29-11-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
સાચાં - સાચાં રાજઋષિ છો , તમારું કર્તવ્ય છે તપસ્યા કરવી , તપસ્યા થી જ પૂજન લાયક
બનશો”
પ્રશ્ન :-
કયો પુરુષાર્થ સદાકાળ માટે પૂજવા લાયક બનાવી દે છે?
ઉત્તર :-
આત્મા ની જ્યોતિ જગાડવાનો અથવા તમોપ્રધાન આત્મા ને સતોપ્રધાન બનાવવાનો પુરુષાર્થ કરો
તો સદાકાળ માટે પૂજન લાયક બની જશો. જે હમણાં ગફલત કરે છે તે ખૂબ રડે છે. જો
પુરુષાર્થ કરીને પાસ ન થયાં, ધર્મરાજ ની સજાઓ ખાધી તો સજા ખાવા વાળા પૂજાશે નહીં.
સજા ખાવા વાળા નો ચહેરો ઉંચો ન થઈ શકે.
ઓમ શાંતિ!
રુહાની બાળકો
પ્રત્યે રુહાની બાપ સમજાવી રહ્યાં છે. પહેલાં-પહેલાં તો બાળકો ને સમજાવે છે કે
પોતાને આત્મા નિશ્ચય કરો. પહેલાં આત્મા છે, પછી શરીર છે. જ્યાં-ત્યાં પ્રદર્શન અથવા
મ્યુઝિયમ માં, ક્લાસ માં પહેલાં-પહેલાં આ સાવધાની આપવાની છે કે પોતાને આત્મા સમજી
બાપ ને યાદ કરો. બાળકો જ્યારે બેસે છે, બધા દેહી-અભિમાની બનીને નથી બેસતાં. અહીં
બેસીને પણ ક્યાં-ક્યાં વિચાર જાય છે. સત્સંગ માં જ્યાં સુધી કોઈ સાધુ વગેરે આવે ત્યાં
સુધી શું બેસીને કરે છે? કોઈ ન કોઈ વિચાર માં બેઠાં રહે છે. પછી સાધુ આવે તો કથા
વગેરે સાંભળવવા લાગે છે. બાપે સમજાવ્યું છે - આ બધું ભક્તિમાર્ગ માં
સાંભળવાનું-સંભળાવવાનું છે. બાપ સમજાવે છે આ બધું છે - આર્ટિફિશિયલ (બનાવટી). આમાં
કાંઈ પણ નથી. દિવાળી પણ આર્ટિફિશિયલ મનાવે છે. બાપે સમજાવ્યું છે - જ્ઞાન નું ત્રીજું
નેત્ર ખુલવું જોઈએ તો ઘર-ઘર માં પ્રકાશ થાય. હમણાં તો ઘર-ઘર માં અંધકાર જ છે. આ બધો
બહાર નો પ્રકાશ છે. તમે પોતાની જ્યોતિ જગાડવા બિલકુલ શાંતિ માં બેસો છો. બાળકો જાણે
છે સ્વધર્મ માં રહેવાથી પાપ કપાય છે. જન્મ-જન્માંતર નાં પાપ આ યાદ ની યાત્રા થી જ
કપાય છે. આત્મા ની જ્યોત ઓલવાઈ ગઈ છે ને? શક્તિ નું પેટ્રોલ બધું ખતમ થઈ ગયું છે.
તે ફરી ભરાઈ જશે કારણકે આત્મા પવિત્ર બની જાય છે. કેટલો રાત-દિવસ નો ફરક છે! હવે
લક્ષ્મી ની કેટલી પૂજા થાય છે. ઘણાં બાળકો લખે છે લક્ષ્મી મોટી કે સરસ્વતી મા મોટી.
