30-05-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - તમે
હમણાં શાંતિધામ , સુખધામ માં જવા માટે ઈશ્વરીય ધામ માં બેઠાં છો , આ સત્ નો સંગ છે
, જ્યાં તમે પુરુષોત્તમ બની રહ્યાં છો”
પ્રશ્ન :-
આપ બાળકો બાપ કરતાં પણ ઊંચા છો, નીંચા નથી - કેવી રીતે?
ઉત્તર :-
બાબા કહે - બાળકો, હું વિશ્વ નો માલિક નથી બનતો, તમને વિશ્વ નાં માલિક બનાવું છું
તો બ્રહ્માંડ નાં પણ માલિક બનાવું છું. હું ઊંચા માં ઊંચો બાપ આપ બાળકો ને નમસ્તે
કરું છું, એટલે તમે મારા કરતાં પણ ઊંચા છો, હું આપ માલિકો ને સલામ કરું છું. તમે પછી
એવાં બનાવવા વાળા બાપ ને સલામ કરો છો.
ઓમ શાંતિ!
મીઠાં-મીઠાં
રુહાની બાળકો ને નમસ્તે. રેસપોન્ડ (પ્રત્યુતર) પણ નથી કરતા - બાબા નમસ્તે, કારણકે
બાળકો જાણે છે બાબા અમને બ્રહ્માંડ નાં માલિક પણ બનાવે છે અને વિશ્વ નાં માલિક પણ
બનાવે છે. બાપ તો ફક્ત બ્રહ્માંડ નાં માલિક બને છે, વિશ્વ નાં માલિક નથી બનતાં.
બાળકો ને બ્રહ્માંડ અને વિશ્વ બંને નાં માલિક બનાવે છે તો બતાવો મોટું કોણ થયું?
બાળકો મોટા થયા ને એટલે બાળકો પછી નમસ્તે કરે છે. બાબા આપ જ અમને બ્રહ્માંડ અને
વિશ્વ નાં માલિક બનાવો છો એટલે તમને નમસ્તે. મુસલમાન લોકો પણ માલેકમ્ સલામ, સલામ
માલેકમ્ કહે છે ને? આપ બાળકો ને આ ખુશી છે. જેમને નિશ્ચય છે, નિશ્ચય વગર તો કોઈ અહીં
આવી પણ ન શકે. અહીં જે આવે છે તે જાણે છે અમે કોઈ મનુષ્ય ગુરુ ની પાસે નથી જતાં.
મનુષ્ય બાપ ની પાસે, શિક્ષક ની પાસે તથા મનુષ્ય ગુરુ ની પાસે નથી જતાં. તમે આવો છો
રુહાની બાપ, રુહાની શિક્ષક, રુહાની સદ્દગુરુ ની પાસે. તે મનુષ્ય તો અનેક છે. આ એક જ
છે. આ પરિચય કોઈને પણ નહોતો. ભક્તિ માર્ગ નાં શાસ્ત્રો માં પણ છે કે રચયિતા અને રચના
ને કોઈ પણ નથી જાણતાં. ન જાણવાનાં કારણે, તેમને ઓરફન (અનાથ) કહેવાય છે. જે સારું
ભણેલા-ગણેલા હોય છે, સમજી શકે છે, આપણા સર્વ આત્માઓ નાં બાપ એક જ નિરાકાર છે. એ
આવીને બાપ, શિક્ષક, સદ્દગુરુ પણ બને છે. ગીતા માં કૃષ્ણ નું નામ પ્રસિદ્ધ છે. ગીતા
છે સર્વ શાસ્ત્રમઈ શિરોમણી, સૌથી ઉત્તમ માં ઉત્તમ. ગીતા ને જ મા-બાપ કહેવાય છે બીજા
જે પણ શાસ્ત્ર છે, તેને માત-પિતા નહીં કહેવાશે. શ્રીમદ્ ભગવત ગીતા માતા ગવાય છે.
