29-05-2025   પ્રાતઃ  ગુજરાતી મુરલી    ઓમ શાંતિ    બાપદાદા    મધુબન


“ મીઠાં બાળકો - તમે ફરીથી પોતાનાં ઠેકાણા પર પહોંચી ગયા છો , તમે બાપ દ્વારા રચયિતા અને રચના ને જાણી લીધાં છે તો ખુશી માં રોમાંચ ઉભા થઈ જવા જોઈએ”

પ્રશ્ન :-
આ સમયે બાપ આપ બાળકો નો શૃંગાર કેમ કરી રહ્યાં છે?

ઉત્તર :-
કારણકે હવે આપણે સજી-ધજી ને વિષ્ણુ પુરી માં (સાસરે) જવાનું છે. આપણે આ જ્ઞાન થી સજીને વિશ્વ નાં મહારાજા-મહારાણી બનીએ છીએ. હમણાં સંગમયુગ પર છીએ, બાબા શિક્ષક બનીને ભણાવી રહ્યાં છે - પિયર ઘર થી સાસરે લઈ જવા માટે.

ગીત :-
આખિર વહ દિન આયા આજ…

ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં સ્વીટ ચિલ્ડ્રન (બાળકો), મીઠાં-મીઠાં સિકિલધા બાળકોએ ગીત સાંભળ્યું. આપ બાળકો જ જાણો છો કે અડધોકલ્પ જે માશૂક ને યાદ કર્યા છે, અંતે એ મળ્યાં છે. દુનિયા આ નથી જાણતી કે અમે કોઈ અડધોકલ્પ ભક્તિ કરીએ છીએ, માશૂક બાપ ને પોકારીએ છીએ. આપણે આશિક છીએ, એ માશૂક છે - આ પણ કોઈ નથી જાણતું. બાપ કહે છે રાવણે તમને બિલકુલ જ તુચ્છ બુદ્ધિ બનાવી દીધાં છે. ખાસ ભારતવાસીઓ ને. તમે દેવી-દેવતા હતાં આ પણ ભૂલી ગયા છો, તો તુચ્છ બુદ્ધિ થયા. પોતાનાં ધર્મ ને ભૂલી જવો, આ છે તુચ્છ બુદ્ધિ નું કામ. હમણાં આ ફક્ત તમે જ જાણો છો. આપણે ભારતવાસી સ્વર્ગવાસી હતાં. આ ભારત સ્વર્ગ હતું. થોડો જ સમય થયો છે. ૧૨૫૦ વર્ષ તો સતયુગ હતો અને ૧૨૫૦ વર્ષ રામરાજ્ય ચાલ્યું. એ સમયે અથાહ સુખ હતું. સુખ ને યાદ કરી રોમાંચ ઉભા થઈ જવા જોઈએ. સતયુગ, ત્રેતા… આ પસાર થઈ ગયાં. સતયુગ ની આયુ કેટલી હતી, આ પણ કોઈ નથી જાણતાં. લાખો વર્ષ કેવી રીતે હોઈ શકે છે? હમણાં બાપ આવીને સમજાવે છે - તમને માયાએ કેટલાં તુચ્છ બુદ્ધિ બનાવી દીધાં છે. દુનિયામાં કોઈ પોતાને તુચ્છ બુદ્ધિ સમજતા નથી. તમે જાણો છો આપણે કાલે તુચ્છ બુદ્ધિ હતાં. હવે બાબાએ એટલી બુદ્ધિ આપી છે જે રચયિતા અને રચના નાં આદિ-મધ્ય-અંત ને આપણે જાણી ગયા છીએ. કાલે નહોતાં જાણતા, આજે જાણીએ છીએ. જેટલું-જેટલું જાણતા જઈએ છીએ, એટલાં ખુશી માં રોમાંચ ઉભા થતા જશે. આપણે ફરીથી પોતાનાં ઠેકાણા પર પહોંચીએ છીએ. બરોબર બાપે આપણને સ્વર્ગ ની રાજાઈ આપી હતી પછી આપણે ગુમાવી દીધી. હમણાં પતિત બની ગયા છીએ. સતયુગ ને પતિત નહીં કહેવાશે. એ છે જ પાવન દુનિયા. મનુષ્ય કહે છે પતિત-પાવન આવો. રાવણ રાજ્ય માં પાવન ઊંચું કોઈ હોઈ જ ન શકે. ઊંચા માં ઊંચા બાપ નાં બાળકો બન્યાં તો ઊંચા પણ બન્યાં. આપ બાળકોએ બાપ ને જાણ્યાં છે, તે પણ નંબરવાર પુરુષાર્થ અનુસાર. પોતાનાં દિલ થી સવારે ઊઠી ને પૂછો, અમૃતવેલા નો સમય સારો છે. સવારે અમૃતવેલા બેસીને આ વિચાર કરો. બાબા આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે. ઓ ગોડફાધર, હે પરમપિતા પરમાત્મા તો કહે જ છે. હમણાં આપ બાળકો જાણો છો જેમને યાદ કરીએ છીએ - હે ભગવાન, હમણાં એ આપણને મળ્યાં છે. આપણે ફરીથી બેહદ નો વારસો લઈ રહ્યાં છીએ. તે છે લૌકિક બાપ, આ છે બેહદ નાં બાપ. તમારા લૌકિક બાપ પણ એ બેહદ નાં બાપ ને યાદ કરે છે. તો બાપો નાં બાપ, પતિઓ નાં પતિ, એ થઈ ગયાં. આ પણ ભારતવાસી જ કહે છે કારણકે હમણાં હું બાપો નો બાપ, પતિઓ નો પતિ બનું છું. હમણાં હું તમારો બાપ પણ છું. તમે બાળકો બન્યાં છો. બાબા-બાબા કહેતાં રહો છો. હવે પછી તમને વિષ્ણુપુરી સાસરે લઈ જાઉં છું. આ છે તમારા બાપ નું ઘર, પછી સાસરે જશો. બાળકો જાણે છે અમને ખૂબ સારા શૃંગારાય છે. હમણાં તમે પિયરઘર માં છો ને? તમને ભણાવાય પણ છે. આ જ્ઞાન થી સજીને વિશ્વ નાં મહારાજા-મહારાણી બનો છો. તમે અહીં આવ્યાં જ છો વિશ્વ નાં માલિક બનવાં. તમે ભારતવાસી જ વિશ્વ નાં માલિક હતાં જ્યારે સતયુગ હતો. હમણાં તમે એવું નહીં કહેશો કે અમે વિશ્વ નાં માલિક છીએ. હમણાં તમે જાણો છો ભારત નાં માલિક કળિયુગી છે, આપણે તો સંગમયુગી છીએ. પછી આપણે સતયુગ માં આખાં વિશ્વ નાં માલિક બનીશું. આ વાતો આપ બાળકો ની બુદ્ધિ માં આવવી જોઈએ. જાણો છો વિશ્વ ની બાદશાહી આપવા વાળા આવ્યાં છે. હમણાં સંગમયુગ પર એ આવ્યાં છે. જ્ઞાન દાતા એક જ બાપ છે. બાપ સિવાય કોઈ પણ મનુષ્ય ને જ્ઞાન દાતા નહીં કહેવાશે કારણકે બાપ ની પાસે એવું જ્ઞાન છે જેનાંથી આખાં વિશ્વ ની સદ્દગતિ થાય છે. તત્વો સહિત બધાની સદ્દગતિ થઈ જાય છે. મનુષ્યો ની પાસે સદ્દગતિ નું જ્ઞાન નથી.

