26-05-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારે સંગ ખૂબ સારો કરવાનો છે , ખોટા સંગ નો રંગ લાગ્યો તો પડી જશો , કુસંગ બુદ્ધિ ને તુચ્છ બનાવી દે છે”

પ્રશ્ન :-
હમણાં આપ બાળકોને કઈ ઉછળ આવી જોઈએ?

ઉત્તર :-
તમને ઉછળ આવવી જોઈએ કે ગામ-ગામ માં જઈને સર્વિસ કરીએ. તમારી પાસે જે કાંઈ છે, તે સેવા અર્થ છે. બાપ બાળકો ને સલાહ આપે છે - બાળકો, આ જૂની દુનિયાથી પોતાનો પાલવ આઝાદ કરો. કોઈ વસ્તુ માં મમત્વ નહીં રાખો, એનાથી દિલ નહીં લગાવો.

ગીત :-
ઇસ પાપ કી દુનિયા સે…

ઓમ શાંતિ!
પાપ આત્માઓની દુનિયા અને પુણ્ય આત્માઓની દુનિયા, નામ આત્માઓનું જ રખાય છે. હમણાં અહીં દુઃખ છે ત્યારે પોકારો છો. પુણ્ય આત્માઓ ની દુનિયામાં પોકારતાં નથી કે ક્યાંય લઇ જાઓ. આપ બાળકો સમજો છો, આ કોઈ પંડિત અથવા સંન્યાસી, શાસ્ત્રવાદી વગેરે નથી સંભળાવતાં. આ સ્વયં પણ કહે છે - હું આ જ્ઞાન નહોતો જાણતો, રામાયણ વગેરે શાસ્ત્ર તો અનેક વાંચતા હતાં. બાકી આ જ્ઞાન હમણાં હું તમને સંભળાવું છું. આ પણ સાંભળે છે. હમણાં આ છે પાપ આત્માઓની દુનિયા. પુણ્ય આત્માઓ માટે ફક્ત કહેશે કે આ થઈને ગયાં છે. બસ, પૂજા કરીને આવી જશે, શિવ ની પૂજા કરીને આવશે. આપ બાળકો હવે કોની પૂજા કરશો? તમે જાણો છો ઊંચે થી ઊંચા ભગવાન શિવ છે, એ છે ઓબીડિયન્ટ (આજ્ઞાકારી) બાપ, શિક્ષક, ઓબીડિયન્ટ પ્રિસેપ્ટર (સદ્દગુરુ). સાથે લઈ જવાની ગેરંટી બીજા કોઈ ગુરુ વગેરે કરી ન શકે. તે પણ તે કોઈ બધાને થોડી લઈ જશે. હમણાં તમે સન્મુખ બેઠાં છો, અહીં થી પોતાનાં ઘર માં જવાથી પણ તમે ભૂલી જશો. અહીં સન્મુખ સાંભળવાથી મજા આવશે. બાપ ઘડી-ઘડી કહે છે - બાળકો, સારી રીતે ભણો. આમાં ગફલત નહીં કરો, કુસંગ માં નહીં ફસાઓ. નહીં તો ખૂબ જ તુચ્છ બુદ્ધિ થઈ જશો. બાળકો જાણે છે અમે શું હતાં, કયા પાપ કર્યા. હવે અમે આ દેવતા બનીએ છીએ, આ જૂની દુનિયા ખતમ થવાની છે પછી અહીં મકાન વગેરેની શું પરવા રાખવાની છે. આ દુનિયાનું જે કાંઈ છે તે ભૂલવાનું છે. નહીં તો અવરોધ નાખશે. આમાં દિલ લાગતું નથી. આપણે નવી દુનિયામાં પોતાનાં હીરા-ઝવેરાતો નાં મહેલ જઈને બનાવશું. અહીંયાનાં પૈસા વગેરે કોઈ વસ્તુ સારી લાગતી હશે તો શરીર છોડતી વખતે એમાં મોહ ચાલ્યો જશે. મારું-મારું કરશો તો તે અંત માં સામે આવી જશે. આ તો બધું અહીં ખતમ થઈ જવાનું છે. આપણે આપણી રાજધાની માં આવી જઈશું, આમાં શું દિલ લગાવવાનું છે? ત્યાં ખૂબ સુખ રહે છે. નામ જ છે સ્વર્ગ. હવે આપણે ચાલ્યાં પોતાનાં વતન, આ તો રાવણ નું વતન છે, આપણું નહીં. આનાથી છૂટવાનો પુરુષાર્થ કરવાનો છે. જૂની દુનિયાથી પાલવ આઝાદ કરાવે છે એટલે બાપ કહે છે કોઈ વસ્તુ માં મમત્વ નહીં રાખો. પેટ કોઈ વધારે નથી માંગતું, ફાલતુ ચીજો પર ખર્ચો ખૂબ થાય છે. આપ બાળકો ને સર્વિસ કરવા માટે ઉછળ આવવી જોઈએ. ઘણાં બાળકો છે જેમને ગામ-ગામ માં સર્વિસ કરવાનો શોખ છે. બાકી જેમને સર્વિસ નો શોખ નથી, એમને શું કામ નાં કહેશું. જેવાં બાપ તેવાં બાળકોએ બનવું જોઈએ. બાપ નો જ પરિચય આપવાનો છે. બાપ ને યાદ કરો અને બાપ થી વારસો લો. બાળકો ને શોખ હોય - અમે બાબા ની સર્વિસ પર જઈએ છીએ. તો બાપ પણ હિંમત વધારે છે. બાપ આવ્યા છે સર્વિસ પર, સર્વિસ માટે બધું જ છે. આ તો બાપ નો પરિચય બધાને આપવાનો છે. બાપ એક જ છે. ભારત માં આવ્યા હતાં, ભારત માં દેવતાઓનું રાજ્ય હતું. કાલ ની વાત છે, લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું પછી રામ-સીતા નું. પછી વામમાર્ગ માં પડ્યાં. રાવણ રાજ્ય શરુ થયું, સીડી નીચે ઉતર્યા હવે ફરી ચઢતી કળા સેકન્ડ ની વાત છે.

