22-05-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે આ આંખો થી જે કાંઈ જુઓ છો આ બધી જૂની દુનિયાની સામગ્રી છે , આ સમાપ્ત થવાની છે , એટલે આ દુઃખધામ ને બુદ્ધિ થી ભૂલી જાઓ”

પ્રશ્ન :-
મનુષ્યો એ બાપ પર કયો દોષ લગાવ્યો છે પરંતુ તે દોષ કોઈનો પણ નથી?

ઉત્તર :-
આટલો મોટો જે વિનાશ થાય છે, મનુષ્ય સમજે છે ભગવાન જ કરાવે છે, દુઃખ પણ એ આપે, સુખ પણ એ આપે. આ ખૂબ મોટો દોષ લગાવી દીધો છે. બાપ કહે છે-બાળકો, હું સદા સુખદાતા છું, હું કોઈને દુઃખ નથી આપી શકતો. જો હું વિનાશ કરાવું તો બધું પાપ મારા પર આવી જાય. એ તો બધું ડ્રામા અનુસાર થાય છે, હું નથી કરાવતો.

ગીત :-
રાત કે રાહી…

ઓમ શાંતિ!
બાળકો ને શીખવાડવા માટે ઘણાં ગીત ખૂબ સરસ છે. ગીત નો અર્થ કરવાથી વાણી ખુલી જશે. બાળકો ની બુદ્ધિ માં તો છે કે આપણે બધા દિવસ ની યાત્રા પર છીએ, રાત ની યાત્રા પૂરી થાય છે. ભક્તિ માર્ગ છે જ રાત ની યાત્રા. અંધારા માં ધક્કા ખાવાના હોય છે. અડધોકલ્પ રાત ની યાત્રા કરી ઉતરતા આવ્યાં છો. હવે આવ્યાં છો દિવસ ની યાત્રા પર. આ યાત્રા એક જ વાર કરો છો. તમે જાણો છો યાદ ની યાત્રા થી આપણે તમોપ્રધાન થી સતોપ્રધાન બની પછી સતોપ્રધાન સતયુગ નાં માલિક બનીએ છીએ. સતોપ્રધાન બનવાથી સતયુગ નાં માલિક, તમોપ્રધાન બનવાથી કળિયુગ નાં માલિક બનો છો. તેને કહેવાય છે સ્વર્ગ, આને કહેવાય છે નર્ક. હવે આપ બાળકો બાપ ને યાદ કરો છો. બાપ પાસે થી સુખ જ મળે છે. જો બીજું કાંઈ બોલી નથી શકતા તે ફક્ત આ યાદ રાખે - શાંતિધામ છે આપણું આત્માઓ નું ઘર, સુખધામ છે સ્વર્ગ ની બાદશાહી અને હમણાં આ છે દુઃખધામ, રાવણરાજ્ય. હવે બાપ કહે છે આ દુઃખધામ ને ભૂલી જાઓ. ભલે અહીં રહો છો પરંતુ બુદ્ધિ માં એ રહે કે આ આંખો થી જે કાંઈ જોઈએ છીએ એ બધું રાવણરાજ્ય છે. આ શરીરો ને જોઈએ છીએ, આ પણ બધી જૂની દુનિયા ની સામગ્રી છે. આ બધી સામગ્રી આ યજ્ઞ માં સ્વાહા થવાની છે. તે પતિત બ્રાહ્મણ લોકો યજ્ઞ રચે છે તો તેમાં જવ-તલ વગેરે સામગ્રી સ્વાહા કરે છે. અહીં તો વિનાશ થવાનો છે. ઊંચા માં ઊંચા છે બાપ, પછી છે બ્રહ્મા અને વિષ્ણુ. શંકર નો એટલો કોઈ પાર્ટ નથી. વિનાશ તો થવાનો જ છે. બાપ તો વિનાશ તેનાંથી કરાવે છે જેનાં પર કોઈ પાપ ન લાગે. જો કહે ભગવાન વિનાશ કરાવે છે તો એમનાં પર દોષ આવી જાય