24-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યાં છે તમારી બેટરી ચાર્જ કરવા , જેટલાં તમે યાદ માં રહેશો એટલી બેટરી ચાર્જ થતી
રહેશે”
પ્રશ્ન :-
તમારી સત્ય ની બેડી (નાવ) ને તોફાન કેમ લાગે છે?
ઉત્તર :-
કારણકે આ સમયે આર્ટિફિશિયલ (બનાવટી) ખૂબ નીકળી પડ્યાં છે. કોઈ પોતાને ભગવાન કહે,
કોઈ રિદ્ધિ-સિદ્ધિ દેખાડે, એટલે મનુષ્ય સત્ય ને પારખી નથી શકતાં. સત્ય ની બેડી ને
હલાવવાની કોશિશ કરે છે. પરંતુ તમે જાણો છો કે આપણી સત્ય ની નાવ ક્યારેય ડૂબી નથી
શકતી. આજે જે વિઘ્ન નાંખે છે, તે કાલે સમજશે કે સદ્દગતિ નો રસ્તો અહીંયા જ મળવાનો
છે. બધા માટે આ એક જ હટ્ટી (દુકાન) છે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રત્યે અથવા રુહો પ્રત્યે કારણકે રુહ અથવા આત્મા સાંભળે છે કાનો દ્વારા. ધારણા
આત્મા માં થાય છે. બાપ નાં આત્મા માં પણ જ્ઞાન ભરેલું છે. બાળકો એ આત્મ-અભિમાની
બનવાનું છે આ જન્મ માં. ભક્તિ માર્ગ નાં ૬૩ જન્મ, દ્વાપરયુગ થી તમે દેહ-અભિમાન માં
રહો છો આત્મા શું છે, આ ખબર નથી રહેતી. આત્મા છે જરુર. આત્મા જ શરીર માં પ્રવેશ કરે
છે. દુઃખ પણ આત્મા ને જ થાય છે. કહેવાય પણ છે પતિત આત્મા, પાવન આત્મા. પતિત પરમાત્મા
ક્યારેય નથી સાંભળ્યું. સર્વ ની અંદર પરમાત્મા જો હોત તો પતિત પરમાત્મા થઈ જાય. તો
મુખ્ય વાત છે આત્મ-અભિમાની બનવું. આત્મા કેટલો નાનો છે. તેમાં કેવો પાર્ટ ભરેલો છે,
આ કોઈને પણ ખબર નથી. તમે તો નવી વાત સાંભળો છો. આ યાદ ની યાત્રા પણ બાપ જ શીખવાડે
છે, બીજા કોઈ શીખવાડી ન શકે. મહેનત પણ છે આમાં. ઘડી-ઘડી પોતાને આત્મા સમજવાનું છે.
જેમ જુઓ આ ઇમરજન્સી (તાત્કાલિન) લાઈટ આવી છે, જે બેટરી પર ચાલે છે. આને પછી ચાર્જ
કરે છે. બાપ છે સૌથી મોટી (ઊંચી) શક્તિ. આત્માઓ કેટલાં અનેક છે. બધાએ એ પાવર થી
ભરવાનું છે. બાપ છે સર્વશક્તિમાન્. આપણો આત્માઓ નો એમની સાથે યોગ નહીં હશે તો બેટરી
ચાર્જ કેવી રીતે થાય? આખું કલ્પ લાગે છે ડિસ્ચાર્જ (ખાલી) થવામાં. હમણાં ફરી બેટરી
ને ચાર્જ કરવાની હોય છે. બાળકો સમજે છે અમારી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે, હવે ફરી
ચાર્જ કરવાની છે. કેવી રીતે? બાબા કહે છે મારી સાથે યોગ લગાવો. આ તો ખૂબ સહજ સમજવાની
વાત છે. બાપ કહે છે મારી સાથે બુદ્ધિયોગ લગાવો તો તમારો આત્મા પાવર ભરીને
સત્તોપ્રધાન બની જશે. ભણતર તો છે જ કમાણી. યાદ થી તમે પાવન બનો છો. આયુષ્ય લાંબુ
થાય છે. બેટરી ચાર્જ થાય છે. દરેકે જોવાનું છે - કેટલું બાપ ને યાદ કરીએ છીએ? બાપ
ને ભૂલી જવાથી જ બેટરી ડિસ્ચાર્જ થાય છે, કોઈનું પણ સાચ્ચું કનેક્શન નથી. સાચ્ચું
કનેક્શન છે જ આપ બાળકો નું. બાપ ને યાદ કર્યા વગર જ્યોત જાગશે કેવી રીતે? જ્ઞાન પણ
ફક્ત એક બાપ જ આપે છે.
