગયો? પ્રજાપિતા બ્રહ્મા ની તો નવી દુનિયા જોઈએ ને? નવી દુનિયા
છે સતયુગ. ત્યાં તો પ્રજાપિતા નથી. કળિયુગ માં પણ પ્રજાપિતા હોઈ ન શકે. એ છે
સંગમયુગ પર. તમે હમણાં સંગમ પર છો. શુદ્ર થી તમે બ્રાહ્મણ બનો છો. બાપે બ્રહ્મા ને
એડોપ્ટ કર્યા છે. શિવબાબાએ આમને કેવી રીતે રચ્યાં, આ કોઈ નથી જાણતાં. ત્રિમૂર્તિ
માં રચયિતા શિવ નું ચિત્ર જ નથી, તો ખબર કેવી રીતે પડે કે ઊંચા માં ઊંચા ભગવાન છે.
બાકી બધી છે એમની રચના. આ છે બ્રાહ્મણ સંપ્રદાય તો જરુર પ્રજાપિતા જોઈએ. કળિયુગ માં
તો હોઈ ન શકે. સતયુગ માં પણ નથી. ગવાય છે બ્રાહ્મણ દેવી-દેવતાય નમઃ. હવે બ્રાહ્મણ
ક્યાં નાં છે? પ્રજાપિતા બ્રહ્મા ક્યાં નાં છે? જરુર સંગમયુગ નાં કહેવાશે. આ છે
પુરુષોત્તમ સંગમયુગ. આ સંગમયુગ નું કોઈ પણ શાસ્ત્રો માં વર્ણન નથી. મહાભારત લડાઈ પણ
સંગમ પર લાગી છે, નહીં કે સતયુગ કે કળિયુગ માં. પાંડવ અને કૌરવ, આ છે સંગમ પર. તમે
પાંડવ સંગમયુગી છો, તો કૌરવ કળિયુગી છે. ગીતા માં પણ ભગવાનુવાચ છે ને? તમે છો પાંડવ
દેવી સંપ્રદાય. તમે રુહાની પંડા બનો છો. તમારી છે રુહાની યાત્રા, જે તમે બુદ્ધિ થી
કરો છો.
બાપ કહે છે સ્વયં ને
આત્મા સમજો. યાદ ની યાત્રા પર રહો. શારીરિક યાત્રા માં તીર્થો વગેરે પર જઈને પાછા
આવે છે. તે અડધોકલ્પ ચાલે છે. આ સંગમયુગ ની યાત્રા એક જ વાર ની છે. તમે જઈને
મૃત્યુલોક માં પાછા નહીં આવો. પવિત્ર બની પછી તમારે પવિત્ર દુનિયા માં આવવાનું છે
એટલે તમે હવે પવિત્ર બની રહ્યાં છો. તમે જાણો છો હમણાં આપણે બ્રાહ્મણ સંપ્રદાય નાં
છીએ. પછી દેવી સંપ્રદાય, વિષ્ણુ સંપ્રદાય બનીએ છીએ. સતયુગ માં દેવી-દેવતાઓ વિષ્ણુ
સંપ્રદાય છે. ત્યાં ચતુર્ભુજ ની પ્રતિમા રહે છે, જેનાં થી ખબર પડે છે આ વિષ્ણુ
સંપ્રદાય છે. અહીં પ્રતિમા છે રાવણ ની, તો રાવણ સંપ્રદાય છે. તો આ વિષય રાખવાથી
મનુષ્ય વન્ડર (આશ્ચર્ય) ખાશે. હવે તમે દેવતા બનવા માટે રાજયોગ શીખી રહ્યાં છો.
બ્રહ્મા મુખ વંશાવલી બ્રાહ્મણ, તમે શુદ્ર થી બ્રાહ્મણ બન્યાં છો. એડોપ્ટ કરેલા છો.
બ્રાહ્મણ પણ અહીં છો પછી દેવતા પણ અહીં બનશો. ડિનાયસ્ટી (રાજધાની) અહીં જ હોય છે.