એટલે આ બધી ડ્રામા માં નોંધ છે. આ બેહદ નો ડ્રામા છે, જેને કોઈ જાણતા નથી. રચયિતા અને રચના ને કોઈ નથી જાણતાં. ન જાણવાનાં કારણે નિધન નાં બની ગયા છે. કોઈ ધણી નથી. કોઈ ઘર માં બાપ નથી હોતાં અને પરસ્પર લડે છે તો કહે છે તમારો કોઈ ધણી નથી કે શું? હમણાં તો કરોડો મનુષ્ય છે, એમનું કોઈ ધણીધોણી નથી. દેશ-દેશ માં લડતાં રહે છે. એક જ ઘર માં બાળકો બાપ ની સાથે, પુરુષ સ્ત્રી ની સાથે લડતાં રહે છે. દુઃખધામ માં છે જ અશાંતિ. એવું નહીં કહેવાશે ભગવાન બાપ કોઈ દુઃખ રચે છે. મનુષ્ય સમજે છે દુઃખ-સુખ બાપ જ આપે છે પરંતુ બાપ ક્યારેય દુઃખ આપી ન શકે. એમને કહેવાય જ છે સુખદાતા તો પછી દુઃખ કેવી રીતે આપશે? બાપ તો કહે છે હું તમને ખૂબ સુખી બનાવું છું. એક તો સ્વયં ને આત્મા સમજો. આત્મા છે અવિનાશી, શરીર છે વિનાશી. આપણું આત્માઓ નું રહેવાનું સ્થાન પરમધામ છે, જેને શાંતિધામ પણ કહેવાય છે. આ શબ્દ ઠીક છે. સ્વર્ગ ને પરમધામ નહીં કહેવાશે. પરમ એટલે પરે થી પરે. સ્વર્ગ તો અહીં જ હોય છે. મૂળવતન છે પરે થી પરે, જ્યાં આપણે આત્માઓ રહીએ છીએ. સુખ-દુઃખ નો પાર્ટ તમે અહીં ભજવો છો. આ જે કહે છે ફલાણા સ્વર્ગ પધાર્યાં. આ છે બિલકુલ ખોટું. સ્વર્ગ તો અહીં નથી. હમણાં તો છે કળિયુગ. આ સમયે તમે છો સંગમયુગી, બાકી બધા છે કળિયુગી. એક જ ઘર માં બાપ કળિયુગી તો બાળક સંગમયુગી. સ્ત્રી સંગમયુગી, પુરુષ કળિયુગી… કેટલો ફરક થઈ જાય છે! સ્ત્રી જ્ઞાન લે છે, પુરુષ જ્ઞાન નથી લેતો તો એક-બીજા ને સાથ નથી આપતાં. ઘર માં ખીટ-ખીટ થઈ જાય છે. સ્ત્રી ફૂલ બની જાય છે, તે કાંટા નાં કાંટા રહી જાય. એક જ ઘર માં બાળક જાણે છે અમે સંગમયુગી પુરુષોત્તમ પવિત્ર દેવતા બની રહ્યાં છીએ, પરંતુ બાપ કહે છે શાદી (લગ્ન) બરબાદી કરી નર્કવાસી બનો. હવે રુહાની બાપ કહે છે - બાળકો, પવિત્ર બનો. હમણાં ની પવિત્રતા ૨૧ જન્મ ચાલશે. આ રાવણરાજ્ય જ ખલાસ થઈ જવાનું છે. જેમની સાથે દુશ્મની હોય છે તો તેની એફીજી (પુતળું) બાળે છે ને? જેમ રાવણ ને બાળે છે. તો દુશ્મન થી કેટલી ઘૃણા થવી જોઈએ. પરંતુ આ કોઈને ખબર નથી કે રાવણ કોણ છે? ખૂબ ખર્ચો કરે છે. મનુષ્ય ને બાળવા માટે આટલો ખર્ચો નથી કરતાં. સ્વર્ગ માં તો એવી કોઈ વાત હોતી નથી. ત્યાં તો વીજળી માં રાખ્યું અને ખતમ. ત્યાં આ વિચાર નથી રહેતો કે તેમની