21-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમને સ્મૃતિ આવી કે આપણે ૮૪ જન્મોનું ચક્ર પૂરું કર્યું , હવે જઈએ છીએ આપણા ઘરે શાંતિધામ , ઘરે જવામાં બાકી થોડો સમય છે”

પ્રશ્ન :-
જે બાળકોને ઘરે ચાલવાની સ્મૃતિ રહે છે, તેમની નિશાની શું હશે?

ઉત્તર :-
તે આ જૂની દુનિયાને જોવાં છતાં પણ નહીં જુએ. તેમને બેહદનો વૈરાગ્ય હશે, ધંધાદોરી માં રહેતાં પણ હલ્કા રહેશે. અહીંયા-ત્યાં ઝરમુઈ-ઝઘમુઈ ની વાતોમાં પોતાનો સમય બરબાદ નહીં કરે. પોતાને આ દુનિયામાં મહેમાન સમજશે.

ઓમ શાંતિ!
ફક્ત આપ સંગમયુગી બ્રાહ્મણ બાળકો જ જાણો છો કે આપણે થોડાં સમય નાં માટે આ જૂની દુનિયા નાં મહેમાન છીએ. તમારું સાચું ઘર છે શાંતિધામ. એને જ મનુષ્ય ખૂબ યાદ કરે છે, મન ને શાંતિ મળે. પરંતુ મન શું છે, શાંતિ શું છે આપણને મળશે ક્યાંથી, કાંઈ પણ સમજતા નથી. તમે જાણો છો હમણાં આપણને ઘરે જવા માટે બાકી થોડો સમય છે. આખી દુનિયાનાં મનુષ્ય-માત્ર નંબરવાર ત્યાં જશે. એ છે શાંતિધામ અને આ છે દુઃખધામ. આ યાદ કરવું તો સહજ છે ને? કોઈ પણ વૃદ્ધ હોય કે જવાન હોય, આ તો યાદ કરી શકો છો ને? આમાં આખી સૃષ્ટિ નું જ્ઞાન આવી જાય છે. આખી ડિટેલ (વિસ્તાર) બુદ્ધિમાં આવી જાય છે. હમણાં તમે સંગમયુગ પર બેઠાં છો, આ બુદ્ધિમાં રહે છે આપણે જઈ રહ્યાં છીએ શાંતિધામ, ડ્રામા પ્લાન અનુસાર. આ બુદ્ધિમાં રહેવાથી તમને ખુશી થશે, સ્મૃતિ રહેશે. આપણને પોતાનાં ૮૪ જન્મો ની સ્મૃતિ આવી છે. તે ભક્તિ માર્ગ અલગ છે, આ છે જ્ઞાન માર્ગ ની વાતો. બાપ સમજાવી રહ્યાં છે-મીઠાં બાળકો, હવે આપણું ઘર યાદ આવે છે? કેટલું સાંભળતાં રહો છો, આટલી બધી વાતો સાંભળો છો. એક આ જ છે કે હમણાં આપણે શાંતિધામ જઈશું પછી સુખધામ આવીશું. બાપ આવ્યાં જ છે પાવન દુનિયામાં લઈ જવા માટે. સુખધામ માં પણ આત્માઓ સુખ અને શાંતિ માં રહે છે. શાંતિધામ માં ફક્ત શાંતિ છે, અહીં તો ખુબ હંગામા છે ને? અહીં મધુબન થી તમે જશો પોતાનાં ઘર માં તો બુદ્ધિ ઝરમુઈ-ઝઘમુઈ, પોતાનાં ધંધા વગેરે તરફ ચાલી જશે. અહીં તો તે ઝંઝટ નથી રહેતી. તમે જાણો છો આપણે આત્માઓ છીએ જ શાંતિધામ નાં નિવાસી. અહીં આપણે પાર્ટધારી બન્યાં છીએ, બીજા કોઈને આ ખબર નથી કે આપણે પાર્ટધારી કેવી રીતે છીએ! આપ બાળકોને જ બાપ આવી ને ભણાવે છે, કોટો માં કોઈ ભણે છે. બધા તો નહીં ભણશે. તમે હમણાં કેટલાં સમજદાર બનો છો. પહેલાં બેસમજ હતાં. હમણાં તો જુઓ લડાઈ-ઝઘડા વગેરે કેટલાં છે, આને શું કહેશું? આપણે પરસ્પર ભાઈ-ભાઈ છીએ, તે ભૂલી ગયાં છીએ. ભાઈ-ભાઈ ક્યારેય ખૂન કરે છે શું? હા, ખૂન કરે પણ છે તો ફક્ત મિલકત માટે. હમણાં તમે જાણો છો-આપણે બધા એક બાપ નાં બાળકો ભાઈ-ભાઈ છીએ. તમે પ્રેક્ટિકલ માં સમજો છો, આપણને આત્માઓ ને બાબા આવી ને ભણાવે છે. ૫ હજાર વર્ષ પહેલાં ની જેમ આપણને ભણાવે છે કારણકે એ જ્ઞાન નાં સાગર છે, આ ભણતર ને બીજું કોઈ પણ નથી જાણતું. આ પણ તમે બાળકો જાણો છો - બાપ જ સ્વર્ગ નાં રચયિતા છે. સૃષ્ટિને રચવા વાળા નહીં કહેશું. સૃષ્ટિ તો અનાદિ છે જ. સ્વર્ગ ને રચવા વાળા કહેશું. ત્યાં બીજા કોઈ ખંડ નહોતાં. અહીં તો ખુબ ખંડ છે. કોઈ સમય હતો જ્યારે કે એક જ ધર્મ હતો, એક જ ખંડ હતો. પાછળ પછી વેરાયટી (વિવિધ) ધર્મ આવ્યાં છે.

