24-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમારો
આ સમય ખૂબ - ખૂબ મુલ્યવાન છે , એટલે આને વ્યર્થ ન ગુમાવો , પાત્ર ને જોઈને જ્ઞાન -
દાન કરો”
પ્રશ્ન :-
ગુણો ની ધારણા પણ થતી
જાય અને ચલન પણ સુધરતી રહે એની સહજ વિધિ શું છે?
ઉત્તર :-
જે બાબાએ સમજાવ્યું છે - તે બીજાઓ ને સમજાવો. જ્ઞાન-ધન નું દાન કરો તો ગુણો ની ધારણા
પણ સહજ થતી જશે, ચલન પણ સુધરતી રહેશે. જેની બુદ્ધિ માં આ નોલેજ નથી રહેતી, જ્ઞાન-ધન
નું દાન નથી કરતા, તે છે મનહુસ (બદનસીબ). તે મફત પોતાને નુકસાન કરે છે.
ગીત :-
બચપન કે દિન
ભૂલા ન દેના…
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
બાળકોએ ગીત સાંભળ્યું, અર્થ તો સારી રીતે સમજ્યો. આપણે આત્મા છીએ અને બેહદ બાપ નાં
બાળકો છીએ - આ ભૂલી ન જાઓ. હમણાં-હમણાં બાપ ની યાદ માં હર્ષિત થાય છે, હમણાં-હમણાં
પછી યાદ ભૂલી જવાથી દુઃખ માં પડી જાય છે. હમણાં-હમણાં જીવો છો, હમણાં-હમણાં મરી પડો
છો અર્થાત્ હમણાં-હમણાં બેહદ નાં બાપ નાં બનો છો, હમણાં-હમણાં પછી શરીરધારી પરિવાર
તરફ ચાલ્યાં જાઓ છો. તો બાપ કહે છે આજે હસ્યાં કાલે રડતાં નહીં. આ થયો ગીત નો અર્થ.
આપ બાળકો જાણો છો -
ખાસ કરીને મનુષ્ય શાંતિ માટે જ ધક્કા ખાય છે. તીર્થ યાત્રા પર જાય છે. એવું નથી કે
ધક્કા ખાવાથી કોઈ શાંતિ મળે છે. આ એક જ સંગમયુગ છે, જ્યારે બાપ આવીને સમજાવે છે.
પહેલાં-પહેલાં તો પોતાને ઓળખો. આત્મા છે જ શાંત સ્વરુપ. રહેવાનું સ્થાન પણ શાંતિધામ
છે. અહીં આવે છે તો કર્મ જરુર કરવા પડે છે. જ્યારે પોતાનાં શાંતિધામ માં છે તો શાંત
છે. સતયુગ માં પણ શાંતિ રહે છે. સુખ પણ છે, શાંતિ પણ છે. શાંતિધામ ને સુખધામ નહીં
કહેવાશે. જ્યાં સુખ છે એને સુખધામ, જ્યાં દુઃખ છે એને દુઃખધામ કહેવાશે. આ બધી વાતો
તમે સમજી રહ્યાં છો. આ બધું સમજાવવા માટે કોઈ ને સન્મુખ જ સમજાવાય છે. પ્રદર્શન માં
જ્યારે અંદર આવે છે તો પહેલાં-પહેલાં બાપ નો જ પરિચય આપવો જોઈએ. સમજાવાય છે આત્માઓ
નાં બાપ એક જ છે. એ જ ગીતા નાં ભગવાન છે. બાકી આ બધા આત્માઓ છે. આત્મા શરીર છોડે અને
લે છે. શરીર નાં નામ જ બદલાય છે. આત્મા નું નામ નથી બદલાતું. તો આપ બાળકો સમજાવી શકો
છો - બેહદ નાં બાપ પાસે થી જ સુખ નો વારસો મળે છે. બાપ સુખ ની સૃષ્ટિ સ્થાપન કરે