લક્ષ્મી તો એક હોય છે - શ્રી નારાયણ ની. જો મહાલક્ષ્મી ને પૂજે છે તો તેને ચાર
ભુજાઓ દેખાડે છે. તેમાં બંને આવી જાય છે. હકીકત માં તેને લક્ષ્મી-નારાયણ ની પૂજા
કહેવાય. ચતુર્ભુજ છે ને - બંને સાથે. પરંતુ મનુષ્યો ને કાંઈ પણ સમજ નથી. બેહદ નાં
બાપ કહે છે કે બધા બેસમજ બની ગયા છે. લૌકિક બાપ ક્યારેય આખી દુનિયા નાં બાળકો ને
કહેશે શું કે બેસમજ છે? હમણાં આપ બાળકો જાણો છો - વિશ્વ નાં બાપ કોણ છે? સ્વયં કહે
છે હું સર્વ આત્માઓ નો બાપ છું. તમે બધા મારા બાળકો છો. તે સાધુ લોકો તો કહી દેશે
બધા ભગવાન જ ભગવાન છે. તમે જાણો છો બેહદ નાં બાપ બેહદ નું જ્ઞાન સમજાવી રહ્યાં છે
આપણને આત્માઓ ને. મનુષ્યો ને તો દેહ-અભિમાન રહે છે - હું ફલાણો છું… શરીર પર જે નામ
પડ્યું છે, તેનાં પર ચાલતાં આવ્યાં છે. હવે શિવબાબા તો છે નિરાકાર, સુપ્રીમ સોલ. એ
આત્મા પર નામ છે શિવ. આત્મા પર નામ એક જ શિવબાબા નું છે. બસ, એ છે પરમ આત્મા,
પરમાત્મા, એમનું નામ છે શિવ. બાકી જે પણ આત્માઓ અસંખ્ય છે તે બધાનાં શરીરો નાં નામ
પડેલા છે. શિવબાબા અહીં રહેતા નથી, એ તો પરમધામ થી આવે છે. શિવ અવતરણ પણ છે. હમણાં
બાપે તમને સમજાવ્યું છે - બધા આત્માઓ અહીંયા આવે છે પાર્ટ ભજવવાં. બાપ નો પણ પાર્ટ
છે. બાપ તો ખૂબ મોટું કામ અહીંયા કરે છે. અવતાર માને છે તો એમની તો જાહેર રજા અને
સ્ટેમ્પ વગેરે હોવા જોઈએ. બધા દેશો માં રજા હોવી જોઈએ કારણકે બાપ તો સર્વ નાં
સદ્દગતિ દાતા છે ને? એમનો જન્મદિવસ અને ચાલ્યાં જવાનો દિવસ, તારીખ વગેરે ની પણ ખબર
નથી પડી શકતી કારણકે આ તો ન્યારા છે ને એટલે ફક્ત શિવરાત્રિ કહી દે છે. આ પણ આપ
બાળકો જાણો છો - અડધોકલ્પ છે બેહદ નો દિવસ, અડધોકલ્પ છે બેહદ ની રાત. રાત પૂરી થઈ
પછી દિવસ થાય છે. તેનાં વચ્ચે બાપ આવે છે. આ તો એક્યુરેટ સમય છે. મનુષ્ય જન્મે છે
તો નગરપાલિકા માં નોંધ કરે છે ને, પછી છ દિવસ પછી તેમનું નામ રાખે છે, તેને કહે છે
- નામકરણ. કોઈ છઠ્ઠી કહે છે. ભાષાઓ તો ખૂબ છે ને? લક્ષ્મી ની પૂજા કરે છે - આતીશબાજી
સળગાવે છે. તમે પૂછી શકો છો જે લક્ષ્મી નો તહેવાર તમે મનાવો છો, એ ક્યારે તખ્ત પર
બેઠાં? તખ્ત પર બેસવાનો જ કારોનેશન (રાજ્યાભિષેક) મનાવે છે, તેમનો જન્મ નથી મનાવતાં.