તમે જાણો છો જ્ઞાન છે
દિવસ, ભક્તિ છે રાત. પછી રાત થી થાય છે વૈરાગ, પછી દિવસ શરુ થાય છે. બાપ કહે છે રાત
ને ભૂલો, હવે દિવસ ને યાદ કરો. સ્વર્ગ છે દિવસ, નર્ક છે રાત. આપ બાળકો હવે ચૈતન્ય
માં છો, આ શરીર તો વિનાશી છે. માટી નું બને છે, માટી માં ભળી જાય છે. આત્મા તો
અવિનાશી છે ને? બાકી બેટરી ડિસ્ચાર્જ થાય છે. હમણાં તમે કેટલાં સમજદાર બનો છો. તમારી
બુદ્ધિ ચાલી જાય છે ઘર માં. ત્યાંથી આપણે આવ્યાં છીએ. અહીં સૂક્ષ્મવતન ની તો ખબર પડી
ગઈ. ત્યાં ૪ ભુજાઓ વિષ્ણુ ની દેખાડે છે. અહીં તો ૪ ભુજા હોતી નથી. આ કોઈની પણ બુદ્ધિ
માં નહીં હશે કે બ્રહ્મા-સરસ્વતી પછી લક્ષ્મી-નારાયણ બને છે, એટલે વિષ્ણુ ને ૪ ભુજા
આપી છે. બાપ સિવાય કોઈ સમજાવી ન શકે. આત્મા માં જ સંસ્કાર ભરાય છે. આત્મા જ
તમોપ્રધાન થી ફરી સતોપ્રધાન બને છે. આત્માઓ જ બાપ ને પોકારે છે-ઓ બાબા અમે
ડિસ્ચાર્જ થઈ ગયા છીએ, હવે તમે આવો, અમને ચાર્જ થવું છે. હવે બાપ કહે છે - જેટલું
યાદ કરશો એટલી તાકાત આવશે. બાપ સાથે ખૂબ પ્રેમ હોવો જોઈએ. બાબા અમે તમારા છીએ, તમારા
સાથે જ ઘરે જવા વાળા છીએ. જેમ પિયરઘર થી સાસરા વાળા લઈ જાય છે ને? અહીં તમને બે બાપ
મળ્યાં છે, શૃંગાર કરાવવા વાળા. શૃંગાર પણ સારો જોઈએ અર્થાત્ સર્વગુણ સંપન્ન બનવાનું
છે. પોતાને પૂછવાનું છે, મારા માં કોઈ અવગુણ તો નથી. મન્સા માં પણ ભલે તોફાન આવે
છે, કર્મણા થી તો કાંઈ નથી કરતો? કોઈને દુઃખ તો નથી આપતો? બાપ છે દુઃખહર્તા,
સુખકર્તા. આપણે પણ બધાને સુખ નો રસ્તો બતાવીએ છીએ. બાબા ખૂબ યુક્તિઓ બતાવતા રહે છે.
તમે તો છો સેના. તમારું નામ જ છે પ્રજાપિતા બ્રહ્માકુમાર-કુમારીઓ, કોઈપણ અંદર આવે,
પહેલાં-પહેલાં તો આ પૂછો કે ક્યાંથી આવ્યાં છો? કોની પાસે આવ્યાં છો? કહેશે અમે
બી.કે. ની પાસે આવ્યાં છીએ. અચ્છા બ્રહ્મા કોણ છે? પ્રજાપિતા બ્રહ્મા નું નામ
ક્યારેય સાંભળ્યું છે? હા પ્રજાપિતા નાં તો તમે પણ બાળકો છો. પ્રજા તો બધા થઈ ગયા
ને? તમારા બાપ છે, તમે ફક્ત જાણતા નથી. બ્રહ્મા પણ જરુર કોઈનું બાળક હશે ને? તેમનાં
બાપ નું કોઈ શરીર તો દેખાતું નથી. બ્રહ્મા-વિષ્ણુ-શંકર આ ત્રણેય ની ઉપર છે શિવબાબા.
