25-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - આત્મા
ને સતોપ્રધાન બનાવવાની ફુરના ( ફિકર ) રાખો , કોઈ પણ ખામી રહી ન જાય , માયા ગફલત ન
કરાવી દે”
પ્રશ્ન :-
આપ બાળકો નાં મુખ થી કયા શુભ બોલ સદા નીકળવા જોઈએ?
ઉત્તર :-
સદા મુખ થી આ જ શુભ બોલ બોલો કે અમે નર થી નારાયણ બનીશું, નીંચા નહીં. અમે જ વિશ્વ
નાં માલિક હતાં ફરી થી બનીશું. પરંતુ આ મંઝિલ ઊંચી છે, એટલે ખૂબ-ખૂબ ખબરદાર રહેવાનું
છે. પોતાનો પોતામેલ જોવાનો છે. મુખ્ય-ઉદ્દેશ ને સામે રાખી પુરુષાર્થ કરતા રહેવાનું
છે, હાર્ટફેલ (હતાશ) નથી થવાનું.
ઓમ શાંતિ!
બાપ રુહાની
બાળકો ને સમજાવે છે - અહીં જ્યારે યાદ ની યાત્રા માં બેસો છો તો ભાઈ-બહેનો ને કહો
કે તમે આત્મ-અભિમાની થઈ બેસો અને બાપ ને યાદ કરો. આ સ્મૃતિ અપાવવી જોઈએ. તમને હમણાં
આ સ્મૃતિ મળી રહી છે. આપણે આત્મા છીએ, આપણા બાપ આપણને ભણાવવા આવે છે. આપણે પણ
કર્મેન્દ્રિયો દ્વારા ભણીએ છીએ. બાપ પણ કર્મેન્દ્રિયો નો આધાર લઈને આમનાં દ્વારા
પહેલાં-પહેલાં કહે છે - બાપ ને યાદ કરો. બાળકો ને સમજાવાયું છે કે આ છે જ્ઞાનમાર્ગ.
ભક્તિમાર્ગ નહીં કહેવાશે. જ્ઞાન ફક્ત એક જ જ્ઞાન સાગર પતિત-પાવન આપે છે. તમને પહેલાં
નંબર નો પાઠ આ જ મળે છે - પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરો. આ ખૂબ જરુરી છે. બીજા
કોઈ પણ સત્સંગ માં કોઈને કહેતાં આવડશે નહીં. ભલે આજકાલ આર્ટિફિશિયલ (બનાવટી)
સંસ્થાઓ ખૂબ નીકળી છે. તમારી પાસે થી સાંભળીને કોઈ કહે પણ પરંતુ અર્થ સમજી ન શકે.
સમજાવવા ની અક્કલ નહીં આવશે. આ તમને જ બાપ કહે છે કે બેહદ નાં બાપ ને યાદ કરો તો
વિકર્મ વિનાશ થઈ જાય. વિવેક પણ કહે છે આ જૂની દુનિયા છે. નવી દુનિયા અને જૂની દુનિયા
માં ખૂબ ફરક છે. તે છે પાવન દુનિયા, આ છે પતિત દુનિયા. બોલાવે પણ છે હે પતિત-પાવન,
આવો, આવીને પાવન બનાવો. ગીતા માં પણ શબ્દ છે મામેકમ્ યાદ કરો. દેહ નાં સર્વ સંબંધો
ત્યાગી પોતાને આત્મા સમજો. આ દેહ નાં સંબંધ પહેલાં નહોતાં. તમે આત્મા અહીં આવો છો
પાર્ટ ભજવવાં. ગાયન પણ છે એકલા આવ્યાં એકલા જવાનું છે. આનો અર્થ મનુષ્ય નથી સમજતાં.
