29-09-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યાં છે તમને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપવા , જેનાથી તમે સૃષ્ટિ નાં આદિ - મધ્ય -
અંત ને જાણો છો”
પ્રશ્ન :-
શેરની (સિંહણ જેવી શક્તિ ધરાવનાર) શક્તિઓ જ કઈ વાત હિમ્મત ની સાથે સમજાવી શકે છે?
ઉત્તર :-
બીજા ધર્મ વાળાઓ ને આ વાત સમજાવવાની છે કે બાપ કહે છે તમે પોતાને આત્મા સમજો,
પરમાત્મા નહીં. આત્મા સમજીને બાપ ને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે અને તમે મુક્તિધામ
માં ચાલ્યાં જશો. પરમાત્મા સમજવા થી તમારા વિકર્મ વિનાશ નથી થઈ શકતાં. આ વાત ખૂબ
હિમ્મત થી શેરની શક્તિઓ જ સમજાવી શકે છે. સમજાવવા નો પણ અભ્યાસ જોઈએ.
ગીત :-
નયન હીન કો
રાહ દિખાઓ...
ઓમ શાંતિ!
બાળકો અનુભવ
કરી રહ્યાં છે - રુહાની યાદ ની યાત્રા માં મહેનત દેખાય છે. ભક્તિમાર્ગ માં દર-દર
ઠોકરો ખાવાની જ હોય છે. અનેક પ્રકાર નાં જપ-તપ-યજ્ઞ કરે, શાસ્ત્ર વગેરે વાંચે છે,
જે કારણે જ બ્રહ્મા ની રાત કહેવાય છે. અડધોકલ્પ રાત, અડધોકલ્પ દિવસ. બ્રહ્મા એકલા
તો નહીં હશે ને? પ્રજાપિતા બ્રહ્મા છે તો જરુર તેમનાં બાળકો કુમાર-કુમારીઓ પણ હશે.
પરંતુ મનુષ્ય નથી જાણતાં. બાપ જ બાળકો ને જ્ઞાન નું ત્રીજું નેત્ર આપે છે, જેમનાં
દ્વારા તમને સૃષ્ટિ નાં આદિ-મધ્ય-અંત નું જ્ઞાન મળેલું છે. તમે કલ્પ પહેલાં પણ
બ્રાહ્મણ હતાં અને દેવતા બન્યાં હતાં, જે બન્યાં હતાં એ જ પછી બનશે. આદિ સનાતન
દેવી-દેવતા ધર્મ નાં તમે છો. તમે જ પૂજ્ય અને પુજારી બનો છો. અંગ્રેજી માં પૂજ્ય ને
વર્શિપવર્ધી અને પુજારી ને વર્શિપર કહેવાય છે. ભારત જ અડધોકલ્પ પુજારી બને છે. આત્મા
માને છે આપણે પૂજ્ય હતાં પછી આપણે જ પુજારી બન્યાં છીએ. પૂજ્ય થી પુજારી પછી પૂજ્ય
બનીએ છીએ. બાપ તો પૂજ્ય પુજારી નથી બનતાં. તમે કહેશો અમે પૂજ્ય પાવન સો દેવી-દેવતા
હતાં પછી ૮૪ જન્મો ની પછી કમ્પ્લીટ (સંપૂર્ણ) પતિત પુજારી બની જઈએ છીએ. હમણાં
ભારતવાસી જે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ વાળા હતાં, તેમને પોતાનાં ધર્મ ની કાંઈ પણ
ખબર નથી. તમારી આ વાતો ને બધા ધર્મ વાળા નહીં સમજશે, જે આ ધર્મ નાં ક્યાંક કનવર્ટ (બદલી)
થઈ ગયા હશે, એ જ આવશે. આવાં કનવર્ટ તો ઘણાં થઈ ગયા છે. બાપ કહે છે જે શિવ અને
દેવતાઓ નાં પુજારી છે, તેમને સહજ છે. અન્ય ધર્મ વાળા માથું ખપાવશે, જે કનવર્ટ હશે
તેમને ટચ (અનુભવ) થશે. અને આવીને સમજવાની કોશિશ કરશે. નહીં તો માનશે નહીં. આર્ય
સમાજ માંથી પણ ઘણાં આવેલા છે. સિક્ખ લોકો પણ આવેલા છે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ
વાળા જે કનવર્ટ થઈ ગયા છે, તેમને પોતાનાં ધર્મ માં જરુર આવવું પડશે. ઝાડ માં પણ
