21-11-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે હમણાં ગોડલી સર્વિસ ( ઈશ્વરીય સેવા ) પર છો , તમારે બધાને સુખ નો રસ્તો બતાવવાનો છે , સ્કોલરશિપ લેવાનો પુરુષાર્થ કરવાનો છે”

પ્રશ્ન :-
આપ બાળકો ની બુદ્ધિ માં જ્યારે જ્ઞાનની સારી ધારણા થઈ જાય છે તો કયો ડર નીકળી જાય છે?

ઉત્તર :-
ભક્તિ માં જે ડર રહેતો કે ગુરુ અમને શ્રાપ ન આપી દે, આ ડર જ્ઞાન માં આવવાથી, જ્ઞાન ની ધારણા કરવાથી નીકળી જાય છે કારણકે જ્ઞાનમાર્ગ માં શ્રાપ કોઈ આપી ન શકે. રાવણ શ્રાપ આપે છે, બાપ વારસો આપે છે. રિદ્ધિ-સિદ્ધિ શીખવા વાળા આવું હેરાન કરવાનું, દુઃખ આપવાનું કામ કરે છે, જ્ઞાન માં તો આપ બાળકો બધા ને સુખ પહોંચાડો છો.

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં રુહાની બાળકો પ્રત્યે રુહાની બાપ બેસી સમજાવે છે. તમે બધા પહેલાં આત્મા છો. આ પાક્કો નિશ્ચય રાખવાનો છે. બાળકો જાણે છે આપણે આત્માઓ પરમધામ થી આવીએ છીએ, અહીં શરીર લઈને પાર્ટ ભજવવાં. આત્મા જ પાર્ટ ભજવે છે. મનુષ્ય પછી સમજે છે શરીર જ પાર્ટ ભજવે છે. આ છે મોટાં માં મોટી ભૂલ. જેનાં કારણે આત્મા ને કોઈ જાણતું નથી. આ આવાગમન માં આપણે આત્માઓ આવીએ-જઈએ છીએ - આ વાત ને ભૂલી જઈએ છીએ એટલે બાપ ને જ આવીને આત્મ-અભિમાની બનાવવા પડે છે. આ વાત પણ કોઈ નથી જાણતાં. બાપ જ સમજાવે છે, આત્મા કેવી રીતે પાર્ટ ભજવે છે? મનુષ્ય નાં વધુ માં વધુ ૮૪ જન્મો થી લઈને ઓછા માં ઓછા છે એક-બે જન્મ. આત્માએ પુનર્જન્મ તો લેતા રહેવાનું છે. આનાથી સિદ્ધ થાય છે, અનેક જન્મ લેવા વાળા વધારે પુનર્જન્મ લે છે. થોડા જન્મ લેવા વાળા ઓછા પુનર્જન્મ લે છે. જેવી રીતે નાટક માં કોઈનો શરુ થી અંત સુધી પાર્ટ હોય છે, કોઈનો થોડો પાર્ટ હોય છે. આ કોઈ મનુષ્ય નથી જાણતાં. આત્મા પોતાને જ નથી જાણતો તો પોતાનાં બાપ ને કેવી રીતે જાણે? આત્મા ની વાત છે ને? બાપ છે આત્માઓ નાં. શ્રીકૃષ્ણ તો આત્માઓ નાં બાપ નથી. શ્રીકૃષ્ણ ને નિરાકાર તો નહીં કહેવાશે. સાકાર માં જ તેમને ઓળખાય છે. આત્મા