ડિનાયસ્ટી રાજાઈ ને કહેવાય છે. વિષ્ણુ ની ડિનાયસ્ટી છે. બ્રાહ્મણો ની ડિનાયસ્ટી નહીં
કહેવાશે. ડિનાયસ્ટી માં રાજાઈ ચાલે છે. એક પછી બીજા પછી ત્રીજા. હમણાં તમે જાણો છો
આપણે છીએ બ્રાહ્મણ કુળ ભૂષણ. પછી દેવતા બનીએ છીએ. બ્રાહ્મણ સો વિષ્ણુ કુળ માં,
વિષ્ણુ કુળ થી આવીએ છીએ ક્ષત્રિય ચંદ્રવંશી કુળ માં, પછી વૈશ્ય કુળ માં પછી શુદ્ર
કુળ માં. પછી બ્રાહ્મણ સો દેવતા બનીશું. અર્થ કેટલો ક્લિયર (સ્પષ્ટ) છે. ચિત્રો માં
શું-શું દેખાડે છે. આપણે બ્રાહ્મણ સો વિષ્ણુપુરી નાં માલિક બનીએ છીએ. આમાં મૂંઝાવું
ન જોઈએ. બાબા જે એસે (નિબંધ) આપે છે તેનાં પર પછી વિચાર સાગર મંથન કરવું જોઈએ -
કોઈને કેવી રીતે સમજાવીએ, જે મનુષ્ય વન્ડર ખાય કે આ આમની સમજણ (આમનું જ્ઞાન) તો ખૂબ
સરસ છે. જ્ઞાન સાગર સિવાય બીજું તો કોઈ સમજાવી ન શકે. વિચાર સાગર મંથન કરી પછી
બેસીને લખવું જોઈએ. પછી વાંચો તો વિચાર આવશે. આ-આ શબ્દો ઉમેરવા જોઈએ. બાબા પણ
પહેલાં-પહેલાં મોરલી લખીને તમને હાથ માં આપી દેતા હતાં. પછી સંભળાવતા હતાં. અહીં તો
તમે ઘર માં બાબા ની સાથે રહો છો. હવે તો તમારે બહાર જઈને સંભળાવવું પડે છે. આ વિષય
ખૂબ વન્ડરફુલ છે, બ્રહ્મા સો વિષ્ણુ, આમને કોઈ નથી જાણતાં. વિષ્ણુ ની નાભિ થી
બ્રહ્મા દેખાડે છે. જેમ ગાંધી ની નાભિ થી નહેરુ. પરંતુ ડિનાયસ્ટી તો જોઈએ ને?
બ્રાહ્મણ કુળ માં રાજાઈ નથી, બ્રાહ્મણ સંપ્રદાય સો બને છે ડીટી ડિનાયસ્ટી (દેવી
રાજધાની). પછી ચંદ્રવંશી ડિનાયસ્ટી માં જશે પછી વૈશ્ય ડિનાયસ્ટી. એવી રીતે દરેક
ડિનાયસ્ટી ચાલે છે ને? સતયુગ છે વાઈસલેસ વર્લ્ડ (નિર્વિકારી દુનિયા), કળિયુગ છે
વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). આ બે શબ્દો પણ કોઈ ની બુદ્ધિ માં નથી. નહીં તો આ જરુર
બુદ્ધિ માં હોવા જોઈએ કે વિશશ થી વાઈસલેસ કેવી રીતે બનાય છે. મનુષ્ય નથી વાઈસલેસ ને
જાણતા, નથી વિશશ ને. તમને સમજાવાય છે, દેવતાઓ વાઈસલેસ (નિર્વિકારી) છે. એવું
ક્યારેય નથી સાંભળ્યું કે બ્રાહ્મણ વાઈસલેસ છે. નવી દુનિયા છે વાઈસલેસ, જૂની દુનિયા
છે વિશશ (વિકારી). તો જરુર સંગમયુગ દેખાડવો પડે. આની કોઈને પણ ખબર નથી. પુરુષોત્તમ
મહિનો મનાવે છે ને? તે ૩ વર્ષ પછી એક મહિનો મનાવે છે. તમારો ૫ હજાર વર્ષ પછી એક
સંગમયુગ આવે છે. મનુષ્ય આત્મા અને પરમાત્મા ને યથાર્થ નથી જાણતા ફક્ત કહી દે છે ચમકે
છે - અજબ સિતારો. બસ, જેમ દેખાડે છે, રામકૃષ્ણ પરમહંસ નાં શિષ્ય વિવેકાનંદ કહેતાં
હતાં હું ગુરુ ની સામે બેઠો હતો, ગુરુ નું પણ ધ્યાન તો કરે છે ને? હવે બાપ કહે છે
મામેકમ્ યાદ કરો. ધ્યાન ની તો વાત જ નથી, ગુરુ તો યાદ છે જ. ખાસ બેસીને યાદ કરવાથી
