22-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી       ઓમ શાંતિ  15.12.2005    બાપદાદા મધુબન


“ હવે સ્નેહ અને સહયોગ ની રુપરેખા સ્ટેજ પર લાવો , દરેક ને ગુણ અને શક્તિઓ ની ગિફ્ટ આપો”


આજે પરમાત્મા બાપ પોતાનાં ચારેય તરફ નાં પરમાત્મ-પ્રેમ નાં અધિકારી બાળકો ને જોઈ રહ્યાં છે. આ પરમાત્મ-પ્રેમ વિશ્વ માં કોટો માંથી કોઈ ને પ્રાપ્ત થાય છે. આ પરમાત્મ-પ્રેમ નિ:સ્વાર્થ પ્રેમ છે કારણકે એક પરમાત્મા પિતા જ નિરાકાર, નિરહંકારી છે. મનુષ્ય આત્મા શરીરધારી હોવાને કારણે કોઈ ને કોઈ સ્વાર્થ માં આવી જ જાય છે. પરમાત્મા બાપ જ પોતાનાં બાળકો ને એવો નિસ્વાર્થ પ્રેમ આપે છે. પરમાત્મ-પ્રેમ બ્રાહ્મણ જીવન નો વિશેષ આધાર છે. બ્રાહ્મણ જીવન નું જીયદાન છે. જો બ્રાહ્મણ જીવન માં પરમાત્મ-પ્રેમ નો અનુભવ ઓછો છે, તો પ્રેમ વગર જીવન રમણીક નથી, સુકું જીવન બની જાય છે. પરમાત્મ-પ્રેમ જ જીવન માં સદા સાથ પણ આપે છે અને સાથી બની સદા સહયોગી રહે છે. જ્યાં પ્રેમ છે, સાથ છે ત્યાં બધું જ ખૂબ સહજ અને સરળ થઈ જાય છે. મહેનત નો અનુભવ નથી થતો. એવો અનુભવ છે ને? પરમાત્મ-પ્રેમી કોઈ પણ વ્યક્તિ અથવા સાધનો નાં આકર્ષણ માં નથી આવી શકતા કારણકે પરમાત્મ-આકર્ષણ, પરમાત્મ-પ્રેમ એવો અનુભવ કરાવે છે જે સદા પ્રેમ નાં કારણે લવલીન રહે છે, જેમને લોકોએ પરમાત્મા માં લીન થવાનું સમજી લીધું છે. પરમાત્મા માં લીન નથી થતા પરંતુ પરમાત્મ-પ્રેમ માં લવલીન થઈ જાય છે.

બાપદાદા ચારેય તરફ નાં બાળકોને જુએ છે- પરમાત્મ-પ્રેમી બધા બન્યાં છે પરંતુ એક છે લવલી બાળકો, બીજા છે લવલીન બાળકો. તો પોતાને પૂછો લવલી તો બધા છે, પરંતુ લવલીન ક્યાં સુધી રહો છો? લવલીન બાળકો ની નિશાની છે તે સદા પરમાત્મ-ફરમાન માં સહજ ચાલે છે. ફરમાન માં પણ રહે છે અને દેહભાન થી કુરબાન પણ રહે છે કારણકે પ્રેમ માં કુરબાન થવું મુશ્કેલ નથી. સૌથી પહેલું ફરમાન છે - યોગી ભવ, પવિત્ર ભવ. બાપ નો બાળકો સાથે પ્રેમ હોવાને કારણે બાપ બાળકો ને મહેનત કરતા જોઈ નથી શકતા કારણકે બાપ જાણે છે ૬૩ જન્મ ખૂબ મહેનત કરી, હવે આ અલૌકિક જન્મ મહેનત થી મુક્ત બની અતિન્દ્રિય સુખ ની મોજ મનાવવાનો છે. તો મોજ મનાવી રહ્યાં છો કે મહેનત કરવી પડે છે? પ્રેમ માં ફરમાન પર ચાલવાની મહેનત નથી લાગતી. જો મહેનત કરવી પડે છે તો પ્રેમ ની ટકાવારી ઓછી છે. ક્યાંક ને ક્યાંક પ્રેમ માં કાંઈક ને કાંઈક લીકેજ છે. બે વાતો ની લીકેજ મહેનત કરાવે છે - એક જૂનાં સંસાર નું આકર્ષણ, સંસાર માં સંબંધ, પદાર્થ બધું આવી જાય છે. અને બીજું - જૂનાં સંસ્કાર નું આકર્ષણ. આ જૂનો સંસાર અને જૂનાં સંસ્કાર પોતાની તરફ આકર્ષિત કરી દે છે તો પરમાત્મ-પ્રેમ માં ટકાવારી થઈ જાય છે. ચેક કરો - આ બંને માં લીકેજ થી મુક્ત છો? યાદ કરો આપ આત્મા નાં અનાદિ સંસ્કાર અને આદિ સંસ્કાર શું હતાં અને હમણાં અંત નાં બ્રાહ્મણ જીવન નાં સંસ્કાર શું છે? અનાદિ પણ છે, આદિ પણ છે અને અંત માં પણ શ્રેષ્ઠ સંસ્કાર છે. આ જૂનાં સંસ્કાર મધ્ય નાં છે, નથી અનાદિ, નથી આદિ, નથી અંત નાં. પરંતુ બધાનું લક્ષ શું છે? કોઈ પણ બાળકો ને પૂછો તો એક જ ઉત્તર આપે છે - લક્ષ છે બાપ સમાન બનવાનું. આ જ છે ને? છે તો હાથ ઉઠાવો. આ જ લક્ષ છે પાક્કું? કે વચ્ચે-વચ્ચે બદલાઈ જાય છે?

