27-05-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમારું મુખ હમણાં સ્વર્ગ તરફ છે , તમે નર્ક થી કિનારો કરી સ્વર્ગ તરફ જઈ રહ્યાંં છો , એટલે બુદ્ધિ નો યોગ નર્ક થી કાઢી નાખો”

પ્રશ્ન :-
સૌથી ઊંચી અને સૂક્ષ્મ મંઝિલ કઈ છે, તેને પાર કોણ કરી શકે છે?

ઉત્તર :-
આપ બાળકો સ્વર્ગ તરફ મુખ કરો છો, માયા તમારું મુખ નર્ક તરફ ફેરવી દે છે, અનેક તોફાન લાવે છે, એ જ તોફાનો ને પાર કરવા - આ છે સૂક્ષ્મ મંઝિલ. આ મંઝિલ ને પાર કરવા માટે નષ્ટોમોહા બનવું પડે. નિશ્ચય અને હિંમત નાં આધાર પર આને પાર કરી શકો છો. વિકારીઓ ની વચ્ચે રહેતાં નિર્વિકારી હંસ બનવું - આ જ છે મહેનત.

ગીત :-
નિર્બલ સે લડાઈ બલવાન કી…

ઓમ શાંતિ!
બાળકો જે સેન્સિબલ (સમજદાર) છે તે અર્થ તો સારી રીતે સમજે છે, જેમનો બુદ્ધિયોગ શાંતિધામ અને સ્વર્ગ તરફ છે એમને જ તોફાન લાગે છે. બાપ તો હમણાં તમારું મુખ ફેરવે છે. અજ્ઞાનકાળ માં પણ જૂનાં ઘર થી મુખ ફરી જાય છે પછી નવાં ઘર ને યાદ કરતા રહે છે - ક્યારે તૈયાર થાય! હવે બાળકો ને પણ ધ્યાન માં છે, ક્યારે અમારા સ્વર્ગ ની સ્થાપના થાય પછી સુખધામ માં આવીશું! આ દુઃખધામ માંથી તો બધાએ જવાનું છે. આખી સૃષ્ટિ નાં મનુષ્યમાત્ર ને બાપ સમજાવતા રહે છે - બાળકો, હવે સ્વર્ગ નાં દ્વાર ખુલી રહ્યાંં છે. હવે તમારો બુદ્ધિયોગ સ્વર્ગ તરફ જવો જોઈએ. હેવન (સ્વર્ગ) માં જવાવાળા ને કહેવાય છે પવિત્ર. હેલ (નર્ક) માં જવાવાળા ને અપવિત્ર કહેવાય છે. ગૃહસ્થ વ્યવહાર માં રહેતાં પણ બુદ્ધિયોગ સ્વર્ગ તરફ લગાવવાનો છે. સમજો, બાપ નો બુદ્ધિયોગ સ્વર્ગ તરફ અને બાળકો નો નર્ક તરફ છે તો બંને એક ઘર માં રહી કેવી રીતે શકે? હંસ અને બગલા સાથે રહી ન શકે. ખૂબ મુશ્કેલ છે. તેમનો બુદ્ધિયોગ છે જ ૫ વિકારો તરફ. તે નર્ક તરફ જવાવાળા, તે સ્વર્ગ તરફ જવાવાળા, બંને સાથે રહી ન શકે. ઊંચી મંઝિલ છે. બાપ જુએ છે મારા બાળકો નું મુખ નર્ક તરફ છે, નર્ક તરફ ગયા વગર રહી નથી શકતાં, પછી શું કરવું જોઈએ? જરુર ઘર માં ઝઘડા ચાલશે. કહેશે આ પણ કોઈ જ્ઞાન છે? બાળક લગ્ન ન કરે… ગૃહસ્થ વ્યવહાર માં રહે તો ઘણાં છે ને? બાળક નું મુખ નર્ક તરફ છે, તે ઈચ્છે છે નર્ક માં જઈએ. બાપ કહે નર્ક તરફ બુદ્ધિયોગ નહીં રાખો. પરંતુ બાપ નું પણ કહેવાનું માનતા નથી. પછી શું કરવું પડે? આમાં ખૂબ જ નષ્ટોમોહા સ્થિતિ જોઈએ. આ બધું જ્ઞાન આત્મા માં છે. બાપ નો આત્મા કહે છે આમને મેં ક્રિયેટ કર્યા (રચ્યા) છે, મારું કહેવાનું નથી માનતાં. કોઈ તો બ્રાહ્મણ પણ બન્યાં છે પાછી બુદ્ધિ ચાલી જાય છે નર્ક તરફ. તો તે જાણે એકદમ રસાતાળ માં ચાલ્યાં જશે.