તો બધાનો છે. દરેક આત્મા માં પાર્ટ તો નોંધાયેલો છે. આ વાતો તમારા માં પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર છે, જે સમજાવી શકે છે. હમણાં આપ બાળકો જાણો છો આપણે આત્માઓએ ૮૪ જન્મ કેવી રીતે લીધાં છે. એવું નથી કે આત્મા સો પરમાત્મા. ના, બાપે સમજાવ્યું છે - આપણે આત્મા પહેલાં તો દેવતા બનીએ છીએ. હમણાં પતિત તમોપ્રધાન છીએ પછી સતોપ્રધાન બનવાનું છે. બાપ આવે જ ત્યારે છે જ્યારે સૃષ્ટિ જૂની થઈ જાય છે. બાપ આવીને જૂની ને નવી બનાવે છે. નવી સૃષ્ટિ સ્થાપન કરે છે. નવી દુનિયામાં છે જ આદિ સનાતન દેવી-દેવતા ધર્મ. તેમનાં માટે જ કહેવાશે પહેલાં કળિયુગી શુદ્ર ધર્મ વાળા હતાં. હમણાં પ્રજાપિતા બ્રહ્મા નાં મુખ વંશાવલી બની બ્રાહ્મણ બન્યાં છો. બ્રાહ્મણ કુળ માં આવો છો. બ્રાહ્મણ કુળ ની ડિનાયસ્ટી (રાજધાની) નથી હોતી. બ્રાહ્મણ કુળ કોઈ રાજાઈ નથી કરતો. આ સમયે ભારત માં નથી બ્રાહ્મણ કુળ રાજાઈ કરતો, નથી શુદ્ર કુળ રાજાઈ કરતો. બંને ને રાજાઈ નથી. છતાં પણ તેમનું પ્રજા પર પ્રજા નું રાજ્ય તો ચાલે છે. આપ બ્રાહ્મણો નું કોઈ રાજ્ય નથી. તમે સ્ટુડન્ટ્સ (વિદ્યાર્થી) ભણો છો. બાપ તમને જ સમજાવે છે. આ ૮૪ નું ચક્ર કેવી રીતે ફરે છે. સતયુગ, ત્રેતા… પછી હોય છે સંગમયુગ. આ સંગમ જેવી મહિમા બીજા કોઈ યુગ ની નથી. આ છે પુરુષોત્તમ સંગમયુગ. સતયુગ થી ત્રેતા માં આવે છે, બે કળા ઓછી થાય છે તો તેની મહિમા શું કરશે? ઉતરવાની મહિમા થોડી થાય છે? કળિયુગ ને કહેવાય છે જૂની દુનિયા. હવે નવી દુનિયા સ્થાપન થવાની છે, જ્યાં દેવી-દેવતાઓ નું રાજ્ય હોય છે. તે પુરુષોત્તમ હતાં. પછી કળા ઓછી થતાં-થતાં કનિષ્ટ, શૂદ્ર બુદ્ધિ બની જાય છે. તેમને પથ્થર બુદ્ધિ પણ કહેવાય છે. એવાં પથ્થર બુદ્ધિ બની જાય છે જે જેમની પૂજા કરે છે, તેમની જીવન કહાણી પણ નથી જાણતાં. બાળકો બાપ નું જીવન ન જાણે તો વારસો કેવી રીતે મળે? હમણાં આપ બાળકો બાપ નાં જીવન ને જાણો છો. એમની પાસે થી તમને વારસો મળી રહ્યો છે. બેહદ નાં બાપ ને યાદ કરો છો. તુમ માત-પિતા… કહો છો તો જરુર બાપ આવ્યાં હશે ત્યારે તો સુખ ઘનેરા આપ્યાં હશે ને? બાપ કહે છે - હું આવ્યો છું, અથાહ સુખ આપ બાળકો ને આપું છું. બાળકો ની બુદ્ધિ માં આ નોલેજ સારી રીતે રહેવી જોઈએ, એટલે તમે સ્વદર્શન ચક્રધારી બનો છો. તમને હવે જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે. તમે જાણો છો આપણે જ દેવતા બનીએ છીએ. હમણાં શૂદ્ર થી બ્રાહ્મણ બન્યાં છીએ. કળિયુગી બ્રાહ્મણ પણ છે તો ખરા ને? તે બ્રાહ્મણ લોકો જાણતા નથી કે અમારો ધર્મ અથવા કુળ ક્યારે સ્થાપન થયો કારણકે તે છે જ કળિયુગી. તમે હમણાં ડાયરેક્ટ પ્રજાપિતા બ્રહ્મા ની સંતાન બન્યાં છો અને સૌથી ઊંચ કોટી નાં છો. બાપ તમારા ભણતર ની સેવા, સંભાળવા ની સેવા અને શૃંગારવા ની સેવા કરે છે. તમે પણ છો ફક્ત ઈશ્વરીય સેવા પર. ગોડફાધર પણ કહે છે - હું આવ્યો છું બધા બાળકો ની સર્વિસ (સેવા) માં. બાળકો ને સુખ નો રસ્તો બતાવવાનો છે. બાપ કહે છે હવે ઘરે ચાલો. મનુષ્ય ભક્તિ પણ કરે છે મુક્તિ માટે. જરુર જીવન માં બંધન છે. બાપ આવીને આ દુઃખો થી છોડાવે છે. આપ બાળકો જાણો છો ત્રાહિ-ત્રાહિ કરશે. હાહાકાર પછી જયજયકાર થવાનો છે. હવે તમારી બુદ્ધિ માં છે - કેટલી હાય-હાય કરશે, જ્યારે નેચરલ કેલામિટીઝ (કુદરતી આપદાઓ) વગેરે થશે. યૂરોપવાસી યાદવ પણ છે, બાપે સમજાવ્યું છે - યૂરોપવાસીઓ ને યાદવ કહેવાય છે. દેખાડે છે પેટ માંથી મૂસળ નીકળ્યાં પછી શ્રાપ આપ્યો. હવે શ્રાપ વગેરે ની તો વાત જ નથી. આ તો ડ્રામા છે. બાપ વારસો આપે છે, રાવણ શ્રાપ આપે છે. આ એક રમત બનેલી છે, બાકી શ્રાપ આપવા વાળા તો બીજા મનુષ્ય હોય છે. તે શ્રાપ ને ઉતારવા વાળા પણ હોય છે. ગુરુ-ગોસાઈ વગેરે થી પણ મનુષ્ય લોકો ડરે છે કે કોઈ શ્રાપ ન આપે. હકીકત માં જ્ઞાનમાર્ગ માં શ્રાપ કોઈ આપી ન શકે. જ્ઞાન-માર્ગ અને ભક્તિ-માર્ગ માં શ્રાપ ની કોઈ વાત નથી. જે રિદ્ધિ-સિદ્ધિ વગેરે શીખે છે, તે શ્રાપ આપે છે, લોકો ને ખૂબ દુઃખી કરી દે છે, પૈસા પણ ખૂબ કમાય છે. ભક્ત લોકો પણ આ કામ નથી કરતાં.

