23-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારો પહેલો - પહેલો સબક ( પાઠ ) છે - હું આત્મા છું , શરીર નથી , આત્મ - અભિમાની બનીને રહો તો બાપ ની યાદ રહેશે”

પ્રશ્ન :-
આપ બાળકો ની પાસે કયો ગુપ્ત ખજાનો છે, જે મનુષ્યો ની પાસે નથી?

ઉત્તર :-
તમને ભગવાન બાપ ભણાવે છે, એ ભણતર ની ખુશી નો ગુપ્ત ખજાનો તમારી પાસે છે. તમે જાણો છો આપણે જે ભણી રહ્યાં છીએ, ભવિષ્ય અમરલોક માટે નહીં કે આ મૃત્યુલોક માટે. બાપ કહે છે સવારે-સવારે ઉઠીને હરો-ફરો, ફક્ત પહેલો-પહેલો પાઠ યાદ કરો તો ખુશી નો ખજાનો જમા થતો જશે.

ઓમ શાંતિ!
બાપ બાળકો ને પૂછે છે - બાળકો, આત્મ-અભિમાની બનીને બેઠાં છો? પોતાને આત્મા સમજીને બેઠાં છો? આપણને આત્માઓ ને પરમાત્મા બાપ ભણાવી રહ્યાં છે, બાળકો ને આ સ્મૃતિ આવી છે આપણે દેહ નથી, આત્મા છીએ. બાળકો ને દેહી-અભિમાની બનાવવા માટે જ મહેનત કરવી પડે છે. બાળકો આત્મ-અભિમાની રહી નથી શકતાં. ઘડી-ઘડી દેહ-અભિમાન માં આવી જાય છે એટલે બાબા પૂછે છે - આત્મ-અભિમાની બનીને રહો છો? આત્મ-અભિમાની બનશો તો બાપ ની યાદ આવશે, જો દેહ-અભિમાની હશો તો લૌકિક સંબંધી યાદ આવશે. પહેલાં-પહેલાં આ શબ્દ યાદ રાખવો પડે, આપણે આત્મા છીએ. મુજ આત્મા માં જ ૮૪ જન્મો નો પાર્ટ ભરેલો છે. આ પાક્કું કરવાનું છે. આપણે આત્મા છીએ. અડધોકલ્પ તમે દેહ-અભિમાની બનીને રહ્યાં છો. હમણાં ફક્ત સંગમયુગ પર જ બાળકો ને આત્મ-અભિમાની બનાવાય છે. પોતાને દેહ સમજવાથી બાપ યાદ નહીં આવે એટલે પહેલાં-પહેલાં આ સબક (પાઠ) પાક્કો કરી લો-આપણે આત્મા બેહદ બાપ નાં બાળકો છીએ. દેહ નાં બાપ ને યાદ કરવાનું ક્યારેય શીખવાડાતું નથી. હવે બાપ કહે છે મુજ પારલૌકિક બાપ ને યાદ કરો, આત્મ-અભિમાની બનો. દેહ-અભિમાની બનવાથી દેહ નાં સંબંધો યાદ આવશે, પોતાને આત્મા સમજી અને બાપ ને યાદ કરો, આ જ મહેનત છે. આ કોણ સમજાવી રહ્યું છે, આપણા આત્માઓ નાં બાપ, જેમને બધા યાદ કરે છે બાબા, આવો, આવીને આ દુઃખ થી લિબ્રેટ (મુક્ત) કરો. બાળકો જાણે છે આ ભણતર થી આપણે ભવિષ્ય માટે ઊંચું પદ મેળવીએ છીએ.

