28-11-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - આ ભૂલ - ભૂલૈયા નો ખેલ છે , તમે ઘડી - ઘડી બાપ ને ભૂલી જાઓ છો , નિશ્ચયબુદ્ધિ બનો તો આ ખેલ માં ફસાશો નહીં”

પ્રશ્ન :-
કયામત નાં સમય ને જોતા આપ બાળકો નું કર્તવ્ય શું છે?

ઉત્તર :-
તમારું કર્તવ્ય છે - પોતાનાં અભ્યાસ માં સારી રીતે લાગી જવું, બીજી વાતો માં નથી જવાનું. બાપ તમને નયનો પર બેસાડીને, ગળા નો હાર બનાવીને સાથે લઈ જશે. બાકી તો બધાને પોત-પોતાનાં હિસાબ-કિતાબ ચૂક્તું કરીને જવાનું જ છે. બાપ આવ્યાં છે બધાને પોતાની સાથે ઘરે લઈ જવાં.

ગીત :-
દૂર દેશ કા રહનેવાલા…

ઓમ શાંતિ!
રુહાની બાપ રુહાની બાળકો ને બેસીને સમજાવે છે - ભારત ખાસ અને સામાન્ય રીતે દુનિયા, બધા વિશ્વ માં શાંતિ ઈચ્છે છે. હવે આ તો સમજવું જોઈએ - જરુર વિશ્વ નાં માલિક જ વિશ્વ માં શાંતિ સ્થાપન કરે છે. ગોડ ફાધર ને જ પોકારવા જોઈએ કે આવીને વિશ્વ માં શાંતિ ફેલાવો. કોને પોકારે તે પણ બિચારાઓ ને ખબર નથી. આખાં વિશ્વ ની વાત છે ને? આખાં વિશ્વ માં શાંતિ ઈચ્છે છે. હવે શાંતિ નું ધામ તો અલગ છે, જ્યાં બાપ અને આપ આત્માઓ રહો છો. આ પણ બેહદ નાં બાપ જ સમજાવે છે. હવે આ દુનિયા માં તો અસંખ્ય મનુષ્ય છે, અનેક ધર્મ છે. કહે છે - એક ધર્મ થઈ જાય તો શાંતિ થાય. બધા ધર્મ મળીને એક તો થઈ ન શકે. ત્રિમૂર્તિ ની મહિમા પણ છે. ત્રિમૂર્તિ નાં ચિત્ર ખૂબ રાખે છે. આ પણ જાણે છે બ્રહ્મા દ્વારા સ્થાપના. કોની? ફક્ત શાંતિ ની થોડી હશે? શાંતિ અને સુખ ની સ્થાપના થાય છે. આ ભારત માં જ ૫ હજાર વર્ષ પહેલાં જ્યારે આમનું રાજ્ય હતું તો જરુર બાકી બધા જીવ આત્માઓ, જીવ ને છોડી પોતાનાં ઘરે ગયા હશે. હવે ઈચ્છે છે એક ધર્મ, એક રાજ્ય, એક ભાષા. હવે આપ બાળકો જાણો છો - બાપ શાંતિ, સુખ, સંપત્તિ ની સ્થાપના કરી રહ્યાં છે. એક રાજ્ય પણ જરુર અહીંયા જ હશે ને? એક રાજ્ય ની સ્થાપના થઈ રહી છે - આ કોઈ નવી વાત નથી. અનેક વાર એક રાજ્ય સ્થાપન થયું છે. પછી અનેક ધર્મો ની વૃદ્ધિ થતાં-થતાં ઝાડ મોટું થઈ જાય છે પછી બાપ ને આવવું પડે છે. આત્મા જ સાંભળે છે, ભણે છે, આત્મા માં જ સંસ્કાર છે. આપણે આત્મા ભિન્ન-ભિન્ન શરીર ધારણ કરીએ છીએ. બાળકો ને આ નિશ્ચયબુદ્ધિ બનવામાં પણ બહુ મહેનત લાગે છે. કહે છે બાબા, ઘડી-ઘડી ભુલી જઈએ છીએ. બાપ સમજાવે છે - આ ખેલ ભૂલ-ભૂલૈયા નો છે. આમાં તમે જાણે ફસાઈ ગયા છો, ખબર નથી આપણે પોતાનાં ઘરે તથા રાજધાની માં કેવી રીતે જઈશું? હવે બાપે સમજાવ્યું છે પહેલાં કાંઈ નહોતાં જાણતાં. આત્મા કેટલો પથ્થર બુદ્ધિ બની જાય છે. પથ્થર બુદ્ધિ અને પારસ બુદ્ધિ નું ભારત માં જ ગાયન છે. પથ્થર બુદ્ધિ રાજાઓ અને પારસ બુદ્ધિ રાજાઓ અહીંયા જ છે. પારસનાથ નું મંદિર પણ છે. હમણાં તમે જાણો છો આપણે આત્માઓ ક્યાંથી આવ્યાં છીએ પાર્ટ ભજવવાં? પહેલાં તો કાંઈ પણ નહોતાં જાણતાં. આને કહેવાય છે કાંટાઓ નું જંગલ. આ આખી દુનિયા કાંટાઓ નું જંગલ છે. ફૂલો નાં બગીચા ને આગ લાગી, એવું ક્યારેય સાંભળ્યું નહીં હશે. હંમેશા જંગલ ને આગ લાગે છે. આ પણ જંગલ છે, આને આગ લાગવાની છે જરુર. ભંભોર ને આગ લાગવાની છે. આ આખી દુનિયા ને જ ભંભોર કહેવાય છે. હવે આપ બાળકોએ બાપ ને જાણી લીધાં છે. સન્મુખ બેઠાં છે. જે ગાતા હતાં તુમ્હીં સે બેઠું… તે બધું બની રહ્યું છે. ભગવાનુવાચ તો જરુર વાંચશે ને? ભગવાનુવાચ બાળકો પ્રત્યે જ હશે ને? તમે જાણો છો ભગવાન ભણાવે છે. ભગવાન કોણ છે? નિરાકાર શિવ ને જ કહેવાશે. ભગવાન શિવ ની પૂજા પણ અહીં થાય છે. સતયુગ માં પૂજા વગેરે નથી હોતી. યાદ પણ નથી કરતાં. ભક્તો ને સતયુગ ની રાજધાની નું ફળ મળે છે. તમે સમજો છો આપણે સૌથી વધારે ભક્તિ કરી છે એટલે આપણે જ પહેલાં-પહેલાં બાપ ની પાસે આવ્યાં છીએ. પછી આપણે જ રાજધાની માં આવીશું. તો બાળકોએ પૂરો પુરુષાર્થ કરવો જોઈએ - નવી દુનિયામાં ઊંચ પદ મેળવવાં. બાળકો ને દિલ (મન) થાય છે કે હવે અમે જલ્દી નવાં ઘર માં જઈએ. શરુઆત માં જ નવું ઘર હશે પછી જૂનું થતું જશે. ઘર માં બાળકો ની વૃદ્ધિ થતી જશે. પુત્ર, પોત્રા, પર-પોત્રા તે તો જૂનાં ઘર માં આવશે ને? કહેશે અમારા દાદા, પરદાદા નું મકાન છે. પાછળ આવવા વાળા પણ ઘણાં હોય છે ને? જેટલો જોર થી પુરુષાર્થ કરશે તો પહેલાં નવાં ઘર માં આવશે. પુરુષાર્થ ની યુક્તિ બાપ ખૂબ સહજ સમજાવે છે. ભક્તિ માં પણ પુરુષાર્થ કરે છે ને? બહુજ ભક્તિ કરવાવાળા નું નામ પ્રસિદ્ધ થાય છે. ઘણાં ભક્તો નો સ્ટેમ્પ (છાપ) પણ બનાવે છે. જ્ઞાન ની માળા ની તો કોઈ ને ખબર જ નથી. પહેલાં છે જ્ઞાન, પછી છે ભક્તિ. આ આપ બાળકો ની બુદ્ધિ માં છે. અડધો સમય છે જ્ઞાન - સતયુગ-ત્રેતા. હવે આપ બાળકો નોલેજફુલ બનતા જાઓ છો. શિક્ષક સદૈવ નોલેજ વાળા હોય છે. વિદ્યાર્થી માં નંબરવાર માર્ક્સ આવે છે. આ છે બેહદ નાં શિક્ષક. તમે છો બેહદ નાં વિદ્યાર્થી, વિદ્યાર્થી તો નંબરવાર જ પાસ થશે. જેમ કલ્પ પહેલાં થયા છે. બાપ સમજાવે છે તમે જ ૮૪ જન્મ લીધાં છે. ૮૪ જન્મો માં ૮૪ શિક્ષક હોય છે. પુનર્જન્મ તો જરુર લેવાના જ છે. પહેલાં જરુર સતોપ્રધાન દુનિયા હોય છે પછી જૂની તમોપ્રધાન દુનિયા હોય છે. મનુષ્ય પણ તમોપ્રધાન હશે ને? ઝાડ પણ પહેલાં નવું સતોપ્રધાન હોય છે. નવાં પાન ખૂબ સારા-સારા હોય છે. આ તો બેહદ નું ઝાડ છે. અનેક ધર્મ છે. તમારી બુદ્ધિ હવે બેહદ તરફ જશે. કેટલું મોટું ઝાડ છે. પહેલાં-પહેલાં આદિ સનાતન દેવી-દેવતા ધર્મ જ હશે. પછી વેરાયટી ધર્મ આવશે. તમે જ ૮૪ વેરાયટી જન્મ લીધાં છે. તે પણ અવિનાશી છે. તમે જાણો છો કલ્પ-કલ્પ ૮૪ નું ચક્ર આપણે ફરતા રહીએ છીએ. ૮૪ નાં ચક્ર માં આપણે જ આવીએ છીએ. ૮૪ લાખ જન્મ કોઈ મનુષ્ય નો આત્મા નથી લેતો. તે તો વિવિધ જાનવર વગેરે અનેક છે. તેની કોઈ ગણતરી પણ નથી કરી શકતાં. મનુષ્ય નાં આત્માએ ૮૪ જન્મ લીધાં છે. તો આ પાર્ટ ભજવતાં-ભજવતાં એકદમ જાણે થાકી ગયા છે. દુઃખી બની ગયા છે. સીડી ઉતરતા સતોપ્રધાન થી તમોપ્રધાન બની ગયા છે. બાપ ફરી તમોપ્રધાન થી સતોપ્રધાન બનાવે છે. બાપ કહે છે - હું તમોપ્રધાન શરીર, તમોપ્રધાન દુનિયા માં આવું છું. હમણાં આખી દુનિયા તમોપ્રધાન છે. મનુષ્ય તો એવું કહી દે છે - આખાં વિશ્વ માં શાંતિ કેવી રીતે થાય? સમજતા નથી કે વિશ્વ માં શાંતિ ક્યારે હતી? બાપ કહે છે તમારા ઘર માં તો ચિત્ર રાખ્યાં છે ને? આમનું રાજ્ય હતું - તો આખાં વિશ્વ માં શાંતિ હતી, એને સ્વર્ગ કહેવાય છે. નવી દુનિયા ને જ હેવન (સ્વર્ગ), ગોલ્ડન એજ કહેવાય છે. હવે આ જૂની દુનિયા બદલાવાની છે. તે રાજધાની સ્થાપન થઈ રહી છે. વિશ્વ માં રાજ્ય તો આમનું જ હતું. લક્ષ્મી-નારાયણ નાં મંદિર માં અનેક મનુષ્યો જાય છે. આ થોડી કોઈની બુદ્ધિ માં છે કે આ જ ભારત નાં માલિક હતાં - આમનાં રાજ્ય માં જરુર સુખ-શાંતિ હતાં. ૫ હજાર વર્ષ ની વાત છે - જ્યારે એમનું રાજ્ય હતું. અડધાકલ્પ પછી જૂની દુનિયા કહેવાય છે એટલે ધંધાવાળા સ્વસ્તિક કરે છે ચોપડા માં. એનો પણ અર્થ છે ને? તે તો ગણેશ કહી દે છે. ગણેશ ને પછી વિઘ્ન વિનાશક દેવતા સમજે છે. સ્વસ્તિકા માં પૂરાં ચાર ભાગ હોય છે. આ બધો છે ભક્તિમાર્ગ. હમણાં દિવાળી મનાવે છે, હકીકત માં સાચ્ચી-સાચ્ચી દિવાળી યાદ ની યાત્રા જ છે જેનાથી આત્મા ની જ્યોતિ ૨૧ જન્મો માટે જાગી જાય છે. ખૂબ કમાણી થાય છે. આપ બાળકો ને તો ખૂબ ખુશી થવી જોઈએ. હવે તમારું નવું ખાતું શરુ થાય છે - નવી દુનિયા માટે. ૨૧ જન્મો માટે ખાતું હમણાં જમા કરવાનું છે. હવે બાપ બાળકો ને સમજાવે છે, સ્વયં ને આત્મા સમજી સાંભળી રહ્યાં છો. આત્મા સમજી સાંભળશો તો ખુશી પણ રહેશે. બાપ આપણને ભણાવે છે. ભગવાનુવાચ પણ છે ને? ભગવાન તો એક જ હોય છે. જરુર એ આવીને શરીર લેતા હશે, ત્યારે ભગવાનુવાચ કહેવાય છે. આ પણ કોઈને ખબર નથી ત્યારે નેતી-નેતી કરતા આવ્યાં છે. કહે પણ છે એ પરમપિતા પરમાત્મા છે. પછી કહી દે છે - અમે નથી જાણતાં. કહે પણ છે શિવબાબા, બ્રહ્મા ને પણ બાબા કહે છે. વિષ્ણુ ને ક્યારેય બાબા નહીં કહેવાશે. પ્રજાપિતા તો બાબા થયા ને? તમે છો બી.કે., પ્રજાપિતા નામ ન હોવાથી સમજતા નથી. આટલાં અનેક બી.કે. છે તો જરુર પ્રજાપિતા જ હશે એટલે પ્રજાપિતા શબ્દ જરુર લખો. તો સમજશે પ્રજાપિતા તો અમારા જ બાપ થયાં. નવી સૃષ્ટિ જરુર પ્રજાપિતા દ્વારા જ રચાય છે. આપણે આત્માઓ ભાઈ-ભાઈ છીએ પછી શરીર ધારણ કરી ભાઈ-બહેન બની જઈએ છીએ. બાપ નાં બાળકો તો અવિનાશી છે પછી સાકાર માં બહેન-ભાઈ જોઈએ. તો નામ છે પ્રજાપિતા બ્રહ્મા. પરંતુ બ્રહ્મા ને કાંઈ આપણે યાદ નથી કરતાં. યાદ લૌકિક ને કરીએ અને પારલૌકિક ને કરીએ છીએ. પ્રજાપિતા બ્રહ્મા ને કોઈ યાદ નથી કરતું. દુઃખ માં બાપ નું સિમરણ કરે છે, બ્રહ્મા નું નહીં. કહેશે હે ભગવાન. હે બ્રહ્મા નહીં કહેશે. સુખ માં તો કોઈને પણ યાદ નથી કરતાં. ત્યાં સુખ જ સુખ છે. આ પણ કોઈને ખબર નથી. તમે જાણો છો આ સમયે છે ૩ બાપ. ભક્તિમાર્ગ માં લૌકિક અને પારલૌકિક બાપ ને યાદ કરે છે. સતયુગ માં ફક્ત લૌકિક ને યાદ કરે છે. સંગમ પર ત્રણેય ને યાદ કરે છે. લૌકિક પણ છે પરંતુ જાણે છે તે છે હદ નાં બાપ. તેમની પાસે થી હદ નો વારસો મળે છે. હમણાં આપણને બેહદ નાં બાપ મળ્યાં છે જેમની પાસે થી બેહદ નો વારસો મળે છે. આ સમજવા ની વાત છે. હમણાં બેહદ નાં બાપ આવ્યાં છે બ્રહ્મા નાં તન માં - આપણને બાળકો ને બેહદ નું સુખ આપવાં. એમનાં બનવાથી આપણે બેહદ નો વારસો મેળવીએ છીએ. આ જાણે દાદા નો વારસો મળે છે - બ્રહ્મા દ્વારા, એ કહે છે વારસો તમને હું આપું છું. ભણાવું હું છું. જ્ઞાન મારી પાસે છે. બાકી નથી મનુષ્ય માં જ્ઞાન, નથી દેવતાઓ માં. જ્ઞાન છે મારા માં. જે હું આપ બાળકો ને આપું છું. આ છે રુહાની જ્ઞાન.