છે. બાપ દુઃખ ની સૃષ્ટિ રચે એવું તો હોતું નથી. ભારત માં લક્ષ્મી-નારાયણ નું રાજ્ય
હતું ને? ચિત્ર પણ છે - બોલો આ સુખ નો વારસો મળે છે. જો કહે આ તો તમારી કલ્પના છે
તો એકદમ છોડી દેવું જોઈએ. કલ્પના સમજવા વાળા કાંઈ પણ સમજશે નહીં. તમારો સમય તો બહુ
જ મુલ્યવાન છે. આ આખી દુનિયા માં તમારા જેટલો મુલ્યવાન સમય કોઈનો નથી. મોટાં-મોટાં
મનુષ્યો નો સમય મુલ્યવાન હોય છે. બાપ નો સમય કેટલો મુલ્યવાન છે. બાપ સમજાવીને શું
થી શું બનાવી દે છે! તો બાપ આપ બાળકો ને જ કહે છે કે તમે પોતાનો મુલ્યવાન સમય ન
ગુમાવો. જ્ઞાન પાત્ર ને જ આપવાનું છે. પાત્ર ને સમજાવવું જોઈએ - બધા બાળકો તો સમજી
નથી શકતાં, એટલી બુદ્ધિ નથી જે સમજે. પહેલાં-પહેલાં બાપ નો પરિચય આપવાનો છે. જ્યાં
સુધી આ નથી સમજતા કે આપણા આત્માઓ નાં બાપ શિવ છે તો આગળ કાંઈ પણ નહીં સમજી શકશે.
ખૂબ પ્રેમ, નમ્રતા થી સમજાવીને રવાના કરી દેવા જોઈએ કારણકે આસુરી સંપ્રદાય ઝઘડા
કરવામાં વાર નહીં કરશે. સરકાર વિદ્યાર્થી ની કેટલી મહિમા કરે છે. તેમનાં માટે કેટલાં
પ્રબંધ રાખે છે. કૉલેજ નાં વિદ્યાર્થી જ પહેલાં-પહેલાં પત્થર મારવાનું શરુ કરે છે.
જોશ હોય છે ને? વૃદ્ધો તથા માતાઓ તો પથ્થર એટલાં જોર થી મારી ન શકે. વધારે કરીને
વિદ્યાર્થીઓ નો જ અવાજ થાય છે. એમને જ લડાઈ માટે તૈયાર કરે છે. હવે બાપ આત્માઓ ને
સમજાવે છે - તમે ઉલ્ટા બની ગયા છો. પોતાને આત્મા નાં બદલે શરીર સમજી લો છો. હમણાં
બાપ તમને સીધા કરી રહ્યાં છે. કેટલો રાત-દિવસ નો ફરક થઈ જાય છે. સીધા થવાથી તમે
વિશ્વ નાં માલિક બની જાઓ છો. હમણાં તમે સમજો છો આપણે અડધોકલ્પ ઉલ્ટા હતાં. હમણાં
બાપ અડધાકલ્પ માટે સુલ્ટા બનાવે છે. અલ્લાહ નાં બાળકો થઈ જાઓ છો તો વિશ્વ ની બાદશાહી
નો વારસો મળે છે. રાવણ ઉલ્ટા કરી દે છે તો કળા કાયા ચટ થઈ જાય છે પછી પડતા જ રહે
છે. રામ રાજ્ય અને રાવણ રાજ્ય ને આપ બાળકો જાણો છો. તમારે બાપ ની યાદ માં રહેવાનું
છે. ભલે શરીર નિર્વાહ અર્થ કર્મ પણ કરવાનાં છે તો પણ સમય તો ખૂબ મળે છે. કોઈ
જિજ્ઞાસુ વગેરે નથી, કામ નથી તો બાપ ની યાદ માં બેસી જવું જોઈએ. તે તો છે અલ્પકાળ
માટે કમાણી અને તમારી આ છે સદાકાળ માટે કમાણી, આમાં અટેન્શન (ઘ્યાન) વધારે આપવું પડે
છે. માયા ઘડી-ઘડી બીજી તરફ વિચારો ને લઈ જાય છે. આ તો થશે જ. માયા ભુલાવતી રહેશે.
