30-06-2025
પ્રાતઃ ગુજરાતી મુરલી
ઓમ શાંતિ
બાપદાદા મધુબન
“ મીઠાં બાળકો - બાપ
આવ્યાં છે તમને જ્ઞાન થી શુદ્ધ સુગંધિત ફૂલ બનાવવા , તમારે કાંટા નથી બનવાનું ,
કાંટાઓ ને આ સભા માં નથી લાવવાનાં”
પ્રશ્ન :-
જે બાળકો યાદ ની યાત્રા માં મહેનત કરે છે તેમની નિશાની શું હશે?
ઉત્તર :-
યાદ ની મહેનત કરવા વાળા બાળકો ખૂબ ખુશી માં રહેશે. બુદ્ધિ માં રહેશે કે હવે અમે પાછા
જઈ રહ્યાં છીએ. પછી અમારે સુગંધિત ફૂલો નાં બગીચા માં જવાનું છે. તમે યાદ ની યાત્રા
થી સુગંધિત બનો છો અને બીજાઓ ને પણ બનાવો છો.
ઓમ શાંતિ!
બાગવાન પણ બેઠાં
છે, માળી પણ છે, ફૂલ પણ છે. આ નવી વાત છે ને? કોઈ નવું જો સાંભળે તો કહેશે આ શું કહે
છે? બાગવાન, ફૂલ વગેરે આ શું છે? આવી વાતો તો ક્યારેય શાસ્ત્રો માં સાંભળી નથી. આપ
બાળકો જાણો છો, યાદ પણ કરે છે બાગવાન-ખેવૈયા ને. હવે અહીં આવ્યાં છે, અહીં થી પાર
લઈ જવાં. બાપ કહે છે યાદ ની યાત્રા પર રહેવાનું છે. પોતે જ પોતાને જુઓ અમે કેટલાંં
દુર જઈ રહ્યાં છીએ? કેટલી પોતાની સતોપ્રધાન અવસ્થા સુધી પહોંચ્યાં છીએ? જેટલી
સતોપ્રધાન અવસ્થા થતી જશે તો સમજશે હવે અમે જઈ રહ્યાં છીએ. ક્યાં સુધી આપણે પહોંચ્યાં
છીએ, બધો આધાર યાદ ની યાત્રા પર છે. ખુશી પણ ચઢેલી રહેશે. જે જેટલી-જેટલી મહેનત કરે
છે એટલી એમનાં માં ખુશી આવશે. જેમ પરીક્ષા નાં દિવસો હોય છે તો સ્ટુડન્ટ સમજી જાય
છે ને - અમે ક્યાં સુધી પાસ થઈશું? અહીં પણ એવું છે - દરેક બાળક પોતાને જાણે છે કે
ક્યાં સુધી અમે સુંગધિત ફૂલ બન્યાં છીએ? કેટલાંં સુગંધિત પછી બીજાઓને બનાવીએ છીએ? આ
ગવાય જ છે - કાંટાઓ નું જંગલ. તે છે ફૂલો નો બગીચો. મુસલમાન લોકો પણ કહે છે ગાર્ડન
ઓફ અલ્લાહ (ઈશ્વર નો બગીચો). સમજે છે ત્યાં એક બગીચો છે, ત્યાં જે જાય છે તેમને ખુદા
ફૂલ આપે છે. મન માં જે કામના હોય છે તે પૂરી કરે છે. બાકી એવું તો નથી, કોઈ ફૂલ લઈને
આપે છે, જેવું જેમની બુદ્ધિ માં છે તે સાક્ષાત્કાર થઈ જાય છે. અહીં સાક્ષાત્કાર પર
કાંઈ પણ નથી. ભક્તિમાર્ગ માં તો સાક્ષાત્કાર માટે ગળું પણ કાપી નાખે છે. મીરા ને
સાક્ષાત્કાર થયો એનું કેટલું માન છે. તે છે ભક્તિ માર્ગ. ભક્તિ ને અડધો કલ્પ ચાલવાનું
જ છે. જ્ઞાન જ નથી. વેદો વગેરે નું ખૂબ માન છે. કહે છે વેદ તો અમારા પ્રાણ છે. હમણાં
તમે જાણો છો આ વેદ-શાસ્ત્ર વગેરે બધા છે ભક્તિ માર્ગ માટે. ભક્તિ નો કેટલો મોટો
વિસ્તાર છે. મોટું ઝાડ છે. જ્ઞાન છે બીજ. હમણાં જ્ઞાન થી તમે કેટલાંં શુદ્ધ થાઓ છો.
