28-05-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - હમણાં ડ્રામા નું ચક્ર પૂરું થાય છે , તમારે ક્ષીરખંડ બનીને નવી દુનિયામાં આવવાનું છે , ત્યાં બધા ક્ષીરખંડ છે , અહીં લૂણપાણી છે”

પ્રશ્ન :-
આપ ત્રિનેત્રી બાળકો કઈ નોલેજ ને જાણી ને ત્રિકાળદર્શી બની ગયા છો?

ઉત્તર :-
તમને હમણાં આખાં વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી ની નોલેજ મળી છે, સતયુગ થી લઈને કળિયુગ અંત સુધી ની હિસ્ટ્રી-જોગ્રોફી તમે જાણો છો. તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે કે આત્મા એક શરીર છોડી બીજું લે છે. સંસ્કાર આત્મા માં છે. હવે બાપ કહે છે - બાળકો, નામ-રુપ થી ન્યારા બનો. પોતાને આત્મા અશરીરી સમજો.

ગીત :-
ધીરજ ધર મનુવા…

ઓમ શાંતિ!
કલ્પ-કલ્પ બાળકો ને કહેવાય છે અને બાળકો જાણે છે, દિલ (મન) થાય છે કે જલ્દી સતયુગ આવી જાય તો આ દુ:ખ થી છૂટી જઈએ. પરંતુ ડ્રામા ખૂબ ધીરે-ધીરે ચાલવા વાળો છે. બાપ ધીરજ આપે છે બાકી થોડા દિવસ છે. મોટા-મોટાઓ દ્વારા પણ અવાજ સાંભળતા રહેશો દુનિયા બદલાવાની છે. જે પણ મોટા-મોટા છે પોપ જેવાં, તે પણ કહે છે દુનિયા બદલાવાની છે. અચ્છા, પછી શાંતિ કેવી રીતે થશે? આ સમયે બધા લૂણપાણી છે. હમણાં આપણે ક્ષીરખંડ થઈને રહ્યાં છીએ. તે તરફ દિવસે-દિવસે લૂણપાણી થતા જાય છે. પરસ્પર લડી-ઝઘડીને ખતમ થવાનાં છે, તૈયારીઓ થઈ રહી છે. આ ડ્રામા નું ચક્ર હવે પૂરું થાય છે. જૂની દુનિયા પૂરી થાય છે. નવી દુનિયાની સ્થાપના થઈ રહી છે. નવી દુનિયા સો જૂની, જૂની સો નવી દુનિયા ફરી બનશે. આને દુનિયા નું ચક્ર કહેવાય છે જે ફરતું રહે છે. એવું નથી, લાખો વર્ષ પછી જૂની દુનિયા નવી થશે. ના. આપ બાળકો સારી રીતે જાણી ચૂક્યાં છો, ભક્તિ બિલકુલ જ અલગ છે. ભક્તિ નું કનેક્શન રાવણ સાથે છે. જ્ઞાન નું કનેક્શન રામ ની સાથે છે. આ તમે હમણાં સમજી રહ્યાં છો. હમણાં બાપ ને બોલાવે પણ છે-હે પતિત-પાવન આવો, આવીને નવી દુનિયા સ્થાપન કરો. નવી દુનિયા માં જરુર સુખ હોય છે. હવે બાળકો નાનાં અથવા મોટા બધા જાણી ગયા છે કે હવે ઘરે જવાનું છે. આ નાટક પૂરું થાય છે. આપણે ફરી થી સતયુગ માં જઈશું પછી ૮૪ જન્મો નું ચક્ર લગાવવાનું છે. સ્વ આત્મા ને દર્શન થાય છે - સૃષ્ટિ ચક્ર નું અર્થાત્ આત્મા ને જ્ઞાન નું ત્રીજું નેત્ર મળ્યું છે, તેને કહેવાય છે ત્રિનેત્રી. હમણાં તમે ત્રિનેત્રી છો બીજા બધા મનુષ્યો ને આ સ્થૂળ નેત્ર છે. જ્ઞાન નું નેત્ર કોઈને નથી. ત્રિનેત્રી બને ત્યારે ત્રિકાળદર્શી બને કારણકે આત્મા ને જ્ઞાન મળે છે ને? આત્મા જ એક શરીર છોડી બીજું લે છે. સંસ્કાર આત્મા માં રહે છે. આત્મા અવિનાશી છે. હવે બાપ કહે છે નામ-રુપ થી ન્યારા બનો. પોતાને અશરીરી સમજો. દેહ નહીં સમજો. આ પણ જાણો છો આપણે અડધાકલ્પ થી પરમાત્મા ને યાદ કરતા આવ્યાં છીએ. આમાં જ્યારે વધારે દુઃખ થાય છે ત્યારે વધારે યાદ કરે છે, હમણાં કેટલું દુઃખ છે. પહેલાં આટલું દુઃખ નહોતું. જ્યાર થી બહારવાળા આવ્યાં છે ત્યાર થી આ રાજાઓ પણ પરસ્પર લડે છે. જુદા-જુદા થયા છે. સતયુગ માં તો એક જ રાજ્ય હતું.