તમે જાણો છો રુહાની બાપ દ્વારા આપણને આ પદ મળે છે. આવું-આવું વિચાર સાગર મંથન કરવું જોઈએ. ગાયન છે મન નાં જીતે જીત, મન થી હારે હાર… હકીકત માં કહેવું જોઈએ - માયા પર જીત કારણકે મન ને તો જીતાતું નથી. મનુષ્ય કહે છે મન ની શાંતિ કેવી રીતે થાય? બાપ કહે છે આત્મા કેવી રીતે કહેશે કે મન ની શાંતિ જોઈએ. આત્મા તો છે જ શાંતિધામ માં રહેવા વાળો. આત્મા જ્યારે શરીર માં આવે છે ત્યારે કાર્ય કરવા લાગી જાય છે. બાપ કહે છે તમે હવે સ્વધર્મ માં સ્થિત થાઓ, સ્વયં ને આત્મા સમજો. આત્મા નો સ્વધર્મ છે શાંત. બાકી શાંતિ ક્યાંથી શોધશે? આનાં પર રાણી નું પણ દૃષ્ટાંત છે હાર નું. સંન્યાસી દૃષ્ટાંત આપે છે અને પછી પોતે જંગલ માં જઈને શાંતિ શોધે છે. બાપ કહે છે કે આપ આત્મા નો ધર્મ જ શાંતિ છે. શાંતિધામ તમારું ઘર છે, જ્યાંથી પાર્ટ ભજવવા તમે આવો છો. શરીર દ્વારા પછી કર્મ કરવા પડે છે. શરીર થી અલગ થવાથી સન્નાટો થઈ જાય છે. આત્માએ જઈને બીજું શરીર લીધું પછી ચિંતા કેમ કરવી જોઈએ? પાછો થોડી આવશે? પરંતુ મોહ સતાવે (હેરાન કરે) છે. ત્યાં તમને મોહ નહીં સતાવશે. ત્યાં ૫ વિકાર હોતાં નથી. રાવણ રાજ્ય જ નથી. તે છે રામ રાજ્ય. હંમેશા રાવણ રાજ્ય હોય તો પછી મનુષ્ય થાકી જાય. ક્યારેય સુખ જોઈ ન શકે. હમણાં તમે આસ્તિક બન્યાં છો અને ત્રિકાળદર્શી પણ બન્યાં છો. મનુષ્ય બાપ ને નથી જાણતા એટલે નાસ્તિક કહેવાય છે.