હમણાં બુદ્ધિ માં બેસે છે કે વેરાયટી ધર્મ કેવી રીતે આવે છે. પહેલાં-પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ છે, સનાતન ધર્મ પણ અહીં કહે છે. પરંતુ અર્થ તો કંઈ સમજતાં નથી. તમે બધા આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં છો, ફક્ત પતિત બની ગયાં છો, સતોપ્રધાન થી સતો-રજો-તમો થાઓ છો. તમે સમજો છો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ નાં છીએ, આપણે બહુજ પવિત્ર હતાં, હમણાં પતિત બન્યાં છીએ. તમે બાપ પાસેથી વારસો લીધો હતો, પવિત્ર દુનિયાનાં માલિક બનવાનો. સમજો છો આપણે પહેલાં-પહેલાં પવિત્ર ગૃહસ્થ ધર્મ નાં હતાં, હમણાં ડ્રામા નાં પ્લાન અનુસાર રાવણ રાજ્ય માં આપણે પતિત પ્રવૃત્તિ માર્ગ નાં બની ગયાં છીએ. તમે જ પોકારો છો - હે પતિત-પાવન, અમને સુખધામ માં લઈ જાઓ. કાલ ની વાત છે. કાલે તમે પવિત્ર હતાં, આજે અપવિત્ર બની પોકારો છો. આત્મા પતિત થઈ ગયો છે. આત્મા પોકારે છે બાબા આવીને અમને ફરીથી પાવન બનાવો. બાપ કહે છે હમણાં આ અંતિમ જન્મ પવિત્ર બનો પછી તમે ૨૧ જન્મ નાં માટે ખૂબ સુખી થઈ જશો. બાબા તો ખૂબ સારી વાતો સંભળાવે છે. ખરાબ વસ્તુ છોડાવે છે, તમે દેવતા હતાં ને? હવે ફરી બનવાનું છે. પવિત્ર બનો. કેટલું સહજ છે. કમાણી ખૂબ ભારે છે. આપ બાળકોની બુદ્ધિમાં છે શિવબાબા આવ્યાં છે, દર ૫ હજાર વર્ષ પછી આવે છે. જૂની દુનિયા થી નવી થાય છે જરુર. આ કોઈ બીજું બતાવી ન શકે. શાસ્ત્રો માં કળિયુગ ની આયુ ખુબ લાંબી કરી દીધી છે. આ છે બધી ભાવી ડ્રામા ની.