લક્ષ્મી નું ચિત્ર થાળી માં રાખી તેમની પાસે થી ધન માંગે છે. બસ, બીજું કાંઈ નહીં.
મંદિર માં જઈને ભલે કાંઈક માંગશે, પરંતુ દિવાળી નાં દિવસે તો તેમની પાસે થી ફક્ત
પૈસા માંગશે. પૈસા આપે થોડી છે? આ જેવી-જેવી ભાવના છે… જો કોઈ સાચ્ચી ભાવના થી પૂજા
કરે તો અલ્પકાળ માટે ધન મળી શકે છે. આ છે જ અલ્પકાળ નું સુખ. ક્યાંક તો સ્થાઈ સુખ
પણ હશે ને? સ્વર્ગ ની તો તેમને ખબર જ નથી. અહીંયા સ્વર્ગ ની તુલના માં કોઈ ઉભું રહી
નથી શકતું.
તમે જાણો છો અડધોકલ્પ
છે જ્ઞાન, અડધોકલ્પ છે ભક્તિ. પછી થાય છે વૈરાગ. સમજાવાય છે - આ જૂની દુનિયા છી-છી
દુનિયા છે એટલે પછી નવી દુનિયા જરુર જોઈએ. નવી દુનિયા વૈકુંઠ ને કહેવાય છે, તેને
હેવન, પેરેડાઇઝ કહેવાય છે. આ ડ્રામા માં પાર્ટધારી પણ અવિનાશી છે. આપ બાળકો ને ખબર
પડી છે કે આપણે આત્મા પાર્ટ કેવી રીતે ભજવીએ છીએ. બાબાએ સમજાવ્યું છે - કોઈને પણ
પ્રદર્શન વગેરે દેખાડો છે તો પહેલાં-પહેલાં આ મુખ્ય-ઉદ્દેશ સમજાવવાનો છે. સેકન્ડ
માં જીવનમુક્તિ કેવી રીતે મળે છે - જન્મ-મરણ માં તો જરુર આવવાનું જ છે. તમે સીડી પર
ખૂબ સારી રીતે સમજાવી શકો છો. રાવણરાજ્ય માં જ ભક્તિ શરુ થાય છે. સતયુગ માં ભક્તિ
નું નામ-નિશાન નથી હોતું. જ્ઞાન અને ભક્તિ બંને અલગ-અલગ છે ને? હવે તમને આ જૂની
દુનિયા થી વૈરાગ છે. તમે જાણો છો આ દુનિયા હવે ખતમ થવાની છે. બાપ સદૈવ બાળકો નાં
સુખદાયી જ હોય છે. બાળકો માટે જ બાપ કેટલું માથું મારે છે. બાળકો માટે જ ગુરુઓ ની
પાસે જાય છે, સાધુઓ ની પાસે જાય છે - કેવી રીતે પણ કરીને બાળક થાય કારણકે સમજે છે
બાળક હશે તો તેમને મિલકત આપીને જઈશું. બાળક હોય તો તેને અમે વારિસ બનાવીએ. તો બાપ
ક્યારેય બાળકો ને દુઃખ થોડી આપશે? અસંભવ છે. તમે માતા-પિતા કહીને કેટલી રડીઓ મારતા
(પોકારતા) રહો છો. તો બાળકો નાં રુહાની બાપ બધાને સુખ નો જ રસ્તો બતાવે છે. સુખ આપવા
વાળા એક જ બાપ છે. દુઃખહર્તા-સુખકર્તા એક રુહાની બાપ છે. આ વિનાશ પણ સુખ માટે જ છે.