બાબાએ આ પણ સમજાવ્યું છે - સંગમ ની સાથે પુરુષોત્તમ શબ્દ જરુર લખો. ત્રિમૂર્તિ શબ્દ પણ જરુર લખવાનો છે અને પ્રજાપિતા શબ્દ પણ જરુરી છે કારણકે બ્રહ્મા નામ પણ અનેક નું છે. પ્રજાપિતા શબ્દ લખશો તો સમજશે સાકાર માં પ્રજાપિતા થયાં. ફક્ત બ્રહ્મા લખવાથી સૂક્ષ્મવતન વાળા સમજી લે છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને ભગવાન કહી દે છે. પ્રજાપિતા કહેશો તો સમજાવી શકો છો - પ્રજાપિતા તો અહીં છે. સૂક્ષ્મવતન માં કેવી રીતે હોય શકે? વિષ્ણુ ને તો દેખાડે છે બ્રહ્મા ની નાભિ માંથી નીકળ્યાં. આપ બાળકો ને પણ જ્ઞાન મળ્યું છે. નાભિ વગેરે ની કોઈ વાત જ નથી. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા કેવી રીતે બને છે. આખાં ચક્ર નું જ્ઞાન તમે આ ચિત્રો દ્વારા સમજાવી શકો છો. ચિત્ર વગર સમજાવવામાં મહેનત લાગે છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા બને છે. લક્ષ્મી-નારાયણ ૮૪ નું ચક્ર લગાવીને પછી બ્રહ્મા-સરસ્વતી બને છે. બાબાએ પહેલાં થી નામ આપી દીધાં છે, જ્યારે ભઠ્ઠી બની તો નામ આપ્યાં. પછી કેટલાં ચાલ્યાં ગયાં એટલે સમજાવ્યું છે બ્રાહ્મણો ની માળા હોતી નથી કારણકે બ્રાહ્મણ છે પુરુષાર્થી. ક્યારેક નીચે, ક્યારેક ઉપર થતા રહે છે. ગ્રહચારી બેસે છે. બાબા તો ઝવેરી હતાં. મોતીઓ વગેરે ની માળા કેવી રીતે બને છે, અનુભવી છે. બ્રાહ્મણ ની માળા અંત માં બને છે. આપણે જ બ્રાહ્મણ દૈવીગુણ ધારણ કરી દેવતા બનીએ છીએ. પછી સીડી ઉતરવાની છે. નહીં તો ૮૪ જન્મ કેવી રીતે લઈશું? ૮૪ જન્મો નાં હિસાબ થી આ નીકળી શકે છે. તમારો અડધો સમય પૂરો થાય છે ત્યારે બીજા ધર્મ વાળા આવે છે. માળા બનાવવા માં ખૂબ મહેનત લાગે છે. ખૂબ સંભાળ થી મોતીઓ ને ટેબલ પર રખાય છે કે ક્યાંય હલે નહીં. પછી સોય થી પરોવાય છે. ક્યાંય ઠીક ન બને તો પછી માળા તોડવી પડે. આ તો ખૂબ મોટી માળા છે. આપ બાળકો જાણો છો - આપણે ભણીએ છીએ નવી દુનિયા માટે. બાબાએ સમજાવ્યું છે કે સ્લોગન (સુવિચાર) બનાવો - આપણે શૂદ્ર સો બ્રાહ્મણ, બ્રાહ્મણ સો દેવતા કેવી રીતે બનીએ છીએ? આવીને સમજો. આ ચક્ર ને જાણવાથી તમે ચક્રવર્તી રાજા બનશો. સ્વર્ગ નાં માલિક બની જશો. આવાં સ્લોગન બનાવીને બાળકોએ શીખવાડવું જોઈએ. બાબા યુક્તિઓ તો ખૂબ બતાવે છે. હકીકત માં વેલ્યુ (મહિમા) તમારી છે. તમને હીરો-હિરોઈન નો પાર્ટ મળે છે. હીરા જેવા તમે બનો છો પછી ૮૪ નું ચક્ર લગાવી કોડી જેવા બનો છો. હમણાં જ્યારે હીરા જેવો જન્મ મળે છે તો કોડીઓ ની પાછળ કેમ પડો છો? એવું પણ નથી, કોઈ ઘરબાર છોડવાનું છે. બાબા તો કહે છે ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં કમળ ફૂલ સમાન પવિત્ર રહો અને સૃષ્ટિ ચક્ર નાં નોલેજ ને જાણી દૈવીગુણ પણ ધારણ કરો તો તમે હીરા જેવા બની જશો. બરોબર ભારત ૫ હજાર વર્ષ પહેલાં હીરા જેવું હતું. આ છે મુખ્ય ઉદ્દેશ. આ ચિત્ર ને (લક્ષ્મી-નારાયણ ને) ખૂબ મહત્વ આપવાનું છે. આપ બાળકોએ ખૂબ સર્વિસ કરવાની છે પ્રદર્શન, મ્યુઝિયમ માં. વિહંગ માર્ગ ની સર્વિસ વગર તમે પ્રજા કેવી રીતે બનાવશો? ભલે આ જ્ઞાન ને સાંભળો પણ છો પરંતુ ઊંચ પદ કોઈ વિરલા મેળવે છે. તેમનાં માટે જ કહેવાય છે કોટો માં કોઈ. સ્કોલરશિપ પણ કોઈ લે છે ને? ૪૦-૫૦ બાળકો સ્કૂલ માં હોય છે, તેમાંથી કોઈ એક સ્કોલરશિપ લે છે, કોઈ થોડા પ્લસ માં આવી જાય છે તો તેમને પણ આપે છે. આ પણ એવું છે. પ્લસ માં ઘણાં છે. ૮ દાણા છે તે પણ નંબરવાર છે ને? એ પહેલાં-પહેલાં રાજગાદી પર બેસશે. પછી કળા ઓછી થતી જશે, લક્ષ્મી-નારાયણ નું ચિત્ર છે નંબરવન. તેમની પણ ડિનાયસ્ટી ચાલે છે, પરંતુ ચિત્ર લક્ષ્મી-નારાયણ નું જ આપેલું છે. અહીં તમે જાણો છો ચિત્ર તો બદલાતા જાય છે. ચિત્ર આપવાથી શું ફાયદો? નામ, રુપ, દેશ, કાળ બધું બદલાઈ જાય છે.