અલગ-અલગ સેક્શન (વિભાગ) છે. પછી આવશે પણ નંબરવાર. ડાળીઓ નીકળતી રહેશે. તે પવિત્ર
હોવાનાં કારણે તેમનો પ્રભાવ સારો નીકળે છે. આ સમયે દેવી-દેવતા ધર્મ નું ફાઉન્ડેશન
નથી જે પછી લગાવવું પડે છે. બહેન-ભાઈ તો બનાવવા જ પડે. આપણે એક બાપ નાં બાળકો બધા
આત્માઓ ભાઈ-ભાઈ છીએ. પછી ભાઈ-બહેન બનીએ છીએ. હવે જ્યારે નવી સૃષ્ટિ ની સ્થાપના થઈ
રહી છે, પહેલાં-પહેલાં છે બ્રાહ્મણ. નવી સૃષ્ટિ ની સ્થાપના માં પ્રજાપિતા બ્રહ્મા
તો જરુર જોઈએ. બ્રહ્મા દ્વારા બ્રાહ્મણ થશે. આને રુદ્ર જ્ઞાન યજ્ઞ પણ કહેવાય છે, આમાં
બ્રાહ્મણ જરુર જોઈએ. પ્રજાપિતા બ્રહ્મા ની ઔલાદ (સંતાન) જરુર જોઈએ. એ છે
ગ્રેટ-ગ્રેટ ગ્રાન્ડ ફાધર. બ્રાહ્મણ છે પહેલાં નંબર માં ચોટલી વાળા. આદમ બીબી, એડમ
ઈવ ને માને પણ છે. આ સમયે તમે પુજારી થી પૂજ્ય બની રહ્યાં છો. તમારું સૌથી સારું
યાદગાર મંદિર દેલવાડા મંદિર છે. નીચે તપસ્યા માં બેઠાં છે, ઉપર માં રાજાઈ અને અહીં
તમે ચૈતન્ય માં બેઠાં છો. આ મંદિર ખતમ થઈ જશે પછી ભક્તિ માર્ગ માં બનશે.
તમે જાણો છો હમણાં
આપણે રાજયોગ શીખી રહ્યાં છીએ પછી નવી દુનિયા માં જઈશું. તે જડ મંદિર, તમે ચેતન્ય
માં બેઠાં છો. મુખ્ય મંદિર આ ઠીક બનેલું છે. સ્વર્ગ ને નહીં તો ક્યાં દેખાડે? એટલે
ઉપર માં સ્વર્ગ ને દેખાડ્યું છે. આનાં પર ખૂબ સારું સમજાવી શકો છો. બોલો, ભારત જ
સ્વર્ગ હતું પછી હમણાં ભારત નર્ક છે. આ ધર્મ વાળા ઝટ સમજશે. હિન્દુઓ માં પણ જોશો તો
અનેક પ્રકાર નાં ધર્મો માં જઈને પડ્યાં છે. તમારે ખૂબ મહેનત કરવી પડે છે કાઢવા (શોધવા)
માં. બાબાએ સમજાવ્યું છે સ્વયં ને આત્મા સમજી મામેકમ્ યાદ કરો, બસ, બીજી કાંઈ વાત જ
ન કરવી જોઈએ. જેમનો અભ્યાસ નથી, તેમણે તો વાત કરવી પણ ન જોઈએ. નહીં તો બી.કે. નું
નામ બદનામ કરી દે છે. જો બીજા ધર્મવાળા છે તો સમજાવવું જોઈએ કે જો તમે મુક્તિધામ
માં જવા ઈચ્છો છો તો સ્વયં ને આત્મા સમજો, બાપ ને યાદ કરો. પોતાને પરમાત્મા ન સમજો.
પોતાને આત્મા સમજી બાપ ને યાદ કરશો તો તમારા જન્મ-જન્માંતર નાં પાપ કપાઈ જશે અને
મુક્તિધામ માં ચાલ્યાં જશો. તમારા માટે આ મનમનાભવ નો મંત્ર જ બસ છે. પરંતુ વાત
કરવાની હિમ્મત જોઈએ. શેરની શક્તિઓ જ સર્વિસ કરી શકે છે. સંન્યાસી લોકો બહાર જઈને
વિલાયત વાળા ને લઈ આવે છે કે ચાલો તમને સ્પ્રિચ્યુઅલ (આધ્યાત્મિક) નોલેજ આપીએ. હવે
તે બાપ ને તો જાણતા જ નથી. બ્રહ્મ ને ભગવાન સમજી કહી દે છે, એને યાદ કરો. બસ આ
મંત્ર આપી દે છે, જાણે કોઈ પક્ષી ને પોતાનાં પાંજરા માં નાખી દે છે. તો આમ-આમ
સમજાવવા માં પણ સમય લાગે છે. બાબાએ કહ્યું હતું - દરેક ચિત્ર ની ઉપર લખેલું હોય શિવ
ભગવાનુવાચ.
