26-06-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હવે તમારે નિંદા - સ્તુતિ , માન - અપમાન , દુઃખ - સુખ બધું સહન કરવાનું છે તમારા સુખ નાં દિવસો હવે સમીપ આવી રહ્યાં છે”

પ્રશ્ન :-
બાપ પોતાનાં બ્રાહ્મણ બાળકો ને કઈ એક વોર્નિંગ આપે છે?

ઉત્તર :-
બાળકો, ક્યારેય પણ બાપ થી રિસાતા નહીં. જો બાપ થી રિસાસો તો સદ્દગતિ થી પણ રિસાઈ જશો. બાપ ચેતવણી આપે છે - રિસાવા વાળા ને ખૂબ કડી (કઠોર) સજા મળશે. પરસ્પર અથવા બ્રાહ્મણી થી પણ રિસાયા તો ફૂલ બનતાં-બનતાં કાંટા બની જશો, એટલે ખૂબ-ખૂબ ખબરદાર રહો.

ગીત :-
ધીરજ ધર મનુવા…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં સિકિલીધા બાળકોએ ગીત સાંભળ્યું, આપ બાળકો નાં જે પણ જન્મ-જન્માંતર નાં દુઃખ છે બધા દૂર થઈ જવા જોઈએ. આ ગીત ની લાઈન સાંભળી, તમે જાણો છો હવે આપણો દુઃખ નો પાર્ટ પૂરો થાય છે અને સુખ નો પાર્ટ શરુ થાય છે. જે પૂરી રીતે નથી જાણતા તે કોઈ ન કોઈ વાત માં દુઃખ જરુર જુએ છે. અહીં બાબા ની પાસે આવવાથી પણ કોઈ ન કોઇ પ્રકાર નું દુઃખ ભાસશે (અનુભવશે). બાબા સમજી શકે છે, ઘણાં બાળકો ને તકલીફ થતી હશે. જ્યારે તીર્થ યાત્રા પર જાઓ છો તો ક્યાંક ભીડ હોય છે, વરસાદ પડે છે, ક્યારેક તોફાન લાગી જાય છે. જે સાચાં ભગત હશે તે તો કહેશે શું વાંધો છે, ભગવાન ની પાસે જઈએ છીએ. ભગવાન સમજી ને જ યાત્રા પર જાય છે. અનેકાનેક ભગવાન છે મનુષ્યો નાં. તો જે સારા મજબૂત હોય છે, તે તો કહે છે વાંધો નહીં, સારા કામ માં હંમેશા વિઘ્ન પડે છે, પાછા થોડી જઈશું? કોઈ-કોઈ તો પાછા પણ જાય છે. ક્યારેક વિઘ્ન પડે છે, ક્યારેક નથી પણ પડતાં. બાપ કહે છે બાળકો, આ પણ તમારી યાત્રા છે. તમે કહેશો અમે બેહદ નાં બાપ ની પાસે જઈએ છીએ, એ બાપ બધા નાં દુઃખ હરવા વાળા છે. આ નિશ્ચય છે, આજકાલ જુઓ મધુબન માં કેટલી ભીડ છે, બાબા ને ફિકર રહે છે, ઘણાં ને તકલીફ પણ થતી હશે. પટ પર સૂવું પડે છે. બાબા થોડી ઈચ્છે છે બાળકો ને પટ પર સુવડાવે! પરંતુ ડ્રામા અનુસાર ભીડ થઈ ગઈ છે, કલ્પ પહેલાં પણ થઈ હતી ફરી થશે, આમાં કોઈ દુઃખ ન થવું જોઈએ. આ પણ જાણે છે ભણવા વાળા કોઈ તો રાજા બનશે કોઈ પછી રંક પણ બનશે. કોઈ નું ઊંચું પદ, કોઈ નું નીચું. પરંતુ સુખ જરુર હશે. આ પણ બાબા જાણે છે, કોઈ ખૂબ કાચા છે, જે કાંઈ પણ સહન નથી કરી શકતાં. તેમને કાંઈ તકલીફ થશે, કહેશે અમે તો નાહક આવ્યાંં અથવા કહેશે અમને બ્રાહ્મણી ફોર્સ (દબાણ) કરીને લઈ આવી છે. એવાં પણ હશે જે કહેશે અમને બ્રાહ્મણીએ નાહક ફસાવ્યાં. પૂરો પરિચય નથી કે વિશ્વ વિદ્યાલય માં આવ્યાંં છીએ. આ સમય નાં ભણતર થી કોઈ તો રાવ બનશે. કોઈક રંક પણ બનવા વાળા છે ભવિષ્ય માં. અહીં નાં રંક અને રાવ માં અને ત્યાં નાં રંક, રાવ માં રાત-દિવસ નો ફરક હોય છે. અહીં નાં રાવ પણ દુઃખી છે તો રંક પણ દુઃખી છે. ત્યાં બંને સુખી રહે છે. અહીં તો છે જ પતિત વિકારી દુનિયા. ભલે કોઈની પાસે ખૂબ ધન છે, બાપ સમજાવે છે આ ધન-સંપત્તિ બધું માટી માં ભળી જવાનું છે. આ શરીર પણ ખતમ થઈ જશે. આત્મા તો માટી માં નથી ભળતો, કેટલાં મોટા-મોટા સાહૂકાર છે, બિરલા જેવા, પરંતુ તેમને શું ખબર કે હવે આ જુની દુનિયા બદલાઈ રહી છે. ખબર હોત તો ફટ થી આવી જાય. કહે છે અહીં ભગવાન આવેલા છે છતાં પણ જશે ક્યાં? બાપ વગર કોઈને સદ્દગતિ મળી ન શકે. જો કોઈ રિસાઈ ગયા તો કહેવાશે સદ્દગતિ થી રિસાઈ ગયાં. એવાં ખૂબ રિસાતા રહેશે, પડતા રહેશે. આશ્ચર્યવત્ સુનન્તી, નિશ્ચય હોવન્તી… કોઈ તો સમજે છે બરોબર આનાં વગર કોઈ રસ્તો નથી. આમનાં થી તો સુખ અને શાંતિ નો વારસો મળશે. આમનાં વગર સુખ-શાંતિ મળવા અસંભવ છે. જ્યારે ધન ખૂબ હોય ત્યારે તો સુખ મળે. ધન માં જ સુખ હોય છે ને? ત્યાં (મૂળવતનમાં) તો આત્માઓ શાંતિ માં બેઠાં છે. કોઈ કહે અમારો પાર્ટ ન હોત તો હંમેશા અમે ત્યાં રહેત, પરંતુ એવું કહેવાથી થોડી થશે? બાળકો ને સમજાવાયું છે - આ પૂર્વ નિર્ધારિત ખેલ છે. ઘણાં છે જે કોઈ ન કોઈ સંશય માં આવીને છોડી દે છે. બ્રાહ્મણી થી રિસાઈ જાય છે અથવા પરસ્પર રિસાઈ ને ભણતર છોડી દે છે.