આ સમયે આખી દુનિયા તત્વો સહિત તમોપ્રધાન છે. આમાં રહેવાવાળા પણ તમોપ્રધાન છે. નવી દુનિયા છે જ સતયુગ. એમાં રહેવાવાળા પણ દેવતા હતાં પછી રાવણે જીતી લીધી. હવે ફરી બાપ આવેલા છે. આપ બાળકો કહો છો અમે જઈએ છીએ બાપદાદા ની પાસે. બાપ અમને દાદા દ્વારા સ્વર્ગ ની બાદશાહી નો વારસો આપે છે. બાપ તો સ્વર્ગ ની બાદશાહી આપશે બીજું શું આપશે? આપ બાળકો ની બુદ્ધિ માં આ તો આવવું જોઈએ ને? પરંતુ માયા ભુલાવી દે છે. સ્થાયી ખુશી રહેવા નથી દેતી. જે સારી રીતે ભણશે-ભણાવશે તે ઊંચ પદ મેળવશે. ગાયન પણ છે સેકન્ડ માં જીવન-મુક્તિ. ઓળખવા એક જ વાર જોઈએ ને? સર્વ આત્માઓ નાં બાપ એક છે, એ સર્વ આત્માઓ નાં બાપ આવેલા છે. પરંતુ બધા તો મળી પણ નહીં શકે. અશક્ય છે. બાપ તો ભણાવવા આવે છે. તમે પણ બધા ટીચર્સ છો. કહેવાય છે ને ગીતા પાઠશાળા. આ શબ્દ પણ કોમન (સામાન્ય) છે. કહે છે કૃષ્ણએ ગીતા સંભળાવી. હવે આ કૃષ્ણ ની પાઠશાળા તો નથી. કૃષ્ણ નો આત્મા ભણી રહ્યો છે. સતયુગ માં કોઈ ગીતા પાઠશાળા માં ભણે છે, ભણાવે છે શું? કૃષ્ણ તો થયા જ છે સતયુગ માં પછી ૮૪ જન્મ લે છે. એક પણ શરીર બીજા સાથે મળી ન શકે. ડ્રામા પ્લાન અનુસાર દરેક આત્મા માં પોતાનો પાર્ટ ૮૪ જન્મો નો ભરેલો છે. એક સેકન્ડ ન મળે બીજા સાથે. ૫ હજાર વર્ષ તમે પાર્ટ ભજવો છો. એક સેકન્ડ નો પાર્ટ બીજી સેકન્ડ સાથે મળી ન શકે. કેટલી સમજ ની વાત છે. ડ્રામા છે ને? પાર્ટ રીપીટ થતો જાય છે. બાકી તે શાસ્ત્ર બધા છે ભક્તિમાર્ગ નાં. અડધોકલ્પ ભક્તિ ચાલે છે પછી સર્વ ને સદ્દગતિ હું જ આવીને આપું છું. આપ જાણો છો ૫ હજાર વર્ષ પહેલાં રાજ્ય કરતા હતાં. સદ્દગતિ માં હતાં. દુઃખ નું નામ નહોતું. હમણા તો દુઃખ જ દુઃખ છે. આને દુઃખધામ કહેવાય છે. શાંતિધામ, સુખધામ અને દુઃખધામ. ભારતવાસીઓ ને જ આવીને સુખધામ નો રસ્તો બતાવું છું. કલ્પ-કલ્પ પછી મારે આવવું પડે છે. અનેક વખત આવ્યો છું, આવતો રહીશ. આનો અંત નથી થઈ શકતો. તમે ચક્ર લગાવી ને દુઃખધામ આવો છો પછી મારે આવવું પડે છે. હમણાં તમને સ્મૃતિ આવી છે ૮૪ જન્મો નાં ચક્ર ની. હવે બાપ ને રચયિતા કહેવાય છે. એવું નથી કે ડ્રામા નાં કોઈ રચયિતા છે. રચયિતા અર્થાત્ આ સમયે સતયુગ ને આવીને રચે છે. સતયુગ માં જેમનું રાજ્ય હતું પછી ગુમાવ્યું, એમને જ બેસીને ભણાવું છું. બાળકોને એડોપ્ટ કરે (દત્તક લે) છે. તમે મારા બાળકો છો ને? તમને કોઈ સાધુ-સંત વગેરે નથી ભણાવતાં. ભણાવવા વાળા એક બાપ છે, જેમને બધા યાદ કરે છે. યાદ જેમને કરીએ છીએ જરુર ક્યારેક આવશે પણ ને? આ પણ કોઈને સમજ નથી કે યાદ કેમ કરે છે! તો જરુર પતિત-પાવન બાપ આવે છે. ક્રાઈસ્ટ ને એવું નહીં કહેશે કે ફરીથી આવો. તે તો સમજે છે, લીન થઈ ગયાં. પછી આવવાની વાત જ નથી. યાદ તો પણ પતિત-પાવન ને કરે છે. અમને આત્માઓ ને ફરી થી વારસો આપો. હવે આપ બાળકો ને સ્મૃતિ આવી - બાબા આવેલા છે. નવી દુનિયાની સ્થાપના કરશે. તેઓ પછી પણ પોતાનાં સમય પર રજો, તમો માં જ આવશે. હમણાં આપ બાળકો સમજો છો આપણે માસ્ટર નોલેજફુલ બનીએ છીએ.