હમણાં આપ બાળકો જાણો છો કે આ શાસ્ત્ર વગેરે જે પાસ્ટ (પહેલાં) થઈ ગયા છે, આ બધો છે ભક્તિમાર્ગ. હમણાં તમે છો જ્ઞાનમાર્ગ માં. બાપ આપ બાળકો ને કેટલાં પ્રેમ થી નયનો પર બેસાડીને લઈ જાય છે. ગળા નો હાર બનાવી બધાને લઈ જાઉં છું. પોકારે પણ બધા છે. જે કામ ચિતા પર બેસી કાળા થઈ ગયા છે એમને જ્ઞાન ચિતા પર બેસાડી, હિસાબ-કિતાબ ચૂક્તું કરાવી પાછા લઈ જાય છે. હવે તમારું કામ છે ભણવાથી, બીજી વાતો માં શું કામ જવું જોઈએ? કેવી રીતે મરશે, શું થશે... આ વાતો માં આપણે કેમ જઈએ? આ તો કયામત નો સમય છે, બધા હિસાબ-કિતાબ ચૂક્તું કરી પાછા ચાલ્યાં જશે. આ બેહદ નાં ડ્રામા નું રહસ્ય આપ બાળકો ની બુદ્ધિ માં છે, બીજું કોઈ નથી જાણતું. બાળકો જાણે છે અમે બાબા ની પાસે કલ્પ-કલ્પ આવીએ છીએ, બેહદ નો વારસો લેવાં. આપણે જીવ નાં આત્માઓ છીએ. બાબાએ પણ દેહ માં આવીને પ્રવેશ કર્યો છે. બાપ કહે છે હું સાધારણ તન માં આવું છું, આમને પણ સમજાવું છું કે તમે પોતાનાં જન્મો ને નથી જાણતાં. બીજું કોઈ એવું કહી ન શકે કે બાળકો, દેહી-અભિમાની બનો, બાપ ને યાદ કરો. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકો ને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. યાદ ની યાત્રા માં રહીને સાચ્ચી-સાચ્ચી દિવાળી રોજ મનાવવાની છે. પોતાનું નવું ખાતું ૨૧ જન્મો માટે જમા કરવાનું છે.