બાળકો ને સમજાવાયું છે - આ છે જ્ઞાનસાગર નો દરબાર. ભક્તિમાર્ગ માં ઈન્દ્ર નો દરબાર પણ ગવાય છે. પુખરાજ પરી, નીલમ પરી, માણેક પરી, ખૂબ નામ રાખેલા છે. કારણકે જ્ઞાન ડાન્સ કરે છે ને? અનેક પ્રકારની પરીઓ છે. તે પણ પવિત્ર જોઈએ. જો કોઈ અપવિત્ર ને લઈ આવે તો દંડ પડી જશે. આમાં બહુ જ પાવન જોઈએ. આ મંઝિલ ખૂબ ઊંચી છે એટલે ઝાડ ની જલ્દી-જલ્દી વૃદ્ધિ નથી થતી. બાપ જે જ્ઞાન આપે છે તેને કોઈ જાણતું નથી. શાસ્ત્રો માં પણ આ જ્ઞાન નથી એટલે થોડો નિશ્ચય થયો પછી માયા એક જ થપ્પડ થી પાડી દે છે. તોફાન છે ને? નાનકડો દીવો, તેને તો તોફાન એક જ થપ્પડ થી પાડી દે છે. બીજાઓ ને વિકાર માં પડતા જોઈ પોતે પણ પડી જાય છે. આમાં તો વિશાળ બુદ્ધિ જોઈએ સમજવાની. ગવાયેલું પણ છે અબળાઓ પર અત્યાચાર થયાં. બાપ સમજાવે છે-બાળકો, કામ મહાશત્રુ છે, આનાંથી તો તમને ખૂબ નફરત આવવી જોઈએ. બાબા બહુ જ નફરત અપાવે છે હમણાં, પહેલાં આ વાત નહોતી. નર્ક તો હમણાં છે ને? દ્રૌપદીએ પોકાર્યુ છે, આ હમણાં ની જ વાત છે. કેટલું સારી રીતે સમજાવાય છે. તો પણ બુદ્ધિ માં બેસતું નથી.

