20-11-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - બાપ આવ્યાં છે આપ બાળકો ને શાંતિ અને સુખ નો વારસો આપવાં , તમારો સ્વધર્મ જ શાંત છે , એટલે તમે શાંતિ માટે ભટકતા નથી”

પ્રશ્ન :-
હમણાં આપ બાળકો ૨૧ જન્મો માટે અખૂટ ખજાના માં વજન કરવાને યોગ્ય બનો છો-શા માટે ?

ઉત્તર :-
કારણકે બાપ જ્યારે નવી સૃષ્ટિ રચે છે, ત્યારે આપ બાળકો એમનાં મદદગાર બનો છો. પોતાનું સર્વસ્વ એમનાં કાર્ય માં સફળ કરો છો એટલે બાપ એનાં રિટર્ન (વળતર) માં ૨૧ જન્મો માટે તમને અખૂટ ખજાના માં એવાં વજન કરે છે જે ક્યારેય ધન પણ નથી ખૂટતું, દુઃખ પણ નથી આવતું, અકાળે મૃત્યુ પણ નથી થતું.

ગીત :-
મુજકો સહારા દેને વાલે…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો ને ઓમ્ નો અર્થ તો સંભળાવ્યો છે. કોઈ-કોઈ ફક્ત ઓમ્ કહે છે, પરંતુ કહેવું જોઈએ ઓમ્ શાંતિ. ફક્ત ઓમ્ નો અર્થ નીકળે છે ઓમ્ ભગવાન. ઓમ્ શાંતિ નો અર્થ છે હું આત્મા શાંત સ્વરુપ છું. આપણે આત્મા છીએ, આ આપણું શરીર છે. પહેલાં છે આત્મા, પછી છે શરીર. આત્મા શાંત સ્વરુપ છે, એનું નિવાસ સ્થાન છે શાંતિધામ. બાકી કોઈ જંગલ માં જવાથી સાચ્ચી શાંતિ નથી મળતી. સાચ્ચી શાંતિ મળે જ ત્યારે છે જ્યારે ઘરે જઈએ છીએ. બીજું શાંતિ ઈચ્છે છે જ્યાં અશાંતિ છે. આ અશાંતિ નું દુઃખધામ વિનાશ થઈ જશે પછી શાંતિ થઈ જશે. આપ બાળકો ને શાંતિ નો વારસો મળી જશે. ત્યાં ન ઘર માં, ન બહાર રાજધાની માં અશાંતિ હોય છે. તેને કહેવાય છે શાંતિ નું રાજ્ય, અહીં છે અશાંતિ નું રાજ્ય કારણકે રાવણ રાજ્ય છે. તે છે ઈશ્વર નું સ્થાપન કરેલું રાજ્ય. પછી દ્વાપર પછી આસુરી રાજ્ય હોય છે, અસુરો ને ક્યારેય શાંતિ હોતી નથી. ઘર માં, દુકાન માં જ્યાં-ત્યાં અશાંતિ જ અશાંતિ હશે. ૫ વિકાર રુપી રાવણ અશાંતિ ફેલાવે છે. રાવણ શું ચીજ છે, આ કોઈ પણ વિદ્વાન-પંડિત વગેરે નથી જાણતાં. સમજતા નથી કે અમે વર્ષે-વર્ષે રાવણ ને કેમ મારીએ છીએ? સતયુગ-ત્રેતા માં આ રાવણ હોતો જ નથી. તે છે જ દૈવી રાજ્ય. ઈશ્વર, બાબા દૈવીરાજ્ય ની સ્થાપના કરે છે તમારા દ્વારા. એકલા તો નથી કરતાં. તમે મીઠાં-મીઠાં બાળકો ઈશ્વર નાં મદદગાર છો. પહેલાં હતાં રાવણ નાં મદદગાર. હવે ઈશ્વર આવીને સર્વ ની સદ્દગતિ કરી રહ્યાં છે. પવિત્રતા, સુખ, શાંતિ ની સ્થાપના કરે છે. આપ બાળકો ને જ્ઞાન નું હમણાં ત્રીજું નેત્ર મળ્યું છે. સતયુગ-ત્રેતા માં દુઃખ ની વાત નથી. કોઈ ગાળો વગેરે નથી આપતાં, ગંદુ નથી ખાતાં. અહીં તો જુઓ ગંદુ કેટલું ખાય છે. દેખાડે છે શ્રીકૃષ્ણ ને ગાયો ખૂબ પ્રિય હતી. એવું નથી કે શ્રીકૃષ્ણ કોઈ ગોવાળ હતાં, ગાયો ની પાલના કરતા હતાં. ના, ત્યાં ની ગાય અને અહીં ની ગાયો માં બહુજ-બહુજ ફરક છે. ત્યાં ની ગાયો સતોપ્રધાન ખૂબ સુંદર હોય છે. જેવાં સુંદર દેવતાઓ, તેવી ગાયો. જોવા થી જ દિલ ખુશ થઈ જાય. તે છે જ સ્વર્ગ. આ છે નર્ક. બધા સ્વર્ગ ને યાદ કરે છે. સ્વર્ગ અને નર્ક માં રાત-દિવસ નો ફરક છે. રાત હોય છે અંધારી, દિવસ માં છે અજવાળું. બ્રહ્મા નો દિવસ એટલે બ્રહ્માવંશીઓ નો પણ દિવસ થઈ જાય છે. પહેલાં તમે પણ ઘોર અંધારી રાત માં હતાં. આ સમયે ભક્તિ નું કેટલું જોર છે, મહાત્મા વગેરે ને સોના માં વજન કરતા રહે છે કારણકે શાસ્ત્રો નાં મોટા વિદ્વાન છે. તેમનો આટલો પ્રભાવ કેમ છે? આ પણ બાબાએ સમજાવ્યું છે. ઝાડ માં નવાં-નવાં પાન નીકળે છે તો સતોપ્રધાન છે. ઉપર થી નવાં આત્મા આવશે તો જરુર તેમનો પ્રભાવ હશે ને અલ્પકાળ માટે. સોના અથવા હીરા માં વજન કરે છે, પરંતુ આ તો બધું ખલાસ થઈ જવાનું છે. મનુષ્યો ની પાસે કેટલાં લાખો નાં મકાન છે. સમજે છે અમે તો બહુ જ સાહૂકાર છીએ. આપ બાળકો જાણો છો આ સાહૂકારી થોડા સમય માટે છે. આ બધું માટી માં ભળી જશે. કિનકી દબી રહી ધૂલ મેં… બાપ સ્વર્ગ ની સ્થાપના કરે છે, એમાં જે લગાવે છે એમને ૨૧ જન્મો માટે હીરા-ઝવેરાતો નાં મહેલ મળશે. અહીં તો એક જન્મ માટે મળે છે. ત્યાં તમારું ૨૧ જન્મ ચાલશે. આ આંખો થી જે કાંઈ જુઓ છો શરીર સહિત બધું ભસ્મ થઈ જવાનું છે. આપ બાળકો ને દિવ્ય દૃષ્ટિ દ્વારા સાક્ષાત્કાર પણ થાય છે. વિનાશ થશે પછી આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હશે. તમે જાણો છો આપણે પોતાનું રાજ્ય-ભાગ્ય ફરીથી સ્થાપન કરી રહ્યાં છીએ. ૨૧ પેઢી રાજ્ય કર્યુ પછી રાવણ નું રાજ્ય ચાલ્યું. હવે ફરી બાપ આવ્યાં છે. ભક્તિમાર્ગ માં બધા બાપ ને જ યાદ કરે છે. ગાયન પણ છે દુઃખ માં સિમરણ સૌ કરે… બાપ સુખ નો વારસો આપે છે, પછી યાદ કરવાની જરુર નથી રહેતી. તુમ માત પિતા… હવે આ તો મા-બાપ હશે પોતાનાં બાળકો નાં. આ છે