હમણાં આપણે સતયુગ થી લઈને કળિયુગ અંત સુધી હિસ્ટ્રી-જોગ્રોફી સમજી રહ્યાં છીએ. સતયુગ-ત્રેતા માં એક જ રાજ્ય હતું. એવી એક જ ડિનાયસ્ટી (રાજાઈ) કોઈની હોતી નથી. ક્રિશ્ચન માં પણ જુઓ ફૂટ (દરાર) છે, ત્યાં તો આખું વિશ્વ એક નાં હાથ માં રહે છે. તે ફક્ત સતયુગ-ત્રેતા માં જ હોય છે. આ બેહદ ની હિસ્ટ્રી-જોગ્રોફી હમણાં તમારી બુદ્ધિ માં છે. બીજા કોઈ સત્સંગ માં હિસ્ટ્રી-જોગ્રોફી શબ્દ નહીં સાંભળશો. ત્યાં તો રામાયણ, મહાભારત વગેરે જ સાંભળો છો. અહીં તે વાતો નથી. અહીં છે વર્લ્ડ ની હિસ્ટ્રી-જોગ્રોફી. તમારી બુદ્ધિ માં છે ઊંચા માં ઊંચા આપણા બાપ છે. બાપ નો ધન્યવાદ છે જેમણે બધું જ્ઞાન સંભળાવ્યું છે. એક આત્માઓ નું ઝાડ છે, બીજુ છે મનુષ્યો નું ઝાડ. મનુષ્યો નાં ઝાડ માં ઉપર કોણ છે? ગ્રેટ-ગ્રેટ ગ્રેન્ડ ફાધર બ્રહ્મા ને જ કહેવાશે. આ જાણે છે બ્રહ્મા મુખ્ય છે પરંતુ બ્રહ્મા ની પાછળ શું હિસ્ટ્રી-જોગ્રોફી છે, આ કોઈ નથી જાણતું. હમણાં તમારી બુદ્ધિ માં છે - ઊંચા માં ઊંચા બાપ રહે પણ છે પરમધામ માં. પછી સૂક્ષ્મવતન ની પણ તમને ખબર છે. મનુષ્ય જ ફરિશ્તા બને છે, એટલે સૂક્ષ્મવતન દેખાડ્યું છે. તમે આત્માઓ જાઓ છો, શરીર તો સૂક્ષ્મવતન માં નહીં જશે. જાય કેવી રીતે છે, તેને કહેવાય છે ત્રીજું નેત્ર, દિવ્ય-દૃષ્ટિ અથવા ધ્યાન પણ કહે છે. તમે ધ્યાન માં બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને જુઓ છો. લોકો દેખાડે છે - શંકર ની આંખ ખોલવાથી વિનાશ થઈ જાય છે. હવે એનાંથી તો કોઈ સમજી ન શકે. હમણાં તમે જાણો છો વિનાશ તો ડ્રામા અનુસાર થવાનો જ છે. પરસ્પર લડીને વિનાશ થઈ જશે. બાકી શંકર શું કરે છે? આ ડ્રામા અનુસાર નામ રાખી દીધું છે. તો સમજાવવું પડે છે. બ્રહ્મા-વિષ્ણુ-શંકર ત્રણ છે. સ્થાપના માટે બ્રહ્મા ને રાખ્યાં છે, પાલના માટે વિષ્ણુ ને, વિનાશ માટે શંકર ને રાખી દીધાં છે. હકીકત માં આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. શંકર નો પાર્ટ કાંઈ પણ નથી. બ્રહ્મા અને વિષ્ણુ નો પાર્ટ તો આખા કલ્પ માં છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. બ્રહ્મા નાં પણ ૮૪ જન્મ પૂરાં થયા તો વિષ્ણુ નાં પણ પૂરાં થયાં. શંકર તો જન્મ-મરણ થી ન્યારા છે એટલે શિવ અને શંકર ને પછી મિલાવી દીધાં છે. હકીકત માં શિવ નો તો ખૂબ પાર્ટ છે, ભણાવે છે.

ભગવાન ને કહેવાય છે નોલેજફુલ. જો એ પ્રેરણા થી કાર્ય કરત તો સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન કેવી રીતે આપત? એટલે બાપ સમજાવે છે - બાળકો, પ્રેરણા ની તો કોઈ વાત જ નથી. બાપ ને તો આવવું પડે છે. બાપ કહે છે - બાળકો, મારા માં સૃષ્ટિ ચક્ર નું જ્ઞાન છે. મને આ પાર્ટ મળેલો છે એટલે મને જ જ્ઞાન સાગર નોલેજફુલ કહે છે. નોલેજ કોને કહેવાય છે, તે તો જ્યારે મળે ત્યારે ખબર પડે. મળ્યું જ નથી તો અર્થ કેવી રીતે ખબર પડે? પહેલાં તમે પણ કહેતાં હતાં ઈશ્વર પ્રેરણા કરે છે. એ બધું જ જાણે છે. આપણે જે પાપ કરીએ છીએ, ઈશ્વર જુએ છે. બાબા કહે છે આ ધંધો હું નથી કરતો. આ તો જેવાં કર્મ કરે છે તેની પોતે જ સજા ભોગવે છે, હું કોઈને નથી આપતો. ન કોઈ પ્રેરણા થી સજા આપીશ. હું પ્રેરણા થી કરું તો જાણે મેં સજા આપી. કોઈ ને કહેવું કે આમને મારો, આ પણ દોષ છે. કહેવા વાળા પણ ફસાઈ જાય. શંકર પ્રેરણા આપે તો તે પણ ફસાઈ જાય. બાપ કહે છે હું તો આપ બાળકો ને સુખ આપવા વાળો છું. તમે મારી મહિમા કરો છો - બાબા, આવી ને દુઃખ હરો. હું થોડી દુઃખ આપુ છું?