આનાં પર એક નાટક પણ દેખાડે છે - પ્રભુ આવું કહે છે, માયા આવું કહે છે. બાપ બાળકો ને
સમજાવે છે મામેકમ્ યાદ કરો, એમાં જ વિઘ્ન પડે છે. બીજી કોઈ વાત માં આટલાં વિઘ્ન નથી
પડતાં. પવિત્રતા પર કેટલો માર ખાય છે. ભાગવત્ વગેરે માં આ સમય નું જ ગાયન છે.
પૂતનાઓ, સૂરપણખાઓ પણ છે, આ બધી આ સમય ની વાતો છે જ્યારે બાપ આવીને પવિત્ર બનાવે છે.
ઉત્સવ વગેરે પણ જે મનાવે છે, જે પાસ્ટ (ભૂતકાળ) થઈ ગયું છે, એનો પછી તહેવાર મનાવે
છે. પાસ્ટ ની મહિમા કરતા આવ્યાં છે. રામ રાજ્ય ની મહિમા ગાય છે કારણકે પાસ્ટ થઈ ગયું
છે. જેમ ક્રાઈસ્ટ વગેરે આવ્યાં, ધર્મ સ્થાપન કરીને ગયાં. તિથિ-તારીખ પણ લખી દે છે
પછી એમનો જન્મદિવસ મનાવતા આવે છે. ભક્તિમાર્ગ માં પણ આ ધંધો અડધોકલ્પ ચાલે છે.
સતયુગ માં આ હોતું નથી. આ દુનિયા જ ખતમ થઈ જવાની છે. આ વાતો તમારા માં પણ ખૂબ થોડા
છે જે સમજે છે. બાપે સમજાવ્યું છે સર્વ આત્માઓએ અંત માં પાછું જવાનું છે. બધા
આત્માઓ શરીર છોડી ચાલ્યાં જશે. આપ બાળકો ની બુદ્ધિ માં છે - બાકી થોડા દિવસ છે. હવે
ફરી થી આ બધું વિનાશ થઈ જવાનું છે. સતયુગ માં ફક્ત આપણે જ આવીશું. સર્વ આત્માઓ તો
નહીં આવશે. જે કલ્પ પહેલાં આવ્યાં હતાં તે જ નંબરવાર આવશે. તે જ સારી રીતે ભણીને પછી
ભણાવી પણ રહ્યાં છે. જે સારું ભણે છે તે જ પછી નંબરવાર ટ્રાન્સફર થાય છે. તમે પણ
ટ્રાન્સફર થાઓ છો. તમારી બુદ્ધિ જાણે છે જે આત્માઓ છે બધા નંબરવાર શાંતિધામ માં જઈને
બેસશે પછી નંબરવાર આવતા રહેશે. બાપ છતાં પણ કહે છે મૂળ વાત છે બાપ નો પરિચય આપવાની.
બાપ નું નામ સદૈવ મુખ માં હોય. આત્મા શું છે? પરમાત્મા શું છે? દુનિયામાં કોઈ પણ નથી
જાણતાં. ભલે ગાય છે ભ્રકુટી નાં વચ્ચે ચમકે છે અજબ સિતારો… બસ, વધારે કાંઈ નથી સમજતાં.
તે પણ આ જ્ઞાન બહુ જ થોડાક ની બુદ્ધિ માં છે. ઘડી-ઘડી ભૂલી જાય છે. પહેલાં-પહેલાં
સમજાવવાનું છે કે બાપ જ પતિત-પાવન છે. વારસો પણ આપે છે, શહેનશાહ (રાજા) બનાવે છે.