નહીં તો મુક્તિ-જીવનમુક્તિ કેવી રીતે મેળવશે? પરંતુ આ પણ કોઈ સમજશે થોડી? અહીં તો આ
છે ગરીબ, અબળાઓ, જે પોતાને આત્મા નિશ્ચય કરી શકે. બાકી મોટા લોકો ને તો દેહ નું
અભિમાન એટલું પાક્કું થઈ ગયું છે જે વાત ન પૂછો. બાબા વારંવાર સમજાવે છે - તમે
રાજઋષિ છો. ઋષિ હંમેશા તપસ્યા કરે છે. તે તો બ્રહ્મ ને, તત્વ ને યાદ કરે છે અથવા
કોઈ કાળી વગેરે ને પણ યાદ કરતા હશે. ઘણાં સંન્યાસી પણ છે જે કાળી ની પૂજા કરે છે.
મા-કાળી કહી પોકારે છે. બાપ કહે છે - આ સમયે બધા વિકારી છે. કામ ચિતા પર બેસી બધા
કાળા બન્યાં છે. મા, બાપ, બાળકો બધા કાળા છે. આ બેહદ ની વાત છે. સતયુગ માં કાળા હોતાં
નથી, બધા છે ગોરા. પછી ક્યારે શ્યામ બને છે. આ આપ બાળકો ને બાપે સમજાવ્યું છે.
થોડા-થોડા પતિત થતાં-થતાં અંત માં બિલકુલ જ કાળા બની જાય છે. બાપ કહે છે રાવણે કામ
ચિતા પર ચઢાવી બિલકુલ કાળા બનાવી દીધાં છે. હવે ફરી તમને જ્ઞાન ચિતા પર ચઢાવું છે.
આત્મા ને જ પવિત્ર બનાવવાનો હોય છે. હવે પતિત-પાવન બાપ આવીને પાવન બનવાની યુક્તિ
બતાવે છે. પાણી શું યુક્તિ બતાવશે? પરંતુ તમે કોઈ ને સમજાવો તો કોટો માં કોઈ જ
સમજીને ઊંચ પદ મેળવે છે. હવે તમે બાપ પાસે થી પોતાનો વારસો લેવા આવ્યાં છો - ૨૧
જન્મો માટે. તમે આગળ ચાલીને ખૂબ સાક્ષાત્કાર કરશો. તમને પોતાનાં ભણતર ની બધી ખબર
પડશે. જે હમણાં ગફલત કરે છે પછી ખૂબ રડશે. સજાઓ પણ તો ઘણી હોય છે ને? પછી પદ પણ
ભ્રષ્ટ થઈ જાય છે. મોઢું ઊંચું કરી નહીં શકશે એટલે બાપ કહે છે - મીઠાં-મીઠાં બાળકો,
પુરુષાર્થ કરી પાસ થઈ જાઓ, જે કાંઈ પણ સજા ન ખાવી પડે ત્યારે પૂજન લાયક પણ બનશો. સજા
ખાધી તો પછી થોડી પૂજાશો? આપ બાળકોએ પુરુષાર્થ ખૂબ કરવો જોઈએ. પોતાનાં આત્મા ની
જ્યોતિ જગાડવાની છે. હમણાં આત્મા તમોપ્રધાન બન્યો છે, તેને જ સતોપ્રધાન બનાવવાનો
છે. આત્મા છે જ બિંદુ. એક સિતારો છે. તેનું બીજું કોઈ નામ રાખી ન શકાય. બાળકો ને
સમજાવ્યું છે તેનો સાક્ષાત્કાર થયો છે. સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ નું
બતાવે છે. તેમણે જોયું કે તેમાંથી કાંઈક લાઈટ નીકળી તે તો આત્મા જ નીકળે છે. તેમણે
સમજ્યું તે મારા માં સમાઈ ગઈ. હવે આત્મા કોઈ આવીને સમાઈ થોડી શકે છે? તે તો જઈને
બીજું શરીર લે છે. અંત માં તમે ખૂબ જોશો. નામ અને રુપ થી ન્યારી કોઈ ચીજ હોતી નથી.