ત્રિમૂર્તિ શિવ કહેવાય છે ત્રણેય નાં રચયિતા. ઉપર માં એક શિવબાબા, પછી છે ત્રણ. જેમ
સીઝરો (વૃક્ષ) હોય છે ને? બ્રહ્મા નાં બાપ જરુર ભગવાન જ હશે. એ છે આત્માઓ નાં પિતા.
અચ્છા, પછી બ્રહ્મા ક્યાંથી આવ્યાં. બાપ કહે છે હું આમનાં માં પ્રવેશ કરી, આમનું
નામ રાખું છું બ્રહ્મા. આપ બાળકો નાં નામ રાખ્યાં, તો આમનું પણ નામ રાખ્યું બ્રહ્મા.
કહે છે આ મારો દિવ્ય અલૌકિક જન્મ છે. આપ બાળકો ને તો એડોપ્ટ (દત્તક) કરું છું. બાકી
આમનાં માં પ્રવેશ કરું છું પછી તમને સંભળાવું છું એટલે આ થઈ ગયા બાપ-દાદા. જેમનાં
માં પ્રવેશ કર્યો તેમનો આત્મા તો છે ને? તેમની બાજુ માં આવીને બેસું છું. બે આત્માઓ
નો પાર્ટ તો અહીં ખૂબ ચાલે છે. આત્મા ને બોલાવે છે તો આત્મા ક્યાં આવીને બેસશે?
જરુર બ્રાહ્મણ ની બાજુ માં આવીને બેસશે. આ પણ બે આત્માઓ છે બાપ અને દાદા. આમનાં માટે
બાપ કહે છે પોતાનાં જન્મો ને નથી જાણતાં. તમને પણ કહે છે તમે પોતાનાં જન્મો ને નહોતા
જાણતાં. હવે સ્મૃતિ આવી છે કલ્પ-કલ્પ ૮૪ નું ચક્ર લગાવ્યું છે, પછી પાછા જઈએ છીએ. આ
છે સંગમયુગ. હવે ટ્રાન્સફર થઈએ છીએ. યોગ થી તમે સતોપ્રધાન બની જશો, બેટરી ચાર્જ થઈ
જશે. પછી સત્યુગ માં આવી જશો. બુદ્ધિ માં આખું ચક્ર ફરતું રહે છે. ડિટેલ (વિસ્તાર)
માં તો નહીં જઈ શકો. ઝાડ ની પણ આયુ હોય છે, પછી સુકાઈ જાય છે. અહીં પણ બધા મનુષ્ય
જાણે સુકાઈ ગયા છે. બધા એક-બીજા ને દુઃખ આપતા રહે છે. હવે બધા નાં શરીર ખલાસ થઈ જશે.
બાકી આત્માઓ ચાલ્યાં જશે. આ જ્ઞાન બાપ સિવાય કોઈ આપી ન શકે. બાપ જ વિશ્વ ની બાદશાહી
આપે છે, એમને કેટલાં યાદ કરવા જોઈએ. યાદ માં ન રહેવાથી માયા ની થપ્પડ લાગી જાય છે.