એક હોય છે રીયલ (સાચો) પ્રેમ, બીજો હોય છે આર્ટિફિશિયલ લવ (બનાવટી). સાચો પ્રેમ બાપ થી ત્યારે હોય જ્યારે પોતાને આત્મા સમજે. હમણાં આપ બાળકો નો આ દુનિયામાં આર્ટિફિશિયલ લવ છે. આ તો ખતમ થવાની છે. સર્વિસ કરવા વાળા ક્યારેય ભૂખ્યાં નથી મરી શકતાં. તો સર્વિસ નો બાળકોએ શોખ રાખવો જોઈએ. તમારી ઈશ્વરીય મિશન ખુબ સહજ છે. કોઈ સમજતા નથી કે ધર્મ કેવી રીતે સ્થાપન થાય છે? ક્રાઈસ્ટ આવ્યાં, ક્રિશ્ચન ધર્મ સ્થાપન કર્યો, ધર્મ વધતો ગયો. તેમની મત પર ચાલતાં-ચાલતાં પડતાં આવ્યાં, હવે આપ બાળકોએ દેહી-અભિમાની બનવાનું છે. અડધોકલ્પ રાવણ રાજ્ય માં આપણે બાપ ને ભૂલી ગયાં, હવે બાપે આવીને સુજાગ કર્યા છે. બાબા કહે ડ્રામા અનુસાર તમારે પડવાનું જ હતું. તમારો પણ દોષ નથી. રાવણ રાજ્ય માં દુનિયાની આવી હાલત થઈ જાય છે. બાપ કહે છે હવે હું આવ્યો છું ભણાવવાં. તમે ફરીથી પોતાની રાજાઈ લો. હું બીજી કોઈ તકલીફ નથી આપતો. એક તો બજાર ની છી-છી ગંદી ચીજો નહીં ખાઓ અને મામેકમ્ યાદ કરો. હમણાં આપ બાળકો જાણો છો - આ ડ્રામા નું ચક્ર છે, જે ફરી રીપીટ થશે. તમારી બુદ્ધિ માં ડ્રામા નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન છે. તમે કોઈને પણ સમજાવી શકો છો. પહેલાં તો બાપ ની યાદ રહેવી જોઈએ. સર્વિસ માટે આપસ માં મળીને સાથી બનાવી લેવાં જોઈએ. માતાઓએ પણ નીકળવું જોઈએ. આમાં ડરવાની કોઈ વાત નથી. ચિત્ર વગેરે બધું તમને મળશે. તમારી સર્વિસ વધારે થશે. કહેશે તમે ચાલ્યાં જાઓ છો, પછી અમને કોણ શીખવાડશે? બોલો, અમે સર્વિસ કરવા માટે તૈયાર છીએ. મકાન વગેરેનો પ્રબંધ કરો. અનેકો નાં કલ્યાણ અર્થ નિમિત્ત બની જશે. બાબા સર્વિસ નો ઉમંગ અપાવે છે. બાળકોમાં હિંમત છે, તો સર્વિસ પણ વધે છે. આ કોઈ મેળો નથી જે ૧૦-૧૫ દિવસ મેળો ચાલ્યો પછી ખલાસ. આ મેળો તો ચાલતો જ રહે છે. અહીંયા આત્માઓ અને પરમાત્મા નું મિલન થાય છે, જેને જ સાચો મેળો કહેવાય છે. એ તો હમણાં ચાલી જ રહ્યો છે. મેળો બંધ ત્યારે થશે જ્યારે સર્વિસ પૂરી થશે. ડ્રામા અનુસાર બાળકોને સર્વિસ નો ખુબ જ શોખ જોઈએ. જે બેહદનાં બાપ માં નોલેજ છે, તે બાળકોને બુદ્ધિ માં છે. ઊંચે થી ઊંચા બાપ થી આપણે કેટલાં ઊંચા બનતાં આવ્યાં છીએ. એવી-એવી પોતાનાથી વાતો કરવાની છે. આપસ માં સેમિનાર કરવાનાં છે. બાબા થી સલાહ લઇ સર્વિસ માં લાગી જાઓ. કોઇ મદદ ની દરકાર હોય તો બાબા દુલ્હેલાલ બેઠાં છે. આ બધી ડ્રામા માં નોંધ છે. ફિકર ની કોઈ વાત નથી. નહીં તો સ્થાપના કેવી રીતે થશે! બીજી વાત આ પણ છે, જે કરશે તે પામશે. હમણાં આપ બાળકો પથ્થર બુદ્ધિ થી હીરા જેવાં બનો છો. બાપ જ્ઞાન થી એટલાં સીધા કરે, માયા પછી નાક થી પકડી ને પીઠ જ અપાવી દે છે.