તો બાપ બાળકો ને પૂછે છે કે બાપ અને દાદા બંને નાં સમાન સંસ્કાર કયા છે? સદા બાપ દરેક આત્મા પ્રત્યે ઉદારચિત્ત રહે છે. દરેક આત્મા પ્રત્યે સ્નેહ અને સન્માન સ્વરુપ માં સહયોગી રહે છે. એમ સ્વયં પણ પોતાને દરેક આત્મા પ્રત્યે સહયોગી અનુભવ કરો છો? સહયોગ આપે તો સહયોગી બનો, ના. સ્નેહ આપે તો સ્નેહી બને, ના. જેમ બ્રહ્મા બાપ દરેક બાળકો પ્રત્યે સહયોગી બન્યાં, સ્નેહી બન્યાં, એમ સર્વ નાં સદા સ્નેહી અને સહયોગી, આને કહેવાય છે સમાન બનવું. જો કોઈ પણ બાળકો ને સંસ્કાર પરિવર્તન કરવામાં મહેનત કરવી પડે છે તો એનું કારણ શું છે? બ્રહ્મા બાપે પોતાની ઉપર અટેન્શન રાખ્યું પરંતુ મહેનત નથી કરી. સંસ્કાર પરિવર્તન માં મહેનત નું કારણ છે - લવલી બન્યાં છે , લવલીન નથી બન્યાં .

બાપદાદા તો દરેક બાળક ને લવલી બાળક સમજે છે, જાણે પણ છે, જન્મપત્રી દરેક ની જાણે છે તો પણ શું કહેશે? લવલી છે. બાપદાદા દરેક બાળક ને એક જ ભણતર, એક જ પાલના, એક જ વરદાન સદા આપે છે. ભલે જાણે પણ છે કે આ લાસ્ટ નંબર છે તો પણ બાપદાદા કોઈ પણ બાળકો નાં અવગુણ, કમજોરી સંકલ્પ માં પણ નથી રાખતાં. લાડલા છે, સિકિલધા છે, મીઠાં-મીઠાં છે… આ જ દૃષ્ટિ અને વૃત્તિ થી જોતા કારણકે બાપદાદા જાણે છે આ જ વૃત્તિ અને શ્રેષ્ઠ દૃષ્ટિ થી કમજોર મહાવીર બની જશે. એમ જ પોતાની શ્રેષ્ઠ વૃત્તિ અને શુભ ભાવના, શુભ કામના દ્વારા કોઈનું પણ પરિવર્તન કરી શકો છો. જ્યારે તમે ચેલેન્જ કરી છે કે પ્રકૃતિ ને પણ પરિવર્તન કરીને દેખાડીશું તો શું આત્માઓ નું પરિવર્તન નથી કરી શકતાં? પ્રકૃતિજીત બનો છો તો આત્મા-આત્મા ની શ્રેષ્ઠ ભાવના થી, કલ્યાણ ની કામના થી પરિવર્તન નથી કરી શકતાં!