તમે જાણો છો આ દુનિયા
માં ધણી વગર બધા નિધણ નાં છે. પોકારે છે તુમ માત-પિતા… અચ્છા તેનો અર્થ શું? એમ જ
બોલતા રહે છે તમારી કૃપા થી સુખ ઘનેરા. હમણાં બાપ તમને સ્વર્ગ નાં સુખ માટે ભણાવી
રહ્યાં છે, જેનાં માટે તમે પુરુષાર્થ કરી રહ્યાં છો. જે કરશે તે મેળવશે. આ સમયે તો
બધા પતિત છે. પાવન દુનિયા તો એક સ્વર્ગ જ છે, અહીં કોઈ પણ સતોપ્રધાન હોઈ ન શકે.
સતયુગ માં જે સતોપ્રધાન હતાં, એ જ તમોપ્રધાન પતિત બની જાય છે. ક્રાઈસ્ટ ની પાછળ જે
તેમનાં ધર્મ વાળા આવે છે, તે તો પહેલાં સતોપ્રધાન હશે ને? જ્યારે લાખો નાં અંદાજ
માં થાઓ છો ત્યારે લશ્કર તૈયાર થાય છે, લડીને બાદશાહી લેવાં. તેમને સુખ પણ ઓછું તો
દુઃખ પણ ઓછું. તમારા જેવું સુખ તો કોઈને મળી ન શકે. તમે હમણાં તૈયાર થઈ રહ્યાં છો -
સુખધામ માં આવવા માટે. બાકી બધા ધર્મ કોઈ સ્વર્ગ માં થોડી આવે છે? ભારત જ્યારે
સ્વર્ગ હતું તો તેનાં જેવો પાવન ખંડ કોઈ હોતો નથી. જ્યારે બાપ આવે છે ત્યારે જ
ઈશ્વરીય રાજ્ય સ્થાપન થાય છે. ત્યાં લડાઈ વગેરે ની વાત નથી. લડવા-ઝઘડવાનું તો ખૂબ
પાછળ થી શરુ થાય છે. ભારતવાસી એટલું નથી લડ્યાં. થોડુંક પરસ્પર લડીને અલગ થઈ ગયા
છે. દ્વાપર માં એક-બીજા પર ચડાઈ કરે છે. આ ચિત્ર વગેરે બનાવવા માં પણ ખૂબ (મહીન)
બુદ્ધિ જોઈએ. આ પણ લખવું જોઈએ કે ભારત જે સ્વર્ગ હતું તે પછી નર્ક જેવું કેવી રીતે
બને છે, આવી ને સમજો. ભારત સદ્દગતિ માં હતું, હવે દુર્ગતિ માં છે. હવે સદ્દગતિ
મેળવવા માટે બાપ જ નોલેજ આપે છે. મનુષ્યો માં આ રુહાની નોલેજ હોતી નથી. આ હોય છે
પરમપિતા પરમાત્મા માં. બાપ આ નોલેજ આપે છે આત્માઓ ને. બાકી તો બધા મનુષ્ય, મનુષ્યો
ને જ આપે છે. શાસ્ત્ર પણ મનુષ્યોએ લખ્યાં છે, મનુષ્યોએ વાંચ્યાં છે. અહીં તો તમને
રુહાની બાપ ભણાવે છે અને રુહ ભણે છે. ભણવા વાળો તો આત્મા છે ને? તે લખવા અને વાંચવા
વાળા મનુષ્ય જ છે. પરમાત્મા ને શાસ્ત્ર વગેરે વાંચવાની જરુર નથી. બાપ કહે છે આ
શાસ્ત્રો વગેરે થી કોઈ ની પણ સદ્દગતિ થઈ નથી શકતી. મારે જ આવીને બધાને પાછા લઈ જવાનાં
છે. હમણાં તો દુનિયા માં કરોડો મનુષ્ય છે. સતયુગ માં જ્યારે આ લક્ષ્મી-નારાયણ નું
રાજ્ય હતું તો ત્યાં ૯ લાખ હોય છે. ખૂબ નાનું ઝાડ હશે. પછી વિચાર કરો આટલાં બધા
આત્માઓ ક્યાં ગયાં? બ્રહ્મ માં કે પાણી માં તો નથી લીન થઈ ગયાં? એ બધા મુક્તિધામ