એક બાપ જ છે જે આપ બાળકો ને ભણાવીને વિશ્વ નાં માલિક બનાવી દે છે. પોતે નથી બનતા એટલે એમને કહેવાય છે નિષ્કામ સેવાધારી. મનુષ્ય કહે છે અમે ફળ ની આશા નથી રાખતાં, નિષ્કામ સેવા કરીએ છીએ. પરંતુ એવું હોતું નથી. જેવાં સંસ્કાર લઈ જાય છે, તે અનુસાર જન્મ મળે છે. કર્મ નું ફળ અવશ્ય મળે છે. સંન્યાસી પણ પુનર્જન્મ ગૃહસ્થીઓ ની પાસે લઈને પછી સંસ્કાર અનુસાર સંન્યાસ ધર્મ માં ચાલ્યાં જાય છે. જેમ બાબા યુદ્ધ વાળાઓ નું પણ દૃષ્ટાંત આપે છે. કહે છે ગીતા માં લખેલું છે જે યુદ્ધ નાં મેદાન માં મરશે તે સ્વર્ગ માં જશે, પરંતુ સ્વર્ગ નો પણ સમય જોઈએ ને? સ્વર્ગ તો લાખો વર્ષ કહી દે છે. હવે તમે જાણો છો બાપ શું સમજાવે છે, ગીતા માં શું લખી દીધું છે? કહે છે, ભગવાનુવાચ હું સર્વવ્યાપી છું. બાપ કહે છે હું પોતાને એવી ગાળ કેવી રીતે આપું કે હું સર્વવ્યાપી છું? કુતરા-બિલાડી બધામાં છું? મને તો જ્ઞાનસાગર કહો છો. હું પોતાને પછી આ કેવી રીતે કહીશ? કેટલું જુઠ્ઠું છે! જ્ઞાન તો કોઈમાં નથી. સંન્યાસીઓ વગેરે નું માન કેટલું છે, કારણકે પવિત્ર છે. સતયુગ માં ગુરુ તો કોઈ હોતાં નથી. અહીં તો સ્ત્રી ને કહે તમારો પતિ ગુરુ ઈશ્વર છે, બીજા કોઈ ગુરુ નહીં કરતાં. તે તો ત્યારે સમજાવાતું હતું જ્યારે ભક્તિ પણ સતોપ્રધાન હતી. સતયુગ માં તો ગુરુ નહોતાં. ભક્તિ ની શરુઆત માં પણ ગુરુ હોતાં નથી. પતિ જ બધું છે. ગુરુ નથી કરતાં. આ બધી વાતો ને હવે તમે સમજો છો.