મીઠાં-મીઠાં રુહાની બાળકો ને રુહાની બાપ સમજાવે છે. કલ્પ પહેલાં પણ બાપે સમજાવ્યું હતું. એવું નથી કે શ્રીકૃષ્ણએ ગોપ-ગોપીઓ ને સંભળાવ્યું. શ્રીકૃષ્ણ ને ગોપ-ગોપીઓ હોતાં નથી. નથી તેમને જ્ઞાન શીખવાડાતું. એ તો છે સતયુગ નાં પ્રિન્સ (રાજકુમાર). ત્યાં કેવી રીતે રાજયોગ શીખવાડશે કે પતિત ને પાવન બનાવશે? હવે તમે પોતાનાં બાપ ને યાદ કરો. બાપ પછી શિક્ષક પણ છે. શિક્ષક ને વિદ્યાર્થી ક્યારેય ભૂલી ન શકે. બાપ ને બાળકો ભૂલી ન શકે, ગુરુ ને પણ ભૂલી ન શકે. બાપ તો જન્મ થી જ હોય છે. શિક્ષક ૫ વર્ષ પછી મળે છે. પછી ગુરુ વાનપ્રસ્થ માં મળે છે. જન્મ થી જ ગુરુ કરવાનો તો કોઈ ફાયદો નથી. ગુરુ નો ખોળો લઈને પણ બીજા દિવસે મરી જાય છે. પછી ગુરુ શું કરે છે? ગાય પણ છે સદ્દગુરુ વગર ગતિ નથી. સદ્દગુરુ ને છોડી તે પછી ગુરુ કહી દે છે. ગુરુ તો અનેક છે. બાબા કહે છે - બાળકો, તમારે કોઈ દેહધારી ગુરુ વગેરે કરવાની જરુર નથી, તમારે કોઈની પાસે થી પણ કાંઈ માંગવાનું નથી. કહેવાય પણ છે - માંગવા કરતાં મરવું ભલું. બધાને ચિંતા રહે છે અમે કેવી રીતે પોતાનાં પૈસા ટ્રાન્સફર કરીએ. બીજા જન્મ માટે ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરે છે તો તેમનું રિટર્ન (વળતર) આ જ જૂની સૃષ્ટિ માં અલ્પકાળ માટે મળે છે. અહીંયા તમારું ટ્રાન્સફર થાય છે નવી દુનિયામાં અને ૨૧ જન્મો માટે. તન-મન-ધન પ્રભુ નાં આગળ અર્પણ કરવાનું છે. તે તો જ્યારે આવે ત્યારે અર્પણ કરશો ને? પ્રભુ ને કોઈ જાણતા જ નથી તો ગુરુ ને પકડી લે છે. ધન વગેરે ગુરુ ની આગળ અર્પણ કરી દે છે. વારિસ નથી હોતાં તો બધું ગુરુ ને આપે છે. આજકાલ કાયદા અનુસાર ઈશ્વર અર્થ પણ કોઈ આપતા નથી. બાપ સમજાવે છે - હું ગરીબ નિવાઝ છું એટલે આવું જ ભારત માં છું. તમને આવીને વિશ્વ નાં માલિક બનાવું છું. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ માં કેટલો ફરક છે? તે જાણતા કાંઈ પણ નથી. ફક્ત કહી દે છે અમે ઈશ્વર અર્પણ કરીએ છીએ. છે બધી બેસમજી. આપ બાળકો ને હવે સમજ મળે છે તો તમે બેસમજ થી સમજદાર બન્યાં છો. બુદ્ધિ માં જ્ઞાન છે - બાપ તો કમાલ કરે છે. જરુર બેહદ નાં બાપ પાસે થી બેહદ નો વારસો જ મળવો જોઈએ. બાપ પાસે થી તમે વારસો લો છો ફક્ત દાદા દ્વારા. દાદા પણ એમની પાસે થી વારસો લઈ રહ્યાં છે. વારસો આપવા વાળા એક જ છે. એમને જ યાદ કરવાના છે. બાપ કહે છે - બાળકો, હું આમનાં અનેક જન્મો નાં અંત માં આવું છું, આમનામાં પ્રવેશ કરી આમને પણ પાવન બનાવું છું જે પછી આ ફરિશ્તા બની જાય છે. બેજ પર તમે ખૂબ સર્વિસ કરી શકો છો. તમારા આ બધા છે અર્થ સહિત બેજ. આ તો જીવદાન આપવા વાળા ચિત્ર છે. આની વેલ્યુ ની કોઈને પણ ખબર નથી અને બાબા ને હંમેશા મોટી ચીજ પસંદ આવે છે, જે કોઈપણ દૂર થી વાંચી શકે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. બાપ પાસે થી બેહદ નો વારસો લેવા માટે ડાયરેક્ટ પોતાનું તન-મન-ધન ઈશ્વર ની આગળ અર્પણ કરવામાં સમજદાર બનવાનું છે. પોતાનું બધું જ ૨૧ જન્મો માટે ટ્રાન્સફર (બદલી) કરી લેવાનું છે.