આપ બાળકોએ સંગ ખૂબ સારો કરવો જોઈએ. ખોટા સંગ નો રંગ લાગવાથી નીચે પડશો. બાબા બાઈસ્કોપ (સિનેમા) વગેરે જોવાની મનાઈ કરે છે. જેમને બાઈસ્કોપ ની આદત પડી તે પતિત બન્યાં વગર રહી નહીં શકે. અહીંયા દરેક ની એક્ટિવિટી (પ્રવૃત્તિ) ખરાબ છે, નામ જ છે વેશ્યાલય. બાપ શિવાલય સ્થાપન કરી રહ્યાં છે. વેશ્યાલય ને પૂરી આગ લાગવાની છે. કુંભકરણ ની જેમ આસુરી નિંદ્રા માં સૂતેલાં છે. તમે સમજો છો કે આપણે શિવાલય માં જઇ રહ્યાં છીએ. પહેલાં આપણે પણ વાંદરા જેવાં હતાં, આનાં પર રામાયણ માં પણ વાર્તા છે. હવે તમે બાપ નાં મદદગાર બન્યાં છો. તમે પોતાની શક્તિ થી રાજ્ય સ્થાપન કરી રહ્યાં છો. પછી આ રાવણ રાજ્ય ખલાસ થઈ જવાનું છે. આપ બાળકોને અનેક પ્રકારની યુક્તિઓ બતાવતાં રહે છે. કોઈને દાન નહીં કરશો તો પણ કેવી રીતે મળશે? પહેલાં-પહેલાં ૧૦-૧૫ ને રસ્તો બતાવી ને પછી ભોજન ખાવું જોઈએ. પહેલાં શુભ કામ કરીને આવો, આમાં જ તમારું કલ્યાણ છે. કોઈ પણ દેહધારી ને યાદ નહીં કરો. આ તો પતિત દુનિયા છે. પતિત-પાવન એક બાપ ને યાદ કરો તો પાવન દુનિયાનાં માલિક બની જશો. અંત મતિ સો ગતિ થઇ જશે. તો કોઈને ને કોઈને સંદેશ સંભળાવીને પછી આવીને ભોજન ખાવું જોઈએ. તમે બધાને આજ બતાવતા રહો કે બાપ ને યાદ કરવાથી આટલા ઊંચા બની જશો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા બાપદાદાનાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપની રુહાની બાળકો ને નમસ્તે.

