22-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બધાને
આ ખુશખબરી સંભળાવો કે હવે દૈવી રાજધાની સ્થાપન થઈ રહી છે , જ્યારે નિર્વિકારી દુનિયા
હશે ત્યારે બાકી બધું વિનાશ થઈ જશે”
પ્રશ્ન :-
રાવણ નો શ્રાપ ક્યારે મળે છે, શ્રાપિત થવાની નિશાની શું છે?
ઉત્તર :-
જ્યારે તમે દેહ-અભિમાની બનો છો ત્યારે રાવણ નો શ્રાપ મળી જાય છે. શ્રાપિત આત્માઓ
કંગાળ વિકારી બનતા જાય છે, નીચે ઉતરતા જાય છે. હવે બાપ પાસે થી વારસો લેવા માટે
દેહી-અભિમાની બનવાનું છે. પોતાની દૃષ્ટિ-વૃત્તિ ને પાવન બનાવવાની છે.
ઓમ શાંતિ!
રુહાની બાપ
રુહાની બાળકો ને ૮૪ જન્મો ની કહાણી સંભળાવે છે. આ તો સમજો છો બધા તો ૮૪ જન્મ નહીં
લેતા હશે. તમે જ પહેલાં-પહેલાં સતયુગ આદિ માં પૂજ્ય દેવી-દેવતા હતાં. ભારત માં પહેલાં
પૂજ્ય દેવી-દેવતા ધર્મ નું જ રાજ્ય હતું. લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું તો જરુર
રાજધાની હશે. રાજાઈ કુળ નાં મિત્ર-સંબંધી પણ હશે. પ્રજા પણ હશે. આ જેમ એક કહાણી છે.
૫ હજાર વર્ષ પહેલાં પણ આમનું રાજ્ય હતું - આ સ્મૃતિ માં લાવે છે. ભારત માં આદિ
સનાતન દેવી-દેવતા ધર્મ નું રાજ્ય હતું. આ બેહદ નાં બાપ સમજાવે છે, જેમને જ નોલેજફુલ
કહેવાય છે. નોલેજ કઈ ચીજ ની? મનુષ્ય સમજે છે તે બધાની અંદર ને, કર્મ વિકર્મ ને જાણવા
વાળા છે. પરંતુ હવે બાપ સમજાવે છે - દરેક આત્મા ને પોત-પોતાનો પાર્ટ મળેલો છે. બધા
આત્માઓ પોતાનાં પરમધામ માં રહે છે. તેમાં બધો પાર્ટ ભરેલો છે. તૈયાર બેઠાં છે કે
જઈને કર્મક્ષેત્ર પર પોતાનો પાર્ટ ભજવીએ. આ પણ તમે સમજો છો આપણે આત્માઓ બધું જ કરીએ
છીએ. આત્મા જ કહે છે આ ખાટ્ટું છે આ ખારું છે. આત્મા જ સમજે છે - અમે હમણાં વિકારી
પાપ આત્માઓ છીએ. આસુરી સ્વભાવ છે. આત્મા જ અહીં કર્મક્ષેત્ર પર શરીર લઈને બધાં
પાર્ટ ભજવે છે. તો આ નિશ્ચય કરવો જોઈએ ને? હું આત્મા જ બધું કરું છું. હમણાં બાપ ને
મળ્યાં છીએ પછી ૫૦૦૦ વર્ષ પછી મળીશું. આ પણ સમજો છો પૂજ્ય અને પુજારી, પાવન અને
પતિત બનતા આવ્યાં છીએ. જ્યારે પૂજ્ય છીએ તો પતિત કોઈ હોય ન શકે. જ્યારે પુજારી છીએ