હમણાં આપ બાળકો પાપો થી મુક્ત થવાનો પુરુષાર્થ કરો છો, ધ્યાન રહે બીજા કોઇ પાપ ન થઈ જાય. દેહ-અભિમાન માં આવવાથી જ પછી બીજા વિકાર આવે છે, જેનાથી પાપ થાય છે એટલે ભૂતો ને ભગાવવા પડે છે. આ દુનિયા ની કોઈ પણ વસ્તુ માં મોહ ન હોય. આ જૂની દુનિયા થી વૈરાગ્ય હોય. ભલે જુઓ છો, જૂનાં ઘર માં રહેવું પડે છે પરંતુ બુદ્ધિ નવી દુનિયામાં લાગેલી હોય. જ્યારે નવાં ઘર માં જશો તો નવાં ને જ જોશો. જ્યાં સુધી આ જુનું ઘર ખતમ થાય ત્યાં સુધી આંખો થી જૂનાં ને જોવાં છતાં યાદ નવાં ને કરવાનું છે. કોઈ પણ એવું કામ નથી કરવાનું જે પછી પસ્તાવું પડે. આજે ફલાણા ને દુઃખ આપ્યું, આ પાપ કર્યુ, બાબા ને પૂછી શકો છો બાબા આ પાપ છે? ઘુટકા કેમ ખાવા જોઈએ. પૂછશો નહીં તો ઘુટકા ખાતા રહેશો. બાબા ને પૂછશો તો બાબા ઝટ હલ્કા કરી દેશે. તમે ખુબ ભારે છો. પાપો નો બોજો બહુજ ભારે છે. ૨૧ જન્મ પછી પાપો થી હલ્કા થઇ જશો. જન્મ-જન્માંતર નો માથા પર બોજો છે. જેટલાં યાદ માં રહેશો, હલ્કા થતાં જશો. ખાદ નીકળતી જશે અને ખુશી ચઢી જશે. સતયુગ માં તમે ખુબ ખુશી માં હતાં પછી ઓછી થતાં-થતાં બધી ખુશી તમારી લોપ થઈ ગઈ છે. સતયુગ થી લઈને કળિયુગ સુધી આ યાત્રા માં ૫ હજાર વર્ષ લાગ્યાં છે. સ્વર્ગ થી નર્ક માં આવવાની યાત્રાની હમણાં ખબર પડી છે કે આપણે સ્વર્ગ થી નર્ક માં કેવી રીતે આવ્યાં છીએ. હમણાં ફરી તમે નર્ક થી સ્વર્ગમાં ચાલો છો. એક સેકન્ડ માં જીવનમુક્તિ. બાપ ને ઓળખ્યાં. બાપ આવ્યાં છે તો જરુર આપણને સ્વર્ગ માં લઈ જશે. બાળક જન્મ્યો અને મિલકત નો માલિક બની ગયો. બાપ નાં બન્યાં તો પછી નશો ચઢવો જોઇએ ને? ઉતરવો કેમ જોઈએ?? તમે તો મોટાં છો ને? બેહદ બાપ નાં બાળકો બન્યાં છો તો બેહદ ની રાજધાની પર તમારો હક છે એટલે ગાયન પણ છે-અતીન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપી વલ્લભ નાં ગોપ-ગોપીઓ થી પૂછો. વલ્લભ બાપ છે ને, એમનાથી પૂછો. નંબરવાર પુરુષાર્થ અનુસાર જ ખુશી નો પારો ચઢશે. કોઈ તો ઝટ આપ સમાન બનાવી દેશે. બાળકો નું કામ જ આ છે, બધુંજ ભુલાવી પોતાની રાજધાની ની યાદ અપાવવી.

તમે તો સ્વર્ગનાં માલિક હતાં. હમણાં કળિયુગ જૂની દુનિયા છે ફરી નવી દુનિયા થશે. હમણાં આપ બાળકોની બુદ્ધિમાં છે કે દર ૫ હજાર વર્ષ પછી બાપ ભારત માં જ આવે છે. એમની જયંતિ પણ મનાવે છે. તમે જાણો છો બાપ આવીને આપણને રાજધાની આપીને જાય છે પછી યાદ કરવાની દરકાર જ નથી રહેતી પછી જ્યારે ભક્તિ શરુ થાય છે ત્યારે યાદ કરીએ છીએ. આત્માએ માલ ખાધો છે, તો યાદ કરે છે બાબા ફરી આવીને અમને શાંતિધામ, સુખધામ માં લઈ જાઓ. હમણાં આપ બાળકો સમજો છો-એ આપણા બાપ છે, શિક્ષક પણ છે, ગુરુ પણ છે. સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું ચક્ર ૮૪ જન્મો નું જ્ઞાન તમારી બુદ્ધિ માં છે. અગણિત વખત ૮૪ જન્મ લીધાં છે અને લેતાં રહેશું. આનો એન્ડ (અંત) ક્યારેય થતો નથી. તમારી બુદ્ધિમાં જ આ ચક્ર છે, સ્વદર્શન ચક્ર ઘડી-ઘડી યાદ આવવું જોઈએ. આ જ મનમનાભવ છે. જેટલું બાપ ને યાદ કરશો એટલાં પાપ ભસ્મ થશે.