હમણાં તમે અહીં ફૂલ બનવા માટે આવ્યાં છો. મહેસૂસ કરો છો - બરોબર આપણે કાંટા થી ફૂલ બની રહ્યાં છીએ. ફૂલ જરુર બનવાનું છે. કોઈને થોડો સંશય છે, ફલાણા આ કરે છે, આ એવાં છે, એટલે અમે નહીં આવીશું. બસ રિસાઈ ને ઘર માં બેસી જાય છે. બાપ કહે છે બીજા બધા થી તો ભલે રિસાઓ પરંતુ એક બાપ થી ક્યારેય નહીં રિસાતા. બાબા વોર્નિગ આપે છે, સજાઓ બહુજ કઠોર છે. ગર્ભ માં પણ જે સજાઓ મળે છે, બધા સાક્ષાત્કાર કરાવે છે. સાક્ષાત્કાર વગર સજા મળી ન શકે. અહીં નો પણ સાક્ષાત્કાર થશે. તમે ભણતાં-ભણતાં પરસ્પર લડી-ઝઘડી ને, રિસાઈ ને ભણતર છોડી દીધું હતું. આપ બાળકો સમજો છો આપણે ફાધર પાસે થી ભણવાનું છે. ભણતર ક્યારેય છોડવાનું નથી. તમે અહીં પણ ભણો જ છો મનુષ્ય થી દેવતા બનવાં. એવાં ઊંચા માં ઊંચાં બાપ ની પાસે તમે મળવા આવો છો. ક્યારેક વધારે આવી જાય છે, ડ્રામા અનુસાર થોડી તકલીફ થઈ જાય છે. બાળકો ને અનેક તોફાનો આવે છે. ફલાણી ચીજ ન મળી, આ ન મળ્યું, આ તો કાંઈ પણ નથી. જ્યારે મોત નો સમય આવશે તો અજ્ઞાની મનુષ્ય કહેશે અમે શું ગુનો કર્યો છે? નાહક જો અમને મારે છે. તે અંત નાં પાર્ટ ને જ કહેવાય છે ખૂને નાહક પાર્ટ. અચાનક બોમ્બ્સ પડશે. અનેકાનેક મરશે. આ ખૂને નાહક થયું ને? અજ્ઞાની મનુષ્ય એવાં ચિલ્લાવશે. આપ બાળકો તો ખૂબ ખુશ થાઓ છો, કારણકે તમે જાણો છો આ દુનિયાનો વિનાશ થવાનો જ છે, અનેક ધર્મો નો વિનાશ ન થાય તો એક સત્ ધર્મ ની સ્થાપના કેવી રીતે થશે? સતયુગ માં એક આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો. કોઈને શું ખબર સતયુગ આદિ માં શું હતું? આ છે પુરુષોત્તમ સંગમયુગ. બાપ આવ્યાં જ છે બધાને પુરુષોત્તમ બનાવવાં. સર્વ નાં બાપ છે ને? ડ્રામા ને તો તમે જાણી ગયા છો. બધા તો સતયુગ માં નહીં આવશે. આટલા કરોડ આત્માઓ સતયુગ માં થોડી આવશે? આ છે ડીટેલ (વિસ્તાર) ની વાતો. ઘણી બાળકીઓ છે જે કાંઈ પણ સમજતી નથી. ભક્તિમાર્ગ થી ટેવાયેલા છે. જ્ઞાન બુદ્ધિ માં બેસી ન શકે. ભક્તિ ની આદત પડી ગઈ છે. કહે છે ભગવાન શું નથી કરી શકતાં! મરેલા ને જીવતા કરી શકે છે. બાબા ની પાસે આવે છે, કહે છે ફલાણા મનુષ્યએ મરેલા ને જગાડ્યા તો શું ભગવાન નહીં કરી શકે? કોઈએ સારું કામ કર્યુ તો બસ એમની મહિમા કરવા લાગી જાય છે. પછી તેમનાં હજારો ફોલોઅર્સ (અનુયાયી) બની જશે. તમારી પાસે તો ખૂબ થોડા આવે છે. ભગવાન ભણાવે છે પછી આટલાં થોડા કેમ? એવું ઘણાં કહે છે. અરે, અહીં તો મરવાનું હોય છે. ત્યાં તો કનરસ છે. ખૂબ ભપકા થી બેસીને ગીતા સંભળાવે છે, ભગત લોકો સાંભળે છે. અહીં કનરસ ની વાત નથી. તમને ફક્ત કહેવાય છે બાપ ને યાદ કરો. ગીતા માં પણ આ શબ્દ છે મનમનાભવ. બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે. બાપ કહે છે અચ્છા બ્રાહ્મણી થી તથા સેવાકેન્દ્ર થી રિસાઈ જાઓ છો, અચ્છા આ તો કામ કરો બીજા સંગ તોડી સ્વયં ને આત્મા સમજી, એક બાપ ને યાદ કરો. બાપ જ પતિત-પાવન છે. બસ, બાપ ને યાદ કરતા રહો. સ્વદર્શન ચક્ર ફરાવતા રહો. આટલું યાદ કર્યુ તો પણ સ્વર્ગ માં જરુર આવશો. સ્વર્ગ માં ઊંચ પદ તો પુરુષાર્થ અનુસાર જ મળશે. પ્રજા બનાવવી પડે. નહીં તો રાજાઈ કોનાં પર કરશો? જે ખૂબ મહેનત કરે છે, ઊંચ પદ પણ તે જ મેળવશે. ઊંચ પદ માટે જ કેટલાં માથા મારે છે. પુરુષાર્થ વગર કોઈ રહી ન શકે. આપ બાળકો જાણો છો ઊંચા માં ઊંચાં પતિત-પાવન બાપ છે. મનુષ્ય મહિમા ભલે ગાય છે પરંતુ અર્થ નથી સમજતાં. ભારત કેટલું સાહૂકાર હતું, ભારત છે સ્વર્ગ, વન્ડર ઓફ વલ્ડ (વિશ્વની અજાયબી). તે ૭ વન્ડર્સ માયા નાં. આખા ડ્રામા માં ઊંચા માં ઊંચું છે સ્વર્ગ, નીચા માં નીચું છે નર્ક. હમણાં તમે બાપ ની પાસે આવ્યાં છો, જાણો છો મીઠાં બાબા એટલાં ઊંચે થી ઊંચા લઈ જાય છે. એમને કોણ ભૂલશે? ભલે ક્યાંય પણ બહાર જાઓ ફક્ત એક વાત યાદ રાખો, બાપ ને યાદ કરો. બાપ જ શ્રીમત આપે છે - ભગવાનુવાચ, નહીં કે બ્રહ્મા ભગવાનુવાચ.