તમારી પાસે ગીત પણ છે - આખિર વહ દિન આયા આજ… જેનો રસ્તો ભક્તિ માર્ગ માં બહુ જ તકતાં
હતાં. દ્વાપર થી ભક્તિ શરુ થાય છે પછી અંત માં બાપ આવીને રસ્તો બતાવે છે. કયામત નો
સમય પણ આને જ કહેવાય છે. આસુરી બંધન નો બધો હિસાબ-કિતાબ ચુક્તું કરી પછી ફરી ચાલ્યાં
જાય છે. ૮૪ જન્મો નાં પાર્ટ ને તમે જાણો છો. આ પાર્ટ ભજવાતો જ રહે છે. શિવજયંતી
મનાવે છે તો જરુર શિવ આવ્યાં હશે. જરુર કાંઈક કર્યુ હશે. એ જ નવી દુનિયા બનાવે છે.
આ લક્ષ્મી-નારાયણ માલિક હતાં, હમણાં નથી. ફરી બાપ રાજયોગ શીખવાડે છે. આ રાજયોગ
શીખવાડ્યો હતો. તમારા સિવાય બીજા કોઈનાં મુખ માં આવી ન શકે. તમે જ સમજાવી શકો છો.
શિવબાબા આપણને રાજયોગ શીખવાડી રહ્યાં છે. શિવોહમ્ નું જે ઉચ્ચારણ કરે છે તે પણ ખોટું
છે. તમને હમણાં બાપે સમજાવ્યું છે - તમે જ ચક્ર લગાવી બ્રાહ્મણ કુળ થી દેવતા કુળ
માં આવો છો. સો હમ, હમ સો (આપણે જ હતાં અને આપણે જ બનીશું) નો અર્થ પણ તમે સમજાવી
શકો છો. હમણાં આપણે બ્રાહ્મણ છીએ, આ ૮૪ નું ચક્ર છે. આ કોઈ મંત્ર જપવાનો નથી. બુદ્ધિ
માં અર્થ રહેવો જોઈએ. તે પણ સેકન્ડ ની વાત છે. જેમ બીજ અને ઝાડ સેકન્ડ માં આખું
ધ્યાન માં આવી જાય છે. તેમ હમ સો નું રહસ્ય પણ સેકન્ડ માં આવી જાય છે. આપણે આમ ચક્ર
લગાવીએ છીએ જેને સ્વદર્શન ચક્ર પણ કહેવાય છે. તમે કોઈને કહો અમે સ્વદર્શન ચક્રધારી
છીએ તો કોઈ માનશે નહીં. કહેશે આ તો બધા પોતાનાં ઉપર ટાઈટલ (શીર્ષક) રાખે છે. પછી તમે
સમજાવશો કે આપણે ૮૪ જન્મ કેવી રીતે લઈએ છીએ. આ ચક્ર ફરે છે. આત્મા ને પોતાનાં ૮૪
જન્મો નાં દર્શન થાય છે, આને જ સ્વદર્શન ચક્રધારી કહેવાય છે. પહેલાં તો સાંભળીને
ચમકી જાય છે. આ પછી શું ગપ્પા લગાવે છે? જ્યારે તમે બાપ નો પરિચય આપશો તો તેમને
ગપ્પા નહીં લાગશે. બાપ ને યાદ કરે છે. ગાય પણ છે બાબા તમે આવશો તો અમે વારી જઈશું.
તમને જ યાદ કરીશું. બાપ કહે છે તમે કહેતાં હતાં ને - હવે પછી તમને યાદ અપાવું છું.