માટી કામ માં આવે. ત્યાં નાં તો રીત-રિવાજ એવાં છે જે કોઈ તકલીફ અથવા થાક ની વાત નથી રહેતી. એટલું સુખ રહે છે. તો હવે બાપ સમજાવે છે - મામેકમ્ યાદ કરવાનો પુરુષાર્થ કરો. આ યાદ કરવાનું જ યુદ્ધ છે. બાપ બાળકો ને સમજાવતા રહે છે - મીઠાં બાળકો, પોતાનાં ઉપર અટેન્શન (સાવધાની) નો પહેરો આપતાં (તપાસ કરતા) રહો. માયા ક્યાંક નાક-કાન કાપી ન જાય કારણકે દુશ્મન છે ને? તમે બાપ ને યાદ કરો છો અને માયા તોફાન માં ઉડાવી દે છે એટલે બાબા કહે છે દરેકે આખા દિવસ નો ચાર્ટ લખવો જોઈએ કે કેટલાં બાપ ને યાદ કર્યાં? ક્યાં મન ભાગ્યું? ડાયરી માં નોંધ કરો, કેટલો સમય બાપ ને યાદ કર્યાં? પોતાની તપાસ કરવી જોઈએ તો માયા પણ જોશે આ તો સારા બહાદુર છે, પોતાનાં પર સારું અટેન્શન રાખે છે. પૂરો પહેરો રાખવાનો છે. હમણાં આપ બાળકો ને બાપ આવીને પરિચય આપે છે. કહે છે ભલે ઘરબાર સંભાળો ફક્ત બાપ ને યાદ કરો. આ કોઈ તે સંન્યાસીઓ ની જેમ નથી. તેઓ ભીખ પર ચાલે છે તો પણ કર્મ તો કરવા પડે છે ને? તમે તેમને પણ કહી શકો છો કે તમે હઠયોગી છો, રાજયોગ શિખવાડવા વાળા એક જ ભગવાન છે. હમણાં આપ બાળકો સંગમ પર છો. આ સંગમયુગ ને જ યાદ કરવો પડે. આપણે હમણાં સંગમયુગ પર સર્વોત્તમ દેવતા બનીએ છીએ. આપણે ઉત્તમ પુરુષ અર્થાત્ પૂજ્ય દેવતા હતાં, હવે કનિષ્ટ બની ગયા છીએ. કોઈ કામ નાં નથી રહ્યાં. હવે આપણે શું બનીએ છીએ? મનુષ્ય જે સમયે બેરિસ્ટરી વગેરે ભણે છે, તે સમયે પદ નથી મળતું. પરીક્ષા પાસ કરી, પદ ની ટોપી મળી. જઈને ગવર્મેન્ટ ની સર્વિસ માં લાગશે. હમણાં તમે જાણો છો આપણને ઊંચા માં ઊંચા ભગવાન ભણાવે છે તો જરુર ઊંચા માં ઊંચું પદ પણ આપશે. આ મુખ્ય-ઉદ્દેશ છે. હવે બાપ કહે છે મામેકમ્ યાદ કરો, હું જે છું, જેવો છું, તે સમજાવી દીધું છે. આત્માઓ નો બાપ હું બિંદુ છું, મારા માં બધું જ્ઞાન છે, તમને પણ પહેલાં આ જ્ઞાન થોડી હતું કે આત્મા બિંદુ છે? એમાં આખો ૮૪ જન્મો નો પાર્ટ અવિનાશી નોંધાયેલો છે. ક્રાઈસ્ટ પાર્ટ ભજવીને ગયા છે, પછી જરુર આવશે તો ખરા ને? ક્રાઈસ્ટ નાં હવે બધા જશે. ક્રાઈસ્ટ નો આત્મા પણ હમણાં તમોપ્રધાન હશે. જે પણ ઊંચા માં ઊંચા ધર્મસ્થાપક છે, તે હમણાં તમોપ્રધાન છે. આ પણ કહે છે હું અનેક જન્મો નાં અંત માં તમોપ્રધાન બન્યો, હવે ફરી સતોપ્રધાન બનું છું. તત્ત ત્વમ્.