રાત્રી ક્લાસ - ૧૭ - ૩ - ૬૮

ક્યારેય પણ કોઈ ભાષણ વગેરે કરવાનું હોય તો આપસ માં મળીને બે-ચાર વખત પૂર્વતૈયારી કરો, પોઇન્ટ્સ એડિશન કરેક્શન (સુધારી-વધારો) કરી તૈયાર કરો તો પછી રિફાઇન ભાષણ કરશો. મૂળ એક વાત પર (ગીતાનાં ભગવાન પર) જ તમે વિજય મેળવ્યો તો પછી બધી વાતો માં વિજય થઈ જશે, એનાં માટે કોન્ફરન્સ (સંમેલન) તો થશે ને! સમજતાં રહેશે ઝાડની વૃદ્ધિ તો જરુર થવાની છે. માયાનાં તોફાન તો બધાને લાગે છે. વધારે કરીને લખે છે બાબા, અમે કામ ની ચમાટ ખાધી, આને કહેવાય છે કરેલી કમાણી ચટ. ક્રોધ વગેરે કર્યો તો કહેશે કંઈક ખોટ પડી. આને માટે સમજાવવું પડે છે, કામ પર જીત પહેરી જગતજીત બને છે. કામ થી હારે હાર થાય છે. કામ થી હારવા વાળા ની કમાણી ચટ થઈ જાય છે, દંડ પડી જાય છે. મંઝિલ ખૂબ ઊંચી છે એટલે ખુબ ખબરદારી રાખવી પડે છે. આપ બાળકો જાણો છો ૫૦૦૦ વર્ષ પહેલાં પણ આપણને બાદશાહી મળી હતી. હવે ફરી થી દૈવી રાજધાની સ્થાપન થઈ રહી છે. આ ભણતર થી આપણે એ રાજધાની માં જઈએ છીએ, બધો આધાર છે ભણતર પર. ભણતર અને ધારણા થી જ બાપ સમાન બનશો. રજીસ્ટર પણ જોઈએ ને જે ખબર પડે કેટલાં ને આપસમાન બનાવ્યાં. જેટલી વધારે ધારણા કરશો એટલાં જ મીઠા બનશો. ખૂબ પ્રેમાળ બાળકો જોઈએ. આપ બાળકોનાં માટે જ તે દિવસ આવ્યો આજે, જેનાં માટે મનુષ્ય ખૂબ કોશિશ કરે છે કે મુક્તિમાં જઈએ. બાપ બધાને સાથે જ મુક્તિ-જીવનમુક્તિ આપે છે. જે દેવતા બનવાનો પુરુષાર્થ કરે છે તે જ જીવનમુક્તિ માં આવશે. બાકી બધાં મુક્તિ માં જશે. હિસાબ એક્યુરેટ (સચોટ) નથી કાઢી શકાતો. કોઈ તો રહેશે પણ. વિનાશ નો સાક્ષાત્કાર કરશે. આ સોનેરી સમય પણ જોશે. દરેક વાત માં પુરુષાર્થ કરવાનો હોય છે. એવું પણ નહીં યાદ માં બેસશો તો કામ થઇ જશે. મકાન મળી જશે. ના. એ તો ડ્રામા માં જે છે તે જ થાય છે, આશ ન રાખવી જોઈએ. પુરુષાર્થ કરવાનો હોય છે. બાકી થાય છે તે જ જે ડ્રામા માં નોંધ છે. આગળ ચાલી તમારી વૃત્તિ પણ ભાઈ-ભાઈ ની થઈ જશે. જેટલો પુરુષાર્થ કરશો એટલી તે વૃત્તિ રહેશે. આપણે અશરીરી આવ્યા હતાં. ૮૪ જન્મ નું ચક્ર પૂરું કર્યું. હવે બાપ કહે છે કર્માતીત અવસ્થા માં જવાનું છે.