બેહદ નાં બાપ બાળકો ને પૂછે છે-બાળકો, હું તમને આટલાં સાહૂકાર બનાવીને ગયો પછી તમારી દુર્ગતિ કેવી રીતે થઈ? પરંતુ સાંભળે એવી રીતે છે જાણે કાંઈ પણ સમજતા નથી. તો બાળકો ને થોડી તકલીફ થાય છે, દુઃખ-સુખ, સ્તુતિ-નિંદા પણ બધું સહન કરવું પડે છે. અહીં નાં મનુષ્ય જુઓ કેવાં છે પ્રાઈમ મિનિસ્ટર ને પણ પથ્થર મારવામાં વાર નથી કરતાં. કહે છે - સ્કૂલ નાં બાળકો નું નવું લોહી છે. ખૂબ મહિમા કરે છે તેમની. સમજે છે આ ફ્યુચર (ભવિષ્ય) નું નવું લોહી છે. પરંતુ એ જ સ્ટુડન્ટ (વિદ્યાર્થી) દુઃખ આપવા વાળા નીકળી પડે છે. કોલેજો ને આગ લગાવી દે છે. એક-બીજા ને ગાળો આપતા રહે છે. બાપ સમજાવે છે દુનિયા ની શું હાલત છે! ડ્રામા નાં એક્ટર બનીને પણ ડ્રામા નાં આદિ-મધ્ય-અંત અને મુખ્ય એક્ટર્સ વગેરે ને નથી જાણતા તો તેમને શું કહેવાશે? મોટા માં મોટા કોણ છે એમની બાયોગ્રાફી (જીવનકહાણી) તો જાણવી જોઈએ ને? કાંઈ પણ નથી જાણતાં. બ્રહ્મા-વિષ્ણુ-શંકર નો શું પાર્ટ છે, ધર્મ સ્થાપકો નો શું પાર્ટ છે? મનુષ્ય તો અંધશ્રદ્ધા માં આવીને બધાને પ્રિસેપ્ટર (ગુરુ) કહી દે છે. ગુરુ તો એ જે સદ્દગતિ કરે છે. હવે સર્વ નાં સદ્દગતિ દાતા તો એક જ પરમપિતા પરમાત્મા છે. એ પરમ ગુરુ પણ છે, પછી નોલેજ પણ આપે છે. આપ બાળકો ને ભણાવે પણ છે, એમનો પાર્ટ જ વન્ડરફુલ છે. ધર્મ પણ સ્થાપન કરે છે અને બધાં ધર્મો ને ખલાસ પણ કરે છે. બીજા તો ફક્ત ધર્મ સ્થાપન કરે છે, સ્થાપના અને વિનાશ કરવા વાળા ને જ ગુરુ કહેવાશે ને? બાપ કહે છે હું કાળો નો કાળ છું. એક ધર્મ ની સ્થાપના અને બાકી બધા ધર્મો નો વિનાશ થઈ જશે અર્થાત્ આ જ્ઞાન-યજ્ઞ માં સ્વાહા થઈ જશે. પછી નહીં કોઈ લડાઈ લાગશે, નહીં યજ્ઞ રચાશે. તમે આખા વિશ્વ નાં આદિ-મધ્ય-અંત ને જાણો છો. બીજા તો બધા નેતી-નેતી કહે છે. તમે એવું થોડી કહેશો? બાપ વગર બીજા કોઈ સમજાવી ન શકે. તો આપ બાળકો ને ખૂબ ખુશી થવી જોઈએ પરંતુ માયા નો સામનો એવો થાય છે જે યાદ પણ ભુલાવી દે છે. આપ બાળકો એ દુઃખ-સુખ, માન-અપમાન, સહન કરવાનું છે. આમ તો અહીં કોઈ અપમાન નથી કરાતું. જો કોઈ પણ વાત છે તો બાપ ને રિપોર્ટ (સમાચાર) કરવો જોઈએ. રિપોર્ટ નથી કરતા તો બહુ જ પાપ લાગે છે. બાપ ને સંભળાવવા થી ઝટ તેમને સાવધાની મળશે. આ સર્જન થી છૂપાવવું ન જોઈએ. ખૂબ મોટા સર્જન છે. જ્ઞાન ઇન્જેક્શન, આને અંજન પણ કહેવાય છે. અંજન ને જ્ઞાન-સુરમો પણ કહેવાય છે. જાદુ વગેરે ની તો વાત જ નથી. બાપ કહે છે હું આવ્યો છું તમને પતિત થી પાવન બનવાની યુક્તિ બતાવવાં. પવિત્ર નહીં બનશો તો ધારણા પણ નહીં થશે. આ જ કામ નાં કારણે જ પછી પાપ થાય છે. આનાં પર જીત મેળવવાની છે. પોતે જ વિકાર માં જતા હશે તો બીજા કોઈને કહી નહીં શકશે. એ તો મહાપાપ થઈ જાય. બાપ કહાણી પણ સંભળાવે છે - પંડિતે કહ્યું રામ-રામ કહેવા થી સાગર પાર થઈ જશો. મનુષ્ય સમજે છે પાણી નો સાગર. જેમ આકાશ નો અંત નથી તેમ સાગર નો પણ અંત નથી મેળવી શકતાં. બ્રહ્મ મહત્વ નો પણ અંત નથી. અહીં મનુષ્ય અંત મેળવવા નો પુરુષાર્થ કરે છે, ત્યાં કોઈ પુરુષાર્થ નથી કરતાં. અહીં કેટલાં પણ દૂર જાય છે ફરી પાછા આવે છે. પેટ્રોલ જ નહીં હોય તો આવશે કેવી રીતે? આ છે સાયન્સ (વિજ્ઞાન) વાળા નો અતિ અહંકાર, તેનાંથી વિનાશ કરી દે છે. એરોપ્લેન થી સુખ પણ છે પછી તેનાંથી અતિ દુઃખ પણ છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. કોઈ પણ કારણ થી ભણતર નથી છોડવાનું. સજાઓ ખૂબ કઠોર છે તેનાંથી બચવા માટે બીજા બધા સંગ તોડી એક બાપ ને યાદ કરવાના છે. રિસાવાનું નથી