નષ્ટોમોહા થઈ જાઓ. આ દેહ થી પણ નષ્ટોમોહા થઈ જાઓ. પોતાને આત્મા સમજી મને જ યાદ કરો
તો તમારા વિકર્મો વિનાશ થઈ જશે. આ મીઠી વાત બધાને પસંદ આવશે. બાપ નો પરિચય નહીં હશે
તો પછી કોઈ ન કોઈ વાત માં સંશય ઉઠાવતા રહેશે, એટલે પહેલાં તો ૨-૩ ચિત્ર આગળ રાખી
દો, જેમાં બાપ નો પરિચય હોય. બાપ નો પરિચય મળવાથી વારસા નો પણ મળી જશે.
બાપ કહે છે - હું તમને
રાજાઓનાં રાજા બનાવું છું. આ ચિત્ર બનાવો. ડબલ સિરતાજ રાજાઓ નાં આગળ સિંગલ તાજવાળા
માથું નમાવે છે. પોતેજ પૂજ્ય પોતેજ પુજારી નું પણ રહસ્ય સમજ માં આવી જાય. પહેલાં
બાપ ની પૂજા કરે છે પછી પોતાનાં જ ચિત્રો ની બેસી પૂજા કરે છે. જે પાવન થઈને ગયા છે
તેમનાં ચિત્ર બનાવી બેસીને પૂજે છે. આ પણ તમને હમણાં જ્ઞાન મળ્યું છે. પહેલાં તો
ભગવાન માટે જ કહી દેતા હતાં પોતેજ પૂજ્ય પોતેજ પુજારી. હવે તમને સમજાવાયું છે - તમે
જ આ ચક્ર માં આવો છો. બુદ્ધિ માં આ નોલેજ સદૈવ રહે છે અને પછી સમજાવવાનું પણ છે. ધન
દિયે ધન ન ખૂટે… જે ધન-દાન નથી કરતા તેમને મનહૂસ (કમનસીબ) પણ કહે છે. બાપે જે
સમજાવ્યું છે તે પછી બીજાઓ ને સમજાવવાનું છે. નહીં સમજાવશે તો મફત માં પોતાનું
નુકસાન કરશે. ગુણ પણ ધારણ નહીં થશે. ચલન જ એવી થઈ જશે. દરેક પોતાને સમજી તો શકે છે
ને? તમને હવે સમજ મળી છે. બાકી બધા છે બેસમજ. તમે બધું જ જાણો છો. બાપ કહે છે આ તરફ
છે દૈવી સંપ્રદાય, તે તરફ છે આસુરી સંપ્રદાય. બુદ્ધિ થી તમે જાણો છો હમણાં આપણે
સંગમયુગ પર છીએ. એક જ ઘર માં એક સંગમયુગ નાં, એક કળિયુગ નાં, બન્ને સાથે રહે છે. પછી
જોવાય છે હંસ બનવા લાયક નથી તો યુક્તિ રચાય છે. નહીં તો વિઘ્ન નાખતા રહેશે. કોશિશ
કરવાની છે આપ સમાન બનાવવાની. અહીં તો હેરાન કરતા રહેશે પછી યુક્તિ થી કિનારો કરવો
પડે છે. વિઘ્ન તો પડશે. આવું જ્ઞાન તો તમે જ આપો છો. મીઠાં પણ ખૂબ બનવાનું છે.
નષ્ટોમોહા પણ થવું પડે. એક વિકાર ને છોડ્યો તો પછી બીજા વિકાર ખિટ-ખિટ મચાવે છે.