સુગંધિત બનો છો. આ તમારો બગીચો છે. અહીં કાંટા કોઈને પણ નહીં કહેવાશે કારણકે અહીં
વિકાર માં કોઈ જતું નથી. તો કહેવાશે આ બગીચા માં એક પણ કાંટો નથી. કાંટા છે કળિયુગ
માં. હમણાં છે પુરુષોત્તમ સંગમયુગ. આમાં કાંટા ક્યાંથી આવ્યાં? જો કોઈ કાંટા બેઠાં
છે તો પોતાને જ નુકસાન પહોંચાડે છે કારણકે આ ઈન્દ્રપ્રસ્થ છે ને? આમાં જ્ઞાન પરીઓ
બેઠી છે. જ્ઞાન ડાન્સ કરવા વાળી પરીઓ છે. મુખ્ય-મુખ્ય નાં નામ પુખરાજ પરી, નીલમ પરી
વગેરે-વગેરે પડ્યાં છે. એ જ પછી ૯ રત્ન ગવાય છે. પરંતુ આ કોણ હતાં? આ કોઈને પણ ખબર
નથી. બાપ ફક્ત કહે છે મને યાદ કરો. આપ બાળકો ની બુદ્ધિ માં હવે સમજ છે, ૮૪ નું ચક્ર
પણ હમણાં બુદ્ધિ માં છે. શાસ્ત્રો માં તો ૮૪ લાખ કહી દીધું છે. મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો ને બાપે સમજાવ્યું છે તમે ૮૪ જન્મ લીધાં. હવે તમોપ્રધાન થી સતોપ્રધાન બનવાનું
છે. કેટલું સહજ છે! ભગવાનુવાચ બાળકો પ્રત્યે, મામેકમ્ યાદ કરો. હવે આપ બાળકો
સુગંધિત ફૂલ બનવા માટે સ્વયં ને આત્મા સમજી બાપ ને યાદ કરો. કાંટા ન બનો. અહીં બધા
મીઠાં-મીઠાં ફૂલ છે. કાંટા નથી. હા, માયા નાં તોફાન તો આવશે. માયા એવી કઠોર છે જે
ઝટ ફસાવી દેશે. પછી પસ્તાશો - અમે આ શું કર્યુ. અમારી તો કરેલી કમાણી બધી ચટ થઈ ગઈ.
આ છે બગીચો. બગીચા
માં સારા-સારા ફૂલ પણ હોય છે. આ બગીચા માં પણ કોઈ તો ફર્સ્ટક્લાસ ફૂલ બનતા જાય છે.
જેમ મોગલ ગાર્ડન માં સારા-સારા ફૂલ હોય છે. બધા જાય છે જોવાં. અહીં તમારી પાસે કોઈ
જોવા તો આવશે નહીં. તમે કાંટાઓ ને શું મોઢું દેખાડશો? ગાયન પણ છે મૂત પલીતી… બાબા
ને જપ સાહેબ, સુખમણી વગેરે બધું યાદ હતું. અખંડ પાઠ પણ કરતા હતાં, ૮ વર્ષ નાં હતાં
તો પટકા બાંધતા હતાં, રહેતાં જ મંદિર માં હતાં. મંદિર નો ચાર્જ (જવાબદારી) બધો મારા
ઉપર હતો. હમણાં સમજે છે, મૂત પલીતી કપડા ધોવા નો અર્થ શું છે. મહિમા બધી બાબા ની જ
છે. હમણાં આપ બાળકો ને બાપ સમજાવે છે. બાળકો ને કહે પણ છે - સારા-સારા ફૂલ લાવો. જે
સારા-સારા ફૂલ લાવશે તે સારા ફૂલ મનાશે. બધા કહે છે અમે શ્રી લક્ષ્મી-નારાયણ બનીશું
તો એટલે ગુલાબ નાં ફૂલ થઈ ગયાં. બાપ કહે છે સરસ આપ બાળકો નાં મુખ માં ગુલાબ. હવે
પુરુષાર્થ કરી સદા ગુલાબ બનો. અનેકાનેક બાળકો છે. પ્રજા તો ખૂબ બની રહી છે. ત્યાં
છે જ રાજા-રાણી અને પ્રજા. સતયુગ માં વજીર હોતાં જ નથી કારણકે રાજા માં જ પાવર (શક્તિ)
રહે છે. વજીર વગેરે પાસે થી સલાહ લેવાની જરુર નથી રહેતી. નહીં તો સલાહ આપવા વાળા
મોટા થઈ જાય. ત્યાં ભગવાન-ભગવતી ને સલાહ ની જરુર નથી, વજીર વગેરે ત્યારે હોય છે,
જ્યારે પતિત બને છે. ભારત ની જ વાત છે, બીજા કોઈ ખંડ નથી, જ્યાં રાજાઓ રાજાઓ ને માથું
ટેકવે છે. અહીં જ દેખાડાય છે જ્ઞાનમાર્ગ માં પૂજ્ય, અજ્ઞાન માર્ગ માં પુજારી. તે
ડબલ તાજ, તે સિંગલ તાજ. ભારત જેવો પવિત્ર ખંડ કોઈ નથી. પેરેડાઇઝ (વૈકુંઠ), બહિશ્ત
હતું. તમે તેનાં માટે જ ભણો છો. હવે તમારે ફૂલ બનવાનું છે. બાગવાન આવ્યાં છે. માળી
પણ છે. માળી નંબરવાર હોય છે. બાળકો પણ સમજે છે આ બગીચો છે, આમાં કાંટા નથી, કાંટા
દુઃખ આપે છે. બાપ તો કોઈને દુઃખ નથી આપતાં. એ છે જ દુઃખહર્તા, સુખકર્તા. કેટલાંં
મીઠાં બાબા છે!