ભગવાન નાં મુખ કમળ થી નીકળેલી ગીતા નું જ્ઞાન. ઊંચા માં ઊંચા બાપ છે તો જરુર ઊંચા
માં ઊંચા ની ગાયેલી ગીતા થઈ ગઈ ક્રિયેટર (રચયિતા). બાકી બધા શાસ્ત્ર છે તેનાં પાન,
ક્રિયેશન. રચના પાસે થી ક્યારેય વારસો મળી ન શકે. જો મળશે પણ તો અલ્પકાળ માટે. બીજા
એટલાં અનેક શાસ્ત્ર છે, જેને વાંચવા થી અલ્પકાળ નું સુખ મળે છે એક જન્મ માટે. જે
મનુષ્ય જ મનુષ્ય ને ભણાવે છે. દરેક પ્રકાર નું જે પણ ભણતર છે તે અલ્પકાળ માટે
મનુષ્ય, મનુષ્ય ને ભણાવે છે. અલ્પકાળ નું સુખ મળ્યું પછી બીજા જન્મ માં બીજું ભણતર
ભણવું પડે. અહીં તો એક નિરાકાર બાપ જ છે જે ૨૧ જન્મો માટે વારસો આપે છે. કોઈ મનુષ્ય
તો આપી ન શકે. તે તો વર્થ નોટ અ પેની (કોડી તુલ્ય) બનાવી દે છે. બાપ બનાવે છે
પાઉન્ડ (હીરા તુલ્ય). હમણાં બાપ બાળકો ને સમજાવે છે. તમે બધા ઈશ્વર નાં બાળકો છો
ને? સર્વવ્યાપી કહેવાથી અર્થ કાંઈ નથી સમજતાં. બધા માં પરમાત્મા છે તો પછી ફાધરહુડ
(પિતૃત્ત્વ) થઈ જાય છે. ફાધર જ ફાધર તો પછી વારસો ક્યાંથી મળે? કોનું દુઃખ કોણ હરે?
બાપ ને જ દુઃખહર્તા, સુખકર્તા કહેવાય છે. ફાધર જ ફાધર નો તો કોઈ અર્થ જ નથી નીકળતો.
બાપ સમજાવે છે - આ છે જ રાવણ રાજ્ય. આ પણ ડ્રામા માં નોંધ છે એટલે ચિત્રો માં પણ
ક્લિયર (સ્પષ્ટ) કરી દેખાડ્યું છે.
આપ બાળકો ની બુદ્ધિ
માં છે-આપણે પુરુષોત્તમ સંગમયુગ પર છીએ. બાપ પુરુષોત્તમ બનાવવા આવેલા છે. જેમ
બેરિસ્ટરી, ડોક્ટરી વગેરે ભણે છે, જેનાં થી પદ મેળવે છે. સમજે છે આ ભણતર થી અમે
ફલાણા બનીશું. અહીં તમે સત્ નાં સંગ માં બેઠાં છો, જેનાંથી તમે સુખધામ માં જાઓ છો.
સત્ ધામ પણ બે છે-એક સુખધામ, બીજું છે શાંતિધામ. આ છે ઈશ્વર નું ધામ. બાપ રચયિતા છે
ને? જે બાપ દ્વારા સમજી ને હોંશિયાર થતા જાય છે - તેમનું કર્તવ્ય છે સર્વિસ કરવી.
બાપ કહેશે તમે હમણાં સમજી ને હોંશિયાર થયા છો તો શિવ નાં મંદિર માં જઈને સમજાવો,
તેમને કહો આનાં પર ફળ, ફૂલ, માખણ, ઘી, આકડા નાં ફૂલ, ગુલાબ નાં ફૂલ વેરાઈટી કેમ
ચઢાવો છો? કૃષ્ણ નાં મંદિર માં આકડા નાં ફૂલ નથી ચઢાવતાં. ત્યાં ખૂબ સરસ સુગંધિત
ફૂલ લઈ જાય છે. શિવ ની આગળ અક નાં ફૂલ તો ગુલાબ નાં ફૂલ પણ ચઢાવે છે. અર્થ તો કોઈ
જાણતા નથી. આ સમયે આપ બાળકો ને બાપ ભણાવે છે, કોઈ મનુષ્ય નથી ભણાવતાં. અને આખી
દુનિયામાં મનુષ્યો ને મનુષ્ય ભણાવે છે. તમને ભગવાન ભણાવે છે. કોઈ મનુષ્ય ને ભગવાન
કદાચ કહેવાતા નથી. લક્ષ્મી-નારાયણ ને પણ ભગવાન નહીં, તેમને દેવી-દેવતા કહેવાય છે.