પારલૌકિક માત-પિતા ની વાત. હવે તમે આ લક્ષ્મી-નારાયણ બનવા માટે ભણો છો. સ્કૂલ માં બાળકો સારા પાસ થાય છે તો પછી શિક્ષક ને ઈનામ આપે છે. હવે તમે એમને શું ઈનામ આપશો? તમે તો એમને પોતાનાં બાળક બનાવી લો છો, જાદુગરી થી. દેખાડે છે - શ્રીકૃષ્ણ નાં મુખ માં માતાએ જોયો માખણ નો ગોળો. હવે કૃષ્ણએ તો જન્મ લીધો સતયુગ માં. તે તો માખણ વગેરે નહીં ખાશે. તે તો છે વિશ્વ નાં માલિક. તો આ કયા સમય ની વાત છે? આ છે હમણાં સંગમ ની વાત. તમે જાણો છો આપણે આ શરીર છોડી બાળક જઈ બનીશું. વિશ્વ નાં માલિક બનીશું. બંને ક્રિશ્ચન પરસ્પર લડે છે અને માખણ મળે છે આપ બાળકો ને. રાજાઈ મળે છે ને? જેમ તે લોકો ભારત ને લડાવીને માખણ પોતે ખાઈ ગયાં. ક્રિશ્ચન ની રાજધાની પોણા ભાગ માં હતી. પછી ધીરે-ધીરે છૂટી ગઈ છે. આખાં વિશ્વ પર તમારા સિવાય કોઈ રાજ્ય કરી ન શકે. તમે હમણાં ઈશ્વરીય સંતાન બન્યાં છો. હમણાં તમે બ્રહ્માંડ નાં માલિક અને વિશ્વ નાં માલિક બનો છો. વિશ્વ માં બ્રહ્માંડ નથી આવ્યું. સૂક્ષ્મવતન માં પણ રાજાઈ નથી. સતયુગ, ત્રેતા… આ ચક્ર અહીં સ્થૂળ વતન માં હોય છે. ધ્યાન માં આત્મા ક્યાંય જતો નથી. આત્મા નીકળી જાય તો શરીર ખતમ થઈ જાય. આ બધા છે સાક્ષાત્કાર, રિદ્ધિ-સિદ્ધિ દ્વારા એવાં પણ સાક્ષાત્કાર થાય છે, જે અહીં બેઠાં વિદેશ ની પાર્લામેન્ટ વગેરે જોઈ શકે છે. બાબા નાં હાથ માં પછી છે દિવ્ય દૃષ્ટિ ની ચાવી. તમે અહીં બેઠાં લન્ડન જોઈ શકો છો. શસ્ત્ર વગેરે કાંઈ નથી જે ખરીદ કરવા પડે. ડ્રામા અનુસાર એ સમય પર તે સાક્ષાત્કાર થાય છે, જે ડ્રામા માં પહેલાં થી જ નોંધ છે. જેમ દેખાડે છે ભગવાને અર્જુન ને સાક્ષાત્કાર કરાવ્યો. ડ્રામા અનુસાર તેમને સાક્ષાત્કાર થવાનો હતો. આ પણ નોંધ છે. કોઈની મોટાઈ નથી. આ બધું ડ્રામા અનુસાર થાય છે. શ્રીકૃષ્ણ વિશ્વ નાં પ્રિન્સ બને છે, એટલે માખણ મળે છે. આ પણ કોઈ જાણતું નથી કે વિશ્વ કોને, બ્રહ્માંડ કોને કહેવાય છે? બ્રહ્માંડ માં આપ આત્માઓ નિવાસ કરો છો. સૂક્ષ્મવતન માં આવવું-જવું, સાક્ષાત્કાર વગેરે આ સમયે થાય છે પછી ૫ હજાર વર્ષ સૂક્ષ્મવતન નું નામ નથી હોતું. કહેવાય છે બ્રહ્મા દેવાતાય નમઃ પછી કહે છે શિવ પરમાત્માય નમઃ તો સૌથી ઊંચા થઈ ગયા ને? એમને કહેવાય છે ભગવાન. એ દેવતાઓ છે મનુષ્ય