આપ બાળકો ને બાપ પર
પ્રેમ છે. બાપ પણ બાળકો ને પ્રેમ કરે છે ને? આ ભણતર છે. બાપ કહે છે હું તમને
પ્રેક્ટિકલ માં ભણાવું છું, આ પણ ભણે છે, ભણીને પછી ભણાવો તો બીજા પણ કાંટા થી ફૂલ
બને. ભારત મહાદાની ગવાયેલું છે કારણકે હમણાં આપ બાળકો મહાદાની બનો છો. અવિનાશી
જ્ઞાન રત્નો નું તમે દાન કરો છો. બાબા એ સમજાવ્યું છે આત્મા જ રુપ વસંત છે. બાબા પણ
રુપ વસંત છે. એમનાં માં બધું જ્ઞાન છે. જ્ઞાન નાં સાગર છે પરમપિતા પરમાત્મા, એ
ઓથોરિટી (સત્તા) છે ને? જ્ઞાન નાં સાગર એક બાપ છે એટલે ગવાય છે આખો સમુદ્ર શાહી
બનાવો તો પણ ખૂટવાનું નથી. અને પછી એક સેકન્ડ માં જીવનમુક્તિ નું પણ ગાયન છે. તમારી
પાસે કોઈ શાસ્ત્ર વગેરે નથી. ત્યાં કોઈ પંડિત વગેરે ની પાસે જશો તો સમજે છે આ પંડિત
ખૂબ ભણેલા ઓથોરિટી છે. આમણે બધા વેદ શાસ્ત્ર કંઠ કર્યા છે પછી સંસ્કાર લઈ જાય છે તો
નાનપણ થી પછી તે અધ્યયન કરી લે છે. તમે સંસ્કાર નથી લઈ જતાં. તમે ભણતર નું રીઝલ્ટ (પરિણામ)
લઈ જાઓ છો. તમારું ભણતર પૂરું થયું પછી રીઝલ્ટ નીકળશે અને એ પદ મેળવી લેશો. જ્ઞાન
થોડી લઈ જશો જે કોઈને સંભળાવશો? અહીં તો તમારું ભણતર છે, જેની પ્રારબ્ધ નવી દુનિયામાં
મળવાની છે. આપ બાળકો ને બાપે સમજાવ્યું છે-માયા પણ કોઈ ઓછી શક્તિવાન્ નથી. માયા ને
શક્તિ છે દુર્ગતિ માં લઈ જવાની. પરંતુ તેની મહિમા થોડી કરશે? તે તો દુઃખ આપવામાં
શક્તિમાન્ છે ને? બાપ સુખ આપવામાં શક્તિમાન્ છે એટલે એમનું ગાયન છે. આ પણ ડ્રામા
બનેલો છે. તમે સુખ ભોગવો છો તો દુઃખ પણ ભોગવો છો. હાર અને જીત કોની છે, તેની પણ ખબર
હોવી જોઈએ ને? બાપ પણ ભારત માં આવે છે, જયંતિ પણ ભારત માં મનાવાય છે, આ કોઈને પણ
ખબર નથી કે શિવબાબા ક્યારે આવ્યાં, શું આવીને કર્યુ હતું. નામ-નિશાન જ ગુમ કરી દીધું
છે. શ્રીકૃષ્ણ બાળક નું નામ આપી દીધું છે. હકીકત માં બિલોવેડ (પ્રિય) બાપ ની મહિમા
અલગ, શ્રીકૃષ્ણ ની મહિમા અલગ છે. એ નિરાકાર, આ સાકાર છે. શ્રીકૃષ્ણ ની મહિમા છે
સર્વગુણ સમ્પન્ન… શિવબાબા ની આ મહિમા નહીં કરશે, જેમનાં માં ગુણ છે તો અવગુણ પણ હશે
એટલે બાપ ની મહિમા જ અલગ છે. બાપ ને અકાળમૂર્ત કહે છે ને? આપણે પણ અકાળમૂર્ત છીએ.