બ્રહ્મા-વિષ્ણુ-શંકર ને પણ દેવતા કહેવાશે. ભગવાન એક બાપ જ છે, એ છે સર્વ આત્માઓ નાં
બાપ. બધા કહે પણ છે-હે પરમપિતા પરમાત્મા. એમનું સાચ્ચું-સાચ્ચું નામ છે શિવ અને આપ
બાળકો છો સાલિગ્રામ. પંડિત લોકો જ્યારે રુદ્ર યજ્ઞ રચે છે તો શિવ નું ખૂબ મોટું
લિંગ બનાવે છે અને સાલિગ્રામ નાનાં-નાનાં બનાવે છે. સાલિગ્રામ કહેવાય છે આત્માઓ ને.
શિવ કહેવાય છે પરમાત્મા ને. એ બધા નાં બાપ છે, આપણે બધા છીએ ભાઈ-ભાઈ, કહે પણ છે
બ્રધરહુડ (બંધુત્વ). બાપ નાં બાળકો આપણે ભાઈ-ભાઈ છીએ. પછી ભાઈ-બહેન કેવી રીતે થયાં?
પ્રજાપિતા બ્રહ્મા નાં મુખ થી પ્રજા રચાય છે. તે છે બ્રાહ્મણ અને બ્રાહ્મણીઓ. આપણે
પ્રજાપિતા બ્રહ્મા નાં સંતાન છીએ, એટલે બી.કે કહેવાઈએ છીએ. અચ્છા, બ્રહ્મા ને કોણે
જન્મ આપ્યો? ભગવાને. બ્રહ્મા, વિષ્ણુ, શંકર… આ બધી રચના છે. સૂક્ષ્મ વતન ની રચના થઈ
ગઈ. બ્રહ્મા મુખ કમળ થી આપ બાળકો નીકળ્યાં છો. બ્રાહ્મણ-બ્રાહ્મણીઓ કહેવાઓ છો. તમે
બ્રહ્મા મુખ વંશાવલી એડોપ્ટેડ છો. પ્રજાપિતા બ્રહ્મા બાળકો ને કેવી રીતે જન્મ આપશે,
જરુર એડોપ્ટ કરશે. જેમ ગુરુઓનાં ફોલોઅર્સ (અનુયાયી) એડોપ્ટ થાય છે, તેમને કહેવાશે
શિષ્ય. તો પ્રજાપિતા બ્રહ્મા આખી દુનિયાનાં પિતા થઈ ગયાં. તેમને કહેવાય છે -
ગ્રેટ-ગ્રેટ-ગ્રન્ડ ફાધર. પ્રજાપિતા બ્રહ્મા તો અહીં જોઈએ ને? સૂક્ષ્મવતન માં પણ
બ્રહ્મા છે. નામ ગવાયેલું છે બ્રહ્મા, વિષ્ણુ, શંકર પરંતુ સૂક્ષ્મવતન માં પ્રજા તો
હોતી નથી. પ્રજાપિતા બ્રહ્મા કોણ છે, આ બધું બાપ સમજાવે છે. તે બ્રાહ્મણ લોકો પણ
પોતાને બ્રહ્મા નાં સંતાન કહે છે? હમણાં બ્રહ્મા ક્યાં છે? તમે કહેશો આ બેઠાં છે,
તે કહેશે થઈને ગયા છે. તે પછી પોતાને પુજારી બ્રાહ્મણ કહેવડાવે છે. હમણાં તમે તો
પ્રેક્ટિકલ માં છો. પ્રજાપિતા બ્રહ્મા નાં બાળકો પરસ્પર ભાઈ-બહેન થઈ ગયાં. બ્રહ્મા
ને એડોપ્ટ કર્યા છે શિવબાબાએ. કહે છે હું આ વૃદ્ધ તન માં પ્રવેશ કરી તમને રાજયોગ
શીખવાડું છું. મનુષ્ય ને દેવતા બનાવવા-આ કોઈ મનુષ્ય નું કામ નથી. બાપ ને જ રચયિતા
કહેવાય છે. ભારતવાસી જાણે છે શિવજયંતિ પણ મનાવાય છે. શિવ છે બાપ. મનુષ્યો ને આ પણ
ખબર નથી કે દેવી-દેવતાઓ ને આ રાજ્ય કોણે આપ્યું? સ્વર્ગ નાં રચયિતા છે જ પરમ આત્મા,
જેમને પતિત-પાવન કહેવાય છે. આત્મા અસલ પવિત્ર હોય છે, પછી સતો-રજો-તમો માં આવે છે.