આ ગોળા નું ચિત્ર ખૂબ સરસ છે - ગેટ વે ટૂ હેવન (સ્વર્ગનો દ્વાર). આ ગોળા નાં ચિત્ર થી ખૂબ સારી રીતે સમજી શકશે. સીડી થી પણ એટલું નહીં જેટલું આનાંથી સમજશે. દિવસે-દિવસે કરેક્શન (સુધાર) પણ થતું જાય છે. બાપ કહે છે આજે તમને બિલકુલ જ નવું ડાયરેક્શન (માર્ગદર્શન) આપું છું. પહેલાં થી થોડી બધા ડાયરેક્શન મળે છે? આ કેવી દુનિયા છે, આમાં કેટલું દુઃખ છે. કેટલો બાળકો માં મોહ રહે છે. બાળક મરી જાય છે તો એકદમ દિવાના થઈ જાય છે, અથાહ દુઃખ છે. એવું નથી કે સાહૂકાર છે, તો સુખી છે. અનેક પ્રકારની બીમારીઓ થતી રહે છે. પછી હોસ્પિટલ માં પડ્યાં રહે છે. ગરીબ જનરલ વોર્ડ માં પડ્યાં રહે છે, સાહૂકાર ને અલગ સ્પેશિયલ રુમ મળી જાય છે. પરંતુ દુઃખ તો જેવું સાહૂકાર ને તેવું ગરીબ ને થાય છે. ફક્ત તેમને જગ્યા સારી મળે છે. સંભાળ સારી થાય છે. હમણાં આપ બાળકો જાણો છો આપણને બાપ ભણાવી રહ્યા છે. બાપે અનેક વાર ભણાવ્યાં છે. પોતાનાં દિલ થી પૂછવું જોઈએ અમે ભણીએ છીએ કે નહીં? કેટલાં ને ભણાવીએ છીએ? જો ભણાવશો નહીં તો શું પદ મળશે? રોજ રાત્રે પોતાનો ચાર્ટ જુઓ - આજે કોઈને દુઃખ તો નથી આપ્યું? શ્રીમત કહે છે - કોઈને દુઃખ નહીં આપો અને બધાને રસ્તો બતાવો. જે આપણા જેવાં હશે તેમને ઝટ ટચ (સ્પર્શ) થશે. આમાં વાસણ જોઈએ સોના નું, જેમાં અમૃત રહે. જેમ કહે છે ને - સિંહણ નાં દૂધ માટે સોના નું વાસણ જોઈએ કારણકે તેનું દૂધ બહુ જ વધારે તાકાતવાળું હોય છે. તેમનો બાળકો માં મોહ રહે છે. કોઈને જોઈને એકદમ ઉછળી પડશે. સમજશે બાળક ને મારી ન નાખે. અહીં પણ ઘણાં છે જેમનો પતિ, બાળકો વગેરે માં મોહ રહે છે. હમણાં આપ બાળકો જાણો છો સ્વર્ગ નો ગેટ ખુલે છે. કૃષ્ણ નાં ચિત્ર માં ખૂબ ક્લિયર (સ્પષ્ટ) લખેલું છે. આ લડાઈ પછી સ્વર્ગ નાં દરવાજા ખુલે છે. ત્યાં ખૂબ થોડા મનુષ્ય હોય છે. બાકી બધા મુક્તિધામ માં ચાલ્યાં જાય છે. સજાઓ ખૂબ ખાવી પડે છે. જે પણ પાપ કર્મ કર્યા છે, એક-એક જન્મ નો સાક્ષાત્કાર કરાવી, સજાઓ ખાતા રહેશે. પછી પાઈ પૈસા નું પદ મેળવી લેશે. યાદ માં ન રહેવાના કારણે વિકર્મ વિનાશ નથી થતાં.