હમણાં તમે પુરુષોત્તમ સંગમયુગ પર છો. આ મૃત્યુલોક માં હવે બિલકુલ રહેવાનું નથી. આ આપણું ભણતર છે જ ભવિષ્ય ૨૧ જન્મો માટે. આપણે સતયુગ અમરલોક માટે ભણી રહ્યાં છીએ. અમર બાબા આપણને જ્ઞાન સંભળાવી રહ્યાં છે તો અહીં જ્યારે બેસો છો પહેલાં-પહેલાં પોતાને આત્મા સમજી બાપ ની યાદ માં રહેવાનું છે તો વિકર્મ વિનાશ થશે. આપણે હમણાં સંગમયુગ પર છીએ. બાબા આપણને પુરુષોત્તમ બનાવી રહ્યાં છે. કહે છે મને યાદ કરો તો તમે પુરુષોત્તમ બની જશો. હું આવ્યો છું મનુષ્ય થી દેવતા બનાવવાં. સતયુગ માં તમે દેવતા હતાં, હમણાં જાણો છો કેવી રીતે સીડી ઉતર્યા છો. આપણા આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. દુનિયા માં કોઈ નથી જાણતું, તે ભક્તિ માર્ગ અલગ છે, આ જ્ઞાન માર્ગ અલગ છે. જે આત્માઓ ને બાપ ભણાવે છે તે જાણે, બીજું ન જાણે કોઈ. આ છે ગુપ્ત ખજાનો ભવિષ્ય માટે. તમે ભણો છો જ અમરલોક માટે, નહીં કે આ મૃત્યુલોક માટે. હવે બાપ કહે છે સવારે ઉઠીને હરો, ફરો. પહેલો-પહેલો પાઠ આ યાદ કરો કે આપણે આત્મા છીએ, નહીં કે શરીર. આપણા રુહાની બાબા આપણને ભણાવે છે. આ દુઃખ ની દુનિયા હવે બદલાવાની છે. સતયુગ છે સુખ ની દુનિયા, બુદ્ધિ માં બધું જ્ઞાન છે. આ છે રુહાની સ્પ્રિચુઅલ નોલેજ (આધ્યાત્મિક જ્ઞાન). બાપ જ્ઞાન નાં સાગર સ્પ્રિચુઅલ ફાધર છે. એ છે જ દેહી (આત્મા) નાં બાપ. બાકી તો બધા દેહ નાં જ સંબંધી છે. હવે દેહ નાં સંબંધ તોડી એક સાથે જોડવાનો છે. ગાય પણ છે મારા તો એક બીજું ન કોઈ. આપણે એક બાપ ને જ યાદ કરીએ છીએ. દેહ ને પણ યાદ નથી કરતાં. આ જૂનો દેહ તો છોડવાનો છે. આ પણ તમને જ્ઞાન મળે છે. આ શરીર કેવી રીતે છોડવાનું છે? યાદ કરતા-કરતા શરીર છોડી દેવાનું છે એટલે બાબા કહે છે દેહી-અભિમાની બનો. પોતાની અંદર ઘૂંટતા રહો - બાપ, બીજ અને ઝાડ ને યાદ કરવાના છે. શાસ્ત્રો માં આ કલ્પવૃક્ષ નું વૃત્તાંત છે.

આ પણ બાળકો જાણે છે આપણને જ્ઞાનસાગર બાપ ભણાવે છે. કોઈ મનુષ્ય નથી ભણાવતાં. આ પાક્કું કરી લેવાનું છે. ભણવાનું તો છે ને? સતયુગ માં પણ દેહધારી ભણાવે છે, આ દેહધારી નથી. આ કહે છે હું જૂનાં દેહ નો આધાર લઈ તમને ભણાવું છું. કલ્પ-કલ્પ હું તમને આમ ભણાવું છું. ફરી કલ્પ પછી પણ આમ ભણાવીશ. હવે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે, હું જ પતિત-પાવન છું. મને જ સર્વ શક્તિમાન્ કહે છે. પરંતુ માયા પણ ઓછી નથી, તે પણ શક્તિમાન્ છે, ક્યાં થી પાડ્યાં છે. હવે યાદ આવે છે ને? ૮૪ નાં ચક્ર નું પણ ગાયન છે. આ મનુષ્યો ની જ વાત છે. ઘણાં પૂછે છે, જનાવરો નું શું થશે? અરે, અહીં જનાવર ની વાત નથી. બાપ પણ બાળકો સાથે વાત કરે છે, બહાર વાળા તો બાપ ને જાણતા જ નથી, તો તે શું વાત કરશે? કોઈ કહેશે અમે બાબા ને મળવા ઈચ્છીએ છીએ, હવે જાણતા કાંઈ પણ નથી, બેસીને ઉલ્ટા-સુલ્ટા પ્રશ્ન કરશે. ૭ દિવસ નો કોર્સ કર્યા પછી પણ પૂરું કાંઈ સમજતા નથી કે આ અમારા બેહદ નાં બાપ છે. જે જૂનાં ભક્ત છે, જેમણે ખુબ ભક્તિ કરેલી છે તેમની બુદ્ધિ માં તો જ્ઞાન ની બધી વાતો બેસી જાય છે. ભક્તિ ઓછી કરી હશે તો બુદ્ધિ માં ઓછું બેસશે. તમે છો સૌથી વધારે જૂનાં ભક્ત. ગવાય પણ છે ભગવાન ભક્તિ નું ફળ આપવા માટે આવે છે. પરંતુ કોઈને આ થોડી ખબર છે. જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ બિલકુલ જ અલગ છે. આખી દુનિયા છે ભક્તિમાર્ગ માં. કોટો માં કોઈ આવીને આ ભણે છે. સમજણ (જ્ઞાન) તો ખૂબ મીઠી છે. ૮૪ જન્મો નું ચક્ર પણ મનુષ્ય જ જાણશે ને? તમે પહેલાં કાંઈ નહોતાં જાણતા, શિવ ને પણ નહોતાં જાણતાં. શિવ નાં મંદિર કેટલાં અનેક છે! શિવ ની પૂજા કરે છે, જળ ચઢાવે છે, શિવાય નમઃ કરે છે, કેમ પૂજે છે? કાંઈ ખબર નથી. લક્ષ્મી-નારાયણ ની પૂજા કેમ કરે છે, તે ક્યાં ગયા? કાંઈ ખબર નથી. ભારતવાસી જ છે જે પોતાનાં પૂજ્ય ને બિલકુલ જાણતા નથી. ક્રિશ્ચન જાણે છે, ક્રાઈસ્ટ ફલાણા સંવત માં આવ્યાં, આવીને સ્થાપના કરી. શિવબાબા ને કોઈ પણ નથી જાણતાં. પતિત-પાવન પણ શિવ ને જ કહેવાય છે. એ જ ઊંચા માં ઊંચા છે ને? એમની સૌથી વધારે સેવા કરે છે. સર્વ નાં સદ્દગતિ દાતા છે. તમને જુઓ કેવી રીતે ભણાવે છે! બાપ ને બોલાવે પણ છે કે આવી ને પાવન બનાવો. મંદિર