2. ડ્રામા નાં રહસ્ય ને બુદ્ધિ માં રાખી ભણવા સિવાય બીજી કોઈ પણ વાત માં નથી જવાનું. બધા હિસાબ-કિતાબ ચૂક્તું કરવાના છે.

વરદાન :-
રુહાનિયત ની સ્થિતિ દ્વારા વ્યર્થ વાતો નો સ્ટોક ખતમ કરવા વાળા ખુશી નાં ખજાના થી સંપન્ન ભવ

રુહાનિયત ની સ્થિતિ દ્વારા વ્યર્થ વાતો નાં સ્ટોક ને સમાપ્ત કરો, નહીં તો એક-બીજા નાં અવગુણો નું વર્ણન કરતા બિમારી નાં જમ્સ (જંતુ) વાયુમંડળ માં ફેલાતા રહેશે, એનાથી વાતાવરણ પાવરફુલ નહીં બનશે. તમારી પાસે અનેક ભાવો થી અનેક આત્માઓ આવશે પરંતુ તમારા તરફ થી શુભ ભાવના ની વાતો જ લઈ જાય. આ ત્યારે થશે જ્યારે સ્વયં ની પાસે ખુશી ની વાતો નો સ્ટોક જમા હશે. જો દિલ માં કોઈ પણ પ્રત્યે કોઈ વ્યર્થ વાતો હશે તો જ્યાં વાતો છે ત્યાં બાપ નથી, પાપ છે.

સ્લોગન :-
સ્મૃતિ ની સ્વિચ ઓન હોય તો મૂડ ઓફ થઈ નથી શકતો.

અવ્યક્ત ઈશારા - અશરીરી અથવા વિદેહી સ્થિતી નો અભ્યાસ વધારો

જેટલા જે બીઝી છે, એટલો જ એમણે વચ્ચે-વચ્ચે આ અભ્યાસ કરવો જરુરી છે, પછી સેવા માં જે ક્યારેક-ક્યારેક થાક લાગે છે, ક્યારેક કાંઈ ન કાંઈ પરસ્પર હલચલ થઈ જાય છે, તે નહીં થશે. એક સેકન્ડ માં ન્યારા થવાનો અભ્યાસ હશે તો કોઈ પણ વાત બની એક સેકન્ડ માં પોતાનાં અભ્યાસ થી આ વાતો થી દૂર થઈ જશે. વિચાર્યુ અને થયું. યુદ્ધ નહીં કરવું પડશે.