આકાશ પોલાર છે, તેનું પણ નામ છે. હવે આ તો બાળકો સમજે છે, કલ્પ-કલ્પ સ્થાપના જે થતી
આવી છે તે થવાની જ છે. આપણે બ્રાહ્મણ નંબરવાર પુરુષાર્થ કરતા રહીએ છીએ. જે-જે
સેકન્ડ વીતે છે તેને ડ્રામા જ કહેવાય છે. આખી દુનિયા નું ચક્ર ફરતું રહે છે. આ ૫
હજાર વર્ષ નું ચક્ર, જૂ માફક ફરતું રહે છે. ટિક-ટિક થતી રહે છે, હવે આપ મીઠાં-મીઠાં
બાળકોએ ફક્ત બાપ ને જ યાદ કરવાના છે. ચાલતાં-ફરતાં કામ કરતા બાપ ને યાદ કરવામાં જ
કલ્યાણ છે. પછી માયા ચમાટ લગાવી દેશે. તમે છો બ્રાહ્મણ, ભ્રમરી ની જેમ કીડા ને આપ
સમાન બ્રાહ્મણ બનાવવાનાં છે. તે ભ્રમરી નું તો એક દૃષ્ટાંત છે. તમે છો સાચાં-સાચાં
બ્રાહ્મણ. બ્રાહ્મણો એ જ પછી દેવતા બનવાનું છે એટલે તમારો આ છે પુરુષોત્તમ બનવા માટે
સંગમયુગ. અહીં તમે આવો જ છો પુરુષોત્તમ બનવા માટે. પહેલાં બ્રાહ્મણ જરુર બનવું પડે.
બ્રાહ્મણ ની ચોટલી છે ને? તમે બ્રાહ્મણો ને સમજાવી શકો છો. બોલો, આપ બ્રાહ્મણો નો
તો કુળ છે, બ્રાહ્મણો ની રાજધાની નથી. તમારો આ કુળ કોણે સ્થાપન કર્યો? તમારા મોટા
કોણ છે? પછી તમે જ્યારે સમજાવશો તો ખૂબ ખુશ થશે. બ્રાહ્મણો ને માન આપે છે કારણકે તે
શાસ્ત્ર વગેરે સંભળાવે છે. પહેલાં રાખડી બાંધવા માટે પણ બ્રાહ્મણ જતા હતાં. આજકાલ
તો બાળકીઓ જાય છે. તમારે તો રાખડી તેમને બાંધવાની છે જે પવિત્રતા ની પ્રતિજ્ઞા કરે.
પ્રતિજ્ઞા જરુર કરવી પડે. ભારત ને ફરી થી પાવન બનાવવા માટે અમે આ પ્રતિજ્ઞા કરીએ
છીએ. તમે પણ પાવન બનો, બીજાઓને પણ પાવન બનાવો. બીજા કોઈની તાકાત નથી જે એવી રીતે કહી
શકે. તમે જાણો છો આ અંતિમ જન્મ પાવન બનવાથી આપણે પાવન દુનિયા નાં માલિક બનીએ છીએ.
તમારો ધંધો જ આ છે. એવાં મનુષ્ય કોઈ હોતાં જ નથી. તમારે જઈને આ કસમ ઉઠાવડાવાની છે.
બાપ કહે છે કામ મહાશત્રુ છે, આનાં પર વિજય મેળવવાનો છે. આનાં પર જીત મેળવવા થી જ તમે
જગતજીત બનશો. આ લક્ષ્મી-નારાયણે જરુર પહેલાં નાં જન્મ માં પુરુષાર્થ કર્યો છે ત્યારે
તો એવાં બન્યાં છે ને? હવે તમે બતાવી શકો છો - કયા કર્મ થી એમને આ પદ મળ્યું, આમાં
મૂંઝાવાની તો કોઈ વાત જ નથી. તમને કોઈ આ દિવાળી વગેરે ની ખુશી નથી. તમને તો ખુશી છે
- અમે બાપ નાં બન્યાં છીએ, એમની પાસે થી વારસો મેળવીએ છીએ. ભક્તિમાર્ગ માં મનુષ્ય
કેટલો ખર્ચો કરે છે. કેટલું નુકસાન પણ થઈ જાય છે. આગ લાગી જાય છે. પરંતુ સમજતા નથી.