હવે નવું વર્ષ શરુ થવાનું છે ને - તો નવાં વર્ષ માં સર્વ બેહદ નાં બ્રાહ્મણ પરિવાર ની વચ્ચે એક-બીજા ની પ્રત્યે પોતાની શુભ ભાવના, શ્રેષ્ઠ કામના દ્વારા દરેક એક-બીજા ને પરિવર્તન કરવામાં સહયોગી બનો, ભલે કમજોર છે, જાણો છો આનાં સંસ્કાર માં આ કમજોરી છે પરંતુ તમે સ્નેહ અને સહયોગ ની શક્તિ દ્વારા સહયોગી બનો. એક-બીજા સાથે સહયોગ નો હાથ મળાવો. આ સહયોગ નાં હાથ મળાવવા નું દૃશ્ય એવું બની જશે જેવી રીતે હાથ માં હાથ સ્નેહ નો મળવો, સહયોગ નું મળવું, માળા બની જાય. શિક્ષા ન આપો, સ્નેહ ભર્યો સહયોગ આપો. ન્યારા ન બનો, કિનારો ન કરો, સહારો બનો કારણકે તમારી યાદગાર વિજય માળા છે. દરેક મણકા, મણકા નાં સાથી-સહયોગી છે ત્યારે માળા નું ચિત્ર બન્યું છે.

તો બધા બાપદાદા ને પૂછે છે નવાં વર્ષ માં શું કરવાનું છે? સંદેશ આપવા નું કાર્ય તો ખૂબ કર્યુ, કરી રહ્યાં છે, કરતા રહેશો. હવે સંદેશ-વાહકો નાં સહયોગ અને સ્નેહ ની રુપરેખા સ્ટેજ પર લાવો. મહાદાની બનો, પોતાનાં ગુણો નાં સહયોગી બનો, બનાવો. એવી રીતે પોતાનાં ગુણો નાં, છે તો પરમાત્મ-ગુણ પરંતુ જે ગુણ તમે તમારા માં બનાવ્યાં છે, એ ગુણ ની શક્તિ થી એમની કમજોરી દૂર કરો. આ કરી શકો છો? કરી શકો છો કે મુશ્કેલ છે? ટીચર્સ, બતાવો, કરી શકો છો? કરી શકો છો કે કરવાનું જ છે? કરવાનું જ છે. કોઈ કમજોર ન રહે, કારણકે કોટો માં કોઈ છો ને? ભલે લાસ્ટ દાણો પણ છે, છે તો કોટો માં કોઈ. તમારું ટાઈટલ જ છે - માસ્ટર સર્વ શક્તિવાન્. તો સર્વશક્તિવાન્ નું કર્તવ્ય શું છે? શક્તિ ની લેન-દેન કરવી. બાપ દ્વારા મળેલા ગુણ પરસ્પર લેન-દેન કરો. આ જ સહયોગ ની ગિફ્ટ એક-બીજા ને આપો. નવાં વર્ષ માં એક-બીજા ને ગિફ્ટ આપો છો ને? તો આ વર્ષ માં એક-બીજા માં ગુણો ની ગિફ્ટ આપો. જો કલ્યાણ ની ભાવના રાખશો તો જેવી રીતે ભાષણ કરીને વાણી દ્વારા સંદેશ આપો છો ને, તેવી રીતે પોતાનાં કલ્યાણ ની ભાવના દ્વારા, કલ્યાણ ની વૃત્તિ દ્વારા, કલ્યાણ નાં વાયુમંડળ દ્વારા આ ગુણો ની ગિફ્ટ આપો, શક્તિઓ ની ગિફ્ટ આપો. કમજોર ને સહયોગ આપવો, આ સમય પર ગિફ્ટ આપવી છે, નીચે પડેલાઓ ને પાડો નહીં, ચઢાવો, ઊંચા ચઢાવો. આ એવાં છે, આ એવાં છે… ના. આ પ્રભુ-પ્રેમ નાં પાત્ર છે, કોટો માં કોઈ આત્મા છે, વિશેષ આત્મા છે, વિજયી બનવા વાળો આત્મા છે, આ દૃષ્ટિ રાખો. હવે વૃત્તિ, દૃષ્ટિ, વાયુમંડળ ચેન્જ કરો. કાંઈક નવીનતા કરવી જોઈએ ને? કમજોરી જોતા, જુઓ નહીં, ઉમંગ આપો, સહયોગ આપો. એવું બ્રાહ્મણ સંગઠન તૈયાર કરો તો બાપદાદા વિજય ની તાળી વગાડશે. તમે પણ વારંવાર તાળીઓ વગાડો છો ને, બાપદાદા પણ મુબારક છે, વધાઈ છે, ગ્રીટીંગ્સ છે, એની તાળીઓ વગાડશે. તમે પણ સાથે તાળીઓ વગાડશો ને? હમણાં તાળી વગાડી તો સારું કર્યુ પરંતુ વિશ્વ ની આગળ તાળી વાગે. બધા નાં મુખે થી આ અવાજ નીકળે, અમારા ઈષ્ટ આવી ગયાં. અમારા પૂજ્ય આવી ગયાં. લક્ષ પાક્કું છે ને? પાક્કું છે લક્ષ, કરવાનું જ છે? કે જોઈશું, પ્લાન બનાવીશું! કરવાનું જ છે, પ્લાન શું, કરવાનું જ છે. હવે બધા ઇન્તઝાર (પ્રતિક્ષા) કરી રહ્યાં છે, હવે એમનો ઇન્તઝાર સમાપ્ત કરો. પ્રત્યક્ષ થવાનો ઇન્તઝામ (પ્રબંધ) કરો. જુઓ, પ્રકૃતિ પણ હવે કેટલી તંગ થઈ રહી છે? તો પ્રકૃતિ ને પણ શાંત બનાવી દો. તમે પ્રત્યક્ષ થઈ જશો તો વિશ્વ શાંતિ સ્વત: થઈ જશે. અચ્છા.