માં કેટલી પૂજા કરે છે, કેટલી ધૂમધામ, કેટલો ખર્ચો કરે છે! શ્રીનાથજી નાં મંદિર માં, જગન્નાથ નાં મંદિર માં જઈને જુઓ. છે તો એક જ. જગન્નાથ (જગત નાથ) ની પાસે ચોખા નો હાંડો ચઢાવે છે. શ્રીનાથ પર તો ખૂબ માલ (વાનગી) બનાવે છે. ફરક કેમ હોય છે? કારણ જોઈએ ને? શ્રીનાથ ને પણ કાળા, જગન્નાથ ને પણ કાળા કરી દે છે. કારણ તો કાંઈ પણ નથી સમજતાં. જગતનાથ લક્ષ્મી-નારાયણ ને જ કહેવાય છે કે રાધા-કૃષ્ણ ને કહેવાશે? રાધા-કૃષ્ણ, લક્ષ્મી-નારાયણ નો સંબંધ શું છે? આ પણ કોઈ નથી જાણતાં. હમણાં આપ બાળકો ને ખબર પડી છે કે આપણે પૂજ્ય દેવતા હતા પછી પુજારી બન્યાં છીએ. ચક્ર લગાવ્યું. હવે ફરી દેવતા બનવા માટે આપણે ભણીએ છીએ. આ કોઈ મનુષ્ય નથી ભણાવતાં. ભગવાનુવાચ છે. જ્ઞાનસાગર પણ ભગવાન ને કહેવાય છે. અહીં તો ભક્તિ નાં સાગર ખૂબ છે જે પતિત-પાવન જ્ઞાન સાગર બાપ ને યાદ કરે છે. તમારે પતિત બન્યાં પછી પાવન જરુર બનવાનું છે. આ છે જ પતિત દુનિયા. આ સ્વર્ગ નથી. વૈકુંઠ ક્યાં છે? આ કોઈને ખબર નથી. કહે છે વૈકુંઠ ગયાં. તો પછી નર્ક નું ભોજન વગેરે તમે એમને કેમ ખવડાવો છો? સતયુગ માં તો ખૂબ ફળ-ફૂલ વગેરે હોય છે. અહીં શું છે? આ છે નર્ક. હમણાં તમે જાણો છો બાબા દ્વારા આપણે સ્વર્ગવાસી બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છીએ. પતિત થી પાવન બનવાનું છે. બાપે યુક્તિ તો બતાવી છે - કલ્પ-કલ્પ બાપ પણ યુક્તિ બતાવે છે. મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. હમણાં તમે જાણો છો આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. તમે જ કહો છો બાબા અમે ૫ હજાર વર્ષ પહેલાં આ બન્યાં હતાં. તમે જ જાણો છો કલ્પ-કલ્પ આ અમરકથા બાબા પાસે થી સાંભળીએ છીએ. શિવબાબા જ અમરનાથ છે. બાકી એવું નથી કે પાર્વતી ને બેસીને કથા સંભળાવે છે. તે છે ભક્તિ. જ્ઞાન અને ભક્તિ ને તમે સમજ્યું છે. બ્રાહ્મણો નો દિવસ અને પછી બ્રાહ્મણો ની રાત. બાપ સમજાવે છે તમે બ્રાહ્મણ છો ને? આદિ દેવ પણ બ્રાહ્મણ જ હતાં, દેવતા નહીં કહેવાશે. આદિદેવ ની પાસે પણ જાય છે, દેવીઓનાં પણ કેટલાં નામ છે. તમે સર્વિસ (સેવા) કરી છે ત્યારે તમારું ગાયન છે, ભારત જે વાઈસલેસ (નિર્વિકારી) હતું તે પછી વિશશ (વિકારી) બની જાય છે. હવે રાવણ રાજ્ય છે ને?