હવે તમે પ્રેક્ટિકલ માં જાણો છો. આપણે હમણાં પાવન બની રહ્યાં છીએ યાદ ની યાત્રા થી
અથવા યાદ નાં બળ થી. આ છે જ રાજયોગ બળ. તે છે હઠયોગ જેનાથી મનુષ્ય થોડા સમય માટે
તંદુરસ્ત રહે છે. સતયુગ માં તમે કેટલાં તંદુરસ્ત રહો છો. હઠયોગ ની જરુર નથી. આ બધું
અહીંયા આ છી-છી દુનિયા માં કરે છે. આ છે જ જૂની દુનિયા. સતયુગ નવી દુનિયા જે પાસ્ટ
(ભૂતકાળ) થઈ ગઈ છે, તેમાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. આ કોઈને પણ ખબર નથી.
ત્યાં દરેક ચીજ નવી છે. ગીત પણ છે ને જાગ સજનિયા જાગ… નવયુગ છે સતયુગ. જૂનો યુગ છે
કળિયુગ. હમણાં આને કોઈ પણ સતયુગ તો નહીં કહેશે. હમણાં કળિયુગ છે, તમે સતયુગ માટે ભણો
છો. આવું ભણાવવા વાળા તો કોઈ પણ નહીં હશે જે કહે કે આ ભણતર થી તમને નવી દુનિયા માં
રાજ્ય પદ મળશે. બાપ સિવાય બીજું કોઈ બોલી ન શકે. આપ બાળકો ને દરેક વાત ની સ્મૃતિ
અપાવાય છે. ગફલત નથી કરવાની. બાબા બધાને સમજાવતા રહે છે. ક્યાંય પણ બેસો, ધંધો વગેરે
કરો, પોતાને આત્મા સમજીને કરો. ધંધાધોરી માં જરાક મુશ્કેલી હોય છે તો જેટલું થઈ શકે
- સમય કાઢી યાદ માં બેસો ત્યારે જ આત્મા પવિત્ર બનશે. બીજો કોઈ ઉપાય નથી. તમે
રાજયોગ શીખી રહ્યાં છો નવી દુનિયા માટે. ત્યાં આયરન એજ (કળિયુગી) આત્મા જઈ ન શકે.
માયાએ આત્માની પાંખો તોડી નાખી છે. આત્મા ઉડે છે ને? એક શરીર છોડી બીજું લે છે.
આત્મા છે સૌથી તેજ (તીવ્ર) રોકેટ. આપ બાળકો ને આ નવી-નવી વાતો સાંભળીને વન્ડર (આશ્ચર્ય)
લાગે છે. આત્મા કેટલું નાનું રોકેટ છે! તેમાં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. આવી
વાતો દિલ માં યાદ રાખવા થી ઉમંગ આવશે. સ્કૂલ માં વિદ્યાર્થીઓ ની બુદ્ધિ માં વિદ્યા
યાદ રહે છે ને? તમારી બુદ્ધિ માં હવે શું છે? બુદ્ધિ કોઈ શરીર માં નથી. આત્મા માં જ
મન-બુદ્ધિ છે. આત્મા જ ભણે છે. નોકરી વગેરે બધું આત્મા જ કરે છે. શિવબાબા પણ આત્મા
છે. પરંતુ એમને પરમ કહેવાય છે. એ જ્ઞાન નાં સાગર છે. એ ખૂબ નાનું બિંદુ છે. આ પણ
કોઈને ખબર નથી, જે એ બાપ માં સંસ્કાર છે તે જ આપ બાળકો માં ભરાય છે. હમણાં તમે
યોગબળ થી પાવન બની રહ્યાં છો. તેનાં માટે પુરુષાર્થ કરવો પડે. ભણતર માં ફૂરના (ફિકર)
તો રહે છે કે ક્યાંય અમે ફેલ ન થઈ જઈએ. આમાં પહેલાં નંબર નો વિષય જ આ છે કે આપણે
આત્મા સતોપ્રધાન બનીએ. કાંઈ ખામી ન રહી જાય. નહીં તો નાપાસ થઈ જઈશું. માયા તમને
દરેક વાત માં ભુલાવે છે. આત્મા ઈચ્છે પણ છે ચાર્ટ રાખીએ. આખાં દિવસ માં કોઈ આસુરી
કામ ન કરીએ. પરંતુ માયા ચાર્ટ રાખવા નથી દેતી. તમે માયા નાં ચંબા માં આવી જાઓ છો.
દિલ કહે પણ છે - પોતામેલ રાખીએ. વેપારી લોકો હંમેશા ફાયદા નુકસાન નો પોતામેલ રાખે
છે. તમારો તો આ ખૂબ મોટો પોતામેલ છે. ૨૧ જન્મો ની કમાણી છે, આમાં ગફલત ન કરવી જોઈએ.
બાળકો ખૂબ ગફલત કરે છે. આ બાબા ને તો આપ બાળકો સૂક્ષ્મવતન માં, સ્વર્ગ માં પણ જુઓ
છો. બાબા પણ ખૂબ પુરુષાર્થ કરે છે. વન્ડર (આશ્ચર્ય) પણ ખાતા રહે છે. બાબા ની યાદ
માં સ્નાન કરું છું, ભોજન ખાઉં છું, છતાં પણ ભૂલી જાઉં છું ફરી યાદ કરવા લાગું છું.
ઊંચો વિષય છે આ. આ વાત માં કોઈ પણ મતભેદ આવી ન શકે. ગીતા માં પણ છે દેહ સહિત દેહ
નાં બધા ધર્મ છોડો. બાકી રહ્યો આત્મા. દેહ ને ભૂલી પોતાને આત્મા સમજો. આત્મા જ પતિત
તમોપ્રધાન બન્યો છે. મનુષ્ય પછી કહી દે છે આત્મા નિર્લેપ છે. આત્મા સો પરમાત્મા સો
આત્મા છે એટલે સમજે છે આત્મા માં કોઈ લેપ-છેપ નથી લાગતાં. તમોગુણી મનુષ્ય શિક્ષા પણ
તમોગુણી આપે છે. સતોગુણી બનાવી ન શકે. ભક્તિમાર્ગ માં તમોપ્રધાન બનવાનું છે. દરેક
ચીજ પહેલાં સતોપ્રધાન પછી રજો, તમો માં આવે છે. કન્સ્ટ્રકશન અને ડિસ્ટ્રકશન થાય છે.
બાપ નવી દુનિયા નું કન્સ્ટ્રકશન કરાવે પછી આ જૂની દુનિયા નું ડિસ્ટ્રકશન થઈ જાય છે.
ભગવાન તો નવી દુનિયા રચવા વાળા છે. આ જૂની દુનિયા બદલાઈને નવી થશે. નવી દુનિયા નાં
ચિન્હ તો આ લક્ષ્મી-નારાયણ છે ને? આ નવી દુનિયા નાં માલિક છે. ત્રેતા ને પણ નવી
દુનિયા નહીં કહેવાશે. કળિયુગ ને જૂનો, સતયુગ ને નવો કહેવાય છે. કળિયુગ અંત અને
સતયુગ આદિ નો આ છે સંગમયુગ. કોઈ એમ એ., બી.એ. ભણે છે તો ઊંચ બની જાય છે ને? તમે આ
ભણતર થી કેટલાં ઉંચ બનો છો. દુનિયા આ વાત ને નથી જાણતી કે આમને આટલાં ઊંચા કોણે
બનાવ્યાં. તમે હવે આદિ-મધ્ય-અંત ને જાણી ગયા છો. બધાની જીવન કહાણી ને તમે જાણો છો.