તો પાવન કોઈ હોય ન શકે. સતયુગ માં છે જ પાવન પૂજ્ય. જ્યારે દ્વાપર થી રાવણ રાજ્ય શરુ
થાય છે ત્યારે બધા પતિત પુજારી બને છે. શિવબાબા કહે છે જુઓ શંકરાચાર્ય પણ મારો
પુજારી છે. મને પૂજે છે ને? શિવ નું ચિત્ર કોઈની પાસે હીરા નું, કોઈની પાસે સોના
નું, કોઈની પાસે ચાંદી નું હોય છે. હવે જે પૂજા કરે છે, એ પુજારી ને પૂજ્ય તો કહી ન
શકાય. આખી દુનિયા માં આ સમયે પૂજ્ય એક પણ હોય ન શકે. પૂજ્ય પવિત્ર હોય છે પછી
અપવિત્ર બને છે. પવિત્ર હોય છે નવી દુનિયા માં. પવિત્ર જ પૂજાય છે. જેમ કુમારી
જ્યારે પવિત્ર છે તો પૂજવા લાયક છે, અપવિત્ર બને છે તો પછી બધાનાં આગળ માથું નમાવવું
પડે છે. પૂજા ની કેટલી સામગ્રી છે. ક્યાંય પણ પ્રદર્શન, મ્યુઝિયમ વગેરે ખોલો છો તો
ઉપર ત્રિમૂર્તિ શિવ જરુર જોઈએ. નીચે આ લક્ષ્મી-નારાયણ મુખ્ય લક્ષ. આપણે આ પૂજ્ય
દેવી-દેવતા ધર્મ ની સ્થાપના કરી રહ્યાં છીએ. ત્યાં પછી કોઈ બીજો ધર્મ નથી રહેતો. તમે
સમજાવી શકો છો, પ્રદર્શન માં તો ભાષણ વગેરે કરી નહીં શકશો. સમજાવવા માટે પછી અલગ
પ્રબંધ હોવો જોઈએ. મુખ્ય વાત જ આ છે - આપણે ભારતવાસીઓ ને ખુશખબરી સંભળાવીએ છીએ. અમે
આ રાજ્ય સ્થાપન કરી રહ્યાં છીએ. આ દૈવી રાજધાની હતી, હમણાં નથી ફરીથી એની સ્થાપના
થાય છે અને બધું વિનાશ થઈ જશે. સતયુગ માં જ્યારે આ એક ધર્મ હતો તો અનેક ધર્મ હતાં
નહીં. હવે આ અનેક ધર્મ મળીને એક થઈ જાય, તે તો બની ન શકે. તે આવે જ છે એક-બે ની
પાછળ અને વૃદ્ધિ થતી રહે છે. પહેલો આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પ્રાય:લોપ છે. કોઈ પણ
નથી જે પોતાને દેવી-દેવતા ધર્મ નાં કહેવડાવી શકે. આને કહેવાય જ છે વિકારી દુનિયા.
તમે કહી શકો છો અમે તમને ખુશખબરી સંભળાવીએ છીએ - શિવબાબા નિર્વિકારી દુનિયા સ્થાપન
કરી રહ્યાં છે. આપણે પ્રજાપિતા બ્રહ્માનાં સંતાન બ્રહ્માકુમાર-કુમારીઓ છીએ ને?
પહેલાં-પહેલાં તો આપણે ભાઈ-ભાઈ છીએ પછી રચના થાય છે તો જરુર ભાઈ-બહેન હોઈશું. બધા
કહે છે બાબા અમે તમારા બાળકો છીએ તો ભાઈ-બહેન ની ક્રિમિનલ આંખો (કુદૃષ્ટિ) જઈ ન શકે.