આ સમયે કળિયુગ માં બધા છે તમોપ્રધાન, સતયુગ માં સતોપ્રધાન હતાં. આજ થી ૫ હજાર વર્ષ
પહેલાં આ લક્ષ્મી-નારાયણ નું રાજ્ય હતું. ૨૫૦૦ વર્ષ દેવતાઓ ની ડિનાયસ્ટી (રાજાઈ)
ચાલી. તેમનાં બાળકોએ પણ રાજ્ય કર્યુ ને? લક્ષ્મી-નારાયણ ધ ફર્સ્ટ, ધ સેકન્ડ એવું
ચાલ્યું આવે છે. મનુષ્યો ને આ વાતો ની કાંઈ પણ ખબર નથી. આ સમયે છે બધા તમોપ્રધાન,
પતિત. અહીં એક પણ મનુષ્ય પાવન હોઈ જ ન શકે. બધા પોકારે છે હે પતિત-પાવન આવો. તો
પતિત દુનિયા થઈ ને? આને જ કળિયુગ નર્ક કહેવાય છે. નવી દુનિયા ને સ્વર્ગ પાવન દુનિયા
કહેવાય છે. પછી પતિત કેવી રીતે બન્યાં, આ કોઈ નથી જાણતાં. ભારત માં એક પણ મનુષ્ય નથી
જે પોતાનાં ૮૪ જન્મો ને જાણતા હોય. મનુષ્ય મેક્સિમમ (વધુમાં વધુ) ૮૪ જન્મ લે છે,
મિનીમમ (ઓછામાં ઓછો) એક જન્મ.
ભારત ને અવિનાશી ખંડ
મનેલો છે કારણકે અહીં જ શિવબાબા નું અવતરણ થાય છે. ભારત ખંડ ક્યારેય વિનાશ થઈ ન શકે.
બાકી છે અનેક ખંડ છે તે બધા વિનાશ થઈ જશે. આ સમયે આદિ સનાતન દેવી-દેવતા ધર્મ પ્રાયઃ
લોપ થઈ ગયો છે. કોઈ પણ પોતાને દેવતા નથી કહેવડાવતા કારણ કે દેવતાઓ સતોપ્રધાન પાવન
હતાં. હમણાં તો બધા પતિત પુજારી બની ગયા છે. આ પણ બાપ સમજાવે છે, ભગવાનુવાચ છે ને?
ભગવાન બધા નાં બાપ છે, એ એક જ વખત ભારત માં આવે છે. ક્યારે આવે છે? પુરુષોત્તમ
સંગમયુગ પર. આ સંગમયુગ ને જ પુરુષોત્તમ કહેવાય છે. આ સંગમયુગ છે કળિયુગ થી સતયુગ,
પતિત થી પાવન બનવાનો. કળિયુગ માં રહે છે પતિત મનુષ્ય, સતયુગ માં છે પાવન દેવતાઓ એટલે
આને પુરુષોત્તમ સંગમયુગ કહેવાય છે, જ્યારે બાપ આવીને પતિત થી પાવન બનાવે છે. તમે
આવ્યાં જ છો મનુષ્ય થી દેવતા પુરુષોત્તમ બનવાં. મનુષ્ય તો આ પણ નથી જાણતા કે આપણે
આત્માઓ નિર્વાણધામ માં રહીએ છીએ. ત્યાંથી આવીએ છીએ પાર્ટ ભજવવાં. આ નાટક ની આયુ ૫
હજાર વર્ષ છે. આપણે આ બેહદ નાં નાટક માં પાર્ટ ભજવીએ છીએ. આટલાં બધા મનુષ્ય
પાર્ટધારી છે. આ ડ્રામા નું ચક્ર ફરતું રહે છે. ક્યારેય બંધ થવાનું નથી.