આજકાલ વિશ્વ માં બે વાતો વિશેષ ચાલે છે - એક એક્સરસાઇઝ અને બીજું ભોજન ની ઉપર અટેન્શન. તો તમે પણ આ બંને વાતો કરો છો? તમારી એક્સરસાઇઝ કઈ છે? શારીરિક એક્સરસાઇઝ તો બધા કરે છે પરંતુ મન ની એક્સરસાઇઝ હમણાં-હમણાં બ્રાહ્મણ, બ્રાહ્મણ સો ફરિશ્તા અને ફરિશ્તા સો દેવતા. આ મન્સા ડ્રિલ નો અભ્યાસ સદા કરતા રહો. અને શુદ્ધ ભોજન, મન નાં શુદ્ધ સંકલ્પ. જો વ્યર્થ સંકલ્પ, નેગેટિવ સંકલ્પ ચાલે છે તો આ મન નું અશુદ્ધ ભોજન છે. તો મન માં સદા શુદ્ધ સંકલ્પ રહે, બંને કરતા આવડે છે ને? જેટલો સમય ઈચ્છો એટલો સમય શુદ્ધ સંકલ્પ સ્વરુપ બની જાઓ. અચ્છા.

ચારેય તરફ નાં પરમાત્મ-પ્રેમ નાં અધિકારી વિશેષ આત્માઓ ને, સદા એક-બીજા નાં સહયોગી બનવા વાળા બાપ નાં સ્નેહી અને સહયોગી આત્માઓ ને, સદા વિજયી છે અને વિજય નો ઝંડો વિશ્વ માં ફેલાવવાનો છે, આ લક્ષ ને પ્રેક્ટિકલ માં લાવવા વાળા વિજયી બાળકો ને, સદા આ જૂનાં સંસાર અને સંસ્કાર નાં આકર્ષણ થી પરે રહેવા વાળા બાપ સમાન બાળકો ને દિલારામ બાપ નાં દિલ થી યાદ-પ્યાર અને નમસ્તે.

દાદીજી સાથે - બહુ જ સારો પાર્ટ ભજવી રહ્યાં છો. તમને જોઈને બધાને ફરિશ્તા લાઈફ યાદ આવે છે. ન્યારા અને પ્યારા.