આ છે જ્ઞાન. ભક્તિ માં જ્ઞાન નથી ફક્ત કર્મકાંડ શીખવાડે છે. ભક્તિ અથાહ છે. કેટલું
વર્ણન કરે છે. ખૂબ સુંદર દેખાય છે. બીજ માં શું સુંદરતા છે, આટલું નાનું બીજ કેટલું
મોટું થઈ જાય છે. ભક્તિ નું આ ઝાડ છે, અથાહ કર્મકાંડ છે. જ્ઞાન નો મંત્ર એક જ છે
મનમનાભવ. બાપ કહે છે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવા માટે મને યાદ કરો. તમે કહો પણ છો
હે પતિત-પાવન આવીને અમને પાવન બનાવો. રાવણ રાજ્ય માં બધા પતિત દુઃખી છે. રામ રાજ્ય
માં બધા છે પાવન સુખી. રામ રાજ્ય, રાવણ રાજ્ય નામ તો છે. રામ રાજ્ય ની કોઈને ખબર નથી
આપ બાળકો સિવાય. તમે હમણાં પુરુષાર્થ કરી રહ્યાં છો. ૮૪ જન્મો નાં રહસ્ય ને પણ તમારા
સિવાય કોઈ નથી જાણતાં. ભલે કહે છે ભગવાનુવાચ - મનમનાભવ. તો શું આવી રીતે થોડી કોઈ
સમજાવશે કે તમે ૮૪ જન્મ કેવી રીતે પૂરાં લીધાં? હવે ચક્ર પૂરું થાય છે. ગીતા
સંભળાવવા વાળાનું જઈને સાંભળો - ગીતા પર શું બોલે છે. તમારી બુદ્ધિ માં તો હવે બધું
જ્ઞાન ટપકતું રહે છે. બાબા પૂછે છે - આગળ ક્યારેય મળ્યાં છો? કહે છે હા બાબા, કલ્પ
પહેલાં મળ્યાં હતાં. બાબા પૂછે છે અને તમે ઉત્તર આપો છો અર્થ સહિત. એવું નથી કે
પોપટ ની જેમ કહી દેશો. પછી બાબા પૂછે છે - કેમ મળ્યાં હતાં, શું મેળવ્યું હતું? તો
તમે કહી શકો છો - અમે વિશ્વ નું રાજ્ય મેળવ્યું હતું, તેમાં બધું આવી જાય છે. ભલે
તમે કહો છો નર થી નારાયણ બન્યાં હતાં પરંતુ વિશ્વ નાં માલિક બનવું, તેમાં રાજા-રાણી
અને દૈવી રાજધાની બધું છે. તેનાં માલિક રાજા, રાણી, પ્રજા બધા બનશે. આને કહેવાય છે
શુભ બોલવું. આપણે તો નર થી નારાયણ બનીશું, નીંચા નહીં. બાપ કહેશે - હા બાળકો, પૂરો
પુરુષાર્થ કરો. પોતાનો પોતામેલ પણ જોવાનો છે - આ હાલત માં અમે ઊંચ પદ મેળવી શકીશું
કે નહીં? કેટલાં ને રસ્તો બતાવ્યો છે? કેટલાં આંધળા ની લાઠી બન્યો છું? જો સર્વિસ (સેવા)
નથી કરતા તો સમજવું જોઈએ - અમે પ્રજા માં ચાલ્યાં જઈશું. પોતાનાં દિલ થી પૂછવાનું
છે જો હમણાં મારું શરીર છૂટી જાય તો શું પદ મેળવીશ? ખૂબ ઊંચી મંઝિલ છે તો ખબરદાર
રહેવું જોઈએ. ઘણાં બાળકો સમજે છે બરોબર અમે તો યાદ જ નથી કરતા તો પછી પોતામેલ રાખીને
શું કરીશું? તેમને પછી હાર્ટફેલ (હતાશા) કહેવાય છે. તે ભણે પણ એવું જ છે. ધ્યાન નથી
આપતાં. મિયા મીઠ્ઠું બની બેસી નથી જવાનું જે અંત માં ફેલ (નાપાસ) થઈ જાઓ. પોતાનું
કલ્યાણ કરવાનું છે. મુખ્ય ઉદ્દેશ તો સામે છે. આપણે ભણીને આ બનવાનું છે. આ પણ વન્ડર
છે ને? કળિયુગ માં તો રાજાઈ નથી. સતયુગ માં પછી આમની રાજાઈ ક્યાંથી આવી? બધો આધાર
ભણતર પર છે. એવું નથી કે દેવતાઓ અને અસુરો ની લડાઈ લાગી, દેવતાઓએ જીતીને રાજ્ય
મેળવ્યું. હવે અસુરો અને દેવતાઓ ની લડાઈ લાગી કેવી રીતે શકે? નથી કૌરવો અને પાંડવો
ની લડાઈ. લડાઈ ની વાત જ નિષેધ થઈ જાય છે. પહેલાં તો આ બતાવો કે બાપ કહે છે - દેહ
નાં સર્વ સંબંધ છોડી પોતાને આત્મા સમજો. તમે આત્મા અશરીરી આવ્યાં હતાં, હવે ફરી પાછા
જવાનું છે. પવિત્ર આત્માઓ જ પાછા જઈ શકશે. તમોપ્રધાન આત્માઓ તો જઈ ન શકે. આત્મા ની
પાંખો તૂટેલી છે. માયાએ પતિત બનાવ્યાં છે. તમોપ્રધાન હોવાનાં કારણે આટલી દૂર હોલી (પવિત્ર)
જગ્યાએ જઈ ન શકે. હમણાં તમારો આત્મા કહેશે કે અમે અસલ પરમધામ નાં રહેવા વાળા છીએ.