માં રહે છે. દરેક આત્મા અવિનાશી છે. તેમનાં માં અવિનાશી પાર્ટ નોંધાયેલો છે જે
ક્યારેય ભૂસાઈ નથી શકતો. આત્મા વિનાશ થઈ ન શકે. આત્મા તો બિંદુ છે. બાકી નિર્વાણ
વગેરે માં કોઈ પણ જતું નથી, બધાએ પાર્ટ ભજવવાનો જ છે. જ્યારે બધા આત્માઓ આવી જાય છે
ત્યારે હું આવીને બધાને લઈ જાઉં છું. અંત માં છે જ બાપ નો પાર્ટ. નવી દુનિયા ની
સ્થાપના પછી જૂની દુનિયા નો વિનાશ. આ પણ ડ્રામા માં નોંધ છે. તમે આર્યસમાજીઓ નાં
ઝુંડ ને સમજાવશો તો એમાં જે કોઈ આ દેવતા ધર્મ નાં હશે તેમને ટચ (અનુભવ) થશે. બરોબર
આ વાત તો ઠીક છે, પરમાત્મા સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે? ભગવાન તો બાપ છે, એમની
પાસે થી વારસો મળે છે. કોઈ આર્ય સમાજી પણ તમારી પાસે આવે છે ને? તેમને જ સૈપલિંગ (કલમ)
કહેવાય છે. તમે સમજાવતા રહો પછી તમારા કુળ નાં જે હશે તે આવી જશે. ભગવાન બાપ જ પાવન
બનવાની યુક્તિ બતાવે છે. ભગવાનુવાચ મામેકમ્ યાદ કરો. હું પતિત-પાવન છું, મને યાદ
કરવા થી તમારા વિકર્મ વિનાશ થશે અને મુક્તિધામ માં આવી જશો. આ પૈગામ (સંદેશ) બધા
ધર્મ વાળા માટે છે. બોલો, બાપ કહે છે દેહ નાં સર્વ ધર્મ છોડી મને યાદ કરો તો તમે
તમોપ્રધાન થી સતોપ્રધાન બની જશો. હું ગુજરાતી છું, ફલાણો છું - આ બધું છોડો. સ્વયં
ને આત્મા સમજો અને બાપ ને યાદ કરો. આ છે યોગ અગ્નિ. સંભાળીને કદમ ઉઠાવવાના છે. બધા
નહીં સમજશે. બાપ કહે છે - પતિત-પાવન હું જ છું. તમે બધા છો પતિત, નિર્વાણધામ માં પણ
પાવન બન્યાં વગર આવી ન શકે. રચના નાં આદિ-મધ્ય-અંત ને પણ સમજવાનું છે. પૂરું સમજવા
થી જ ઊંચ પદ મેળવશે. થોડી ભક્તિ કરી હશે તો થોડું જ્ઞાન સમજશે. ખૂબ ભક્તિ કરી હશે
તો ખૂબ જ્ઞાન ઉઠાવશે. બાપ જે સમજાવે છે તેને ધારણ કરવાનું છે. વાનપ્રસ્થીઓ માટે
વધારે સહજ છે. ગૃહસ્થ વ્યવહાર થી કિનારો કરી લે છે. વાનપ્રસ્થ અવસ્થા ૬૦ વર્ષ ની પછી
હોય છે. ગુરુ પણ ત્યારે કરે છે. આજકાલ તો નાનપણ માં જ ગુરુ કરાવી દે છે. નહીં તો
પહેલાં બાપ, પછી શિક્ષક પછી ૬૦ વર્ષ પછી ગુરુ કરાય છે. સદ્દગતિ દાતા તો એક જ બાપ
છે, આ અનેક ગુરુ લોકો થોડી છે? આ તો બધી પૈસા કમાવવા ની યુક્તિઓ છે, સદ્દગુરુ છે જ
એક - બધાની સદ્દગતિ કરવા વાળા. બાપ કહે છે હું તમને બધા વેદો-શાસ્ત્રો નો સાર સમજાવું
છું. આ બધી છે ભક્તિમાર્ગ ની સામગ્રી. સીડી ઉતરવાની હોય છે. જ્ઞાન, ભક્તિ પછી ભક્તિ