હમણાં આપ બાળકો બાપ ની સન્મુખ બેઠાં છો તો કેટલી ખુશી થવી જોઈએ! અહીં ડાયરેક્ટ ભાસના આવે છે. બાબા આપણને ભણાવે છે. આને મેળો કહેવાય છે. સેવાકેન્દ્ર પર તમે જાઓ છો ત્યાં કોઈ આત્માઓ, પરમાત્મા નો મેળો નહીં કહેવાશે. આત્માઓ, પરમાત્મા નો મેળો અહીં લાગે છે. આ પણ તમે જાણો છો મેળો લાગેલો છે. બાપ બાળકો ની વચ્ચે આવ્યાં છે. આત્માઓ બધા અહીં છે. આત્મા જ યાદ કરે છે કે બાપ આવે. આ સૌથી સારો મેળો છે. બાપ આવીને સર્વ આત્માઓ ને રાવણ રાજ્ય થી છોડાવી દે છે. આ મેળો સારો થયો ને, જેનાં થી મનુષ્ય પારસ બુદ્ધિ બને છે. તે મેળા પર તો મનુષ્ય મેલા થઈ જાય છે. પૈસા બરબાદ કરતા રહે છે, મળતું કાંઈ પણ નથી. તેને માયાવી, આસુરી મેળો કહેવાશે. આ છે ઈશ્વરીય મેળો. રાત-દિવસ નો ફરક છે. તમે પણ આસુરી મેળા માં હતાં. હમણાં છો ઈશ્વરીય મેળા માં. તમે જ જાણો છો બાબા આવેલા છે. બધા જાણી જાય તો ખબર નહીં કેટલી ભીડ થઈ જાય? એટલાં મકાન વગેરે રહેવા માટે ક્યાંથી લાવીશું? પછી ગાય છે ને - અહો પ્રભુ તારી લીલા. કઈ લીલા? સૃષ્ટિ ને બદલવાની લીલા. આ છે સૌથી મોટી લીલા. જૂની દુનિયા ખતમ થતા પહેલાં નવી દુનિયાની સ્થાપના થાય છે એટલે હંમેશા કોઈને પણ સમજાવો તો પહેલાં સ્થાપના, વિનાશ પછી પાલના કહેવાનું છે. જ્યારે સ્થાપના પૂરી થાય છે ત્યાર પછી વિનાશ શરુ થાય છે, પછી પાલના થશે. તો આપ બાળકો ને આ ખુશી રહે છે - આપણે સ્વદર્શન ચક્રધારી બ્રાહ્મણ છીએ. પછી આપણે ચક્રવર્તી રાજા બનીએ છીએ. આ કોઈને ખબર નથી, આ દેવતા નું રાજ્ય ક્યાં ગયું? નામ-નિશાન ગુમ થઈ ગયું છે. દેવતાઓની બદલે પોતાને હિન્દુ કહી દે છે. હિન્દુસ્તાન માં રહેલા વાળા હિન્દુ છે. લક્ષ્મી-નારાયણ ને તો એવું ક્યારેય નહીં કહેવાશે. એમને તો દેવતા કહેવાય છે. તો હવે આ મેળા માં ડ્રામા અનુસાર તમે આવ્યાં છો. આ ડ્રામા માં નોંધ છે. ધીરે-ધીરે વૃદ્ધિ થતી રહેશે. તમારો જે કાંઈ પાર્ટ ચાલી રહ્યો છે ફરી કલ્પ પછી ચાલશે. આ ચક્ર ફરતું રહે છે. પછી રાવણ રાજ્ય માં આસુરી પાલના થશે. તમે હમણાં ઈશ્વરીય બાળકો છો પછી દૈવી બાળકો પછી ક્ષત્રિય બનશો. તમે જે અપવિત્ર પ્રવૃત્તિ વાળા બની ગયા હતાં તે ફરી પવિત્ર પ્રવૃત્તિવાળા બનો છો. છે તો આ પણ દૈવી ગુણ વાળા મનુષ્ય ને? બાકી આટલી ભુજાઓ વગેરે આપી દીધી છે, વિષ્ણુ કોણ છે? આ કોઈ બતાવી ન શકે. મહાલક્ષ્મી ની પણ પૂજા કરે છે. જગત અંબા પાસે ક્યારેય ધન નથી માંગતાં. ધન વધારે મળી ગયું તો કહેશે લક્ષ્મી ની પૂજા કરી એટલે એમણે ભંડારો ભરી દીધો. અહીં તો તમે જગત અંબા પાસે થી મેળવી રહ્યાં છો પરમપિતા પરમાત્મા શિવ દ્વારા, આપવાવાળા એ છે. આપ બાળકો બાપદાદા કરતાં પણ ભાગ્યશાળી છો. જુઓ, જગદંબા નો કેટલો મેળો લાગે છે, બ્રહ્મા નો એટલો નથી. બ્રહ્મા ને તો એક જ જગ્યાએ બેસાડી દીધાં છે, અજમેર માં મોટું મંદિર છે. દેવીઓ નાં મંદિર ખૂબ છે કારણકે આ સમયે તમારી ખૂબ મહિમા છે. તમે ભારત ની સેવા કરો છો. પૂજા પણ તમારી વધારે થાય છે. તમે લક્કી છો. જગતઅંબા માટે એવું ક્યારેય નહીં કહેવાશે કે એ સર્વવ્યાપી છે. તમારી મહિમા થતી રહે છે. બ્રહ્મા, વિષ્ણુ, શંકર ને પણ સર્વવ્યાપી નથી કહેતાં, મને કહી દે છે કણ-કણ માં છે, કેટલી ગ્લાનિ કરે છે.