ઘણાં બાળકો છે જે મોરલી પણ મિસ કરી લે છે, અનેક બાળકો આમાં બેદરકાર રહે છે. સમજે છે અમે નથી વાંચી તો શું થયું? અમે તો પાર થઈ ગયા છીએ. મોરલી ની પરવા નથી કરતાં. એવાં દેહ-અભિમાની ઘણાં છે, તે પોતાનું જ નુકસાન કરે છે. બાબા જાણે છે એટલે અહીં જ્યારે આવે છે, તો પણ પૂછું છું, વધારે મોરલીઓ વાંચી નહીં હશે! ખબર નહીં તેમાં કોઈ સારી પોઇન્ટ્સ (વાત) હોય. પોઇન્ટ્સ તો રોજ નીકળે છે ને? એવાં પણ અનેક સેવાકેન્દ્ર પર આવે છે. પરંતુ ધારણા કાંઈ નથી, જ્ઞાન નથી. શ્રીમત પર નહીં ચાલશે તો પદ થોડી મળશે? સત્ બાપ, સત્ શિક્ષક ની ગ્લાનિ કરાવવા થી ક્યારેય ઠોર (પદ) મેળવી ન શકે. પરંતુ બધા તો રાજાઓ નહીં બનશે. પ્રજા પણ બને છે. નંબરવાર પદ હોય છે ને? બધો આધાર યાદ પર છે, જે બાપ પાસે થી વિશ્વ નું રાજ્ય મળે છે, એમને યાદ નથી કરી શકતાં. તકદીર માં જ નથી તો પછી તદબીર (પુરુષાર્થ) પણ શું કરશે? બાપ તો કહે છે યાદ ની યાત્રા થી જ પાપ ભસ્મ થશે, તો પુરુષાર્થ કરવો જોઈએ ને? બાબા કાંઈ એવું પણ નથી કહેતાં કે ખાવા-પીવાનું નહીં ખાઓ. આ કોઈ હઠયોગ નથી. હરતાં-ફરતાં બધું કામ કરતાં, જેમ આશિક માશૂક ને યાદ કરે છે, એવી યાદ માં રહો. તેમનો તો નામ-રુપ નો પ્રેમ હોય છે. આ લક્ષ્મી-નારાયણ વિશ્વ નાં માલિક કેવી રીતે બન્યાં? કોઈને પણ ખબર નથી. તમે તો કહો છો કાલ ની વાત છે. આ રાજ્ય કરતા હતાં, મનુષ્ય તો લાખો વર્ષ કહી દે છે. માયાએ મનુષ્ય ને બિલકુલ જ પથ્થરબુદ્ધિ બનાવી દીધાં છે. હમણાં તમે પથ્થર બુદ્ધિ થી પારસ બુદ્ધિ બનો છો. પારસનાથ નું મંદિર પણ છે. પરંતુ એ કોણ છે? આ કોઈ નથી જાણતાં. મનુષ્ય બિલકુલ જ ઘોર અંધકાર માં છે. હમણાં બાપ કેટલી સારી-સારી વાતો સમજાવે છે. પછી દરેક ની બુદ્ધિ પર છે. ભણાવવા વાળા તો એક જ છે. ભણવા વાળા તો અનેકો હોય છે. ગલી-ગલી માં તમારી સ્કૂલ બની જશે. ગેટ વે ટૂ હેવન. મનુષ્ય એક પણ નથી જે સમજે કે અમે નર્ક માં છીએ. બાપ સમજાવે છે બધા પુજારી છે. પૂજ્ય હોય જ છે સતયુગ માં. પુજારી હોય છે કળિયુગ માં. મનુષ્ય પછી સમજે છે ભગવાન જ પૂજ્ય, ભગવાન જ પુજારી બને છે. તમે જ ભગવાન છો, તમે જ આ બધો ખેલ કરો છો. તમે પણ ભગવાન, અમે પણ ભગવાન. કાંઈ પણ સમજતા નથી, આ છે જ રાવણ રાજ્ય. તમે શું હતાં, હવે શું બનો છો? બાળકો ને ખૂબ નશો રહેવો જોઈએ. બાપ ફક્ત કહે છે મને યાદ કરો તો તમે પુણ્ય આત્મા બની જશો.