અહીં આ ૫ તત્વો નું પૂતળું લીધું છે - પાર્ટ ભજવવા માટે. મરે છે તો કહે છે
સ્વર્ગવાસી થયાં. કોણ? ત્યાં શરીર ગયું કે આત્મા ગયો? શરીર તો બળી ગયું. બાકી રહ્યો
આત્મા. તે સ્વર્ગ માં તો જઈ ન શકે. મનુષ્યો ને તો જેમણે જે સંભળાવ્યું તે કહેતાં રહે
છે. ભક્તિમાર્ગ વાળાઓ એ ભક્તિ જ શીખવાડી છે, ઓક્યૂપેશન (કર્તવ્ય) ની કોઈને ખબર નથી.
શિવ ની પૂજા સૌથી ઊંચ કહે છે. ઊંચા માં ઊંચા શિવ છે, એમને જ યાદ કરો, સિમરણ કરો.
માળા પણ આપે છે. શિવ-શિવ કહેતાં માળા ફેરવતા રહો. વગર અર્થ માળા ઉઠાવી શિવ-શિવ કહેતાં
રહેશે. અનેક પ્રકાર ની શિક્ષાઓ ગુરુ લોકો આપે છે. અહીં તો એક જ વાત છે - બાપ સ્વયં
કહે છે મને યાદ કરવાથી વિકર્મ વિનાશ થશે. શિવ-શિવ મુખ થી કહેવાનું નથી. બાપ નું નામ
બાળક થોડી સિમરણ કરે છે. આ છે બધું ગુપ્ત. કોઈને પણ ખબર નથી કે તમે શું કરી રહ્યાં
છો. જેમણે કલ્પ પહેલાં સમજ્યું હશે તે જ સમજશે. નવાં-નવાં બાળકો આવતા રહે છે, વૃદ્ધિ
થતી રહે છે. આગળ ચાલી ડ્રામા શું દેખાડે છે તે સાક્ષી થઈને જોવાનું છે. પહેલાં થી
બાબા સાક્ષાત્કાર નહીં કરાવશે કે આ-આ થશે. પછી તો આર્ટિફિશિયલ (બનાવટી) થઈ જાય. આ
ખૂબ સમજવાની વાતો છે. તમને સમજ મળે છે, ભક્તિમાર્ગ માં બેસમજ હતાં. જાણો છો ડ્રામા
માં ભક્તિ ની પણ નોંધ છે.
હમણાં આપ બાળકો સમજો
છો - આપણે આ જૂની દુનિયા માં રહેવાના નથી. વિદ્યાર્થી ને આ ભણતર બુદ્ધિ માં રહે છે.