તમારી હું કેટલી મહિમા વધારું છું. ભારત માતા ની જય કહે છે ને? ભારત માતા તો તમે છો ને? ધરતી નથી. ધરતી વગેરે જે હમણાં તમોપ્રધાન છે, સતયુગ માં સતોપ્રધાન થઈ જાય છે એટલે કહે છે દેવતાઓનાં પગ પતિત દુનિયામાં નથી આવતાં. જ્યારે સત્તોપ્રધાન ધરતી હોય છે ત્યારે આવે છે. હવે તમારે સતોપ્રધાન બનવાનું છે. શ્રીમત પર ચાલતાં બાપ ને યાદ કરતા રહેશો તો ઊંચ પદ મેળવશો. આ વિચાર રાખવાનો છે. યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે. શ્રીમત મળતી રહે છે. સતયુગ માં તો તમારો આત્મા પવિત્ર કંચન થઈ જાય છે, તો શરીર પણ કંચન મળે છે. સોના માં ખાદ પડે છે તો પછી ઘરેણા પણ એવાં બને છે. આત્મા જુઠ્ઠો તો શરીર પણ જુઠ્ઠું. ખાદ પડવાથી સોનાં નું મુલ્ય પણ ઓછું થઈ જાય છે. તમારું મુલ્ય હમણાં કાંઈ પણ નથી. પહેલાં તમે વિશ્વ નાં માલિક ૨૪ કેરેટ હતાં. હમણાં ૯ કેરેટ કહેવાશે. આ બાપ બાળકો સાથે રુહરિહાન કરે છે. બાળકો ને બેસીને બહેલાવે (પુચકાર કરે) છે, જે તમે સાંભળતાં-સાંભળતાં પરિવર્તન થઈ જાઓ છો. મનુષ્ય થી દેવતા બની જાઓ છો. ત્યાં હીરા-ઝવેરાતો નાં મહેલ હશે, સ્વર્ગ તો પછી શું! ત્યાં નાં શુબીરસ વગેરે પણ તમે પી ને આવો છો. ત્યાં નાં ફળો જ એટલાં મોટા-મોટા હોય છે. અહીં તો મળી ન શકે. સૂક્ષ્મવતન માં તો કાંઈ નથી. હમણાં તમે પ્રેક્ટિકલ માં જાઓ છો. આ છે આત્મા અને પરમાત્મા નો મેળો, આનાં થી તમે ઉજ્જવળ બનો છો.