આત્મા ને કાળ ખાઈ નથી શકતો. આત્મા અકાળમૂર્ત નું આ તખ્ત છે. આપણા બાબા પણ અકાળમૂર્ત
છે. કાળ શરીર ને જ ખાય છે. અહીં અકાળમૂર્ત ને બોલાવે છે. સતયુગ માં નહીં બોલાવશે
કારણકે ત્યાં તો સુખ જ સુખ છે એટલે ગાય પણ છે દુઃખ મેં સિમરણ સબ કરે સુખ મેં કરે ન
કોઈ. હમણાં રાવણ રાજ્ય માં કેટલાં દુઃખ છે? બાપ તો સ્વર્ગ નાં માલિક બનાવે છે પછી
ત્યાં અડધોકલ્પ કોઈ પોકારતા જ નથી. જેમ લૌકિક બાપ બાળકો નો શૃંગાર કરીને વારસો આપી
પોતે વાનપ્રસ્થ અવસ્થા લે છે. બધું જ બાળકો ને આપીને કહેશે - હવે અમે સત્સંગ માં
જઈએ છીએ. કાંઈ ખાવા માટે મોકલતા રહેજો. આ બાબા તો એવું નહીં કહેશે ને? આ તો કહે છે
મીઠાં-મીઠાં બાળકો, હું તમને વિશ્વ ની બાદશાહી આપીને વાનપ્રસ્થ માં ચાલ્યો જઈશ. હું
થોડી કહીશ - ખાવા માટે મોકલજો. લૌકિક બાળકો ની તો ફરજ છે બાપ ની સંભાળ કરવી. નહીં
તો ખાશે કેવી રીતે? આ બાપ તો કહે છે હું નિષ્કામ સેવાધારી છું. મનુષ્ય કોઈ નિષ્કામ
હોઈ ન શકે. ભૂખે મરી જાય. હું થોડી ભૂખે મરીશ? હું તો અભોક્તા છું. આપ બાળકો ને
વિશ્વ ની બાદશાહી આપીને હું જઈને વિશ્રામ કરું છું. પછી મારો પાર્ટ બંધ થઈ જાય છે.
પછી ભક્તિ માર્ગ માં શરુ થાય છે. આ અનાદિ ડ્રામા બનેલો છે, જે રહસ્ય બાપ સમજાવે છે.
હકીકત માં તમારો પાર્ટ સૌથી વધારે છે તો વળતર પણ તમને મળવું જોઈએ. હું આરામ કરું
છું, તો તમે પછી બ્રહ્માંડ નાં પણ માલિક, વિશ્વ નાં પણ માલિક બનો છો. તમારું નામ
ઊંચું થાય છે. આ ડ્રામા નાં રહસ્ય પણ તમે જાણો છો. તમે છો જ્ઞાન નાં ફૂલ. દુનિયા
માં એક પણ નથી. રાત-દિવસ નો ફરક છે. તે રાત માં છે, તમે દિવસ માં જાઓ છો. આજકાલ જુઓ
વન-ઉત્સવ કરતા રહે છે, હવે ભગવાન મનુષ્યો નો વનોત્સવ કરી રહ્યાં છે.