સમજાય છે જે કાંઈ થાય છે કલ્પ પહેલાં ની જેમ. એવું સમજી શાંત રહેવું પડે છે. ભાવી
સમજાય છે. સારા-સારા સમજાવવા વાળા બાળકો પણ નીચે પડી જાય છે. બહુ જોર થી થપ્પડ ખાઈ
લે છે. પછી કહેવાય છે કલ્પ પહેલાં પણ થપ્પડ ખાધી હશે. દરેક પોતાની અંદર સમજી શકે
છે. લખે પણ છે બાબા, અમે ક્રોધ માં આવી ગયા, ફલાણા ને માર્યુ આ ભૂલ થઈ. બાપ સમજાવે
છે જેટલું થઈ શકે કંટ્રોલ (નિયંત્રણ) કરો. કેવાં-કેવાં મનુષ્ય છે, અબળાઓ ઉપર કેટલાં
અત્યાચાર કરે છે. પુરુષ બળવાન હોય છે, સ્ત્રી અબળા હોય છે. બાપ પછી તમને આ ગુપ્ત
લડાઈ શીખવાડે છે જેનાથી તમે રાવણ પર જીત મેળવો છો. આ લડાઈ કોઈની બુદ્ધિ માં નથી.
તમારા માં પણ નંબરવાર છે જે સમજી શકે છે. આ છે બિલકુલ નવી વાત. હમણાં તમે ભણી રહ્યાં
છો - સુખધામ માટે. આ પણ હમણાં યાદ છે પછી ભૂલી જશો. મૂળ વાત છે જ યાદ ની યાત્રા.
યાદ થી આપણે પાવન બની જઈશું. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. કાંઈ પણ
થાય છે તો ભાવી સમજી શાંત રહેવાનું છે. ક્રોધ નથી કરવાનો. જેટલું થઈ શકે પોતે પોતાને
કંટ્રોલ (નિયંત્રણ) કરવાનું છે. યુક્તિ રચી આપ સમાન બનાવવાની કોશિશ કરવાની છે.
2. બહુ જ પ્રેમ અને
નમ્રતા થી બધાને બાપ નો પરિચય આપવાનો છે. બધાને આ જ મીઠી-મીઠી વાત સંભળાવો કે બાપ
કહે છે પોતાને આત્મા સમજી મને યાદ કરો, આ દેહ થી નષ્ટોમોહા થઈ જાઓ.
વરદાન :-
દરેક આત્મા ને
ભટકવા અથવા ભિખારીપણા થી બચાવવા વાળા નિષ્કામ રહેમદિલ ભવ
જે બાળકો નિષ્કામ
રહેમદિલ છે એમનાં રહેમ નાં સંકલ્પ થી અન્ય આત્માઓ ને પોતાનાં રુહાની રુપ અથવા રુહ
ની મંઝિલ સેકન્ડ માં સ્મૃતિ માં આવી જશે. એમનાં રહેમ નાં સંકલ્પ થી ભિખારી ને સર્વ
ખજાનાઓ ની ઝલક દેખાશે. ભટકતા આત્માઓ ને મુક્તિ કે જીવનમુક્તિ નો કિનારો અથવા મંઝિલ
સામે દેખાશે. તે સર્વ નાં દુઃખહર્તા સુખકર્તા નો પાર્ટ ભજવશે, દુઃખી ને સુખી કરવાની
યુક્તિ અથવા સાધન સદા એમની પાસે જાદુ ની ચાવી ની જેમ હશે.
સ્લોગન :-
સેવાધારી બની
નિ:સ્વાર્થ સેવા કરો તો સેવા નો મેવો મળવાનો જ છે.
અવ્યક્ત ઇશારા -
અશરીરી અથવા વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
અંત સમય માં પ્રકૃતિ
નાં પાંચેવ તત્વ સારી રીતે થી હલાવવાની કોશિશ કરશે, પરંતુ વિદેહી અવસ્થા નાં અભ્યાસી
આત્મા બિલકુલ એવાં અચલ-અડોલ પાસ વિથ ઓનર હશે જે બધી વાતો પાસ થઈ જશે પરંતુ તે
બ્રહ્મા બાપ નાં સમાન પાસ વિથ ઓનર નું સબૂત આપશે, એનાં માટે સમય કાઢીને પ્રકૃતિ નાં
પાચેય તત્વો ની સેવા કરતા, શુભ ભાવના ની સકાશ આપતા રહો.