તમે જ્યારે કર્માતીત અવસ્થા નાં સમીપ પહોંચી જશો તો તમારા થી કોઈ પણ વિકર્મ નહીં થશે. હમણાં થોડાં-થોડાં વિકર્મ થઈ જાય છે. સંપૂર્ણ કર્માતીત અવસ્થા હમણાં થોડી બની છે? આ બાબા પણ તમારી સાથે સ્ટુડન્ટ (વિદ્યાર્થી) છે. ભણાવવા વાળા છે શિવબાબા. ભલે આમનામાં પ્રવેશ કરે છે, આ પણ સ્ટુડન્ટ છે. આ છે જ નવી-નવી વાતો. હવે ફક્ત તમે બાપ ને અને સૃષ્ટિ ચક્ર ને યાદ કરો. તે છે ભક્તિ માર્ગ, આ છે જ્ઞાન માર્ગ. રાત-દિવસ નો ફર્ક છે! ત્યાં કેટલા ઝાંઝ, ઘંટ વગેરે વગાડે છે. અહીં ફક્ત યાદ માં રહેવાનું છે. આત્મા તો અમર છે, અકાળ તખ્ત પણ છે. એવું નહીં કે અકાળમૂર્ત ફક્ત બાપ છે. તમે પણ અકાળમૂર્ત છો. અકાળમૂર્ત આત્મા નું આ ભ્રકુટી તખ્ત છે. જરુર ભ્રકુટી માં જ બેસશે. પેટ માં થોડી બેસશે. હમણાં તમે જાણો છો આપણું અકાળમૂર્ત આત્મા નું તખ્ત ક્યાં છે. આ ભ્રકુટી નાં વચ્ચે આપણું તખ્ત છે. અમૃતસર માં અકાળતખ્ત છે ને! અર્થ કાંઈ પણ નથી સમજતાં. મહિમા પણ ગાય છે અકાળમૂર્ત. એમનાં અકાળતખ્ત ની કોઈને ખબર નથી. હમણાં તમને ખબર પડી છે, તખ્ત તો આ જ છે, જેનાં પર બેસી ને સંભળાવે છે. તો આત્મા અવિનાશી છે, શરીર છે વિનાશી. આત્મા નું આ અકાળતખ્ત છે, સદૈવ આ અકાળતખ્ત રહે છે. આ તમે સમજો છો. તેમણે પછી તે તખ્ત બનાવી નામ રાખી દીધું છે. હકીકત માં અકાળ આત્મા તો અહીં બેઠો છે. આપ બાળકોની બુદ્ધિમાં અર્થ છે, એક ઓમકાર… આનો અર્થ તમે સમજો છો. મનુષ્ય મંદિરો માં જઈને કહે છે અચુતમ કેશવમ… અર્થ કાંઈ નહીં. એવી રીતે જ સ્તુતિ કરતાં રહે છે. અચુતમ કેશવમ રામ નારાયણમ્… હવે રામ ક્યાં, નારાયણ ક્યાં. બાપ કહે છે તે બધું છે ભક્તિમાર્ગ. જ્ઞાન તો ખુબજ સિમ્પલ (સહજ) છે, કોઈ બીજી વાત પૂછવાનાં પહેલાં બાપ અને વારસા ને યાદ કરવાનો છે, તે મહેનત કોઈ થી થતી નથી, ભૂલી જાય છે. એક નાટક પણ છે - માયા આવું કરે, ભગવાન આવું કરે છે. તમે બાપ ને યાદ કરો છો, માયા તમને બીજા તોફાનમાં લઈ જાય છે. માયા નું ફરમાન છે - રુશ્તમ થી રુશ્તમ થઈને લડો, તમે બધા લડાઈ નાં મેદાન માં છો. જાણો છો આમાં કયા-કયા પ્રકારનાં યોદ્ધા છે. કોઈ તો ખુબ કમજોર છે, કોઈ મધ્યમ કમજોર છે, કોઈ તો પછી મજબુત છે. બધા માયા થી યુદ્ધ કરવા વાળા છે. ગુપ્ત જ ગુપ્ત અંડરગ્રાઉન્ડ. તેઓ પણ અંડરગ્રાઉન્ડ બોમ્બ્સ ની ટ્રાયલ કરે છે. આ પણ આપ બાળકો જાણો છો, પોતાનાં મોત માટે બધું કરી રહ્યાં છે. તમે બિલકુલ શાંતિ માં બેઠાં છો, તેમનું છે સાયન્સ બળ. કુદરતી આપદાઓ પણ ખુબ જ છે. તેમાં તો કોઈનું વશ ચાલી ન શકે. હમણાં જુઠ્ઠા વરસાદ માટે પણ કોશિશ કરે છે. જુઠ્ઠો વરસાદ પડે તો પછી અનાજ વધારે થાય. આપ બાળકો તો જાણો છો કેટલો પણ વરસાદ પડે છતાં પણ નેચરલ કૈલેમિટીઝ (કુદરતી આપદાઓ) જરુર થવાની છે. મુશળધાર વરસાદ પડશે પછી શું કરી શકશો? આને કહેવાય છે નેચરલ કૈલેમિટીઝ. સતયુગ માં આ થતું નથી. અહીંયા થાય છે જે પછી વિનાશ માં મદદ કરે છે.