તમારે પણ મુખ્ય-મુખ્ય પોઈન્ટ (વાત) બુદ્ધિ માં ધારણ કરવાના છે. નંબરવન વાત અલ્ફ
પાક્કું કરો ત્યારે આગળ ચાલો. નહીં તો ફાલતૂ પૂછતાં રહેશે. બાળકીઓ લખે છે ફલાણાએ
લખીને આપ્યું છે કે ગીતા નાં ભગવાન શિવ છે, આ તો બિલકુલ ઠીક છે. ભલે એવું કહે છે
પરંતુ બુદ્ધિ માં કાંઈ બેસે થોડી છે? જો સમજી જાય કે બાપ આવ્યાં છે તો કહે આવાં બાપ
ને અમે જઈને મળીએ. વારસો લઈએ. એક ને પણ નિશ્ચય નથી બેસતો. ફટ થી એક ની પણ ચિઠ્ઠી નથી
આવતી. ભલે લખે પણ છે કે જ્ઞાન ખૂબ સારું છે, પરંતુ એટલી હિંમત નથી હોતી જે સમજે વાહ
આવાં બાબા, જેમની પાસે થી અમે આટલો સમય દૂર રહ્યાં, ભક્તિમાર્ગ માં ધક્કા ખાધાં, હવે
એ બાપ વિશ્વ નાં માલિક બનાવવા આવ્યાં છે. તો ભાગીને આવે. આગળ ચાલીને નીકળશે. જો બાપ
ને ઓળખ્યાં છે, ઊંચા માં ઊંચા ભગવાન છે તો એમનાં બનો ને? સમજણ એવી આપવી જોઈએ જે
કપાટ જ ખુલી જાય. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. ધંધો વગેરે
કરતા આત્મા ને પાવન બનાવવા માટે સમય કાઢી યાદ ની મહેનત કરવાની છે. કોઈ પણ આસુરી કામ
ક્યારેય નથી કરવાનાં.
2. પોતાનું અને બીજા
નું કલ્યાણ કરવાનું છે. ભણતર ભણવાનું અને ભણાવવાનું છે, મિયા-મીઠ્ઠું નથી બનવાનું.
યાદ નું બળ જમા કરવાનું છે.
વરદાન :-
નામ અને માન
નાં ત્યાગ દ્વારા સર્વ નો પ્રેમ પ્રાપ્ત કરવા વાળા વિશ્વ નાં ભાગ્ય વિધાતા ભવ
જેમ બાપ ને નામ-રુપ
થી ન્યારા કહે છે પરંતુ સૌથી વધારે નામ નું ગાયન બાપ નું છે, તેમ જ તમે પણ અલ્પકાળ
નાં નામ અને માન થી ન્યારા બનો તો સદાકાળ માટે સર્વ નાં પ્રિય સ્વતઃ બની જશો. જે
નામ-માન નાં ભિખારીપણા નો ત્યાગ કરે છે તે વિશ્વ નાં ભાગ્યવિધાતા બની જાય છે. કર્મ
નું ફળ તો સ્વતઃ તમારી સામે સંપન્ન સ્વરુપ આવશે એટલે અલ્પકાળ ની ઈચ્છા માત્રમ્
અવિદ્યા બનો. કાચ્ચું ફળ ન ખાઓ એનો ત્યાગ કરો તો ભાગ્ય તમારી પાછળ આવશે.
સ્લોગન :-
પરમાત્મ-બાપ
નાં બાળકો છો તો બુદ્ધિ રુપી પગ સદા તખ્તનશીન હોય.
અવ્યક્ત ઈશારા -
અશરીરી કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો
કોઈપણ સેવા નાં પ્લાન
બનાવો છો, ભલે બનાવો, ભલે વિચારો, પરંતુ શું થશે… ! એ આશ્ચર્યવત્ થઈને નહીં. વિદેહી,
સાક્ષી બનીને વિચારો. વિચાર્યુ, પ્લાન બનાવ્યો અને સેકન્ડ માં પ્લેન સ્થિતિ બનાવતા
ચાલો. હવે આવશ્યક્તા સ્થિતિ ની છે. આ વિદેહી સ્થિતિ પરિસ્થિતિ ને ખૂબ સહજ પાર કરી
દેશે. જેવી રીતે વાદળ આવ્યાં, ચાલ્યાં ગયાં. વિદેહી, અચલ-અડોલ થઈ ખેલ જોઈ રહ્યાં
છો.