ઘણાં મનુષ્ય તો બ્રહ્માકુમાર-કુમારીઓ નું નામ સાંભળીને જ ડરી જાય છે કારણકે સમજે છે આ ભાઈ-બહેન બનાવે છે. અરે, પ્રજાપિતા બ્રહ્મા નાં બાળક બનવું તો સારું છે ને? બી.કે. જ સ્વર્ગ નો વારસો લે છે. હમણાં તમે લઈ રહ્યાં છો. તમે બી.કે. બન્યાં છો. બંને કહે છે અમે ભાઈ-બહેન છીએ. શરીર નું ભાન, વિકાર ની વાસ નીકળી જાય છે. આપણે એક બાપ નાં બાળકો ભાઈ-બહેન વિકાર માં કેવી રીતે જઈ શકીએ? આ તો મહાન પાપ છે. આ પવિત્ર રહેવાની યુક્તિ ડ્રામા માં છે. સંન્યાસીઓ નો છે નિવૃત્તિ માર્ગ. તમે છો પ્રવૃત્તિ માર્ગ વાળા. હવે તમારે આ છી-છી દુનિયાનાં રીત-રિવાજ ને છોડીને આ દુનિયા ને પણ ભૂલી જવાની છે. તમે સ્વર્ગ નાં માલિક હતાં પછી રાવણે કેટલાં છી-છી બનાવ્યાં છે. આ પણ બાબાએ સમજાવ્યું છે, કોઈ કહે અમે કેવી રીતે માનીએ કે અમે ૮૪ જન્મ લીધાં છે? ૮૪ જન્મ લીધાં છે, આ તો આપણે સારું કહીએ છીએ ને? ૮૪ જન્મ નથી લીધાં તો ઉભા જ નહીં રહે. સમજાય છે આ દેવી-દેવતા ધર્મ નાં નથી, સ્વર્ગ માં આવી નહીં શકે. પ્રજા માં પણ ઓછું પદ લેશે. પ્રજા માં પણ સારું પદ, ઓછું પદ છે ને? આ વાતો કોઈ શાસ્ત્રો માં નથી. ભગવાન આવીને કિંગડમ (રાજધાની) સ્થાપન કરે છે. શ્રીકૃષ્ણ તો વૈકુંઠ નાં માલિક હતાં. સ્થાપના બાપ કરે છે. બાપે ગીતા સંભળાવી જેનાંથી આ પદ મેળવ્યું પછી તો ભણવા-ભણાવવાની જરુર જ નથી. તમે ભણીને પદ મેળવી લો છો. પછી થોડી ગીતા નું જ્ઞાન ભણશો? જ્ઞાન થી સદ્દગતિ મળી ગઈ, જેટલો પુરુષાર્થ એટલું ઊંચ પદ મેળવશો. જેટલો પુરુષાર્થ કલ્પ પહેલાં કર્યો હતો તે કરતા રહે છે. સાક્ષી થઈને જોવાનું છે. શિક્ષક ને પણ જોવાનાં છે, આમણે અમને ભણાવ્યું છે, અમારે આમનાં કરતાં પણ હોંશિયાર થવાનું છે. માર્જિન (તક) ખૂબ છે. કોશિશ કરવાની છે ઊંચા માં ઊંચા બનવાની. મૂળ વાત છે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે. આ સમજવાની વાત છે ને? ગૃહસ્થ વ્યવહાર માં પણ રહેવાનું છે, બાપ ને યાદ કરવાના છે તો પાવન બની જશો. અહીં બધા પતિત છે આમાં દુઃખ જ દુઃખ છે. સુખ નું રાજ્ય ક્યારે હતું, આ કોઈને ખબર નથી. દુઃખ માં કહે છે હે ભગવાન, હે રામ, આ દુઃખ કેમ આપ્યું? હવે ભગવાન તો કોઈને દુઃખ આપતા નથી. રાવણ દુઃખ આપે છે. હમણાં તમે જાણો છો આપણા રાજ્ય માં બીજો કોઈ ધર્મ નહીં હશે. પછી પાછળ થી બીજા ધર્મ આવશે. તમે ભલે ક્યાંય પણ જાઓ. ભણતર સાથે છે, મનમનાભવ નું લક્ષ તો મળ્યું છે, બાપ ને યાદ કરો. બાપ પાસે થી આપણે સ્વર્ગ નો વારસો લઈ રહ્યાં છીએ. આ પણ યાદ નથી કરી શકતાં. આ યાદ પાક્કી જોઈએ. તો પછી અંત મતિ સો ગતિ થઈ જશે. અચ્છા!