ગુજરાત ની મુખ્ય ૧૩ બહેનો સાથે - સારા-સારા મહાવીર છે. મહાવીરો નું કામ છે વિજયી બની વિજયી બનાવવાં. તો બધા સારી સેવા કરી રહ્યાં છે અને આગળ પણ સેવા થતી રહેશે. બાપદાદા બાળકો નાં ઉમંગ-ઉત્સાહ ને જોઈ ખુશ થાય છે. અચ્છા, ગુજરાત માં ફેલાવી રહ્યાં છો વધારે આગળ ફેલાવતા રહેશો. બાપદાદા ને બધા બાળકો આશાઓ નાં દીપક લાગી રહ્યાં છે. સારું છે. સંગઠન પણ સારું છે. એક-એક ની વિશેષતા છે. અચ્છા. ખુશ, ખુશી વહેંચવા વાળા. (સરલા દીદી પૂછી રહ્યાં છે, દાદી એ માળા માં કોને રાખ્યાં છે) તમે શું સમજો છો? અમે તો હોઈશું જ ને, એમ સમજો છો? થોડો ઘણો એક-બીજા ને સહયોગ આપો અને જે કાંઈ પણ રહેલું છે, તે ખતમ થઈ જશે. બધા બાપ સમાન બનવાના જ છે. (નવીનતા શું કરીએ?) સંભળાવ્યું ને - એક-એક સેન્ટર ઓછા માં ઓછા એક વારિસ તો તૈયાર કરે. તો આ વર્ષે તે લઈને આવજો, ૨૧ વારિસ તો લઈને આવજો. આ શરુ કરો. પહેલો નંબર આવો. બધા હા કરી રહ્યાં છે. વારિસ ની ક્વોલિફિકેશન જાણો છો ને? આ બધા બાબા નાં જ બનાવશો ને? પોતાનાં તો બનાવશો નહીં. અચ્છા. ઓમ્ શાંતિ.

ગુજરાત ની જ સેવા છે , ગુજરાત વાળા જ મિલન મનાવવા આવ્યાં છે :- ગુજરાત વાળા જે પણ છે, ભલે આવ્યાં છે, ભલે સેવા માં આવ્યાં છે, તે હાથ ઉઠાવો. ખૂબ છે, બહુ જ સરસ. સારો ચાન્સ લીધો છે. ગુજરાત ને બાપદાદા કહે છે, સિંધી માં કહેવત છે જે ચુલ પર તે દિલ પર. તો સૌથી નજીક માં નજીક ગુજરાત છે. જે નજીક હોય છે ને, એને કહેવાય છે શડપંદ પર (બિલકુલ નજીક) છે, બોલાવો અને પહોંચી જાય. તો ગુજરાત વાળા એવાં એવરરેડી છે ને - ક્યારેય પણ બોલાવે આવી જાઓ, તો આવી જશો? એવું છે? પરિવાર ને નહીં જોશો, શું કરશો, આવી જશો? એવરરેડી છે. સારું છે, ગુજરાત સાકાર બ્રહ્મા ની પ્રેરણા થી સ્થાપન થયું છે. ગુજરાતે ગુજરાત ને નિમંત્રણ નથી આપ્યું, બ્રહ્મા બાપે ગુજરાત ને ખોલ્યું છે. તો ગુજરાત ની ઉપર વિશેષ બ્રહ્મા બાપ ની નજર પડેલી છે. અને ગુજરાતે પુરુષાર્થ પણ કર્યો છે, સેન્ટર સારા ખોલ્યાં છે. કેટલાં સેન્ટર છે? (૩૦૦ સેવાકેન્દ્ર, ઉપ સેવાકેન્દ્ર છે અને ત્રણ હજાર ગીતા પાઠશાળાઓ છે). અચ્છા, સૌથી વધારે સેન્ટર કયા ઝોન નાં છે? (મુંબઈ-મહારાષ્ટ્ર નાં અચ્છા - મહારાષ્ટ્ર વાળા આવ્યાં છે? (આજે નથી આવ્યાં)) ગુજરાત વાળા સેવા તો સારી કરી રહ્યાં છે, ગુજરાત નો વિસ્તાર પણ સારો છે. હવે શું કરવાનું છે? વિસ્તાર તો છે, વિસ્તાર તો સારો કર્યો છે, હવે ગુજરાત વાળા નંબરવન વારિસ તૈયાર કરે. ઓછા માં ઓછા જે મોટા સેવાકેન્દ્ર છે, જે જૂનાં વારિસ છે, તે તો છે જ પરંતુ નવાં કોઈ વારિસ કાઢો (બનાવો). ચલો, એક એક તો બનાવો, કારણકે માળા નાં મણકા તે જ બનશે જે વારિસ ક્વોલિટી હશે. તો માળા તો તૈયાર કરવાની છે ને? ૧૬૧૦૮ ની પણ માળા બનેલી છે. હમણાં જો બાપદાદા બોલે ૧૦૮ ની માળા બનાવો, તો બનાવી શકો છો? બની શકે છે? દાદીઓ બતાવે, ૧૦૮ ની માળા બની શકે છે? (દાદીજીએ કહ્યું બની શકે છે) તૈયાર છે? ૧૦૮ ની માળા તૈયાર થઈ ગઈ છે?(હા બાબા, તૈયાર છે) સારું લખીને દેખાડજો. તૈયાર છે તો બહુ જ સારું, મુબારક છે. અચ્છા ૧૬ હજાર ની માળા, અડધી સુધી બની છે? (અડધી તો શું એનાંથી પણ વધારે બની છે) સારું છે ને. જુઓ, ગુપ્ત રુપ માં બનેલી છે અને તમારા દાદીએ જોઈ લીધી છે. સારું છે. હવે તમને બધા પૂછશે કે મારું માળા માં નામ છે? સારું છે. એવી શુભ ભાવના, શુભ આશાઓ તૈયાર જ કરી લે છે. હમણાં બધાએ સાંભળ્યું ને? પોતાને ચેક કરજો હું એ માળા માં એવર રેડી છું? સારું, બીજું શું કરવાનું છે?