યાદ આવશે શું? એમની ગુરુ માં ભાવના હતી કે આ ભગવાન છે તો જોયું કે એમનો આત્મા નીકળી
મારા માં લીન થઈ ગયો. એમનો આત્મા ક્યાં જઈને બેઠો પછી શું થયું, કાંઈ પણ વર્ણન નથી,
બસ. ખુશ થયા મને ભગવાન નો સાક્ષાત્કાર થયો. ભગવાન શું છે, તે નથી જાણતાં. બાપ સમજાવે
છે સીડી નાં ચિત્ર પર તમે સમજાવો. આ છે ભક્તિ માર્ગ. તમે જાણો છો એક છે ભક્તિ ની
બોટ (નાવ), બીજી છે જ્ઞાન ની. જ્ઞાન અલગ, ભક્તિ અલગ છે. બાબા કહે છે મેં તમને કલ્પ
પહેલાં જ્ઞાન આપ્યું હતું, વિશ્વ નાં માલિક બનાવ્યાં હતાં. હવે તમે ક્યાં છો? આપ
બાળકો ની બુદ્ધિ માં બધું જ્ઞાન છે, કેવી રીતે બીજી ડિનાયસ્ટી આવે છે, કેવી રીતે
ઝાડ વધે છે. જેમ ગુલદસ્તો હોય છે ને? આ સૃષ્ટિ રુપી ઝાડ પણ ફૂલદાની છે. વચ્ચે તમારો
ધર્મ પછી એનાંથી બીજા ૩ ધર્મ નીકળે છે પછી તેનાંથી વૃદ્ધિ થતી જાય છે. તો આ ઝાડ ને
પણ યાદ કરવાનું છે. કેટલી ડાળીઓ વગેરે નીકળતી રહે છે. અંત માં આવવા વાળા નું માન પણ
થઈ જાય છે. વડ નું ઝાડ હોય છે ને, થુર (થડ) નથી. બાકી આખું ઝાડ ઊભું છે. દેવી-દેવતા
ધર્મ પણ ખતમ થયેલો છે. બિલકુલ સડી ગયો છે. ભારતવાસી પોતાનાં ધર્મ ને બિલકુલ નથી
જાણતા બીજા બધા પોતાનાં ધર્મ ને જાણે છે, આ કહે છે અમે ધર્મ ને માનતા જ નથી. મુખ્ય
છે જ ૪ ધર્મ. બાકી નાનાં-નાનાં તો અનેક છે. આ ઝાડ અને સૃષ્ટિ ચક્ર ને તમે હમણાં જાણો
છો. દેવી-દેવતા ધર્મ નું નામ જ ગુમ કરી દીધું છે. પછી બાપ તેની સ્થાપના કરી બાકી બધા
ધર્મ નો વિનાશ કરી દે છે. ગોળા નાં ચિત્ર પણ જરુર લઈ જવા જોઈએ. આ સતયુગ, આ કળિયુગ.
કળિયુગ માં કેટલાં ધર્મ છે? સતયુગ માં છે એક ધર્મ. એક ધર્મ ની સ્થાપના, અનેક ધર્મો
નો વિનાશ કોણ કરતું હશે? ભગવાન પણ જરુર કોઈ નાં દ્વારા તો કરાવશે ને? બાપ કહે છે
બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરાવું છું. બ્રાહ્મણ સો
વિષ્ણુ પુરી નાં દેવતા બને છે.
સંગમ પર આપ
બ્રાહ્મણોએ પવિત્ર બનવાની જ ગુપ્ત મહેનત કરવી પડે છે. આપ બ્રહ્મા નાં બાળકો સંગમ પર
ભાઈ-બહેન છો. ગંદી દૃષ્ટિ ભાઈ-બહેન ની રહી ન શકે. સ્ત્રી-પુરુષ બંને પોતાને બી.કે.
સમજે છે. આમાં ખૂબ મહેનત છે. સ્ત્રી-પુરુષ ની કશિશ એવી છે જે બસ, હાથ લગાવ્યાં વગર
રહી ન શકે. અહીં ભાઈ-બહેન ને હાથ તો લગાવવાનો જ નથી, નહીં તો પાપ ની ફીલિંગ આવે છે.
આપણે બી.કે. છીએ, આ ભૂલી જાય છે તો પછી ખતમ થઈ જાય છે. આમાં ખૂબ ગુપ્ત મહેનત છે. ભલે
યુગલ થઈ રહો છો કોઈને શું ખબર, તે પોતે જાણે છે અમે બી.કે. છીએ, ફરિશ્તા છીએ. હાથ
લગાવવાનો નથી. એમ રહેતાં-રહેતાં સૂક્ષ્મવતન વાસી ફરિશ્તા બની જશો. નહીં તો ફરિશ્તા
બની ન શકો. ફરિશ્તા બનવું છે તો પવિત્ર રહેવું પડે, એવી જોડી નીકળે તો નંબરવન જાય.