નો છે વૈરાગ. જ્યારે જ્ઞાન મળે છે ત્યારે જ ભક્તિ નો વૈરાગ થાય છે. આ જૂની દુનિયા
થી તમને વૈરાગ થાય છે. બાકી દુનિયા ને છોડીને ક્યાં જશે? તમે જાણો છો આ દુનિયા જ
ખતમ થવાની છે એટલે હવે બેહદ ની દુનિયા નો સંન્યાસ કરવાનો છે. પવિત્ર બન્યાં વગર ઘરે
જઈ ન શકે. પવિત્ર બનવા માટે યાદ ની યાત્રા જોઈએ. ભારત માં લોહી ની નદીઓ વહ્યાં પછી
દૂધ ની નદીઓ વહેશે. વિષ્ણુ ને પણ ક્ષીરસાગર માં દેખાડે છે. સમજાવાય છે - આ લડાઈ થી
મુક્તિ-જીવન મુક્તિ નાં ગેટ (દ્વાર) ખુલે છે. જેટલાં આપ બાળકો આગળ વધશો એટલો જ અવાજ
નીકળતો રહેશે. હવે લડાઈ લાગી કે લાગી. એક ચિન્ગારી થી જુઓ આ આગળ શું થયું હતું? સમજે
છે કે લડીશું જરુર. લડાઈ ચાલતી જ રહે છે. એક-બીજા નાં મદદગાર બનતા રહે છે. તમને પણ
નવી દુનિયા જોઈએ તો જૂની દુનિયા જરુર ખતમ થવી જોઈએ. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આ જૂની
દુનિયા હવે ખતમ થવાની છે એટલે આ દુનિયા નો સંન્યાસ કરવાનો છે. દુનિયા ને છોડીને
ક્યાંય જવાનું નથી પરંતુ આને બુદ્ધિ થી ભૂલવાની છે.
2. નિર્વાણધામ માં જવા
માટે પૂરું પાવન બનવાનું છે. રચના નાં આદિ-મધ્ય-અંત ને પૂરું સમજી ને નવી દુનિયા
માં ઊંચ પદ મેળવવાનું છે.
વરદાન :-
કોઈ પણ આત્મા
ને પ્રાપ્તિઓ ની અનુભૂતિ કરાવવા વાળા યથાર્થ સેવાધારી ભવ
યથાર્થ સેવા ભાવ
અર્થાત્ સદા દરેક આત્મા પ્રત્યે શુભ ભાવના, શ્રેષ્ઠ કામના નો ભાવ. સેવા ભાવ અર્થાત્
દરેક આત્મા ને ભાવના પ્રમાણે ફળ આપવું. સેવા અર્થાત્ કોઈ પણ આત્મા ને પ્રાપ્તિ નો
મેવો અનુભવ કરાવવો. એવી સેવા માં તપસ્યા સાથે-સાથે છે. જ્યાં યથાર્થ સેવા ભાવ છે
ત્યાં તપસ્યા નો ભાવ અલગ નથી. જે સેવા માં ત્યાગ, તપસ્યા નથી તે છે નામધારી સેવા,
એટલે ત્યાગ, તપસ્યા અને સેવા નાં કમ્બાઈન્ડ રુપ દ્વારા સાચાં યથાર્થ સેવાધારી બનો.
સ્લોગન :-
નમ્રતા અને
ધૈર્યતા નો ગુણ ધારણ કરો તો ક્રોધાગ્નિ પણ શાંત થઈ જશે.
અવ્યક્ત ઈશારા - હવે
લગન ની અગ્નિ ને પ્રજ્વલિત કરી યોગ ને જ્વાળા રુપ બનાવો
હવે નિર્ભય જ્વાળામુખી
બની પ્રકૃતિ અને આત્માઓ ની અંદર જે તમોગુણ છે એને ભસ્મ કરો. તપસ્યા અર્થાત્ જ્વાળા
સ્વરુપ યાદ, આ યાદ દ્વારા જ માયા તથા પ્રકૃતિ નું વિકરાળ રુપ શીતળ થઈ જશે. તમારું
ત્રીજું નેત્ર, જ્વાળામુખી નેત્ર માયા ને શક્તિહીન કરી દેશે.