તમે જાણો છો - આપણે હમણાં બ્રાહ્મણ બન્યાં છીએ દેવતા બનવા માટે. વિરાટ રુપ નાં ચિત્ર નો અર્થ કોઈ નથી જાણતું. હમણાં આપ બાળકો જાણો છો આત્મા સ્વીટહોમ (શાંતિધામ) માં રહે છે તો પવિત્ર છે. અહીં આવવાથી પતિત બન્યો છે. ત્યારે કહે છે - હે પતિત-પાવન, આવીને અમને પવિત્ર બનાવો તો અમે પોતાનાં ઘરે મુક્તિધામ માં જઈએ. આ પણ પોઈન્ટ (વાત) ધારણ કરવા માટે છે. મનુષ્ય નથી જાણતા મુક્તિ-જીવનમુક્તિ ધામ કોને કહેવાય છે? મુક્તિધામ ને શાંતિધામ કહેવાય છે. જીવનમુક્તિધામ ને સુખધામ કહેવાય છે. અહીં છે દુઃખ નાં બંધન. જીવન મુક્તિ ને સુખ નાં સંબંધ કહેવાશે. હવે દુઃખ નાં બંધન દૂર થઈ જશે. આપણે પુરુષાર્થ કરીએ છીએ ઊંચું પદ મેળવવા માટે. તો આ નશો હોવો જોઈએ. આપણે હમણાં શ્રીમત પર પોતાનું રાજ્ય-ભાગ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. જગત અંબા નંબરવન માં જાય છે. અમે પણ તેને ફોલો (અનુકરણ) કરીશું. જે બાળકો હમણાં માતા-પિતા નાં દિલ પર ચઢે છે તે જ ભવિષ્ય માં તખ્તનશીન બનશે. દિલ પર તે ચઢે જે દિવસ-રાત સર્વિસ (સેવા) માં વ્યસ્ત રહે છે. બધા ને પૈગામ (સંદેશ) આપવાનો છે કે બાપ ને યાદ કરો. પૈસા-કોડી કાંઈ પણ લેવાનું નથી. તેઓ સમજે છે આ રાખડી બાંધવા આવે છે, કાંઈ આપવું પડશે. બોલો, અમને બીજું કાંઈ જોઈતું નથી ફક્ત ૫ વિકારો નું દાન આપો. આ દાન લેવા માટે અમે આવ્યાં છીએ એટલે પવિત્રતા ની રાખડી બાંધીએ છીએ. બાપ ને યાદ કરો, પવિત્ર બનો તો આ (દેવતા) બનશો. બાકી અમે પૈસા કાંઈ પણ નથી લઈ શકતાં. અમે તે બ્રાહ્મણ નથી. ફક્ત ૫ વિકારો નું દાન આપો તો ગ્રહણ છૂટે. હમણાં કોઈ કળા નથી રહી. બધા પર ગ્રહણ લાગેલું છે. તમે બ્રાહ્મણ છો ને? જ્યાં પણ જાઓ-બોલો, દે દાન તો છૂટે ગ્રહણ. પવિત્ર બનો. વિકાર માં ક્યારેય નહીં જતાં. બાપ ને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે અને તમે ફૂલ બની જશો. તમે જ ફૂલ હતાં પછી કાંટા બન્યાં છો. ૮૪ જન્મ લેતાં-લેતાં ઉતરતાં જ આવ્યાં છો. હવે પાછા જવાનું છે. બાપે ડાયરેક્શન આપ્યું છે આમનાં દ્વારા. એ છે ઊંચા માં ઊંચા ભગવાન. એમને શરીર નથી. અચ્છા, બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને શરીર છે? તમે કહેશો - હા, સૂક્ષ્મ શરીર છે. પરંતુ તે મનુષ્ય ની સૃષ્ટિ તો નથી. રમત બધી અહીં છે. સૂક્ષ્મવતન માં નાટક કેવી રીતે ચાલશે? તેમ મૂળવતન માં પણ સૂર્ય-ચંદ્ર જ નથી તો નાટક પણ શેનું હશે! આ બહુ જ મોટો માંડવો છે. પુનર્જન્મ પણ અહીં થાય છે. સૂક્ષ્મવતન માં નથી થતાં. હમણાં તમારી બુદ્ધિ માં આખો બેહદ નો ખેલ છે. હમણાં ખબર પડી છે - આપણે જે દેવી-દેવતા હતાં તે પછી કેવી રીતે વામ માર્ગ માં આવીએ છીએ. વામ માર્ગ વિકારી માર્ગ ને કહેવાય છે. અડધોકલ્પ આપણે પવિત્ર હતાં, આપણી જ હાર અને જીત ની રમત છે. ભારત અવિનાશી ખંડ છે. આ ક્યારેય વિનાશ થતો નથી. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો તો બીજો કોઈ ધર્મ નહોતો. તમારી આ વાતો ને માનશે તે જેમણે કલ્પ પહેલાં માન્યું હશે. ૫ હજાર વર્ષ થી જૂની ચીજ કોઈ હોતી નથી. સતયુગ માં પછી તમે પહેલાં જઈને પોતાનાં મહેલ બનાવશો. એવું નથી કે સોના ની-દ્વારિકા કોઈ સમુદ્ર ની નીચે છે તે નીકળી આવશે. દેખાડે છે સાગર થી દેવતાઓ રત્નો ની થાળીઓ ભરીને આપતા હતાં. હકીકત માં જ્ઞાનસાગર બાપ છે જે આપ બાળકો ને જ્ઞાન-રત્નો ની થાળીઓ ભરીને આપી રહ્યાં છે. દેખાડે છે શંકરે પાર્વતી ને કથા સંભળાવી. જ્ઞાન-રત્નો થી ઝોલી ભરી. શંકર માટે કહે છે - ભાંગ-ધતુરો પીતાં હતાં, પછી તેમની આગળ જઈને કહે છે ઝોલી ભરી દો, અમને ધન આપો. તો જુઓ, શંકર ની પણ ગ્લાનિ કરી દીધી છે. સૌથી વધારે ગ્લાનિ કરી દીધી છે મારી. આ પણ ખેલ છે જે ફરી પણ થશે. આ નાટક ને કોઈ જાણતું નથી. હું આવીને આદિ થી અંત સુધી બધા રહસ્ય સમજાવું છું. આ પણ જાણો છો ઊંચા માં ઊંચા બાપ છે. વિષ્ણુ સો બ્રહ્મા, બ્રહ્મા સો વિષ્ણુ કેવી રીતે બને છે - આ કોઈ સમજી ન શકે.