કહે છે દાદાએ તો બધા અનુભવ કર્યા, અંત માં જઈને સંન્યાસ કર્યો, વધારે મહેનત તો એમને
છે જે જોડી બની જાય છે. પછી તેમાં જ્ઞાન અને યોગ પણ જોઈએ. અનેક ને આપસમાન બનાવે
ત્યારે ઊંચ રાજા બને. ફક્ત એક વાત તો નથી ને? બાપ કહે છે તમે શિવબાબા ને યાદ કરો. આ
છે પ્રજાપિતા. ઘણાં એવાં પણ છે જે કહે છે અમારું કામ તો શિવબાબા સાથે છે. અમે
બ્રહ્મા ને યાદ જ કેમ કરીએ? એમને પત્ર જ કેમ લખીએ? એવાં પણ છે. તમારે યાદ કરવાના છે
શિવબાબા ને એટલે બાબા ફોટો વગેરે પણ નથી આપતાં. આમનાં માં શિવબાબા આવે છે, આ તો
દેહધારી છે ને? હમણાં તો આપ બાળકો ને બાપ પાસે થી વારસો મળે છે. તે પોતાને ઈશ્વર કહે
છે પછી એનાંથી શું મળે છે, કેટલું નુકસાન થયું છે ભારતવાસીઓ નું. એકદમ ભારતવાસીઓએ
દેવાળું માર્યુ છે. પ્રજા પાસે થી ભીખ માંગતાં રહે છે. ૧૦-૨૦ વર્ષ ની લોન લે છે પછી
આપવાની થોડી છે? લેવા વાળા, આપવા વાળા બંને જ ખતમ થઈ જશે. ખેલ જ ખતમ થઈ જવાનો છે.
અનેક મુસીબતો માથા પર છે. દેવાળું, બીમારીઓ વગેરે ખૂબ છે. કોઈ સાહૂકારો ની પાસે રાખી
દે છે અને તે દેવાળું મારી દે છે તો ગરીબો ને કેટલું દુઃખ થાય છે. કદમ-કદમ પર દુઃખ
જ દુઃખ છે. અચાનક બેઠાં-બેઠાં મરી જાય છે. આ છે જ મૃત્યુલોક. અમરલોક માં તમે હવે જઈ
રહ્યાં છો. અમરપુરી નાં બાદશાહ બનો છો. અમરનાથ આપ પાર્વતીઓ ને સાચ્ચી-સાચ્ચી અમરકથા
સંભળાવી રહ્યાં છે. તમે જાણો છો અમર બાબા છે, એમની પાસે થી આપણે અમરકથા સાંભળી રહ્યાં
છીએ. હવે અમરલોક જવાનું છે. આ સમયે તમે છો સંગમયુગ પર. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. વિચાર સાગર
મંથન કરી “બ્રહ્મા સો વિષ્ણુ” કેવી રીતે બને છે, આ વિષય પર સંભળાવવાનું છે. બુદ્ધિ
ને જ્ઞાન મંથન માં બીઝી (વ્યસ્ત) રાખવાની છે.
2. રાજાઈ પદ પ્રાપ્ત
કરવા માટે જ્ઞાન અને યોગ ની સાથે-સાથે આપ સમાન બનાવવાની સર્વિસ (સેવા) પણ કરવાની
છે. પોતાની દૃષ્ટિ ખૂબ શુદ્ધ બનાવવાની છે.
વરદાન :-
સર્વ સંબંધો
નો અનુભવ એક બાપ સાથે કરવા વાળા અથક અને વિધ્ન - વિનાશક ભવ
જે બાળકો નાં સર્વ
સંબંધ એક બાપ સાથે છે એમને બીજા બધા સંબંધ નિમિત્ત માત્ર અનુભવ થશે, તે સદા ખુશી
માં નાચવા વાળા હશે, ક્યારેય થાક નો અનુભવ નહીં કરશે, અથક હશે. બાપ અને સેવા આ જ
લગન માં મગન હશે. વિધ્નો ને કારણે અટકવા ને બદલે સદા વિઘ્નવિનાશક હશે. સર્વ સંબંધો
ની અનુભૂતિ એક બાપ સાથે હોવાનાં કારણે ડબલ લાઈટ રહેશે, કોઈ બોજ નહીં હશે. સર્વ
કમ્પ્લેન સમાપ્ત હશે. કમ્પ્લીટ સ્થિતિ નો અનુભવ થશે. સહજયોગી હશે.
સ્લોગન :-
સંકલ્પ માં પણ
કોઈ દેહધારી તરફ આકર્ષિત થવું અર્થાત્ બેવફા બનવું.
અવ્યક્ત ઇશારા -
આત્મિક સ્થિતિ માં રહેવા નો અભ્યાસ કરો , અંતર્મુખી બનો
જેવી રીતે અંતરિક્ષ
યાન વાળા ઊંચા હોવાનાં કારણે આખી પૃથ્વી નાં જ્યાં નાં પણ ચિત્ર ખેંચવા ઈચ્છે ખેંચી
શકે છે, એવી રીતે સાઈલેન્સ ની શક્તિ થી અંતર્મુખી યાન દ્વારા, મન્સા શક્તિ દ્વારા
કોઈ પણ આત્મા ને ચરિત્રવાન બનવાની, શ્રેષ્ઠ આત્મા બનવાની પ્રેરણા આપી શકો છો.