તમે જાણો છો હવે આપણે
ફરીથી પોતાનાં નવાં ઘરે જવાના છીએ. ચક્ર ફરી હૂબહૂ રિપીટ થશે ને? આ બેહદ ની ફિલ્મ
છે. બેહદ ની સ્લાઈડ (દૃશ્ય) છે. બેહદ બાપ નાં બન્યાં છીએ તો કપારી ખુશી હોવી જોઈએ.
અમે બાપ પાસે થી સ્વર્ગ નો વારસો જરુર લઈશું. બાપ કહે છે પુરુષાર્થ થી જે જોઈએ તે
લો. પુરુષાર્થ તમારે જરુર કરવાનો છે. પુરુષાર્થ થી જ તમે ઊંચ બની શકો છો. આ બાબા (ઘરડા)
આટલાં ઊંચ બની શકે છે તો તમે કેમ ન બની શકો છો. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. જેમ બાપ સદા
બાળકો પ્રત્યે સુખદાયી છે, એવી રીતે સુખદાયી બનવાનું છે. બધાને મુક્તિ-જીવનમુક્તિ
નો રસ્તો બતાવવાનો છે.
2. દેહી-અભિમાની
બનવાની તપસ્યા કરવાની છે. આ જૂની છી-છી દુનિયા થી બેહદ નાં વૈરાગી બનવાનું છે.
વરદાન :-
દરેક ની
વિશેષતા ને સ્મૃતિ માં રાખતા ફેથફુલ ( વિશ્વાસુ ) બની એકમત સંગઠન બનાવવા વાળા સર્વ
નાં શુભચિંતક ભવ
ડ્રામા અનુસાર દરેક
ને કોઈ ન કોઈ વિશેષતા અવશ્ય પ્રાપ્ત છે, એ વિશેષતા ને કાર્ય માં લગાવો તથા બીજાઓ ની
વિશેષતા ને જુઓ. એક-બીજા માં ફેથફુલ રહો તો એમની વાતો નો ભાવ બદલાઈ જશે. જ્યારે
દરેક ની વિશેષતા ને જોશો તો અનેક હોવા છતાં પણ એક દેખાશે. એકમત સંગઠન થઈ જશે. કોઈ
કોઈની ગ્લાનિ ની વાત સંભળાવે તો એને સાથ આપવાને બદલે સંભળાવવા વાળા નું રુપ
પરિવર્તન કરી દો, ત્યારે કહેવાશે શુભચિંતક.
સ્લોગન :-
શ્રેષ્ઠ
સંકલ્પ નો ખજાનો જ શ્રેષ્ઠ પ્રારબ્ધ તથા બ્રાહ્મણ-જીવન નો આધાર છે.
અવ્યક્ત ઈશારા -
અશરીરી કે વિદેહી સ્થિતિ નો અભ્યાસ વધારો
જો સેકન્ડ માં વિદેહી
બનવાનો અભ્યાસ નહીં હશે તો લાસ્ટ ઘડી પણ યુદ્ધ માં જ જશે અને જે વાત માં કમજોર હશો,
ભલે સ્વભાવ માં, ભલે સંબંધ માં આવવામાં, ભલે સંકલ્પ શક્તિ માં, વૃત્તિ માં,
વાયુમંડળ નાં પ્રભાવ માં, જે વાત માં કમજોર હશો, એ રુપ માં જાણી જોઈ ને પણ માયા
લાસ્ટ પેપર લેશે એટલે વિદેહી બનવાનો અભ્યાસ ખૂબ જરુરી છે.