2. જેમ બાપ ભણાવવાની, સંભાળવાની અને શૃંગારવાની સર્વિસ કરે છે, એવી રીતે બાપ સમાન સર્વિસ કરવાની છે. જીવનબંધ થી કાઢી બધાને જીવનમુક્તિ માં લઈ જવાના છે.

વરદાન :-
જ્ઞાન - કળશ ધારણ કરી તરસ્યા ની તરસ છીપાવવા વાળા અમૃત કળશધારી ભવ

હવે મેજોરીટી આત્માઓ પ્રકૃતિ નાં અલ્પકાળ નાં સાધનો થી, આત્મિક શાંતિ પ્રાપ્ત કરવા માટે બનેલા અલ્પજ્ઞ સ્થાનો થી, પરમાત્મ-મિલન મનાવવાનાં ઠેકેદારો થી થાકી ગયા છે, નિરાશ થઈ ગયા છે, સમજે છે સત્ય કાંઈક બીજું છે, પ્રાપ્તિ નાં તરસ્યા છે. એવાં તરસ્યા આત્માઓ ને આત્મિક-પરિચય, પરમાત્મ-પરિચય ની યથાર્થ બુંદ પણ તૃપ્ત આત્મા બનાવી દેશે એટલે જ્ઞાન કળશ ધારણ કરી તરસ્યા ની તરસ છીપાવો. અમૃત કળશ સદા સાથે રહે. અમર બનો અને અમર બનાવો.

સ્લોગન :-
એડજેસ્ટ થવાની કળા ને લક્ષ બનાવી લો તો સહજ સંપૂર્ણ બની જશો.

અવ્યક્ત ઈશારા - અશરીરી કે વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો

અશરીરી બનવા માટે સમેટવાની શક્તિ ખૂબ આવશ્યક છે. પોતાનાં દેહ-અભિમાન નાં સંકલ્પ ને, દેહ ની દુનિયાની પરિસ્થિતિઓ નાં સંકલ્પ ને સમેટવાના છે. ઘરે જવાના સંકલ્પ સિવાય બીજા કોઈ સંકલ્પ નો વિસ્તાર ન હોય - બસ, આ જ સંકલ્પ હોય કે હવે પોતાનાં ઘરે ગયા કે ગયાં. અનુભવ કરો કે હું આત્મા આકાશ તત્વ થી પણ પાર ઉડતો જઈ રહ્યો છું, એનાં માટે હમણાં થી અકાળ તખ્તનશીન બનવાનો અભ્યાસ વધારો.