પહેલાં-પહેલાં આ નાટક માં સતયુગ માં પાર્ટ ભજવવા આવે છે દેવી-દેવતા. પછી ત્રેતા માં
ક્ષત્રિય. આ નાટક ને પણ જાણવું જોઈએ ને? આ છે જ કાંટાઓ નું જંગલ. બધા મનુષ્ય દુઃખી
છે. કળિયુગ પછી ફરી સતયુગ આવે છે. કળિયુગ માં અનેક મનુષ્ય છે, સતયુગ માં કેટલાં હશે?
બહુ જ થોડાં. આદિ સનાતન સૂર્યવંશી દેવી-દેવતાઓ જ હશે. આ જૂની દુનિયા હવે બદલાવાની
છે. મનુષ્ય સૃષ્ટિ થી પછી દેવતાઓ ની સૃષ્ટિ હશે. આદિ સનાતન દેવી-દેવતા ધર્મ હતો.
પરંતુ હમણાં પોતાને દેવતા કહેવડાવતા નથી. પોતાનાં ધર્મ ને જ ભૂલી ગયા છે. આ ફક્ત
ભારતવાસી જ છે જે પોતાનાં ધર્મ ને ભૂલી ગયા છે, હિન્દુસ્તાન માં રહેવાનાં કારણે
હિંદુ ધર્મ કહી દે છે. દેવતાઓ તો પાવન હતાં, આ છે પતિત એટલે પોતાને દેવતા કહી નથી
શકતાં. દેવતાઓ ની પૂજા કરતા રહે છે. પોતાને પાપી નીચ કહે છે. હવે બાપ સમજાવે છે તમે
જ પૂજ્ય હતાં પછી તમે જ પુજારી પતિત બનો છો. હમ સો નો અર્થ પણ સમજાવ્યો છે. તેઓ કહી
દે છે આત્મા સો પરમાત્મા. આ છે જુઠ્ઠો અર્થ, જુઠ્ઠી કાયા, જુઠ્ઠી માયા….સતયુગ માં
એવું નહીં કહેવાશે. સચખંડ ની સ્થાપના બાપ કરે છે, જુઠ્ઠખંડ પછી રાવણ બનાવે છે. આ પણ
બાપ આવીને સમજાવે છે-આત્મા શું છે, પરમાત્મા શું છે? આ પણ કોઈ નથી જાણતાં. બાપ કહે
છે તમે આત્મા બિંદુ છો, તમારા માં ૮૪ જન્મો નો પાર્ટ નોંધાયેલો છે. આપણે આત્મા કેવાં
છીએ -આ કોઈ નથી જાણતાં. અમે બેરિસ્ટર છીએ, ફલાણા છીએ-આ જાણે છે, બાકી આત્મા ને એક
પણ નથી જાણતાં. બાપ જ આવીને પરિચય આપે છે. તમારા આત્મા માં ૮૪ જન્મો નો પાર્ટ
અવિનાશી નોંધાયેલો છે, જે ક્યારેય વિનાશ નથી થઈ શકતો. આ ભારત ગાર્ડન ઓફ ફ્લાવર (ફૂલોનો
બગીચો) હતું. સુખ જ સુખ હતું, હમણાં દુઃખ જ દુઃખ છે. આ બાપ નોલેજ આપે છે.
આપ બાળકો બાપ દ્વારા
હમણાં નવી-નવી વાતો સાંભળો છો. સૌથી નવી વાત છે - તમારે મનુષ્ય થી દેવતા બનવાનું
છે. તમે જાણો છો મનુષ્ય થી દેવતા બનવાનું ભણતર કોઈ પણ મનુષ્ય નથી ભણાવતાં, ભગવાન
ભણાવે છે. એ ભગવાન ને સર્વવ્યાપી કહેવું આ તો ગાળ આપવી થયું. હવે બાપ સમજાવે છે -
હું દર ૫ હજાર વર્ષ પછી આવીને ભારત ને સ્વર્ગ બનાવું છું. રાવણ નર્ક બનાવે છે. આ
વાતો દુનિયા માં બીજું કોઈ નથી જાણતું. બાપ જ આવીને તમને મનુષ્ય થી દેવતા બનાવે છે.