બાપ બાળકોને પુણ્ય આત્મા બનવાની યુક્તિ બતાવે છે - બાળકો, આ જૂની દુનિયાનો હવે અંત છે. હું હમણાં ડાયરેક્ટ (પ્રત્યક્ષ) આવેલો છું, આ છે અંત નું દાન, એકદમ સરેન્ડર (સમર્પિત) થઈ જાઓ. બાબા, આ બધું તમારું છે. બાપ તો આપવા માટે જ કરાવે છે. આમનું કાંઈક ભવિષ્ય બની જાય. મનુષ્ય ઈશ્વર અર્થ દાન-પુણ્ય કરે છે, તે છે પરોક્ષ. તેનું ફળ બીજા જન્મ માં મળે છે. આ પણ ડ્રામા માં નોંધ છે. હમણાં તો હું છું પ્રત્યક્ષ. હમણાં તમે જે કરશો તેનું રિટર્ન (વળતર) પદમગુણા મળશે. સતયુગ માં તો દાન-પુણ્ય વગેરેની વાત નથી હોતી. અહીં કોઈની પાસે પૈસા છે તો બાબા કહેશે સારું, તમે જઈને સેવાકેન્દ્ર ખોલો. પ્રદર્શન બનાવો. ગરીબ છે તો કહેશે સારું, પોતાનાં ઘર માં જ ફક્ત બોર્ડ લગાવી દો - ગેટ વે ટૂ હેવન. સ્વર્ગ અને નર્ક છે ને? હમણાં આપણે નર્કવાસી છીએ, આ પણ કોઈ સમજતા નથી. જો સ્વર્ગ પધાર્યા તો પછી તેમને નર્ક માં કેમ બોલાવો છો? સ્વર્ગ માં થોડી કોઈ કહેશે સ્વર્ગ પધાર્યા? એ તો છે જ સ્વર્ગ માં. પુનર્જન્મ સ્વર્ગ માં જ મળે છે. અહીં પુનર્જન્મ નર્ક માં જ મળે છે. આ વાતો પણ તમે સમજાવી શકો છો. ભગવાનુવાચ - મામેકમ્ યાદ કરો કારણકે એ જ પતિત-પાવન છે, મને યાદ કરો તો તમે પુજારી થી પૂજ્ય બની જશો. ભલે સ્વર્ગ માં સુખી તો બધા હશે પરંતુ નંબરવાર પદ હોય છે. ખૂબ ઊંચી મંઝિલ છે. કુમારીઓ ને તો ખૂબ સર્વિસ નો જોશ આવવો જોઈએ. અમે ભારત ને સ્વર્ગ બનાવીને દેખાડીશું. કુમારી એ જે ૨૧ કુળ નો ઉદ્ધાર કરે અર્થાત્ ૨૧ જન્મ માટે ઉદ્ધાર કરી શકે છે. અચ્છા.

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની દુનિયા નો અંત છે, બાપ ડાયરેક્ટ આવ્યાં છે તો એકદમ સરેન્ડર (સમર્પિત) થઈ જવાનું છે, બાબા આ બધું તમારું છે... આ યુક્તિ થી પુણ્યાત્મા બની જશો.

2. મોરલી ક્યારેય પણ મિસ નથી કરવાની, મોરલી માં બેદરકાર નથી રહેવાનું. એવું નથી, અમે નથી વાંચી તો શું થયું? અમે તો પાર થઈ ગયા છીએ. ના. આ દેહ-અભિમાન છે. મોરલી જરુર વાંચવાની છે.

વરદાન :-
સ્વયં ને મોલ્ડ કરી રીયલ ગોલ્ડ બની દરેક કાર્ય માં સફળ થવા વાળા સ્વ - પરિવર્તક ભવ

જે દરેક પરિસ્થિતિ માં સ્વયં ને પરિવર્તન કરી સ્વ-પરિવર્તક બને છે તે સદા સફળ થાય છે. એટલે સ્વયં ને બદલવાનું લક્ષ રાખો. બીજા બદલાય તો હું બદલાઉં, ના. બીજા બદલાય કે ન બદલાય મારે બદલાવાનું છે. હે અર્જુન, મારે બનવાનું છે. સદા પરિવર્તન કરવામાં પહેલાં હું. જે આમાં પહેલાં હું કરે તે જ પહેલો નંબર બની જાય, કારણકે સ્વયં ને મોલ્ડ કરવાવાળા જ રીયલ ગોલ્ડ છે. રીયલ ગોલ્ડ ની જ વેલ્યુ છે.

સ્લોગન :-
પોતાનાં શ્રેષ્ઠ જીવન નાં પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા બાપ ને પ્રત્યક્ષ કરો.

અવ્યક્ત ઈશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

બાપ સમાન બનવું છે અથવા બાપ ની સમીપ જવું છે તો અપવિત્રતા અર્થાત્ કામ મહાશત્રુ સ્વપ્ન માં પણ વાર ન કરે. સદા ભાઈ-ભાઈ ની સ્મૃતિ સહજ અને સ્વતઃ સ્વરુપ માં હોય. આત્મા નાં અસલી ગુણ-સ્વરુપ અને શક્તિ-સ્વરુપ સ્થિતિ થી નીચે નહીં આવો.