આ અંતિમ જન્મ પવિત્ર બનવાનું છે, ત્યારે જ પવિત્ર વિશ્વ નાં માલિક બની શકશો. તમે
જાણો છો ગતિ સદ્દગતિ દાતા છે જ એક બાપ. જૂની દુનિયા બદલાઈને જરુર નવી દુનિયા સ્થાપન
થવાની છે. તે તો ભગવાન જ કરશે. હવે એ નવી દુનિયા કેવી રીતે રચશે, આ આપ બાળકો જ જાણો
છો. હમણાં જૂની દુનિયા પણ છે, આ કોઈ ખલાસ નથી થઈ. ચિત્રો માં પણ છે બ્રહ્મા દ્વારા
સ્થાપના. આમનો આ અનેક જન્મો નાં અંત નો જન્મ છે. બ્રહ્મા ની જોડી નથી, બ્રહ્મા નું
તો એડોપ્શન (દત્તક લીધેલા) છે. સમજાવવાની બહુ જ યુક્તિ જોઈએ. શિવબાબા બ્રહ્મા માં
પ્રવેશ કરી આપણને પોતાનાં બનાવે છે. શરીર માં પ્રવેશ કરે ત્યારે તો કહે - હે આત્મા,
તમે મારા બાળકો છો. આત્માઓ તો છે જ, પછી બ્રહ્મા દ્વારા સૃષ્ટિ રચાશે તો જરુર
બ્રહ્માકુમાર-કુમારીઓ હશે ને, તો ભાઈ-બહેન થઈ ગયાં. બીજી દૃષ્ટિ નીકળી જાય છે. આપણે
શિવબાબા પાસે થી પાવન બનવાનો વારસો લઈએ છીએ. રાવણ પાસે થી આપણને શ્રાપ મળે છે. હમણાં
આપણે દેહી-અભિમાની બનીએ છીએ તો બાપ પાસે થી વારસો મળે છે. દેહ-અભિમાની બનવાથી રાવણ
નો શ્રાપ મળે છે. શ્રાપ મળવાથી નીચે ઉતરતા જઈએ છીએ. હમણાં ભારત શ્રાપિત છે ને? ભારત
ને આટલું કંગાળ વિકારી કોણે બનાવ્યું? કોઈ નો તો શ્રાપ છે ને? આ છે રાવણ રુપી માયા
નો શ્રાપ. દરેક વર્ષે રાવણ ને બાળે છે તો જરુર દુશ્મન છે ને? ધર્મ માં જ તાકાત હોય
છે. હવે આપણે દેવતા ધર્મ નાં બનીએ છીએ. બાબા નવાં ધર્મ ની સ્થાપના કરાવવા નાં
નિમિત્ત છે. કેટલી તાકાત વાળો ધર્મ સ્થાપન કરે છે. આપણે બાબા પાસે થી તાકાત લઈએ છીએ,
આખાં વિશ્વ પર વિજય મેળવીએ છીએ. યાદ ની યાત્રા થી જ તાકાત મળે છે અને વિકર્મ વિનાશ
થાય છે. તો આ પણ એક ભીતી (વાત) લખી દેવી જોઈએ. અમે ખુશખબરી સંભળાવીએ છીએ. હમણાં આ
ધર્મ ની સ્થાપના થઈ રહી છે જેને જ હેવન, સ્વર્ગ કહે છે. એમ મોટાં-મોટાં શબ્દો માં
લખી દો. બાબા સલાહ આપે છે - સૌથી મુખ્ય છે આ. હમણાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની
સ્થાપના થઈ રહી છે. પ્રજાપિતા બ્રહ્મા પણ બેઠાં છે. આપણે પ્રજાપિતા
બ્રહ્માકુમાર-કુમારીઓ શ્રીમત પર આ કાર્ય કરી રહ્યાં છીએ. બ્રહ્મા ની મત નથી, શ્રીમત
છે જ પરમપિતા પરમાત્મા શિવ ની, જે સર્વ નાં બાપ છે. બાપ જ એક ધર્મ ની સ્થાપના, અનેક
ધર્મો નો વિનાશ કરે છે. રાજયોગ શીખી આ બનાય છે. અમે પણ આ બની રહ્યાં છીએ. અમે બેહદ
નો સંન્યાસ કર્યો છે કારણકે જાણીએ છીએ - આ જુની દુનિયા ભસ્મ થઈ જવાની છે. જેમ હદ
નાં બાપ નવું ઘર બનાવે છે પછી જૂનાં માંથી મમત્વ ખતમ થઈ જાય છે. બાપ કહે છે આ જૂની
દુનિયા ખતમ થવાની છે. હવે તમારા માટે નવી દુનિયા સ્થાપન કરી રહ્યાં છે. તમે ભણો જ
છો - નવી દુનિયા માટે. અનેક ધર્મો નો વિનાશ, એક ધર્મ ની સ્થાપના સંગમ પર જ થાય છે.