તમારી બુદ્ધિ માં છે આપણે જ્યારે સતયુગ માં હોઈશું તો જમુના નાં કાંઠા પર સોના નાં મહેલ હશે. આપણે ખુબ થોડાં ત્યાંના રહેવાવાળા હોઈશું. કલ્પ-કલ્પ આવું થતું રહે છે. પહેલાં થોડાં હોય છે પછી ઝાડ વધે છે, ત્યાં કોઈ પણ ગંદકી ની વસ્તુ હોતી જ નથી. અહીંયા તો જુઓ ચકલીઓ પણ ગંદ કરતી રહે છે, ત્યાં ગંદકી ની વાત નથી, તેને કહેવાય જ છે સ્વર્ગ. હમણાં તમે સમજો છો આપણે આ દેવતા બનીએ છીએ તો અંદર માં કેટલી ખુશી થવી જોઈએ. માયારુપી જિન્ન થી બચવા માટે બાપ કહે છે આપ બાળકો આ રુહાની ધંધામાં લાગી જાઓ. મનમનાભવ. બસ, આમાં જ જિન્ન બની જાઓ. જિન્ન નું દૃષ્ટાંત આપે છે ને? કહ્યું કામ આપો… તો બાબા પણ કામ આપે છે. નહીં તો માયા ખાઈ જશે. બાપ નાં પૂરાં મદદગાર બનવાનું છે. એકલા બાપ તો નહીં કરશે. બાપ તો રાજ્ય પણ નથી કરતાં. તમે સર્વિસ (સેવા) કરો છો, રાજાઈ પણ તમારા માટે જ છે. બાપ કહે છે હું પણ મગધ દેશ માં આવું છું. માયા પણ મગરમચ્છ છે, કેટલાં મહારથીઓને હપ કરીને ખાઈ જાય છે. આ બધાં છે દુશ્મન. જેમ દેડકા નો દુશ્મન સર્પ હોય છે ને! તમને ખબર છે, એવી તમારી દુશ્મન છે માયા. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સ્વયં ને પાપો થી મુક્ત કરવાનો પુરુષાર્થ કરવાનો છે, દેહ-અભિમાન માં ક્યારેય નથી આવવાનું. આ દુનિયાની કોઈ પણ વસ્તુ માં મોહ નથી રાખવાનો.

2. માયા રુપી જિન્ન થી બચવા માટે બુદ્ધિ ને રુહાની ધંધા માં બીઝી (વ્યસ્ત) રાખવાની છે. બાપ નાં પૂરે-પૂરાં મદદગાર બનવાનું છે.

વરદાન :-
સર્વ ખજાનો ને સમય પર યુઝ કરીને અનુભવ કરવાવાળા ખુશીનસીબ આત્મા ભવ

બાપદાદા દ્વારા બ્રાહ્મણ જન્મ થતાં જ આખા દિવસ માટે અનેક શ્રેષ્ઠ ખુશી નાં ખજાના પ્રાપ્ત થાય છે એટલે તમારા નામ થી જ હમણાં સુધી અનેક ભક્ત અલ્પકાળ ની ખુશી માં આવી જાય છે, તમારા જડ ચિત્રો ને જોઈને ખુશી માં નાચવા લાગે છે. એવા તમે બધા ખુશનસીબ છો, ઘણા ખજાના મળ્યા છે પરંતુ ફક્ત સમય પર યુઝ કરો. ચાવી ને સદા સામે રાખો અર્થાત્ સદા સ્મૃતિ માં રાખો અને સ્મૃતિ ને સ્વરુપ માં લાવો તો નિરંતર ખુશી નો અનુભવ થતો રહેશે.

સ્લોગન :-
બાપ ની શ્રેષ્ઠ આશાઓ નાં દિપક જગાડવા વાળા જ કુળદીપક છે.

અવ્યક્ત ઈશારા - આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો

આત્મિક સ્થિતિ માં રહી બાહ્યમુખતા ને છોડી દો તો મહેનત થી છૂટી જશો અને અનુભવો નાં સાગર માં સમાઈ જશો. એક-બે અનુભવ નહીં અથાહ છે. એક-બે અનુભવ કરીને અનુભવ નાં તળાવ માં નહીં નહાવો. સાગર નાં બાળકો અનુભવ નાં સાગર માં સમાઈ જાઓ.