તમારે હકીકત માં કોઈ થી પણ શાસ્ત્રો વગેરે પર વિવાદ કરવાની દરકાર નથી. મૂળ વાત છે જ યાદ ની અને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત ને સમજવાનું છે. ચક્રવર્તી રાજા બનવાનું છે. આ ચક્રને જ ફક્ત સમજવાનું છે. આનું જ ગાયન છે સેકન્ડમાં જીવનમુક્તિ. આપ બાળકો ને વન્ડર લાગતું હશે, અડધો કલ્પ ભક્તિ ચાલે છે. જ્ઞાન રીંચક નથી. જ્ઞાન છે જ બાપની પાસે. બાપ દ્વારા જ જાણવાનું છે. આ બાપ કેટલાં અનકોમન (અસાધારણ) છે, એટલે કોટો માં કોઈ નીકળે છે. તે શિક્ષક એવું થોડી કહેશે! આ તો કહે છે હું જ બાપ, શિક્ષક, ગુરુ છું. તો મનુષ્ય સાંભળીને વન્ડર ખાશે. ભારત ને મધરકન્ટ્રી (માતૃભૂમિ) કહે છે કારણકે અંબા નું નામ ખૂબ પ્રખ્યાત છે. અંબા નાં મેળા પણ ખૂબ લાગે છે. અંબા મીઠો શબ્દ છે. નાનાં બાળકો પણ માં ને પ્રેમ કરે છે ને કારણકે માં ખવડાવે, પીવડાવે સંભાળે છે. હવે અંબા નાં બાબા પણ જોઈએ ને? આ તો બાળકી છે એડોપ્ટેડ (દત્તક), આનો પતિ તો છે નહીં. આ નવી વાત છે ને? પ્રજાપિતા બ્રહ્મા જરુર એડોપ્ટ કરતાં હશે. આ બધી વાતો બાપ જ આવીને આપ બાળકો ને સમજાવે છે. કેટલાં મેળા લાગે છે, પૂજા થાય છે, કારણકે આપ બાળકો સર્વિસ કરો છો. મમ્માએ જેટલાને ભણાવ્યાં હશે એટલું બીજા કોઈ ભણાવી ન શકે. મમ્મા નો નામાચાર ખૂબ છે, મેળા પણ ખૂબ લાગે છે. હમણાં આપ બાળકો જાણો છો, બાપે જ આવીને રચનાનાં આદિ-મધ્ય-અંત નું બધું રહસ્ય આપ બાળકોને સમજાવ્યું છે. તમને બાપ નાં ઘર ની પણ ખબર પડી છે. બાપ થી જ પ્રેમ છે, ઘર થી પણ પ્રેમ છે. આ જ્ઞાન તમને હમણાં મળે છે. આ ભણતર થી કેટલી કમાણી થાય છે! તો ખુશી થવી જોઈએ ને અને તમે છો બિલકુલ સાધારણ. દુનિયા ને ખબર નથી, બાબા આવીને આ નોલેજ સંભળાવે છે. બાપ જ આવીને બધી નવી-નવી વાતો બાળકો ને સંભળાવે છે. નવી દુનિયા બને છે બેહદ નાં ભણતર થી. જૂની દુનિયાથી વૈરાગ્ય આવી જાય છે. આપ બાળકો નાં અંદર માં જ્ઞાન ની ખુશી રહે છે. બાપ ને અને ઘર ને યાદ કરવાનાં છે. ઘરે તો બધાને જવાનું જ છે. બાપ તો બધાને કહેશે ને બાળકો, હું તમને મુક્તિ-જીવનમુક્તિ નો વારસો આપવા આવ્યો છું. પછી ભૂલી કેમ જાઓ છો! હું તમારો બેહદ નો બાપ છું, રાજયોગ શીખવાડવાં આવ્યો છું. તો શું તમે શ્રીમત પર નહીં ચાલશો? પછી તો ખૂબ ઘાટો પડી જશે. આ છે બેહદ ની ખોટ. બાપ નો હાથ છોડ્યો તો કમાણી માં ખોટ પડી જશે. અચ્છા - ગુડનાઈટ. ઓમ શાંતિ.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ દુનિયાનું જે કાંઈ છે તેને ભૂલવાનું છે. બાપ સમાન ઓબીડિયન્ટ (આજ્ઞાકારી) બની સર્વિસ કરવાની છે. બધાને બાપ નો પરિચય આપવાનો છે.