સૌથી ભારે થપ્પડ છે વિકાર ની. યુદ્ધ નાં મેદાન માં આપ બ્રાહ્મણ જ છો ને, તો તમને જ
તોફાન આવશે. પરંતુ કોઈ વિકર્મ નથી કરવાનાં. વિકર્મ કર્યા તો હાર ખાધી. બાબા ને કહે
છે આ કરવું પડે છે. બાળકો હેરાન કરે છે તો ગુસ્સો આવી જાય છે. બાળકો ને સારી રીતે
સંભાળીશું નહીં તો ખરાબ થઈ જશે. કોશિશ કરી ને થપ્પડ ન મારો. કૃષ્ણ નાં માટે પણ
દેખાડે છે ને ઓખલી થી બાંધ્યાં. દોરી થી બાંધો, ખાવાનું ન આપો. રડી-રડી ને છેવટે
કહેશે સારું હવે નહીં કરીશું. બાળક છે ફરી પણ કરશે, શિક્ષા આપવાની છે. બાબા પણ બાળકો
ને શિક્ષા આપે છે-બાળકો, ક્યારેય વિકાર માં નહીં જતાં, કુળ-કલંકિત નહી બનતાં. લૌકિક
માં પણ કોઈ કપૂત બાળક હોય છે તો મા-બાપ કહે છે ને-આ શું કાળું મોઢું કરો છો. કુળ ને
કલંક લગાવો છો. હાર-જીત, જીત-હાર, થતાં-થતાં અંતે જીત થઈ જશે. સત્ય ની બેડી (નાવ)
છે, તોફાન ખૂબ આવશે કારણકે આર્ટિફિશિયલ (બનાવટી) ખૂબ નીકળી પડ્યાં છે. કોઈ પોતાને
ભગવાન કહે, કોઈ શું કહે છે! રિદ્ધિ-સિદ્ધિ પણ ખૂબ દેખાડે છે. સાક્ષાત્કાર પણ કરાવે
છે. બાપ આવે જ છે સર્વ ની સદ્દગતિ કરવાં. પછી ન તો આ જંગલ રહેશે, ન જંગલ માં રહેવા
વાળા રહેશે. હમણાં તમે છો સંગમયુગ પર, જાણો છો કે આ જૂની દુનિયા કબ્રસ્તાન થયેલી
છે. કોઈ મરવા વાળા સાથે દિલ થોડી લગાવે છે, આ દુનિયા તો ગઈ કે ગઈ. વિનાશ થયો કે થયો.
બાપ આવે જ ત્યારે છે જ્યારે નવી દુનિયા જૂની થાય છે. બાપ ને સારી રીતે યાદ કરશો તો
બેટરી ચાર્જ થશે. ભલે વાણી તો ખૂબ સારી-સારી ચલાવે છે. પરંતુ યાદ નું બળ નથી તો તે
તાકાત નથી રહેતી. ધારદાર તલવાર નથી. બાપ કહે છે આ કોઈ નવી વાત નથી. ૫ હજાર વર્ષ
પહેલાં પણ આવ્યાં હતાં. બાપ પૂછે છે પહેલાં ક્યારે મળ્યાં છો? તો કહે છે કલ્પ પહેલાં
મળ્યાં હતાં. કોઈ પછી કહી દે છે ડ્રામા જાતે જ પુરુષાર્થ કરાવશે. સારું હવે ડ્રામા
પુરુષાર્થ કરાવી રહ્યો છે ને, તો કરો. એક જગ્યાએ બેસી તો નથી જવાનું. જેમણે કલ્પ
પહેલાં પુરુષાર્થ કર્યો છે, તે કરશે. હજી સુધી જે આવ્યાં નથી, તે આવવાનાં છે. જે
ચાલતાં-ચાલતાં ભાગી ગયા, લગ્ન વગેરે જઈને કર્યા, તેમનો પણ ડ્રામા માં પાર્ટ હશે તો
આવીને ફરી પુરુષાર્થ કરશે, જશે ક્યાં? બાપ ની પાસે જ બધાએ પૂંછડી લટકાવવી પડશે.
લખેલું છે ભીષ્મ પિતામહ વગેરે પણ અંત માં આવે છે. હમણાં તો કેટલો ઘમંડ છે પછી તે
ઘમંડ તેમનો પૂરો થઈ જશે. તમે પણ દર ૫ હજાર વર્ષ પછી પાર્ટ ભજવો છો, રાજાઈ લો છો,
ગુમાવો છો. દિવસે-દિવસે સેવાકેન્દ્ર વધતા જાય છે. ભારતવાસી જે ખાસ દેવી-દેવતાઓ નાં
પુજારી છે તેમને સમજાવવાનું છે, સતયુગ માં દેવી-દેવતા ધર્મ હતો તેની પૂજા કરે છે.