સંગમયુગ પર આપ બાળકો હમણાં પુરુષોત્તમ બનો છો, તમારા પર બ્રહસ્પતિ ની દશા અવિનાશી બેસે છે ત્યારે તમે અમરપુરી નાં માલિક બની જાઓ છો. બાપ તમને ભણાવી રહ્યાં છે, મનુષ્ય થી દેવતા બનાવવા માટે. સ્વર્ગ નાં માલિક બનવું એ બ્રહસ્પતિ ની દશા કહેવાય છે. તમે સ્વર્ગ અમરપુરી માં તો જરુર જશો. બાકી ભણતર માં દશાઓ નીચે-ઉપર થતી રહે છે. યાદ જ ભૂલાઈ જાય છે. બાપે કહ્યું છે મને યાદ કરો. ગીતા માં પણ છે ભગવાનુવાચ - કામ મહાશત્રુ છે. વાંચે પણ છે પરંતુ વિકાર ને જીતે થોડી છે? ભગવાને ક્યારે કહ્યું? ૫ હજાર વર્ષ થયાં. હવે ફરી ભગવાન કહે છે કામ મહાશત્રુ છે, એનાં પર જીત મેળવવાની છે. આ આદિ-મધ્ય-અંત દુઃખ આપવા વાળું છે. મુખ્ય છે કામ ની વાત, આને જ પતિત કહેવાય છે. હવે ખબર પડી છે, આ ચક્ર ફરે છે. આપણે પતિત બનીએ છીએ પછી બાપ આવીને પાવન બનાવે છે - ડ્રામા અનુસાર. બાબા ઘડી-ઘડી કહે છે પહેલાં-પહેલાં અલ્ફ ની વાત યાદ કરો, શ્રીમત પર ચાલવાથી જ તમે શ્રેષ્ઠ બનશો. આ પણ તમે સમજો છો આપણે પહેલાં શ્રેષ્ઠ હતાં પછી ભ્રષ્ટ બન્યાં. હવે ફરી શ્રેષ્ઠ બનવાનો પુરુષાર્થ કરી રહ્યાં છીએ. દેવીગુણ ધારણ કરવાના છે. કોઈને પણ દુઃખ નથી આપવાનું. બધાને રસ્તો બતાવતા જાઓ, બાપ કહે છે મને યાદ કરો તો પાપ કપાઈ જાય. પતિત-પાવન તમે મને જ કહો છો ને? આ કોઈને ખબર નથી કે પતિત-પાવન કેવી રીતે આવીને પાવન બનાવે છે. કલ્પ પહેલાં પણ બાપે કહ્યું હતું મામેકમ્ યાદ કરો. આ યોગ-અગ્નિ છે, જેનાંથી પાપ દગ્ધ થાય છે. ખાદ નીકળવા થી આત્મા પવિત્ર બની જાય છે. ખાદ સોના માં જ નાખે છે. પછી ઘરેણું પણ એવું બને છે. હમણાં આપ બાળકો ને બાપે સમજાવ્યું છે આત્મા માં કેવી રીતે ખાદ પડી છે, એને કાઢવાની છે. બાપ નો પણ ડ્રામા માં પાર્ટ છે જે આપ બાળકો ને આવીને દેહી-અભિમાની બનાવે છે. પવિત્ર પણ બનવાનું છે. તમે જાણો છો સતયુગ માં આપણે વૈષ્ણવ હતાં. પવિત્ર ગૃહસ્થ આશ્રમ હતો. હમણાં આપણે પવિત્ર બની અને વિષ્ણુપુરી નાં માલિક બનીએ છીએ. તમે ડબલ વૈષ્ણવ બનો છો. સાચાં-સાચાં વૈષ્ણવ તમે છો. તે છે વિકારી વૈષ્ણવ ધર્મ નાં. તમે છો નિર્વિકારી વૈષ્ણવ ધર્મ નાં. હમણાં એક તો બાપ ને યાદ કરો છો અને નોલેજ જે બાપ માં છે, તે તમે ધારણ કરો છો. તમે રાજાઓ નાં રાજા બનો છો. તે રાજાઓ બને છે અલ્પકાળ, એક જન્મ માટે. તમારી રાજાઈ છે ૨૧ પેઢી અર્થાત્ ફુલ એજ (પૂરું આયુષ્ય) પસાર કરો છો. ત્યાં ક્યારેય અકાળે મૃત્યુ નહીં થશે. તમે કાળ પર જીત મેળવો છો. સમય જ્યારે થાય છે તો સમજો છો હવે આ જૂની ખાલ છોડી નવી લેવાની છે. તમને સાક્ષાત્કાર થશે. ખુશી નાં વાજા વાગતા રહે છે. તમોપ્રધાન શરીર ને છોડી સતોપ્રધાન શરીર લેવું આ તો ખુશી ની વાત છે. ત્યાં ૧૫૦ વર્ષ આયુ એવરેજ (સરેરાશ) હોય છે. અહીં તો અકાળે મૃત્યુ થતું રહે છે કારણકે ભોગી છે. જે બાળકો નો યોગ યથાર્થ છે તેમની સર્વ કર્મેન્દ્રિયો યોગબળ થી વશ માં હશે. યોગ માં પૂરાં રહેવાથી કર્મેન્દ્રિયો શીતળ થઈ જાય છે. સતયુગ માં તમને કોઈ પણ કર્મેન્દ્રિયો દગો નથી આપતી, ક્યારેય એવું નહીં કહેવાશે કે કર્મેન્દ્રિયો વશ માં નથી. તમે ખૂબ ઊંચા માં ઊંચું પદ મેળવો છો. આને કહેવાય છે બૃહસ્પતિ ની અવિનાશી દશા. વૃક્ષપતિ મનુષ્ય સૃષ્ટિ નાં બીજરુપ છે બાપ. બીજ છે ઊપર, એમને યાદ પણ ઊપર કરે છે. આત્મા બાપ ને યાદ કરે છે. આપ બાળકો જાણો છો બેહદ નાં બાપ આપણને ભણાવે છે, એ આવે જ એક વાર છે અમરકથા સંભળાવવાં. અમરકથા કહો, સત્યનારાયણ ની કથા કહો, તે કથા નો પણ અર્થ નથી સમજતાં. સત્યનારાયણ ની કથા થી નર થી નારાયણ બને છે. અમરકથા થી તમે અમર બનો છો. બાબા દરેક વાત ક્લિયર (સ્પષ્ટ) કરીને સમજાવે છે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યોગબળ થી પોતાની સર્વ કર્મેન્દ્રિયો ને વશ માં કરવાની છે. એક વૃક્ષપતિ બાપ ની યાદ માં રહેવાનું છે. સાચાં વૈષ્ણવ અર્થાત્ પવિત્ર બનવાનું છે.