2. આ પતિત દુનિયામાં સ્વયં સ્વયં ને કુસંગ થી બચાવવાનું છે. બજાર નું ગંદુ ભોજન નથી ખાવાનું, બાઈસ્કોપ નથી જોવાનું.

વરદાન :-
ત્રિકાળદર્શી સ્ટેજ દ્વારા વ્યર્થ નું ખાતું સમાપ્ત કરવા વાળા સદા સફળતા મૂર્ત ભવ

ત્રિકાળદર્શી સ્ટેજ પર સ્થિત થવું અર્થાત્ દરેક સંકલ્પ, બોલ અથવા કર્મ કરવાનાં બદલે ચેક કરવું કે આ વ્યર્થ છે કે સમર્થ છે! વ્યર્થ એક સેકન્ડ માં પદમો નું નુકસાન કરે છે, સમર્થ એક સેકન્ડ માં પદમો ની કમાણી કરે છે. સેકન્ડ નું વ્યર્થ પણ કમાણી માં બહુ જ નુકસાન નાખી દે છે જેનાથી થયેલી કમાણી પણ છુપાઈ જાય છે એટલે એકકાળ દર્શી થઈ કર્મ કરવાને બદલે ત્રિકાળદર્શી ની સ્થિતિ પર સ્થિત થઈને કરો તો વ્યર્થ સમાપ્ત થઈ જશે અને સદા સફળતા મૂર્ત બની જશો.

સ્લોગન :-
માન, શાન અને સાધનો નો ત્યાગ જ મહાન ત્યાગ છે.

અવ્યક્ત ઇશારે - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

જેવી રીતે દેહ અને દેહી બંને અલગ-અલગ બે વસ્તુઓ છે, પરંતુ અજ્ઞાન-વશ બંને ને મળાવી દીધા છે, સ્વયં ને હું સમજી લીધું છે અને એ જ ભૂલ ને કારણે આટલી પરેશાની, દુઃખ અને અશાંતિ પ્રાપ્ત કરી છે. એવી રીતે જ આ અપવિત્રતા અને વિસ્મૃતિ નાં સંસ્કાર, જે બ્રાહ્મપણ નાં નથી, શૂદ્રપણા નાં છે, એને પણ મારા સમજવાથી માયા નાં વશ થઈ જાઓ છો અને પછી પરેશાન થાઓ છો.