હમણાં આપ બાળકો પુરુષાર્થ કરો છો કે અમે વિષ્ણુ કુળ નાં બનીએ. વિષ્ણુપુરી નાં માલિક બનવા માટે તમે બ્રાહ્મણ બન્યાં છો. તમારા દિલ માં છે - અમે બ્રાહ્મણ પોતાનાં માટે સૂર્યવંશી-ચંદ્રવંશી રાજધાની સ્થાપન કરી રહ્યાં છીએ શ્રીમત પર. આમાં લડાઈ વગેરે ની કોઈ વાત નથી. દેવતાઓ અને અસુરો ની લડાઈ ક્યારેય થતી નથી. દેવતાઓ છે સતયુગ માં. ત્યાં લડાઈ કેવી રીતે થશે? હમણાં આપ બ્રાહ્મણ યોગબળ થી વિશ્વ નાં માલિક બનો છો. બાહુબળ વાળા વિનાશ ને પ્રાપ્ત થઈ જશે. તમે સાઈલેન્સ (શાંતિ) બળ થી સાયન્સ (વિજ્ઞાન) પર વિજય મેળવો છો. હવે તમારે આત્મ-અભિમાની બનવાનું છે. આપણે આત્મા છીએ, આપણે જવાનું છે આપણા ઘરે. આત્માઓ તીવ્ર છે. હવે એરોપ્લેન (વિમાન) એવાં કાઢ્યાં છે જે એક કલાક માં ક્યાંથી ક્યાં ચાલ્યાં જાય છે. હવે આત્મા તેનાંથી પણ તીખો (તીવ્ર) છે. ચપટી માં આત્મા ક્યાંથી ક્યાં જઈને જન્મ લે છે. કોઈ વિલાયત માં પણ જઈને જન્મ લે છે. આત્મા સૌથી તીખું રોકેટ છે. આમાં યંત્ર વગેરે ની કોઈ વાત નથી. શરીર છોડ્યું અને આ ભાગ્યો. હમણાં આપ બાળકો ની બુદ્ધિ માં છે આપણે ઘરે જવાનું છે, પતિત આત્મા તો જઈ ન શકે. તમે પાવન બનીને જ જશો બાકી તો બધા સજાઓ ખાઈને જશે. સજાઓ તો ખૂબ મળે છે. ત્યાં તો ગર્ભ મહેલ માં આરામ થી રહે છે. બાળકોએ સાક્ષાત્કાર કર્યા છે. કૃષ્ણ નો જન્મ કેવી રીતે થાય છે? કોઈ વિકાર ની વાત નથી. એકદમ જાણે પ્રકાશ થઈ જાય છે. હમણાં તમે વૈકુંઠ નાં માલિક બનો છો તો એવો પુરુષાર્થ કરવો જોઈએ. શુદ્ધ પવિત્ર ખાવા-પીવાનું હોવું જોઈએ. દાળ-ભાત સૌથી સરસ છે. ઋષિકેશ માં સંન્યાસી એક બારી માંથી લઈને ચાલ્યાં જાય, હા, કોઈ કેવાં, કોઈ કેવાં હોય છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. પોતાનાં ઉપર અટેન્શન નો પૂરે-પૂરો પહેરો આપવાનો છે. માયા થી પોતાની સંભાળ કરવાની છે. યાદ નો સાચ્ચો-સાચ્ચો ચાર્ટ રાખવાનો છે.