2. જ્ઞાન ઇન્જેક્શન અથવા અંજન આપવા વાળા એક બાપ છે, એ અવિનાશી સર્જન થી કોઈ વાત છૂપાવવાની નથી. બાપ ને કહેવાથી ઝટ સાવધાની મળી જશે.

વરદાન :-
તન ની તંદુરસ્તી , મન ની ખુશી અને ધન ની સમૃદ્ધિ દ્વારા શ્રેષ્ઠ ભાગ્યવાન ભવ

સંગમયુગ પર સદા સ્વ માં સ્થિત રહેવા થી તન નાં કર્મભોગ સુળી થી કાંટા બની જાય છે, તન નો રોગ યોગ માં પરિવર્તન કરી દો છો એટલે સદા સ્વસ્થ છો. મનમનાભવ હોવાને કારણે ખુશીઓ ની ખાણ થી સદા સંપન્ન છો એટલે મન ની ખુશી પણ પ્રાપ્ત છે અને જ્ઞાન-ધન બધા ધન કરતાં શ્રેષ્ઠ છે. જ્ઞાન-ધન વાળા ની પ્રકૃતિ સ્વત: દાસી બની જાય છે અને સર્વ સંબંધ પણ એક ની સાથે છે, સંપર્ક પણ હોલી હંસો સાથે છે… એટલે શ્રેષ્ઠ ભાગ્યવાન નું વરદાન સ્વતઃ પ્રાપ્ત છે.

સ્લોગન :-
યાદ અને સેવા બંને નું બેલેન્સ જ ડબલ લોક છે.

અવ્યક્ત ઈશારા - આત્મિક સ્થિતિ માં રહેવાનો અભ્યાસ કરો , અંતર્મુખી બનો

જેવી રીતે અનેક જન્મ પોતાનાં દેહ નાં સ્વરુપ ની સ્મૃતિ નેચરલ રહી છે તેવી રીતે જ પોતાનાં અસલી સ્વરુપ ની સ્મૃતિ નો અનુભવ થોડો સમય પણ નહીં કરશો શું? આ પહેલો પાઠ કમ્પ્લીટ કરો ત્યારે પોતાની આત્મ-અભિમાની સ્થિતિ દ્વારા સર્વ આત્માઓ ને સાક્ષાત્કાર કરાવવાનાં નિમિત્ત બનશો.