આપ બાળકો જ્યારે અહીં આવો છો તો પછી ફ્રી (મુક્ત) છો, ઘરબાર ધંધો વગેરે ની કોઈ ચિંતા નથી. તો અહીં તમને યાદ ની યાત્રા માં રહેવાની તક સારી છે. ત્યાં તો ઘર-ઘાટ વગેરે યાદ આવતાં રહેશે. અહીં તો કાંઈ નથી. રાત્રે બે વાગે ઉઠીને અહીં બેસી જાઓ. સેવાકેન્દ્ર પર તો રાત્રે તમે જઈ નથી શકતાં. અહીં તો સહજ છે. શિવબાબા ની યાદ માં આવીને બેસો, બીજું કોઈ યાદ ન આવે. અહીં તમને મદદ પણ મળશે. સવારે (જલ્દી) સુઈ જાઓ પછી સવારે ઊઠો. ૩ થી ૫ વાગ્યા સુધી આવીને બેસો. બાબા પણ આવી જશે, બાળકો ખુશ થશે. બાબા છે યોગ શિખવાડવા વાળા. આ પણ શીખવા વાળા છે તો બંને બાપ અને દાદા આવી જશે પછી અહીં અને ત્યાં યોગ માં બેસવાનો ફરક પણ ખબર પડશે. અહીં કાંઈ પણ યાદ નહીં આવશે, આમાં ફાયદો ખૂબ છે. બાબા સલાહ આપે છે - આ ખૂબ સરસ થઈ શકે છે. હવે જોઈએ બાળકો ઉઠી શકે છે? અનેક ને સવારે ઉઠવા નો અભ્યાસ છે. તમારો સંન્યાસ છે ૫ વિકારો નો અને વૈરાગ છે આખી જૂની દુનિયાથી. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. હમણાં સૃષ્ટિ બદલાવા ની લીલા ચાલી રહી છે એટલે સ્વયં ને બદલવાનાં છે. ક્ષીરખંડ થઈને રહેવાનું છે.

2. સવારે ઉઠીને એક બાપ ની યાદ માં બેસવાનું છે, તે સમયે બીજું કોઈ પણ યાદ ન આવે. જૂની દુનિયા થી બેહદ નાં વૈરાગી બની ૫ વિકારો નો સંન્યાસ કરવાનો છે.

વરદાન :-
બેહદ ની સ્થિતિ માં સ્થિત રહી સેવા નાં લગાવ થી ન્યારા અને પ્યારા વિશ્વ સેવાધારી ભવ

વિશ્વ સેવાધારી અર્થાત્ બેહદ ની સ્થિતિ માં સ્થિત રહેવા વાળા. એવાં સેવાધારી સેવા કરતા પણ ન્યારા અને સદા બાપ નાં પ્યારા રહે છે. સેવા નાં લગાવ માં નથી આવતા કારણકે સેવા નો લગાવ પણ સોના ની જંજીર છે. આ બંધન બેહદ થી હદ માં લઈ આવે છે. એટલે દેહ ની સ્મૃતિ થી, ઈશ્વરીય સંબંધ થી, સેવા નાં સાધનો નાં લગાવ થી ન્યારા અને બાપ નાં પ્યારા બનો તો વિશ્વ સેવાધારી નું વરદાન પ્રાપ્ત થઈ જશે અને સદા સફળતા મળતી રહેશે.

સ્લોગન :-
વ્યર્થ સંકલ્પો ને એક સેકન્ડ માં સ્ટોપ કરવાનું રિહર્સલ કરો તો શક્તિશાળી બની જશો.

અવ્યક્ત ઇશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

તમારા બધા ની પહેલી પ્રવૃત્તિ છે પોતાનાં દેહ ની પ્રવૃત્તિ, પછી છે દેહ નાં સંબંધ ની પ્રવૃત્તિ. તો પહેલી પ્રવૃત્તિ - દેહ ની દરેક કર્મેન્દ્રિયો ને પવિત્ર બનાવવાની છે. જ્યાં સુધી દેહ ની પ્રવૃત્તિ ને પવિત્ર નથી બનાવી ત્યાં સુધી દેહ નાં સંબંધ ની પ્રવૃત્તિ ભલે હદ ની હોય કે બેહદ ની હોય, એને પણ પવિત્ર નહીં બનાવી શકો. તો પહેલાં પોતે પોતાને પૂછો કે પોતાનાં શરીર રુપી ઘર ને અર્થાત્ સંકલ્પો ને, બુદ્ધિ ને, નયનો ને અને મુખ ને રુહાની અર્થાત્ પવિત્ર બનાવ્યાં છે? એવાં પવિત્ર આત્માઓ જ મહાન છે.