પરંતુ દૈવીગુણ વાળા છે. બાકી ૪-૮ ભુજાવાળા મનુષ્ય હોતાં નથી. ત્યાં પણ બે ભુજાવાળા જ મનુષ્ય હોય છે, પરતું સંપૂર્ણ પવિત્ર, અપવિત્રતા ની વાત નથી. અકાળે મૃત્યુ ક્યારેય થતું નથી. તો આપ બાળકો ને ખુબ ખુશી રહેવી જોઈએ. અમે આત્મા આ શરીર દ્વારા બાબા ને તો જોઈએ. દેખાય તો શરીર છે, પરમાત્મા અથવા આત્મા ને તો જોઈ નથી શકતાં. આત્મા અને પરમાત્મા ને જાણવાના હોય છે. જોવા માટે પછી દિવ્ય દૃષ્ટિ મળે છે. અને બધી ચીજો દિવ્ય દૃષ્ટિ થી મોટી દેખાશે. રાજધાની મોટી દેખાશે. આત્મા તો છે જ બિંદુ. બિંદુ ને જોવાથી તમે કાંઈ પણ નહીં સમજશો. આત્મા તો ખૂબ સૂક્ષ્મ છે. ઘણાં ડોક્ટર્સ વગેરેએ કોશિશ કરી છે આત્મા ને પકડવાની, પરંતુ કોઈને ખબર નથી પડતી. તે લોકો તો સોના-હીરા માં વજન કરે છે. તમે જન્મ-જન્માન્તર પદમપતિ બનો છો. તમારો બહાર નો શો (દેખાવ) જરા પણ નથી. સાધારણ રીતે આ રથ માં બેસીને ભણાવે છે. એમનું નામ છે ભાગીરથ. આ છે પતિત જૂનો રથ, જેમાં બાપ આવીને ઊંચા માં ઊંચી સર્વિસ (સેવા) કરે છે. બાપ કહે છે મને તો પોતાનું શરીર નથી. હું જે જ્ઞાન નો સાગર, પ્રેમ નો સાગર… છું, તો તમને વારસો કેવી રીતે આપું? ઉપર થી તો નહીં આપું. શું પ્રેરણા થી ભણાવીશ? જરુર આવવું પડશે ને? ભક્તિ માર્ગ માં મને પૂજે છે, બધાને પ્રિય લાગું છું. ગાંધી, નહેરુ નાં ચિત્ર પ્રિય લાગે છે, તેમનાં શરીર ને યાદ કરે છે. આત્મા જે અવિનાશી છે તેણે તો જઈને બીજો જન્મ લઈ લીધો. બાકી વિનાશી ચિત્ર ને યાદ કરે છે. તે ભૂત પૂજા થઈ ને? સમાધિ બનાવીને તેનાં પર ફૂલ વગેરે બેસીને ચઢાવે છે. આ છે યાદગાર. શિવ નાં કેટલાં મંદિર છે, સૌથી મોટું યાદગાર શિવ નું છે ને? સોમનાથ મંદિર નું ગાયન છે. મોહમ્મદ ગઝનવીએ આવીને લૂંટ્યું હતું. તમારી પાસે એટલું ધન રહેતું હતું. બાબા આપ બાળકોનું રત્નો માં વજન કરે છે. પોતાનું વજન નથી કરાવતાં. હું એટલો ધનવાન બનતો નથી, તમને બનાવું છું. તેમનું તો આજે વજન કર્યું, કાલે મરી જશે. ધન કોઈ કામ માં નહીં આવશે. તમને તો બાપ અખૂટ ખજાના માં એવું વજન કરે છે જે ૨૧ જન્મ સાથે રહેશે. જો શ્રીમત પર ચાલશો તો ત્યાં દુઃખ નું નામ નથી, ક્યારેય અકાળે મૃત્યુ નથી થતું. મોત થી ડરશો નહીં. અહીં કેટલું ડરે છે, રડે છે. ત્યાં કેટલી ખુશી હોય છે - જઈને