લડાઈ લાગશે, કુદરતી આપત્તિઓ પણ આવશે. સતયુગ માં જ્યારે આમનું રાજ્ય હતું તો બીજા
કોઈ ધર્મ નહોતાં. બાકી બધા ક્યાં હતાં? આ જ્ઞાન બુદ્ધિ માં રાખવાનું છે. એવું નથી આ
જ્ઞાન બુદ્ધિ માં રાખતાં બીજું કામ નથી કરતાં, કેટલાં વિચાર રહે છે. ચિઠ્ઠીઓ લખવી,
વાંચવી, મકાન નો ખ્યાલ કરવો, તો પણ બાપ ને યાદ કરતો રહું છું. બાબા ને યાદ ન કરીએ
તો વિકર્મ કેવી રીતે વિનાશ થશે?
હમણાં આપ બાળકો ને
જ્ઞાન મળ્યું છે, તમે અડધાકલ્પ માટે પૂજ્ય બની રહ્યાં છો. અડધોકલ્પ છે પુજારી
તમોપ્રધાન પછી અડધોકલ્પ પૂજ્ય સતોપ્રધાન હોય છે. આત્મા પરમપિતા પરમાત્મા સાથે યોગ
લગાવવાથી જ પારસ બને છે. યાદ કરતાં-કરતાં કળિયુગ થી સતયુગ માં ચાલ્યો જશે.
પતિત-પાવન એક ને જ કહેવાય છે. આગળ ચાલી તમારો અવાજ નીકળશે. આ તો બધા ધર્મો માટે છે.
તમે કહો પણ છો, બાપ કહે છે કે પતિત-પાવન હું જ છું. મને યાદ કરો તો તમે પાવન બની જશો.
બાકી બધા હિસાબ-કિતાબ ચૂક્તું કરીને જશે. ક્યાંય પણ મુંઝાઓ છો તો પૂછી શકો છો.
સતયુગ માં હોય છે જ થોડાં. હમણાં તો અનેક ધર્મ છે. જરુર હિસાબ-કિતાબ ચૂક્તું કરીને
પછી એવાં બનશે, જેવાં હતાં. વિસ્તાર માં કેમ જવાનું. જાણો છો દરેક પોત-પોતાનો પાર્ટ
આવીને ભજવશે. હવે બધાએ પાછા જવાનું છે કારણકે આ બધા સતયુગ માં હતાં જ નહીં. બાપ આવે
જ છે એક ધર્મ ની સ્થાપના, અનેક ધર્મો નો વિનાશ કરવાં. હમણાં નવી દુનિયા ની સ્થાપના
થઈ રહી છે. પછી સતયુગ જરુર આવશે, ચક્ર જરુર ફરશે. વધારે પડતા વિચારો માં ન જાઓ, મૂળ
વાત આપણે સતોપ્રધાન બનીશું તો ઊંચ પદ મેળવીશું. કુમારીઓએ તો આમાં લાગી જવાનું છે,
કુમારી ની કમાણી મા-બાપ નથી ખાતાં. પરંતુ આજકાલ ભૂખ્યા થઈ ગયા છે તો કુમારીઓએ પણ
કમાવવું પડે છે. તમે સમજો છો હવે પવિત્ર બની પવિત્ર દુનિયા નાં માલિક બનવાનું છે.
આપણે રાજયોગી છીએ, બાપ પાસે થી વારસો જરુર લેવાનો છે.