2. સવારે ઉઠીને પહેલો પાઠ પાક્કો કરવાનો છે કે હું આત્મા છું, શરીર નથી. આપણા રુહાની બાબા આપણને ભણાવે છે. આ દુઃખ ની દુનિયા હવે બદલાવાની છે… આમ બુદ્ધિ માં બધું જ્ઞાન સિમરણ થતું રહે.

વરદાન :-
દરેક ખજાના ને કાર્ય માં લગાવી જમા કરવાવાળા પદમાપદમ ભાગ્યશાળી ભવ

દરેક સેકન્ડ પદમો ની કમાણી જમા કરવાનું વરદાન ડ્રામા માં સંગમ નાં સમય ને મળેલું છે. એવા વરદાન ને સ્વયં પ્રત્યે જમા કરો અને બીજાઓનાં પ્રત્યે દાન કરો, એવી રીતે જ સંકલ્પ નાં ખજાના ને, જ્ઞાન નાં ખજાના ને, સ્થૂળ ધન રુપી ખજાના ને કાર્ય માં લગાવી જમા કરો કારણકે આ સમયે સ્થૂળ ધન પણ ઈશ્વર અર્થ સમર્પણ કરવાથી એક નવો પૈસો એક રતન સમાન વેલ્યુ નો થઈ જાય છે - તો આ સર્વ ખજાના ને સ્વયં પ્રત્યે તથા સેવા પ્રત્યે કાર્ય માં લગાવો તો પદમાપદમ ભાગ્યશાળી બની જશો.

સ્લોગન :-
જ્યાં દિલ નો સ્નેહ છે ત્યાં બધાનો સહયોગ સહજ પ્રાપ્ત થાય છે.

અવ્યક્ત ઈશારા - આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો

હવે એવાં ટ્રાન્સપરન્ટ (પારદર્શક) થઈ જાઓ જે તમારા શરીર ની અંદર આત્મા વિરાજમાન છે, તે સ્પષ્ટ બધાને દેખાય. તમારું આત્મિક સ્વરુપ એમને પોતાનાં આત્મિક સ્વરુપ નો સાક્ષાત્કાર કરાવે, આને જ કહે છે અવ્યક્ત અથવા આત્મિક-સ્થિતિ નો અનુભવ કરાવવો.