બાપ જુઓ કેવી કમાલ કરે
છે જે મનુષ્ય ને દેવતા, રંક ને રાવ (રાજા) બનાવી દે છે. હમણાં બેહદ નાં બાપ પાસે થી
તમે સૌદો લેવા આવ્યાં છો, કહો છો બાબા અમને રંક થી રાવ બનાવો. આ તો ખૂબ સારા ઘરાક
છે. એમને તમે કહો પણ છો દુઃખહર્તા-સુખકર્તા. આનાં જેવું દાન કોઈ હોતું જ નથી. એ છે
સુખ આપવા વાળા. બાપ કહે છે ભક્તિમાર્ગ માં પણ હું તમને આપું છું. આ ડ્રામા માં નોંધ
છે સાક્ષાત્કાર વગેરે ની. હવે બાપ સમજાવે છે હું શું-શું કરું છું. આગળ ચાલી સમજાવતા
રહેશે. છેલ્લે અંત માં તમે નંબરવાર કર્માતીત અવસ્થા મેળવશો. આ બધું ડ્રામા માં નોંધ
છે છતાં પણ પુરુષાર્થ કરાવાય છે, બાપ ને યાદ કરો. બરોબર આ મહાભારત લડાઈ પણ છે. બધું
ખતમ થઈ જશે. બાકી ભારત વાસી જ રહેશે પછી તમે વિશ્વ પર રાજ્ય કરો છો. હમણાં બાપ તમને
ભણાવવા આવ્યાં છે. એ જ જ્ઞાન સાગર છે. આ પણ રમત છે, આમાં મુંઝાવાની વાત જ નથી. માયા
તોફાન માં લાવશે. બાપ સમજાવે છે આનાં થી ડરો નહીં. ખૂબ ગંદા-ગંદા સંકલ્પ આવશે. તે
પણ ત્યારે જ્યારે બાબા ની ગોદ લેશો. જ્યાં સુધી ગોદ જ નથી લીધી તો માયા એટલું નહીં
લડશે. ગોદ લીધાં પછી જ તોફાન લાગે છે એટલે બાપ કહે છે ગોદ પણ સંભાળીને લેવી જોઈએ.
કમજોર છે તો પછી પ્રજા માં આવી જશે. રાજાઈ પદ મેળવવું તો સારું છે, નહીં તો
દાસ-દાસીઓ બનવું પડશે. આ સૂર્યવંશી-ચંદ્રવંશી રાજધાની સ્થાપન થઈ રહી છે. અચ્છા!
મીઠાં-મીઠાં સિકિલધા
બાળકો પ્રત્યે માત-પિતા, બાપદાદા નાં યાદ-પ્યાર અને ગુડમોર્નિંગ. રુહાની બાપ નાં
રુહાની બાળકો ને નમસ્તે.
ધારણા માટે મુખ્ય સાર:-
1. રુપ-વસંત
બની અવિનાશી જ્ઞાન-રત્ન નું દાન કરી મહાદાની બનવાનું છે. જે ભણતર ભણો છો તે બીજાઓ
ને પણ ભણાવવાનું છે.
2. કોઈ પણ વાત માં
મુંઝાવાનું કે ડરવાનું નથી, પોતાની સંભાળ કરવાની છે. પોતે પોતાને પૂછવાનું છે હું
કયા પ્રકાર નું ફૂલ છું. મારા માં કોઈ દુર્ગંધ તો નથી?
વરદાન :-
દૃઢ સંકલ્પ
દ્વારા કમજોરીઓ રુપી કળિયુગી પર્વત ને સમાપ્ત કરવા વાળા સમર્થી સ્વરુપ ભવ
દિલશિકસ્ત થવું, કોઈ
પણ સંસ્કાર અથવા પરિસ્થિતિ નાં વશીભૂત થવું, વ્યક્તિ અથવા વૈભવો ની તરફ આકર્ષિત થવું
- આ બધી કમજોરીઓ રુપી કળિયુગી પર્વત ને દૃઢ સંકલ્પ ની આંગળી આપીને સદાકાળ માટે
સમાપ્ત કરો અર્થાત્ વિજયી બનો. વિજય અમારા ગળા ની માળા છે - સદા આ જ સ્મૃતિ થી
સમર્થી સ્વરુપ બનો. આ જ સ્નેહ નું રિટર્ન છે. જેવી રીતે સાકાર બાપે સ્થિતિ નો સ્તંભ
બનીને દેખાડ્યું એવી રીતે ફોલો ફાધર કરી સર્વ ગુણો નાં સ્તંભ બનો.
સ્લોગન :-
સાધન સેવાઓ
માટે છે, આરામ પસંદ બનવા માટે નથી.
અવ્યક્ત ઈશારા -
આત્મિક સ્થિતિ માં રહેવા નો અભ્યાસ કરો અંતર્મુખી બનો
જેવી રીતે એટમ
બોમ્બ્સ એક સ્થાન પર છોડવા થી ચારેય તરફ એનો અંશ ફેલાઈ જાય છે - તે એટમ બોમ્બ છે અને
આ આત્મિક બોમ્બ છે. એનો પ્રભાવ અનેક આત્માઓ ને આકર્ષિત કરશે અને સહજ જ પ્રજા ની
વૃદ્ધિ થઈ જશે એટલે સંગઠિત રુપ માં આત્મિક સ્વરુપ નાં અભ્યાસ ને વધારો સ્મૃતિ
સ્વરુપ બનો તો વાયુમંડળ પાવરફુલ બની જશે.