હમણાં તમે પાંડવ સેના
નાં બન્યાં છો. પોતાની સર્વિસ કરતા પણ આ વિચાર રાખવાનો છે, અમે જઈને બધાને રસ્તો
બતાવીએ. જેટલું કરશો એટલું ઊંચ પદ મેળવશો. બાબા ને પૂછી શકો છો - આ હાલત માં મરી
જઈએ તો અમને કયું પદ મળશે? બાબા ઝટ બતાવી દેશે. સર્વિસ નથી કરતા એટલે સાધારણ ઘર માં
જઈને જન્મ લેશો પછી આવીને જ્ઞાન લે, તે તો મુશ્કેલ છે કારણ કે નાનું બાળક એટલું
જ્ઞાન તો ઉઠાવી ન શકે. સમજો, બાકી બે-ત્રણ વર્ષ રહે તો શું ભણી શકશે? બાબા બતાવી
દેશે તમે કોઈ ક્ષત્રિય કુળ માં જઈને જન્મ લેશો. પાછળ થી ડબલ તાજ મળશે. સ્વર્ગ નું
પૂરું સુખ મેળવી નહીં શકે. જે પૂરી સેવા કરશે, ભણશે તે જ પૂરું સુખ મેળવશે. નંબરવાર
પુરુષાર્થ અનુસાર. આ જ ફુરણા (ફીકર) રાખવાની છે - હમણાં નહીં બનીશું તો કલ્પ-કલ્પ
નહીં બનીશું. દરેક પોતાને જાણી શકે છે, અમે કેટલાં ગુણાંક થી પાસ થઈશું. બધું જાણી
જાઓ છો પછી કહેવાય છે ભાવી (નસીબ). અંદર માં દુઃખ થશે ને? બેઠાં-બેઠાં અમને શું થઈ
ગયું? બેઠાં-બેઠાં મનુષ્ય મરી પણ જાય છે એટલે બાપ કહે છે સુસ્તી ન કરો. પુરુષાર્થ
કરી પતિત થી પાવન બનતા રહો, રસ્તો બતાવતા રહો. કોઈ પણ મિત્ર-સંબંધી વગેરે છે, એમનાં
પર તરસ (દયા) આવવી જોઈએ. જુઓ છો આ વિકાર વગર, ગંદુ ખાધા વગર રહી નથી શકતાં, તો પણ
સમજાવતા રહેવું જોઈએ. નથી માનતા તો સમજો આપણા કુળ નાં નથી. કોશિશ કરી પિયરઘર, સાસરા
ઘર નું કલ્યાણ કરવાનું છે. એવી પણ ચલન ન હોય જે કહે આ તો અમારા સાથે વાત પણ નથી કરતા,
મોઢું ફેરવી દીધું છે. ના, બધા સાથે જોડવાનું છે. અમે એમનું પણ કલ્યાણ કરીએ. ખુબ જ
રહેમદિલ બનવાનું છે. આપણે સુખ તરફ જઈએ છીએ તો બીજાઓ ને પણ રસ્તો બતાવીએ. આંધળાઓ ની
લાઠી તમે છો ને? ગાય છે આંધળાઓ ની લાઠી તૂ. આંખો તો બધાને છે તો પણ બોલાવે છે કારણકે
જ્ઞાન નું ત્રીજું નેત્ર નથી. શાંતિ-સુખ નો રસ્તો બતાવવા વાળા એક જ બાપ છે. આ આપ
બાળકો ની બુદ્ધિ માં હમણાં છે. પહેલાં થોડી સમજતા હતાં? ભક્તિમાર્ગ માં કેટલાં
મંત્ર જપે છે. રામ-રામ કહી માછલી ને ખવડાવે, કીડીઓ ને ખવડાવે. હવે જ્ઞાનમાર્ગ માં
તો કાંઈ પણ કરવાની જરુર નથી. પક્ષી તો અસંખ્ય મરી જાય છે. એક જ તોફાન લાગે છે, કેટલાં
મરી જાય છે. કુદરતી આપત્તિઓ તો હવે ખૂબ જોર થી આવશે. આ બધું થતું રહેશે. આ બધો
વિનાશ તો થવાનો જ છે. અંદર માં આવે છે કે હવે આપણે સ્વર્ગ માં જઈશું. ત્યાં પોતાનાં
ફર્સ્ટ ક્લાસ મહેલ બનાવીશું. જેવાં કલ્પ પહેલાં બનાવ્યાં છે. બનાવશે પણ તો એ જ, જે
કલ્પ પહેલાં બનાવ્યાં હશે. તે સમયે એ બુદ્ધિ આવી જશે. એનો વિચાર હમણાં કેમ કરીએ? એના
કરતાં તો બાપ ની યાદ માં રહીએ. યાદ ની યાત્રા ને ન ભૂલો. મહેલ તો બનશે જ કલ્પ પહેલાં
જેવાં. પરંતુ હમણાં યાદ ની યાત્રા માં તોડ નિભાવવાનો છે અને ખૂબ ખુશી માં રહેવાનું
છે કે અમને બાપ, શિક્ષક, સદ્દગુરુ મળ્યાં છે. એ ખુશી માં તો રોમાંચ ઉભા થઈ જવા જોઈએ.