પ્રિન્સ બનીશું. જાદુગર, સૌદાગર, રત્નાગર આ શિવ પરમાત્મા ને કહેવાય છે. તમને પણ સાક્ષાત્કાર કરાવે છે. આવાં પ્રિન્સ બનશો. આજકાલ બાબાએ સાક્ષાત્કાર નો પાર્ટ બંધ કરી દીધો છે. નુકસાન થઈ જાય છે. હમણાં બાપ જ્ઞાન થી તમારી સદ્દગતિ કરે છે. તમે પહેલાં જશો સુખધામ. હમણાં તો છે દુઃખધામ. તમે જાણો છો આત્મા જ જ્ઞાન ધારણ કરે છે, એટલે બાપ કહે છે પોતાને આત્મા સમજો. આત્મા માં જ સારા તથા ખરાબ સંસ્કાર હોય છે. શરીર માં હોય તો શરીર ની સાથે સંસ્કાર ભસ્મ થઈ જાય. તમે કહો છો શિવબાબા, અમે આત્માઓ ભણીએ છીએ આ શરીર દ્વારા. નવી વાત છે ને? આપણને આત્માઓ ને શિવબાબા ભણાવે છે. આ તો પાક્કું-પાક્કું યાદ કરો. આપણા સર્વ આત્માઓ નાં એ બાપ પણ છે, શિક્ષક પણ છે. બાપ સ્વયં કહે છે મને પોતાનું શરીર નથી. હું પણ છું આત્મા, પરંતુ મને પરમાત્મા કહેવાય છે. આત્મા જ બધું કરે છે. બાકી શરીર નાં નામ બદલાય છે. આત્મા તો આત્મા જ છે. હું પરમ આત્મા તમારી જેમ પુનર્જન્મ નથી લેતો. મારો ડ્રામા માં પાર્ટ જ એવો છે, જે હું આમનાં માં પ્રવેશ કરી તમને સંભળાવી રહ્યો છું એટલે આમને ભાગ્યશાળી રથ કહેવાય છે. આમને જૂની જુત્તી પણ કહે છે. શિવબાબાએ પણ જૂનો લાંબો બુટ (જુત્તી) પહેર્યો છે. બાપ કહે છે મેં આમનામાં અનેક જન્મો નાં અંત માં પ્રવેશ કર્યો છે. પહેલાં-પહેલાં આ બને છે તત્ ત્વમ્. બાબા કહે છે તમે તો જુવાન છો. મારા કરતાં વધારે ભણીને ઊંચ પદ મેળવવું જોઈએ, પરંતુ મારી સાથે બાબા છે તો મને ઘડી-ઘડી એમની યાદ આવે છે. બાબા મારી સાથે સૂવે પણ છે, પરંતુ બાબા મને ભાખી નથી પહેરી શકતાં (ભેટી નથી શકતાં). તમને ભેટી શકે છે. તમે ભાગ્યશાળી છો ને? શિવબાબાએ જે શરીર લોન લીધું છે તમે એમને ભેટી શકો છો. હું કેવી રીતે ભેટી શકું? મને તો આ પણ નસીબ નથી એટલે તમે લક્કી સિતારાઓ ગવાયેલા છો. બાળકો હંમેશાં લક્કી (ભાગ્યશાળી) હોય છે. બાપ પૈસા બાળકો ને આપી દે છે, તો તમે ભાગ્યશાળી સિતારાઓ થયા ને? શિવબાબા પણ કહે છે તમે મારા કરતાં ભાગ્યશાળી છો, તમને ભણાવીને વિશ્વ નાં માલિક બનાવું છું, હું થોડી બનું છું. તમે બ્રહ્માંડ નાં પણ માલિક બનો છો. બાકી મારી પાસે વધારે દિવ્ય દૃષ્ટિ ની ચાવી છે. હું જ્ઞાન નો સાગર છું. તમને પણ માસ્ટર જ્ઞાન સાગર બનાવું