ક્રિશ્ચન લોકો ક્રાઈસ્ટ ની મહિમા કરે છે, આપણે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ ની મહિમા
કરીએ છીએ. તે કોણે સ્થાપન કર્યો. તે લોકો સમજે છે કૃષ્ણ એ સ્થાપન કર્યો ત્યારે તેમની
પૂજા કરતા રહે છે. તમારા માં પણ નંબરવાર છે. કોઈ કેટલી મહેનત કરે છે, કોઈ કેટલી.
દેખાડે છે ને ગોવર્ધન પર્વત ને આંગળી પર ઉઠાવી લીધો.
હમણાં આ જૂની દુનિયા
છે, બધી વસ્તુઓ થી તાકાત નીકળી ગઈ છે. સોનું પણ ખાણો થી નથી નીકળતું, સ્વર્ગ માં તો
સોના નાં મહેલ બને છે. હમણાં તો ગવર્મેન્ટ (સરકાર) હેરાન થઈ જાય છે કારણકે કર્જો
આપવો પડે છે. ત્યાં તો અથાહ ધન છે. દિવાલો માં પણ હીરા-ઝવેરાત લાગેલા હોય છે. હીરા
ની જડત નો શોખ હોય છે. ત્યાં ધન ની ખોટ નથી. કારુન નો ખજાનો રહે છે. અલ્લાહ અવલદીન
ની એક રમત દેખાડે છે. ઠકા કરવા થી મહેલ નીકળી આવે છે. અહીં પણ દિવ્ય-દૃષ્ટિ મળવાથી
સ્વર્ગ માં ચાલ્યાં જાય છે. ત્યાં પ્રિન્સ-પ્રિન્સેસ (રાજકુમાર-રાજકુમારી) ની પાસે
મોરલી વગેરે બધી વસ્તુ હીરા ની હોય છે. અહીં તો કોઈ એવી વસ્તુ પહેરીને બેસે તો
લૂંટીને લઈ જાય. છરી મારીને પણ લઈ જશે. ત્યાં આ વાતો હોતી નથી. આ દુનિયા ખૂબ જૂની
ગંદી છે. આ લક્ષ્મી-નારાયણ ની દુનિયા તો વાહ-વાહ હતી. હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં.
એકલા તો નહીં હશે ને? તેને કહેવાતું હતું સ્વર્ગ, તમે જાણો છો બરોબર આપણે સ્વર્ગ
નાં માલિક હતાં. આપણે આ સોમનાથ નું મંદિર બનાવ્યું હતું. આ સમજીએ છીએ - આપણે શું હતાં
પછી ભક્તિમાર્ગ માં કેવી રીતે મંદિર બનાવીને પૂજા કરી. આત્મા ને પોતાનાં ૮૪ જન્મો
નું જ્ઞાન છે. કેટલાં હીરા-ઝવેરાત હતાં, તે બધાં ક્યાં ગયાં? ધીરે-ધીરે બધા ખતમ થતા
ગયાં. મુસલમાન આવ્યાં, એટલું તો લૂંટી ને લઈ ગયા જે કબરો માં જઈને હીરા લગાવ્યાં,
તાજમહેલ વગેરે બનાવ્યો. પછી બ્રિટિશ ગવર્મેન્ટ ત્યાં થી ખોદીને લઈ ગઈ. હમણાં તો
કાંઈ પણ નથી. ભારત બેગર (કંગાળ) છે, કર્જો જ કર્જો લેતા રહે છે. અનાજ, સાકર વગેરે
કાંઈ નથી મળતું. હવે વિશ્વ ને બદલવાનું છે. પરંતુ તેનાં પહેલાં આત્મા ની બેટરી ને
સતોપ્રધાન બનાવવા માટે ચાર્જ કરવાની છે. બાપ ને યાદ જરુર કરવાના છે. બુદ્ધિ નો યોગ
બાપ ની સાથે હોય, એમની પાસે થી જ તો વારસો મળે છે. માયા ની આમાં જ લડાઈ થાય છે.