તમે જાણો છો આપણે આવ્યાં જ છીએ અમરપુરી નાં માલિક બનવાં. આ ખુશી સ્થાઈ રહેવી જોઈએ.
અહીં રહેશે ત્યારે પછી ૨૧ જન્મ તે સ્થાઈ થઈ જશે. અનેક ને યાદ કરાવતા રહેશો તો પોતાની
પણ યાદ વધશે. પછી આદત પડી જશે. જાણો છો આ અપવિત્ર દુનિયા ને આગ લાગવાની છે. તમે
બ્રાહ્મણ જ છો જેમને આ વિચાર છે - આટલી આખી દુનિયા ખતમ થઈ જશે. સતયુગ માં આ કાંઈ પણ
ખબર નહીં પડશે. હમણાં અંત છે, તમે યાદ માટે પુરુષાર્થ કરી રહ્યાં છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. પતિત થી
પાવન બનવાના પુરુષાર્થ માં સુસ્તી નથી કરવાની. કોઈ પણ મિત્ર-સંબંધી વગેરે છે તેમનાં
પર તરસ રાખી સમજાવવાનું છે, છોડી નથી દેવાનાં.
2. એવી ચલન નથી
રાખવાની જે કોઈ કહે કે આમણે તો મોઢું ફેરવી દીધું છે. રહેમદિલ બની બધાનું કલ્યાણ
કરવાનું છે બીજા બધા વિચારો છોડી એક બાપ ની યાદ માં રહેવાનું છે.
વરદાન :-
સત્યતા ,
સ્વચ્છતા અને નિર્ભયતા નાં આધાર થી પ્રત્યક્ષતા કરવા વાળા રમતા યોગી ભવ
પરમાત્મ-પ્રત્યક્ષતા
નો આધાર સત્યતા છે અને સત્યતા નો આધાર સ્વચ્છતા તથા નિર્ભયતા છે. જો કોઈ પણ પ્રકાર
ની અસ્વચ્છતા અર્થાત્ સચ્ચાઈ-સફાઈ ની કમી છે અથવા પોતાનાં જ તમોગુણી સંસ્કારો પર
વિજયી બનવામાં, સંસ્કાર મેળવવામાં અથવા વિશ્વ સેવા નાં ક્ષેત્ર માં પોતાનાં
સિદ્ધાંતો ને સિદ્ધ કરવામાં ભય છે તો પ્રત્યક્ષતા નથી થઈ શકતી એટલે સત્યતા અને
નિર્ભયતા ને ધારણ કરી દરેક ની ધૂન માં મસ્ત રહેવાવાળા રમતા યોગી, સહજ રાજયોગી બનો
તો સહજ જ અંતિમ પ્રત્યક્ષતા થશે.
સ્લોગન :-
બેહદ ની દૃષ્ટિ,
વૃતિ જ યુનિટી નો આધાર છે એટલે હદ માં ન આવો.
અવ્યક્ત ઈશારા -
અશરીરી અથવા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
અશરીરી બનવું વાયરલેસ
સેટ છે. વાઈસલેસ બનવું જ વાયરલેસ સેટ ની સેટિંગ છે. જરા પણ અંશ નો પણ અંશમાત્ર
વિકાર વાયરલેસ નાં સેટ ને બેકાર કરી દેશે એટલે હવે કર્મબંધની થી કર્મયોગી બનો. અનેક
બંધનો થી મુક્ત એક બાપ નાં સંબંધ માં સમજો તો સદા એવરરેડી રહેશો. ચેક કરો - અંદર
કોઈ પણ વિકાર છુપાયેલો તો નથી?