કેડ ગ્રુપ - ( હાર્ટ પેશન્ટ નું ) આવ્યું છે :- સારું છે, આ પણ અવાજ ફેલાવવા નું સાધન ખૂબ સારું છે કારણકે પ્રેક્ટિકલ સબૂત (પ્રમાણ) જુએ છે ને અને ખર્ચા વગર મેડીટેશન દ્વારા ઠીક થઈ જવું, તો બધાને બહુ જ ગમે છે. હવે ધીરે-ધીરે એની વૃદ્ધિ કરતા જાઓ. સાંભળ્યું છે કે કરી રહ્યાં છે અને સફળતા પણ મળી રહી છે અને વધારે પણ મળતી રહેશે બાકી બાપદાદા આ કાર્ય માટે નિમિત્ત બનવા વાળા ને મુબારક આપી રહ્યાં છે. ઓફિશિયલ ગવર્મેન્ટ સુધી રીઝલ્ટ પહોંચી રહ્યું છે અને વધારે પણ ફેલાતું રહેશે તો મેડીટેશન નું મહત્વ વધતું જશે. બાકી બાપદાદા ને આ વિધિ પસંદ છે. અચ્છા.

વરદાન :-
મન નાં મૌન થી સેવા ની નવી ઇન્વેન્શન કાઢવા ( શોધ કરવા ) વાળા સિદ્ધિ સ્વરુપ ભવ

જેમ પહેલાં-પહેલાં મૌન વ્રત રાખ્યું હતું તો બધા ફ્રી થઈ ગયા હતાં, સમય બચી ગયો હતો એમ હવે મન નું મૌન રાખો જેનાંથી વ્યર્થ સંકલ્પ આવે જ નહીં. જેમ મુખે થી અવાજ ન નીકળે તેમ વ્યર્થ સંકલ્પ ન આવે - આ છે મન નું મૌન. તો સમય બચી જશે. આ મન નાં મૌન થી સેવા ની એવી નવી ઇન્વેન્શન નીકળશે જે સાધના ઓછી અને સિદ્ધિ વધારે થશે. જેવી રીતે સાયન્સ નાં સાધન સેકન્ડ માં વિધિ ને પ્રાપ્ત કરાવે છે તેવી રીતે આ સાઈલેન્સ નાં સાધન દ્વારા સેકન્ડ માં વિધિ પ્રાપ્ત થશે.

સ્લોગન :-
જે સ્વયં સમર્પિત સ્થિતિ માં રહે છે - સર્વ નો સહયોગ પણ એમની આગળ સમર્પિત થાય છે.

અવ્યક્ત ઇશારા - આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો , અંતર્મુખી બનો

અનેક પ્રકાર નાં વ્યક્તિ, વૈભવ અથવા અનેક પ્રકારની વસ્તુઓ નાં સંપર્ક માં આવતા આત્મિક-ભાવ અને અનાસક્ત-ભાવ ધારણ કરો. આ વૈભવ અને વસ્તુઓ અનાસક્ત ની આગળ દાસી નાં રુપ માં હશે અને આસક્ત ભાવ વાળા ની આગળ ચુંબક ની જેમ ફસાવવા વાળી હશે.