2. માતા-પિતા ને ફાલો કરી દિલતખ્તનશીન બનવાનું છે. દિવસ-રાત સર્વિસ પર તત્પર રહેવાનું છે. સર્વ ને પૈગામ (સંદેશ) આપવાનો છે કે બાપ ને યાદ કરો. ૫ વિકારો નું દાન આપો તો ગ્રહણ છૂટે.

વરદાન :-
સેન્સ અને ઈસેન્સ નાં બેલેન્સ દ્વારા પોતાપણા ને સ્વાહા કરવા વાળા વિશ્વ પરિવર્તક ભવ

સેન્સ અર્થાત્ જ્ઞાન નાં પોઈન્ટસ, સમજ અને ઈસેન્સ અર્થાત્ સર્વ શક્તિ સ્વરુપ સ્મૃતિ અને સમર્થ સ્વરુપ. આ બંને નું બેલેન્સ હોય તો પોતાપણું અથવા જૂનાંપણું સ્વાહા થઈ જશે. દરેક સેકન્ડ, દરેક સંકલ્પ, દરેક બોલ અને દરેક કર્મ વિશ્વ પરિવર્તન ની સેવા પ્રત્યે સ્વાહા થવાથી વિશ્વ પરિવર્તક સ્વતઃ બની જશો. જે પોતાનાં દેહ ની સ્મૃતિ સહિત સ્વાહા થઈ જાય છે એમનાં શ્રેષ્ઠ વાયબ્રેશન દ્વારા વાયુમંડળ નું પરિવર્તન સહજ થાય છે.

સ્લોગન :-
પ્રાપ્તિઓ ને યાદ કરો તો દુઃખ તથા પરેશાની ની વાતો ભૂલી જશો.

અવ્યક્ત ઇશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

શ્રેષ્ઠ કર્મો નું ફાઉન્ડેશન છે “પવિત્રતા”. પરંતુ પવિત્રતા ફક્ત બ્રહ્મચર્ય નથી. આ પણ શ્રેષ્ઠ છે પરંતુ મન્સા સંકલ્પ માં પણ જો કોઈ આત્મા નાં પ્રત્યે વિશેષ લગાવ અથવા ઝુકાવ થઈ ગયો, કોઈ આત્મા ની વિશેષતા પર પ્રભાવિત થઈ ગયા અથવા એમનાં પ્રત્યે નેગેટિવ સંકલ્પ ચાલ્યાં, એવાં બોલ અથવા શબ્દ નીકળ્યાં જે મર્યાદાપૂર્વક નથી તો એને પણ પવિત્રતા નહીં કહેવાશે.