મીઠાં-મીઠાં સિકિલધા બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં રુહાની બાળકોને નમસ્તે.

ધારણા માટે મુખ્ય સાર:-
1. સવારે-સવારે અમૃતવેલા ઉઠીને વિચાર કરવાનો છે - બાબા, આપણા બાપ પણ છે, શિક્ષક પણ છે, હમણાં બાબા આવ્યાં છે આપણો જ્ઞાન-રત્નો થી શૃંગાર કરવાં. એ બાપો નાં બાપ, પતિઓ નાં પતિ છે, એવો વિચાર કરતા અપાર ખુશી નો અનુભવ કરવાનો છે.

2. દરેક નાં પુરુષાર્થ ને સાક્ષી થઈને જોવાનો છે, ઊંચ પદ ની માર્જિન (તક) છે એટલે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું છે.

વરદાન :-
વાઈસલેસ ની શક્તિ દ્વારા સૂક્ષ્મવતન નો અનુભવ કરવાવાળા શ્રેષ્ઠ ભાગ્યવાન ભવ

જે બાળકો ની પાસે વાઈસલેસ ની શક્તિ છે, બુદ્ધિયોગ બિલકુલ રિફાઈન છે - એવા ભાગ્યવાન બાળકો સહજ જ ત્રણેય લોકો ની સૈર કરી શકે છે. સૂક્ષ્મવતન સુધી પોતાનાં સંકલ્પ પહોંચાડવા માટે સર્વ સંબંધો નાં સાર વાળી મહીન યાદ જોઈએ. આ જ સૌથી પાવરફુલ તાર છે, આની વચ્ચે માયા ઇન્ટરફિયર નથી કરી શકતી. તો સૂક્ષ્મવતન ની રોનક નો અનુભવ કરવા માટે સ્વયં ને વાઈસલેસ ની શક્તિ થી સંપન્ન બનાવો.

સ્લોગન :-
કોઈ વ્યક્તિ, વસ્તુ કે વૈભવ પ્રત્યે આકર્ષિત થવું જ કમ્પેનિયન બાપ ને સંકલ્પ થી તલાક આપવો છે

અવ્યક્ત ઈશારા - રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો

પવિત્રતા સંગમયુગી બ્રાહ્મણો નાં જીવન ની મહાનતા છે. પવિત્રતા બ્રાહ્મણ જીવન નો શ્રેષ્ઠ શૃંગાર છે. જેવી રીતે સ્થૂળ શરીર માં વિશેષ શ્વાસ ચાલવો આવશ્યક છે. શ્વાસ નથી તો જીવન નથી. એવી રીતે બ્રાહ્મણ જીવન નો શ્વાસ છે પવિત્રતા. ૨૧ જન્મો ની પ્રારબ્ધ નો આધાર અર્થાત્ ફાઉન્ડેશન પવિત્રતા છે.