પહેલાં આ વાતો ને તમે થોડી સમજતા હતાં? જેમ બીજા તેમ તમે હતાં. તમે હમણાં છો
સંગમયુગી અને તે બધા છે કળિયુગી. મનુષ્ય કહેશે આ લોકો તો જે આવડે છે તે કહેતા રહે
છે. પરંતુ સમજાવવા ની યુક્તિઓ પણ હોય છે ને? ધીરે-ધીરે તમારી વૃદ્ધિ થતી જશે. હમણાં
બાબા મોટી યુનિવર્સિટી ખોલી રહ્યાં છે. આમાં સમજાવવા માટે ચિત્ર તો જોઈએ ને? આગળ
ચાલીને તમારી પાસે આ બધા ચિત્ર ટ્રાન્સલાઈટ નાં બની જશે તો પછી તમને સમજાવવા માં પણ
સહજ થાય.
તમે જાણો છો આપણે આપણી
બાદશાહી ફરી થી સ્થાપન કરી રહ્યાં છીએ, બાપ ની યાદ અને જ્ઞાન થી. માયા વચ્ચે દગો આપે
છે. બાપ કહે છે દગા થી બચતા રહો. યુક્તિઓ તો બતાવતા રહે છે. મુખે થી ફક્ત એટલું બોલો
કે બાપ ને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે અને તમે આ લક્ષ્મી-નારાયણ બની જશો. આ
બેજ વગેરે ભગવાને પોતે બનાવ્યાં છે, તો તેની કેટલી કદર હોવી જોઈએ! અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. સર્વ ગુણો
થી પોતાનો શૃંગાર કરવાનો છે, ક્યારેય કોઈને દુઃખ નથી આપવાનું. બધાને સુખ નો રસ્તો
બતાવવાનો છે.
2. આખી દુનિયા
કબ્રસ્તાન થયેલી છે એટલે એની સાથે દિલ નથી લગાવવાનું. સ્મૃતિ રહે કે હમણાં આપણે
ટ્રાન્સફર થઈ રહ્યાં છીએ, આપણે તો નવી દુનિયા માં જવાનું છે.
વરદાન :-
માયા તથા
વિધ્નો થી સેફ રહેવા વાળા બાપદાદા ની છત્રછાયા નાં અધિકારી ભવ
જે બાપદાદા નાં
સિકિલધા લાડલા છે એમને બાપદાદા ની છત્રછાયા અધિકાર રુપ માં પ્રાપ્ત થાય છે. જે
છત્રછાયા માં માયા ની આવવાની તાકાત નથી. તે સદા માયા પર વિજયી બની જાય છે. આ યાદ
રુપી છત્રછાયા સર્વ વિઘ્નો થી સેફ કરી દે છે. કોઈ પણ પ્રકાર નાં વિઘ્ન છત્રછાયા માં
રહેવા વાળા ની પાસે આવી નથી શકતાં. છત્રછાયા માં રહેવા વાળા માટે મુશ્કેલ થી
મુશ્કેલ વાત પણ સહજ થઈ જાય છે. પહાડ સમાન વાતો રુ જેવી અનુભવ થાય છે.
સ્લોગન :-
પ્રભુ પ્રિય,
લોક પ્રિય અને સ્વયં પ્રિય બનવા માટે સંતુષ્ટતા નો ગુણ ધારણ કરો.
અવ્યક્ત ઈશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો
વિશેષ યાદ ની યાત્રા
ને પાવરફુલ બનાવો, જ્ઞાન-સ્વરુપ નાં અનુભવી બનો. આપ શ્રેષ્ઠ આત્માઓ ની શુભ વૃત્તિ
તથા કલ્યાણ ની વૃત્તિ અને શક્તિશાળી વાતાવરણ અનેક તડપતા, ભટકતા, પોકાર કરવા વાળા
આત્માઓ ને આનંદ, શાંતિ અને શક્તિ ની અનુભૂતિ કરાવશે.