ગાયન પણ છે - મૂત પલિતી કપડ ધોયે… ત્યાં વિકાર હોતાં નથી. તે છે જ સંપૂર્ણ
નિર્વિકારી દુનિયા. હમણાં છે વિશશ વર્લ્ડ (વિકારી દુનિયા). બોલાવે પણ છે -
પતિત-પાવન, આવો. અમને રાવણે પતિત બનાવ્યાં છે પરંતુ જાણતા નથી કે રાવણ ક્યારે આવ્યો,
શું થયું? રાવણે કેટલાં કંગાળ બનાવી દીધાં છે? ભારત ૫ હજાર વર્ષ પહેલાં કેટલો
સાહૂકાર હતો. સોના, હીરા-ઝવેરાતો નાં મહેલ હતાં. કેટલું ધન હતું! હમણાં શું હાલત
છે! તે બાપ સિવાય સિરતાજ કોઈ બનાવી ન શકે. હમણાં તમે કહો છો શિવબાબા ભારત ને સ્વર્ગ
બનાવે છે. હવે બાપ કહે છે મોત સામે ઊભું છે. તમે વાનપ્રસ્થી છો. હવે જવાનું છે પાછું
એટલે પોતાને આત્મા સમજો, મામેકમ્ યાદ કરો તો પાપ ભસ્મ થઈ જશે. અચ્છા.
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. આપણે
બ્રહ્મા મુખ્ય વંશાવલી બ્રાહ્મણ છીએ, સ્વયં ભગવાન આપણને મનુષ્ય થી દેવતા બનાવવા નું
ભણતર ભણાવી રહ્યાં છે, આ નશા અને ખુશી માં રહેવાનું છે. પુરુષોત્તમ સંગમયુગ પર
પુરુષોત્તમ બનવાનો પુરુષાર્થ કરવાનો છે.
2. હમણાં આપણી
વાનપ્રસ્થ અવસ્થા છે, મોત સામે ઉભું છે, પાછું ઘરે જવાનું છે… એટલે બાપ ની યાદ થી
બધા પાપો ને ભસ્મ કરવાના છે.
વરદાન :-
નોલેજ રુપી
ચાવી દ્વારા ભાગ્ય નો અખૂટ ખજાનો પ્રાપ્ત કરવા વાળા માલામાલ ભવ
સંગમયુગ પર બધા બાળકો
ને ભાગ્ય બનાવવા માટે નોલેજ રુપી ચાવી મળે છે. એ ચાવી લગાવો અને જેટલું ઈચ્છો એટલો
ભાગ્ય નો ખજાનો લો. ચાવી મળી અને માલામાલ બની ગયા. જે જેટલાં માલામાલ બને છે એટલી
ખુશી સ્વતઃ રહે છે. એવો અનુભવ થાય છે જેવી રીતે ખુશી નાં ઝરણાં અખૂટ અવિનાશી વહેતા
જ રહે છે. તે સર્વ ખજાનાઓ થી ભરપૂર માલામાલ દેખાય છે. એમની પાસે કોઈ પણ પ્રકાર ની
અપ્રાપ્તિ નથી રહેતી.
સ્લોગન :-
બાપ સાથે
કનેક્શન ઠીક રાખો તો સર્વ શક્તિઓ નો કરંટ આવતો રહેશે.
અવ્યક્ત ઇશારા -
રુહાની રોયલ્ટી અને પ્યોરિટી ની પર્સનાલિટી ધારણ કરો .
જેટલી પવિત્રતા છે
એટલી બ્રાહ્મણ જીવન ની પર્સનાલિટી છે, જો પવિત્રતા ઓછી તો પર્સનાલિટી ઓછી. આ
પ્યોરિટી ની પર્સનાલિટી સેવા માં પણ સહજ સફળતા અપાવે છે. પરંતુ જો એક વિકાર પણ
અંશ-માત્ર છે તો બીજા સાથી પણ એમની સાથે જરુર હશે. જેવી રીતે પવિત્રતા નો સુખ-શાંતિ
થી ઊંડો સંબંધ છે, એવી રીતે અપવિત્રતા નો પણ પાંચ વિકારો સાથે ઊંડો સંબંધ છે એટલે
કોઈ પણ વિકાર નો અંશ-માત્ર ન રહે ત્યારે કહેવાશે પવિત્રતા ની પર્સનાલિટી દ્વારા સેવા
કરવા વાળા.