છું. તમે આ આખાં ચક્ર ને જાણી ચક્રવર્તી મહારાજા-મહારાણી બનો છો. હું થોડી બનું છું? વૃદ્ધ થાય છે તો પછી બાળકો ને વિલ (નામે) કરી પોતે વાનપ્રસ્થ માં ચાલ્યાં જાય છે. પહેલાં આવું થતું હતું. આજકાલ તો બાળકો માં મોહ આવે છે. પારલૌકિક બાપ કહે છે હું આમનાં માં પ્રવેશ કરી આપ બાળકો ને કાંટા થી ફૂલ, વિશ્વ નાં માલિક બનાવી, અડધા કલ્પ માટે સદા સુખી બનાવી હું વાનપ્રસ્થ માં બેસી જાઉં છું. આ બધી વાતો શાસ્ત્રો માં થોડી છે? સંન્યાસી, ઉદાસી શાસ્ત્રો ની વાતો સંભળાવે છે. બાપ તો જ્ઞાન નાં સાગર છે. સ્વયં કહે છે વેદ-શાસ્ત્ર વગેરે બધી ભક્તિમાર્ગ ની સામગ્રી છે. જ્ઞાનસાગર તો હું જ છું. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ આંખો થી શરીર સહિત જે દેખાય છે, આ બધું ભસ્મ થઈ જવાનું છે એટલે પોતાનું બધું જ સફળ કરવાનું છે.

2. બાપ પાસે થી પૂરો વારસો લેવા માટે ભણતર ભણવાનું છે. સદા પોતાનાં ભાગ્ય ને સ્મૃતિ માં રાખી બ્રહ્માંડ અથવા વિશ્વ નાં માલિક બનવાનું છે.

વરદાન :-
વાહ ડ્રામા વાહ ની સ્મૃતિ થી અનેક ની સેવા કરવાવાળા સદા ખુશનુમ : ભવ

આ ડ્રામા નાં કોઈ પણ સીન જોતા વાહ ડ્રામા વાહ ની સ્મૃતિ રહે તો ક્યારેય પણ ગભરાશો નહીં કારણકે ડ્રામા નું જ્ઞાન મળ્યું કે વર્તમાન સમય કલ્યાણકારી યુગ છે એમાં જે પણ દૃશ્ય સામે આવે છે એમાં કલ્યાણ ભરેલું છે વર્તમાન માં કલ્યાણ ન પણ દેખાય પરંતુ ભવિષ્ય માં સમાયેલું કલ્યાણ પ્રત્યક્ષ થઈ જશે - તો વાહ ડ્રામા વાહ ની સ્મૃતિ થી સદા ખુશનુમ: રહેશો, પુરુષાર્થ માં ક્યારેય પણ ઉદાસી નહીં આવશે સ્વતઃ જ તમારા દ્વારા અનેક ની સેવા થતી રહેશે.

સ્લોગન :-
શાંતિ ની શક્તિ જ મન્સા સેવા નું સહજ સાધન છે જ્યાં શાંતિ ની શક્તિ છે ત્યાં સંતુષ્ટતા છે.

અવ્યક્ત ઈશારા - અશરીરી અથવા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો

જેટલાં અવ્યક્ત લાઈટ રુપ માં સ્થિત થશો એટલાં શરીર થી પરે નો અભ્યાસ હોવાનાં કારણે જો બે-ચાર મિનિટ પણ અશરીર બની જશો, તો સમજો જાણે ચાર કલાક નો આરામ કરી લીધો. એવો સમય આવશે જે નીંદર નાં બદલે ચાર-પાંચ મિનિટ અશરીરી બની જશો અને શરીર ને આરામ મળી જશે. લાઈટ સ્વરુપ ની સ્મૃતિ ને મજબૂત કરવાથી હિસાબ-કિતાબ ચૂક્તુ કરવામાં પણ લાઈટ રુપ થઈ જશો.